VVIP લોકોને ચારધામ માટે જોવી પડશે રાહ…

આગામી 10મે ના રોજ ચારધામની યાત્રા શરૂ થશે. આ યાત્રા લઈ રાજ્ય સરકરા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચાર ધામની યાત્રા પહેલા રાજ્ય સરકરા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર મોકલવામાં આવ્યો છે. સરકારે પહેલા 15 દિવસ VVIPના દર્શન કરાવવા માંગતી નથી. આ પત્ર મુખ્ય સચિવ રાધા રતુરી દ્વારા મોકલવામાં આવ્યો છે. કેદારનાથમાં શરૂઆતના 15 દિવસ માટે VVIP દર્શન મોકૂફ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

ઉત્તરાખંડ સરકારે આ પરીપત્રની નકલ હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ મોકલવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કેદારનાથ ધામના સરળ અને ઝડપી દર્શનને લઈન બેઠક કરવામાં આવી હતી. CM પુષ્કર સિંહ ધામી ચારધામને લઈ તમામ અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

યાત્રાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે નવી પદ્ધતિ

યાત્રાળુની સુવિધા માટે અને ચારધામની મુસાફરીના નામે છેતરપિંડી ન થાય તે માટે IRCTCના માધ્યથી બુકિંગ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. હેલી સેવાઓને લઈ કોઈ પણ કાળ બજારી ન કરવાનો કડક આદેશ પણ કરવામાં આવ્યો છે.

ચારધામ યાત્રા પહેલા આરોગ્ય તપાસ કરાવો

કમિશનર ગઢવાલે કહ્યું છે કે લગભગ 18 સ્થળોએ આરોગ્ય તપાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને યાત્રાળુઓએ પોતાની જાતને અગાઉથી તપાસવી જોઈએ જેથી તેમને પર્વતોમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વખતે સ્થાનિક રહીશોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક લોકો માટે અલગ વ્યવસ્થા પણ કરાવવામાં આવી છે.

લાખો લોકોએ નોંધણી કરાવી

ભારતમાં દર વર્ષે લાખો લોકો ચારધામની યાત્રાએ જાય છે. આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારધામ યાત્રા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રા માટે બુકિંગ શરૂ થતાની સાથે જ લાખો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે જેમ જેમ ચાર ધામની યાત્રા નજીક આવતી જાય છે તેમ તેમ મેડિકલ ચેકઅપ માટે લોકોની લાઈનો વધતી જાય છે.