પાલજની હોળીમાં વિશાળ જનમેદની ઉમટી

ફાગણ સુદ પૂનમના દિવસે પરંપરાગત રીતે હોલિકા દહન થાય પછી આખુંય ગામ ધૂળેટી રંગોત્સવની ઉજવણી કરે. દરેક પ્રાંત પ્રદેશ ગામની માન્યતાઓ અને પરંપરાઓ અલગ અલગ હોય છે. એ પ્રમાણે ઉત્સવની ઉજવણી થાય. કેટલાક ગામ, શહેરના વિસ્તારોમાં આગવી શૈલીથી જુદી જુદી સામગ્રી મુકી હોલિકા દહન કરવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણ માટે વૈદિક હોળીનો વિચાર પ્રસર્યા બાદ એનો અમલ પણ ઘણી જગ્યાઓ પર શરૂ થઈ ગયો છે.

અમદાવાદ શહેરના માનસી સર્કલ, આંબાવાડી, ભૂદરપુરા, નવરંગપુરા, નારણપુરા, મેમનગર, થલતેજ, સેટેલાઈટ સહિત અનેક વિસ્તારોમાં છાણાંનો મહત્તમ ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી.

ગાંધીનગરને અડીને જ આવેલા પાલજ ગામની હોળી પ્રગટાવવાની રીત જાણીતી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. એ સાથે હોલિકા દહન નું સ્વરૂપ ખૂબજ મોટું હોય છે. ઠેર ઠેર થી લોકો પાલજની હોળી નિહાળવા ઉમટી પડે છે.

પ્રજ્ઞેશ વ્યાસ