લતાદીદીની અલવિદા…

92 વર્ષની વયે 6 ફેબ્રુઆરી, રવિવારની સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દેહાવસાન પામેલાં મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનાં પાર્થિવ શરીરનાં તે જ દિવસે શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ રાષ્ટ્રીય-રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રણબીર કપૂર સહિત બોલીવુડ અભિનેતાઓ તથા વિવિધ ક્ષેત્રોના બીજા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)