અદાણી અમદાવાદ મેરેથોન 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદ: અદાણી અમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાવાની છે. જે ફિટનેસ, એકતા અને દેશભક્તિનો સંગમ બની ચૂકી છે, તેના માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ 15 ઓગસ્ટ 2025થી થઈ ચૂક્યો છે. #Run4OurSoldiers ની થીમ સાથે આ ઈવેન્ટ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં દોડવાનો અનોખો અવસર પૂરો પાડશે.

અદાણી અમદાવાદ મેરેથોનની નવમી આવૃતિ Humanitarianism ફિટનેસ અને દેશભક્તિની ભાવના સાથે યોજાશે. આ ઈવેન્ટ ચાર કેટેગરીમાં યોજાશે: ફુલ મેરેથોન (42.195 કિ.મી.), હાફ મેરેથોન (21.0975 કિ.મી.), 10 કિ.મી. રન અને 5 કિ.મી. રન, જે વિવિધ વય જૂથ અને ફિટનેસ સ્તરના લોકોને સમાવે છે. આ વર્ષે મેરેથોન ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન સુરક્ષા દળોની બહાદૂરીને સન્માનિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે અને અમદાવાદના પ્રતિષ્ઠિત સ્થળો જેવા કે અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજની આસપાસના માર્ગો પર દોડાશે. આ માર્ગ શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને પ્રકાશિત કરે છે.

ઈવેન્ટ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે, જેના રજિસ્ટ્રેશનની શરૂઆત 15 ઓગસ્ટ 2025થી થઈ ચૂકી છે. રજીસ્ટ્રેશન માટે સત્તાવાર વેબસાઈટ https://www.ahmedabadmarathon.com/register પર જઈ શકાય છે.

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત આ મેરેથોનમાં હજારો દોડવીરો, ફિટનેસ ઉત્સાહીઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો ભાગ લેશે. ખાસ કરીને, આ ઈવેન્ટ ભારતીય સશસ્ત્ર દળોના જવાનોના સન્માનમાં યોજાય છે, જેમની બહાદુરીને #Run4OurSoldiers થીમ હેઠળ ઉજાગર કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ ઈવેન્ટને અમદાવાદની ફિટનેસ સંસ્કૃતિના વિકાસનું પ્રતીક ગણાવ્યું.

પ્રણવ અદાણીએ જણાવ્યું કે, “આ મેરેથોન એક લોકપ્રિય પરંપરા બની ચૂકી છે, જેમાં હજારો લોકો દોડના આ મહોત્સવમાં સામેલ થાય છે. આ વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન સુરક્ષા દળોની હિંમતને સન્માનવાનો ગર્વ અમને છે.”