વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં બેફામ કારચાલક નબીરાએ એકસાથે આઠને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. મોડી રાત્રે નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ થયું મોત તો ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ અકસ્માત વખતે કારમાં બે લોકો સવાર હતા, જેમાંથી એક યુવક ફરાર થઈ ગયો હતો. પણ કારચાલક યુવાનને લોકોએ દબોચી માર માર્યો હતો. તેને પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીનું નામ રક્ષિત ચૌરસિયા અને મૂળ વારાણસીનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં તે એમ એસ યુનિ.માં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.
चेतावनी ⚠️ वीडियो गुजरात के वडोदरा का है। जहां एक युवा ने कार से तीन इंसानों को कुचल दिया। कार डीऑन टेक्नोलॉजी प्राइवेट लिमिटेड के नाम पर रजिस्टर्ड है। pic.twitter.com/crbgnyvo4y
— Wasim Akram Tyagi (@WasimAkramTyagi) March 13, 2025
કારેલીબાગના આમ્રપાલી રોડ પર પૂરઝડપે કાર ચલાવી બે ટૂ વ્હીલર સહિત અનેકને તેણે અડફેટે લીધા હતા. એક બાળકી સહિત અન્ય ચાર ગંભીર ઘાયલ થયા હતા. આ ઘાયલોને રાત્રે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલક રક્ષિતની કારેલીબાગ પોલીસે અટકાયત કરી હતી. લોકોનું કહેવું છે કે અકસ્માત સમયે નબીરો રક્ષિત 100 કિલોમીટરથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. પોલીસની જાણકારી મુજબ અકસ્માતમાં હેમાલીબહેન પટેલનું મોત થયું હતું. જ્યારે પૂરવ દીપકભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નિશાબેન શાહ, રેન્સિ શાહ અને જિમ્મી શાહને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. કારેલીબાગ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
