Sunday, June 29, 2025
Google search engine
HomeNewsMumbaiબર્ડ ફ્લુથી પક્ષીનાં મરણ, મરઘાંઉછેર ઉદ્યોગને ફટકો

બર્ડ ફ્લુથી પક્ષીનાં મરણ, મરઘાંઉછેર ઉદ્યોગને ફટકો

મુંબઈઃ દેશના અનેક ભાગોમાં બર્ડ ફ્લુ અથવા એવિએન ઈન્ફ્લુએન્ઝા રોગચાળો ફેલાયો છે અને તેના કેટલાક કેસ મુંબઈમાં પણ નોંધાયા છે. આ મહાનગર અને પડોશના થાણેમાં બર્ડ ફ્લુથી જુદા જુદા પક્ષીઓના મરણ નિપજ્યા હોવાના કેસ બન્યા છે. આને કારણે શહેરમાં મરઘાં-બતકાં ઉછેર કેન્દ્રોના ઉદ્યોગ પર માઠી અસર પડી છે.

માંસાહારી ગ્રાહકો ચીકન ખરીદતા ગભરાય છે. તેઓ ચીકન વેચનારાઓને બર્ડ ફ્લુ વિશે સતત પૃચ્છા કરે છે, એમ એક વેપારી-ફેરિયાનું કહેવું છે. જોકે મહારાષ્ટ્રના પશુપાલન વિભાગના સેક્રેટરી અનૂપ કુમારનું કહેવું છે કે ઈંડા કે ચીકન ખાવું અત્યંત સુરક્ષિત છે, કારણ કે રાંધતી વખતે જે તાપમાન આપવું પડે એમાં આ વાઈરસ ટકી શકતો નથી. તેથી બર્ડ ફ્લુથી માનવીઓને ચેપ લાગશે એ વિશે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મરઘાં-ઉછેર કેન્દ્રોમાં સુરક્ષાને લગતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને જંગલી પક્ષીઓ સાથે તેમનો કોઈ સંપર્ક હોતો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular