Sunday, June 8, 2025
Google search engine
HomeNewsInternationalકૂટનીતિની જીતઃ સેનામાં કાર્યરત ભારતીયોને પરત મોકલવા રશિયા રાજી

કૂટનીતિની જીતઃ સેનામાં કાર્યરત ભારતીયોને પરત મોકલવા રશિયા રાજી

મોસ્કોઃ ભારતની એક મહત્ત્વની કૂટનીતિની જીતમાં રશિયા એ બધા ભારતીયોની છુટ્ટી કરશે, જે રશિયાની સેનામાં કામ કરી રહ્યા છે અને તેમની વાપસીની સુવિધા પ્રદાન કરશે. આ મુદ્દો વડા પ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે વાતચીતમાં ઉઠાવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ સોમવારે મોસ્કોના રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનથી મુલાકાત કરી હતી. પુતિને PM મોદીનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓ એકમેકના ગળે મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા અને એકમેકનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ મોસ્કો પહોંચ્યા પછી સૌથી પહેલાં પુતિનની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રશિયાની સેનામાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માગ કરી હતી અને બંનેની વચ્ચે પહેલી મુલાકાત પછી બીજી વાર મળવા પહેલાં રશિયાએ ભારતની માગ માની લીધી હતી અને વોર ઝોનમાં ફસાયેલા બધા ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર કમસે કમ 50 ભારતીય નાગરિકો રશિયાની સેનામાં સામેલ થયા છે. યુદ્ધમાં કમસે કમ બે વ્યક્તિઓના માર્યા જવાની પહેલાં જ પુષ્ટિ કરવામાં આવી છે. કેટલાય અન્ય લોકોને એક યુદ્ધ લડવા માટે છેતરપિંડી આચરવામાં આવી હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી અને આજે પણ વ્યાપક ચર્ચા કરવામાં આવશે. બંને નેતાઓ આતંકવાદથી માંડીને અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરે એવી શક્યતા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular