નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર નીતિ સાથે જોડાયેલા ચર્ચિત CBI કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને વિજય નાયરને મોટી રાહત આપતાં તમામ આરોપોમાંથી બરી જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે CBI આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી અને કેસમાં ન તો કોઈ આપરાધિક ષડયંત્ર દેખાય છે અને ન જ કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા છે.
કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
આ કેસમાં સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ સામૂહિક કાવતરું અથવા ક્રિમિનલ ઇરાદો સામે આવ્યો નથી. કોર્ટે CBIને પુરાવા વિના ફસાવવાના પ્રયાસ બદલ ફટકાર લગાવી અને કહ્યું હતું કે વિશદ ચાર્જશીટમાં અનેક ખામીઓ છે, જેણે કોઈ સાક્ષી કે નિવેદનથી સમર્થન મેળવ્યું નથી.
કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મનીષ સિસોદિયા સામે કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બનેલો નથી. જજે એ પણ ટિપ્પણી કરી હતી કે અરવિંદ કેજરીવાલને કોઈ મજબૂત આધાર વગર આરોપી બનાવવામાં આવ્યા હતા.
CBIને કોર્ટની ફટકાર
કોર્ટે CBIની તપાસ પદ્ધતિ પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે એજન્સી યોગ્ય, તર્કસંગત અને નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. ન્યાયસંગત ટ્રાયલ ત્યારે જ શક્ય છે જ્યારે તપાસ પણ નિષ્પક્ષ હોય, અને આ કેસમાં તપાસ તે માપદંડ પર ઊતરી નથી.
आख़िर में अधर्म और अन्याय हारता है और सच ही जीतता है।
सत्यमेव जयते pic.twitter.com/GZghEdhJf3
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2026
સિસોદિયાને મોટી રાહત
રાઉઝ એવન્યુ કોર્ટે જણાવ્યું હતું કે સિસોદિયા સામે કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે CBI દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ વજન નથી અને કોઈ આપરાધિક કાવતરું સામે આવ્યું નથી.
કેજરીવાલને પણ ક્લીનચિટ
કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સામે લગાવવામાં આવેલા આરોપોનો કોઈ આધાર નહોતો. તેમને કોઈ મજબૂત સામગ્રી વિના કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.


