દેશમાં એક મહિના પછી એક લાખથી ઓછા નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે. જેથી નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83,876 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે કોરોના 1.07 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 895 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,22,72,014 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,02,874 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,06,60,202 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,99,054 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 11,08,938એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,56,363 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 74.15 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 7.25 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 9.18 ટકા છે.

દેશમાં 169.63 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,69,63,80,755 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,70,053 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.