નવી દિલ્હી: ભારત સરકારે મોટી કાર્યવાહી કરતાં ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટનની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ કરી દીધો છે. એટલે હવે ભારતમાં શાહિદ આફ્રિદીના સમર્થકો યુટ્યુબ પર તેમના વિડિયો જોઈ શકશે નહીં.
શાહિદ આફ્રિદી પહેલાં બાસિત અલી, રશિદ લતીફ અને તનવીર અહમદ જેવા ક્રિકેટરોની ચેનલો પણ ભારતમાં પ્રતિબંધ કરવામાં આવ્યા છે. આફ્રિદીએ ભારતીય સેનાને નાલાયક અને નિકમ્મી કહી હતીં, જેના જવાબમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને તેની ટીકા કરી હતી. ધવને X (એક્સ) પર લખ્યું હતું:‘કારગિલમાં પણ હારી ગયો હતો, પહેલેથી જ એટલા નીચે ગયા છે અને હજી કેટલી નીચતા કરશો? બેવકૂફીભર્યા ટિપ્પણીઓ કરતાં સારું છે કે તમારા દેશની પ્રગતિ માટે મગજ વાપરો. ભારતીય સેના પર ખૂબ ગર્વ છે. ભારત માતા કી જય!’
સમા ટીવી સાથે વાત કરતાં શાહિદ આફ્રિદીએ કહ્યુ હતું કે તમારી પાસે કાશ્મીરમાં 8 લાખની સેના છે અને હજુ પણ આ થઇ રહ્યું છે. આનો અર્થ એ છે કે તમે નાલાયક છો, નિકમ્મા છો, તમે લોકોની સુરક્ષા આપી શક્યા નથી.
Chouro jeet haar ko , aao tumhey chae pilata hun Shikhar . #FantasticTea https://t.co/ilEOepsVm0 pic.twitter.com/T45O8o2XUR
— Shahid Afridi (@SAfridiOfficial) April 29, 2025
પહેલગામમાં 22 એપ્રિલે થયેલો આતંકી હુમલો 2019ના પુલવામા ઘટના પછીનો કાશ્મીરમાં સૌથી ઘાતક હુમલો ગણવામાં આવ્યો છે. આ હુમલાની વૈશ્વિક સ્તરે નિંદા કરવામાં આવી હતી અને ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવ્યાં હતાં.
