સલમાન ખાનના પિતા સલીમ ખાનની બિમારીનો ખુલાસો,બ્રેઈન હેમરેજ બાદ વેન્ટિલેટર પર

સલમાન ખાનના પિતા અને ફિલ્મ લેખક સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે એક નવી અપડેટ સામે આવી છે. ડોક્ટરોએ અભિનેતાના પિતાની હાલની સ્થિતિ વિશે માહિતી શેર કરી છે.

ગત રોજ એટલે કે મંગળવારે સલમાન ખાનના પિતા અને પ્રખ્યાત પટકથા લેખક, સલીમ ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આખો પરિવાર હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહાર સૌથી પહેલા સલમાન ખાન દેખાયા હતા, ત્યારબાદ તેમની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રી પણ આવ્યા હતા. અરબાઝ ખાન, તેમની પત્ની શૂરા, અરહાન, નિર્વાણ, આયુષ શર્મા, અર્પિતા ખાન, સલમા ખાન અને હેલન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બોલિવૂડના દિગ્ગજ સંજય દત્ત પણ સલીમ ખાનના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા પહોંચ્યા હતા.સલીમ ખાન 24 કલાકથી વધુ સમયથી હોસ્પિટલમાં છે. ગઈકાલે સાંજે લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ જાહેરાત કરી હતી કે સલીમ ખાન સ્થિર છે, તેમની સારવાર ચાર ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં તેઓ ICUમાં છે. બુધવારે સવારે 11 વાગ્યે પ્રેસ બ્રીફિંગમાં હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલીમ ખાનના પિતાને હળવું મગજનું હેમરેજ થયું છે.

ડૉ. જલીલ પરિકરે કહ્યું, “સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું, જેના માટે DSA નામની મૂળભૂત પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રક્રિયા સફળ રહી તેમના પર કોઈ સર્જરી કરવામાં આવી ન હતી. સલીમ ખાન હાલમાં વેન્ટિલેટર પર છે અને આજે અથવા કાલે તેમને વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવશે. તેમને ગઈકાલે સવારે 8:30 વાગ્યે અહીં લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત હવે સારી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.”

મંગળવારે સાંજે સલીમ ખાનની સારવાર કરી રહેલા ડૉ. જલીલ પારિકરે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ શેર કર્યું. તાજેતરના એક નિવેદનમાં તેમણે કહ્યું, “બધાને નમસ્તે! હા, એ સાચું છે કે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા અને પોતાનામાં એક આઇકોન સલીમ ખાનને સવારે 8:30 વાગ્યે ડૉ. જલીલ પારિકરની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તેમના ફેમિલી ડૉક્ટર ડૉ. સંદીપ ચોપરા દ્વારા ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યા હતા. તાત્કાલિક ઇમરજન્સી સંભાળ શરૂ કરવામાં આવી હતી અને સલીમ ખાનને પહેલા માળે સઘન સંભાળમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર ડૉ. વિનય ચવ્હાણ (ન્યુરોલોજિસ્ટ), ડૉ. અજિત મેનન (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. નીતિન ડાંગે (ન્યુરોસર્જન) અને ડૉ. બિનિત આહલુવાલિયા સહિત ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સંબંધીઓની વિનંતીને માન આપીને આજે વધુ કોઈ માહિતી શેર કરવામાં આવી રહી નથી.” જોકે, આવતીકાલે સવારે 11 વાગ્યે અમે સંબંધીઓની સંમતિથી અને દર્દીની ગોપનીયતા જાળવી રાખીને પ્રેસ બુલેટિન જારી કરીશું. કૃપા કરીને અમારી સાથે રહો. તેમની તબિયત સ્થિર છે પણ તેમની ક્લિનિકલ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.