લખનૌઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં શુક્રવારે પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને વિવાદ થયો છે. જે પછી સેંકડો લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અલ્લા હુ અકબર” જેવાં ધાર્મિક સૂત્રો પોકારી હંગામો શરૂ કર્યો હતો. ભીડે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પણ લોકો શાંત થયા નહીં.
પોલીસે આક્રોશિત ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ લોકો ન માન્યા. માહોલ બગડતાં પોલીસે લાઠી જમીન પર ફટકારીને લોકોને ખદેડ્યા હતા. ત્યાર બાદ સ્થળ પર ભગદડ મચી ગઈ. લોકો અહીં-તહીં દોડી ગયા. પોલીસે મોટી મુશ્કેલીથી પરિસ્થિતિ કાબૂમાં લીધી. આશરે ત્રણ કલાક સુધી હંગામો ચાલ્યો. તણાવને જોતાં સાત પોલીસ સ્ટેશનની ફોર્સ અને ક્યુઆરટી સાથે ડીએમ-એસપીએ ફ્લેગ માર્ચ કર્યું હતું.આ મામલો કોઠવાળી વિસ્તારમાંનો છે. ઈદગાહ કમિટીના સભ્ય કાસિમ રઝાએ જણાવ્યું હતું કે સાંજે સાડાછ વાગ્યે કેકે દીક્ષિત નામની વ્યક્તિએ પયગંબર સાહેબ અને કુરાનને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. આરોપી બહાદુરનનો રહેવાસી છે. રઝાએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પોસ્ટમાં આરોપીએ ગાળો આપી હતી. એની ફરિયાદ પર પોલીસે આરોપી વિરુદ્ધ FIR પણ નોંધી છે. મારી પ્રશાસન પાસે માગ છે કે આવા લોકોને આકરી સજા આપવામાં આવે. રઝાએ કહ્યું હતું કે આરોપીની હરકત પર લોકોમાં ગુસ્સો હતો, એટલે જ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ભીડમાં કેટલાંક અસામાજિક તત્વો પણ હતાં, જેમણે વાતાવરણ બગાડ્યું હતું પોલીસ પોતાનું કામ કરી રહી હતી. હું લોકોને શાંતિ રાખવાની અપીલ કરું છું. જેટલો ગુસ્સો લોકોમાં છે, એટલો જ મારો છે, પરંતુ અમે કાયદો હાથમાં નથી લઈ શકતા. પોલીસે પરિસ્થિતિ સંભાળી છે.
शाहजहांपुर मे पैगंबर मोहम्मद पर आपत्तिजनक टिप्पणी को लेकर बवाल हो गया। सैकड़ों की संख्या में पहुंचे लोगों ने थाना घेर लिया। अल्लाह हू अकबर जैसे धार्मिक नारे लगाए और हंगामा करने लगे। भीड़ ने आपत्तिजनक टिप्पणी करने वाले आरोपी के खिलाफ कार्रवाई की मांग की। #shahjahanpur pic.twitter.com/fzDRzeUqJq
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) September 13, 2025
એસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પર અભદ્ર ટિપ્પણીનો મામલો આવ્યો હતો. તરત જ પોલીસે કાર્યવાહી કરીને કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી છે. લોકોથી અપીલ છે કે અફવાઓ પર ધ્યાન ન આપે, શાંતિ જાળવે. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં કરી લીધી છે.
