તણાવ એ તમારી રચના છે

(સદગુરુ જગ્ગી વાસુદેવ) 

તણાવનું કારણ તમે જે કરી રહ્યા છો એ કાર્યની પ્રકૃતિ નથી; એ ફક્ત એટલું જ છે કે તમે તમારી અંદર સરળતાથી કેવી રીતે કાર્ય કરવું એ જાણતા નથી. તમારી પોતાની સિસ્ટમ પર તમારો કોઈ નિયંત્રણ નથી. તેથી જ તમે તણાવપૂર્ણ છો. શું તમે જોયું છે કે ઘણી પરિસ્થિતિઓમાં, એક વ્યક્તિ ખૂબ જ તાણમાં હોઈ શકે છે પરંતુ બીજો વ્યક્તિ વગર પ્રયાસે પસાર થતો હોય છે. તેથી, બાહ્ય પરિસ્થિતિને કારણે તણાવ આવતો નથી. તણાવ તમારી આંતરિક પરિસ્થિતિને સંચાલિત કરવાની અસમર્થતાને કારણે થાય છે. જો તમારું મન, શરીર અને શક્તિઓ તમારી પાસેથી સૂચનાઓ લે અને તમે ઇચ્છો તે મુજબ વર્તે, તો તમે પોતાને તણાવપૂર્ણ બનાવશો નહીં, પછી ભલે તમારી આસપાસ ગમે તે થઈ રહ્યું હોય, છે કે નહીં?

તમારું શરીર, મન, ભાવના અને શક્તિઓ એ વાહનો છે જેના દ્વારા તમે તમારા જીવન દરમ્યાન મુસાફરી કરી રહ્યા છો. તેના વિશેની કોઈ સમજ, નિયંત્રણ અથવા વ્યક્તિલક્ષી અનુભવ વગર, તમે તમારું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છો. આ એક આકસ્મિક અસ્તિત્વ છે. જ્યારે તમે આકસ્મિક રીતે અસ્તિત્વમાં હોવ અને જો તમે જીવનમાં ક્યાંક પહોંચો, તો તે ફક્ત આકસ્મિક રીતે જ બનશે. તેથી, તમારે આ વિશે કંઈક કરવાની જરૂર છે. જો આવું ન થાય, તો તમે આકસ્મિક જીવન જીવો છો. તમે હંમેશાં આશા રાખશો કે પરિસ્થિતિઓ સારી જ રહેશે.

યોગ એ તમારી આંતરિક ઉર્જાઓને એવી રીતે સક્રિય કરવાનું વિજ્ઞાન છે જેનાથી તમારું શરીર, મન અને ભાવનાઓ તેના ઉચ્ચ સ્તર પર કાર્ય કરે છે. જ્યારે તમારું શરીર અને મન સંપૂર્ણપણે અલગ આરામની સ્થિતિમાં અને આનંદના ચોક્કસ સ્તર પર કાર્ય કરે છે, ત્યારે તમે ઘણી બધી વસ્તુઓમાંથી મુક્ત થઈ શકો છો, જેનાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે. હમણાં, આવીને તમે તમારી ઓફિસમાં બેસો અને તમને માથાનો દુખાવો થાય, આ માથાનો દુખાવો કોઈ મોટો રોગ નથી પરંતુ તે એ દિવસની તમારી સંપૂર્ણ ક્ષમતાને છીનવી લે છે. યોગના અભ્યાસથી, તમારા શરીર અને મનને તેના ઉચ્ચ સ્તરે રાખી શકાય છે અને સાથે જ તમે દરેક સમય આરામથી રહી શકો છો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)