‘સત્યપ્રેમ કી કથા’ના વિશેષ શોમાં બોલીવુડ સિતારાઓની ઉપસ્થિતિ
આજે 29 જૂન, ગુરુવારથી દેશભરના થિયેટરોમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના નિર્માતાઓએ 28 જૂન, બુધવારે સાંજે મુંબઈમાં બોલીવુડ સિતારાઓ તથા મિડિયાકર્મીઓ માટે વિશેષ શોનું આયોજન કર્યું હતું. તેમાં આ ફિલ્મનો અભિનેતા કાર્તિક આર્યન, ચંકી પાંડે, ટાઈગર શ્રોફ, અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની અને આ ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાની, માનુષી છિલ્લર, પૂજા હેગડે, મૃણાલ ઠાકુર જેવા કલાકારોએ હાજરી આપી હતી.