એકાદશીના ઉપવાસમાં બનાવી લો ફરાળી વાનગી, જે ઘરમાં બધાને ભાવશે! ટાબરિયાંને તો આમ પણ ઈડલીનું નામ લો તો મોઢાંમાં પાણી આવી જાય!
સામગ્રીઃ
- 1 કપ સાબુદાણા
- 2 ટી.સ્પૂન તેલ
- 2 કપ છાશ
- ½ ટી.સ્પૂન ખાવાનો સોડા
- 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- 3-4 લીલાં મરચાં ઝીણાં સુધારેલાં
- 1 કપ મોરૈયાનો લોટ (લોટ ન લેવો હોય તો આખો સામો પણ લઈ શકો છો)
- સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું-Rock Salt) સ્વાદ પ્રમાણે
ફરાળી ચટણી માટે સામગ્રીઃ
- 1 કપ કોથમીર
- 1 કપ શીંગદાણા અથવા 1 તાજું નાળિયેર
- 1 ટી.સ્પૂન બારીક સુધારેલું આદુ
- સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
- 1 ટે.સ્પૂન લીંબુનો રસ
રીતઃ એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલમાં સાબુદાણા 5 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ સાબુદાણાને છાશમાં 5-6 કલાક માટે પલાળો. 6 કલાકમાં સાબુદાણા ફુલી જશે. હવે એને મિક્સીમાં ક્રશ કરી લો. અને સમારેલાં મરચાં, કોથમીર, સ્વાદ મુજબનું મીઠું મિક્સ કરી લો. સોડા નાખીને હલાવી લો.
ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમાગરમ ઈડલી ઉતારી લો. અને ફરાળી ચટણી સાથે પીરસો.
ફરાળી ચટણી માટે ચટણી માટે આપેલી સામગ્રી લઈ મિક્સીમાં પિસી લો.