વડા પ્રધાન મોદી મળ્યા ભૂટાનના રાજા વાંગચૂકને…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 સપ્ટેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં એમના સત્તાવાર નિવાસસ્થાને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને વિશેષ શુભચેષ્ટા રૂપે દરવાજે જઈને ભૂટાનના રાજાનું સ્વાગત કર્યું હતું અને મંત્રણા બાદ મોંઘેરા મહેમાનને દરવાજે જઈને વિદાય આપી હતી. બંને નેતાએ ભારત અને ભૂટાનની મૈત્રીને વધારે મજબૂત બનાવવા વિશે ચર્ચા કરી હતી.

(તસવીર સૌજન્યઃ @narendramodi, @PIB_India)