બિહારમાં રાજકીય ગરમાવા વચ્ચે CM યોગી,  કેશવ મૌર્ય વચ્ચે સમાધાન

પટનાઃ બિહારમાં ટિકિટ વહેંચણીના મુદ્દે RJD  ને ફક્ત કોંગ્રેસ સાથે જ નહીં, પણ ડાબેરી પક્ષો અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝારમૂમો) સાથે પણ તીવ્ર મતભેદો થયા છે. JMM અને RJDના નેતાઓ વચ્ચે મૌખિક ટકરાર ચાલી રહી છે. બંને પક્ષોના પ્રવક્તાઓએ એકબીજા સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે JMMના નેતા અને ઝારખંડ સરકારના મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ તો પત્રકારો સામે RJD પર છળકપટ  કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

આવા આક્ષેપ બાદ RJD શિબિરની પ્રતિક્રિયા તીવ્ર રહી હતી. થોડા દિવસો પહેલા જાહેરાત થઈ હતી કે JMMને પણ બિહારના મહાગઠબંધનમાં સામેલ કરવામાં આવશે. એ જ કારણ હતું કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની “વોટર અધિકાર યાત્રા”ના સમાપન પ્રસંગે પટનામાં યોજાયેલી રેલીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ હાજર રહ્યા હતા. JMMને બે બેઠકો આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અંતિમ ક્ષણે RJDએ એક પણ બેઠક આપી નહીં.

ઉત્તર પ્રદેશમાં ફરીથી રાજકીય ગરમાટો

ઉત્તર પ્રદેશમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વે હસ્તક્ષેપ કરીને રાજ્યના બે મોટા નેતાઓ — મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભલે સમાધાન કરાવી દીધું હોય, પરંતુ બંનેના સંબંધો સહજ નથી લાગતા નથી.

યોગી જ્યાં હિંદુત્વનો ચહેરો છે, ત્યાં કેશવ મૌર્ય ભાજપના ઓબીસી ચહેરા તરીકે જાણીતા છે. મૌર્યને મુખ્ય પ્રધાન ન બનવાને કારણે ખટકો છે જ. તાજેતરમાં નિવૃત્ત મુખ્ય સચિવ મનોજ કુમાર બંનેની વચ્ચેની લડાઈમાં બલિનો બકરો બનતાં બચી ગયા — તે પણ યોગીની કૃપાથી. કેશવ મૌર્યના વિભાગે મનોજ કુમાર સામે દસ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ આપી હતી- ખાદ્ય પ્રોસેસિંગ નીતિમાં અનિયમિતતા બતાવીને. આ મામલો યોગી સુધી પહોંચતા જ તેમણે ગુરુવારે નોટિસ રદ કરાવી દીધી અને નવો આદેશ કૃષિ ઉત્પાદન આયોગી દીપક કુમારે જાહેર કર્યો હતો.