શાહિદ-કિયારાએ દિલ્હીમાં ‘કબીર સિંહ’નો પ્રચાર કર્યો…

બોલીવૂડ કલાકારો શાહિદ કપૂર અને કિયારા અડવાની એમની આગામી હિન્દી ફિલ્મ કબીર સિંહના પ્રચાર માટે હાલ નવી દિલ્હી ગયાં છે. 19 જૂન, બુધવારે એમણે મિડિયાકર્મીઓ સાથે ફિલ્મ વિશે વાતચીત કરી હતી અને તસવીરકારોને પોઝ પણ આપ્યા હતા. 'કબીર સિંહ' તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની રીમેક છે. તેનું દિગ્દર્શન સંદીપ વાંગાએ કર્યું છે. ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે.