Home Blog Page 5607

આંતરવસ્ત્રોની બ્રાન્ડ માટે એમી જેક્શને આપ્યાં હોટ પોઝ

મુંબઈ – બોલીવૂડની મૂળ બ્રિટિશ અભિનેત્રી એમી જેક્શને લિપ્સી લંડન નામની ખૂબ જ ખર્ચાળ એવી લૉન્જરી (સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો તથા નાઈટવસ્ત્રો)ની બ્રાન્ડ માટે આકર્ષક લૉન્જરીમાં સજ્જ થઈને પોઝ આપ્યાં હતાં.

સિલ્કી બ્રા, ગૂંથેલા બોડીસૂટ, ટૂ-પીસ પહેરેલી એમીની સુડોળ કાયા અને ખુલ્લાં પગ દર્શાવતી આ તસવીરો એનાં પુરુષ ચાહકોને સિસકારો બોલાવી દેનારી છે.

૨૫ વર્ષીય એમીએ પોતાની આ તસવીરો એનાં ઈન્સ્ટાગ્રામ પર મૂકીને એનાં ચાહકોને એક પ્રકારની ટીખળ કરીને ટેમ્પરેચર વધારી દીધું છે.

એમી ટૂંક સમયમાં જ રજનીકાંત અને અક્ષય કુમારની સાથેની આગામી તામિલ-હિન્દી ફિલ્મ ‘2.0’માં જોવા મળવાની છે. એણે ૨૦૧૨માં આવી ગયેલી ‘એક દીવાના થા’માં અભિનય કરીને બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એ ‘સિંહ ઈઝ બ્લિંગ’માં અક્ષય કુમાર સાથે પણ ચમકી હતી.

ફિલ્મમાં કારકિર્દી બનાવવા પ્રવેશ કર્યો એ પહેલાં એમી મોડેલિંગ કરતી હતી.

ટીનેજરે 99 પાઉન્ડમાં ઘર વેચીવેચી વર્ષમાં કમાઇ લીધાં 100 કરોડ

વેચાણની કળા શીખવતી મોટી મોટી સંસ્થાઓએ પણ કંઇ શીખવવાનું બાકી રહી જતું હોય છે. બ્રિટનના એક નવાસવા ધનકુબેરે આવો પદાર્થપાઠ પૂરો પાડ્યો છે. 19 વર્ષની ઉંમરમાં એણે એક જ વરસમાં 100 કરોડ કમાઇ લેવાની સ્માર્ટનેસ દુનિયાને દેખાડી આપી છે. તે બ્રિટિશ તો છે પણ મૂળ ભારતીય વંશનો છે… નામ છે અક્ષય કૌશિક રુપારેલિયા. આજકાલ આર્થિક જગતમાં અને યુવા વર્ગમાં તેની ચર્ચાઓ છે, કારણ કે બ્રિટનના સૌથી યુવા કરોડપતિઓમાં તેનું નામઠામ અને કામ આવી ગયાં છે.

માત્ર 19 વર્ષની ઉંમરમાં સફળ બિઝનેસમેન બનવાની સિદ્ધિ અક્ષયે કઇ રીતે મેળવી. તેની એક ઓનલાઇન કંપની છે DoorStep.co.uk જેણે 16 મહિનાની અંદર જ બ્રિટનની સૌથી મોટી 18 ઓનલાઇન કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. અક્ષયની આ કંપનીનું મૂલ્ય એક વર્ષમાં 20 લાખ પાઉન્ડ આંકવામાં આવ્યું છે, જે પછી તેનું સ્થાન સૌથી યુવા કરોડપતિઓમાં શામેલ થઇ ગયું છે.અક્ષય આ બિઝનેસ પોતાના ભણતરની સાથેસાથે કરે છે. ભણવાના ક્લાસીસની વચ્ચે વચ્ચેના સમયમાં તે જમીન અને ઘરના સોદા કરવાનું કામ કરે છે. કંપની માલિક અક્ષય રુપારેલિયાએ તેનો પહેલો સોદો કર્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં 10 કરોડ પાઉન્ડ કીમતની જમીનના સોદા કરાવી ચૂક્યો છે.

અક્ષય કોઇ માલેતુજારનો પુત્ર નથી. તેના બહેરામૂંગા માતાપિતા એક મધ્યમવર્ગીય પરિવારના છે જેમાં પિતા કૌશિક કેરવર્કરનું કામ કરે છે અને માતા રેણૂકા વિકલાંગોની શાળામાં સહાયક શિક્ષિકા છે. અક્ષયે તેની કંપનીની શરુઆત સાત હજાર પાઉન્ડ ઉધાર લઇને શરુ કરી હતી, જે હવે 12 લોકોને રોજગારી આપતી કંપની બની ગઇ છે.

અક્ષયની સફળતાને પગલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેને અર્થશાસ્ત્ર અને ગણિતમાં વધુ અભ્યાસ માટે ઇજન આપ્યું છે પણ આ આમંત્રણ મુલતવી રાખી પોતાના બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેની મહેનત અને ઇમાનદારી તથા નફાખોરી નહીં રાખવાના સિદ્ધાંતે તેને સફળ બિઝનેસમેન બનાવ્યો છે. અક્ષયે સાબિત કર્યું છે કે પોતાનામાં કાબેલિયત હોય તો સફળતા ઉંમર સામે જોતી નથી અને પ્રગતિ તમારો પીછો પકડે છે. તેની ઉંમરના સહાધ્યાયીઓ શાળાના આંગણાંમાં બોલ રમે છે ત્યારે આ સિદ્ધિ મેળવવી કંઇ જેવીતેવી તો ન કહેવાય.અક્ષયે બિઝનેસ કઇ રીતે કર્યો? આ નવયુવાન મોબાઇલ ફોન પર રમતાંરમતાં મોટી મોટી પ્રોપર્ટીની ડીલ કરે છે. તેણે એક કોલ સેન્ટરની સેવા ભાડે લીધી છે જેના સ્વીચબોર્ડથી એક ક્લાસમાં ભણતો હોય ત્યારે તેના વતી ગ્રાહકોને જવાબ આપે છે અને બે પિરિયડ વચ્ચેના ગાળામાં ખેલના મેદાનમાં અને સ્કૂલ છૂટ્યાં પછી અક્ષય પોતે ગ્રાહકને કોલ બેક કરે છે. તેની કંપનીના શેર એક જ મહિનામાં રોકાણકારોએ લઇ લીધાં હતાં. સાત હજાર પાઉન્ડથી બનાવેલી કંપનીને રોકાણકારોએ પાંચ લાખ પાઉન્ડ આપી દીધાં અને જોતજોતાંમાં વર્ષ વીત્યે સરવૈયું આવ્યું ત્યારે તેની વેલ્યૂ 12 મિલિયન પાઉન્ડની અંકાઇ અને આ ટીનેજરે 100 મિલિયન પાઉન્ડની કીમતના ઘર વેચી દીધાં હતાં. તેના સહાધ્યાયીઓ તેને બેરૉન સુગરના નામ પરથી એલન સુગરના હુલામણાં નામે બોલાવે છે. અલબત્ત બિઝન્સ ટાઇકૂન અને એપ્રેન્ટિસ પણ કહે છે.

અક્ષય હવે પરંપરાગત હાઈ સ્ટ્રીટ એસ્ટેટ એજન્ટને કારોબારમાંથી બહાર કાઢવા માટેનું ધ્યેય રાખે છે કારણ કે તેઓ ઘર વેચવા માટે હજારો પાઉન્ડ કમિશન ચાર્જ કરે છે જ્યારે તે ફક્ત 99 પાઉન્ડમાં જ કામ કરે છે. પૂરાં બ્રિટનમાંથી તે સ્વરોજગાર માગતાં લોકોની ભરતી કરે છે જેમાં માતાઓ જ છે. જે તેમની આસપાસની વેચાણમાં મૂકાયેલી મિલકતો વેચી શકે. અક્ષય મિલકતોના વેચાણની જૂની પદ્ધતિને બદલી નાંખવા માગે છે. આવું આગવું વિચારતો આ કિશોર બાર્નેટ સ્થિત ક્વીન એલિઝાબેથ હાઇસ્કૂલમાં ભણે છે અને ગણિત, ઇકોનોમિક્સ, પોલિટિક્સ, હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ સ્ટીડીઝમાં ‘A’ લેવલનું પરિણામ પણ મેળવે છે.

તેની સ્ટ્રેટેજી છે કે તમારા ઘરનો ફોટો ઇન્ટરનેટ પર મૂકવા માટે રીયલ એસ્ટેટ એજન્ટને શા માટે આટલાં બધાં નાણાં આપવા પડે?  હું માતાઓને કામ સોંપુ છું જેના પર સૌ વિશ્વાસ કરી શકે છે. માતા પ્રામાણિક રહેશે અને સત્ય કહેશે તે મહત્ત્વનું છે. જે લોકો પોતાનું ઘર વેચવા માટે મૂકે છે તે લોકો માટે તો તેમના જીવનનો એ સૌથી મોટો નાણાકીય વ્યવહાર છે. આ સંવેદનશીલતા સાથે અક્ષય તેનું કામ કરે છે. તેની સાઇટ પર લખેલાં આ મંત્ર જુઓઃઅક્ષયે તેની પહેલી ડીલ કેવી રીતે કરી હતી તેને પણ યાદ રાખે છે. પોતાની વેબસાઇટ શરુ કરી તેના કેટલાક સપ્તાહમાં જ સસેક્સ પરગણાંમાં રહેતા એક ગ્રાહકે ફોન કરી તેને પોતાનું ઘર અને બેકયાર્ડની જમીન વેચવાનું કામ સોંપ્યું હતું. તે જોવા જવા માટે અક્ષયે તેની બહેનના બોયફ્રેન્ડની મદદ લઇને ગાડીમાં પહોંચ્યો હતો કારણ કે તેની પાસે ગાડી ન હતી. મિલકતની જગ્યા પર જઇને તેના ફોટો પાડ્યાં અને પોતાની વેબસાઇટ પર મૂક્યાં. ફક્ત 3 અઠવાડિયામાં તેની આ મિલકતનું સફળતાથી વેચાણ કર્યું તે પહેલો ઘા રાણાનો સાબિત થયો. માતાઓને પોતાના તરફથી કામ સોંપવાનો તેનો પાસો ખૂબ પોબાર પડ્યો છે અને તેને ઘણી શાખ પણ અપાવી છે. એક જાણીતાં ધનપતિની સલાહને અક્ષય ખૂબ માન આપી અપનાવી લીધી છે કે લોકોને એવી કીમત ઓફર કરો કે તે માની ના શકે. 99 રુપિયા લઇને કરોડોની પ્રોપર્ટી વેચાવી આપતો આવો જવાનિયો પૃથ્વીના પડમાં બીજે ક્યાં મળે? તેની પહેલી ડીલમાં તેણે ઘર અને જમીનના વેચાણથી મકાનમાલિકને પોણા સાત લાખથી વધુ પાઉન્ડની કમાણી કરાવી હતી!

ખેર, આ તો અક્ષયની ભવિષ્યની બિગ બિગ સક્સેસ સ્ટોરીની પહેલી કિશ્ત જેવું છે. તેની સતત મહેનત કરવાની ભાવના અને ગ્રાહકોના પક્ષમાં વિચારવાની સંવેદના તેની મોટી મૂડી છે. ભારતીય મૂળનો આ બાળક ખૂબ આગળ વધે અને વધુને વધુ સફળતાના સોપાન ચડશે તે નક્કી છે. કારણ કે કહ્યું છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા…

ગુજરાત: કોંગ્રેસ સાથે ચૂંટણી-પૂર્વે સમજૂતી કરવા NCP તૈયાર

અમદાવાદ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાતની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે એવા અહેવાલ છે કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા માટે શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તૈયાર છે.

ગુજરાત NCPના સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષના રાજ્ય એકમના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ એવો દાવો કર્યો છે કે ભાજપને હરાવવા માટે એમનો પક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે.

પરંતુ જો કોંગ્રેસ જોડાણ કરવાની ના પાડશે તો NCP આગામી ચૂંટણી એકલે હાથે લડવા પણ તૈયાર છે એવું પણ સૂત્રોનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી વખતે NCP પાર્ટીના બે ઉમેદવારે ભાજપની તરફેણમાં મત આપ્યા બાદ કોંગ્રેસ અને NCP વચ્ચેના સંબંધો વણસી ગયા હતા.

સંવત 2074ના નવા વર્ષમાં પાંચ ‘બેસ્ટ બાય’ સ્ટોક

વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા આર્થિક સુધારાના પરિણામ જોવા મળશે, અને જેની સીધી અસર શેરબજારના ટ્રેન્ડ પર પોઝિટિવ જોવા મળશે. રીટેઈલ ઈન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP થકી રોકાણ આવી રહ્યા છે, જે શેરબજારને લાંબાગાળે સ્થિરતા આપશે. તેમ છતાં રોકાણકારોએ સાવધાની સાથે દરેક ઘટાડે રોકાણ કરવા સલાહ છે. આમ એચડીએફસી સિક્યુરિટીઝના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ શાહે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ વ્યાજ દર ઘટી રહ્યા છે. એસેટ્સ કલાસમાં જોઈએ તેવા રીટર્ન્સ મળતા નથી, જેથી મધ્યમથી લાંબાગાળા માટે સ્ટોક માર્કેટમાં રોકાણ એ બેસ્ટ ઓપ્શન છે. હા રોકાણકારોએ 12થી 15 ટકા વળતર મળે તો પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું જોઈએ. આગામી દિવસોમાં જીએસટીમાં પડતી નાની મોટી મુશ્કેલીઓ દૂર કરાશે, કેન્દ્ર સરકારે હાઉસીંગને વેગ આપ્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરને પ્રોત્સાહનો પુરા પાડ્યા છે, વ્યાજ દર નીચા હોવાથી ઈન્ડસ્ટ્રીઝને સસ્તી લોન મળી રહી છે, જેથી હાલ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ માટે જરૂરી વાતાવરણ સર્જાયું છે, આ બધા રીફોર્મ્સ અને સરકારની  નિતીના ફળ હવે પછીના દિવસોમાં ચાખવા મળશે. હમણા આઈઆઈપી ગ્રોથ વધીને આવ્યો અને મોંઘવારીનો દર પણ ઘટીને આવ્યો છે, આમ સ્થાનિક લેવલે માઈક્રો ઈકોનોમી ડેટા સુધર્યા છે.

સિદ્ધાર્થ શાહે રોકાણકારોને ટિપ્સ આપતાં કહ્યું હતું કે આવનારા નવા 2074ના સંવત વર્ષમાં (1) ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના એલોકેશનનું સતત મોનિટરિંગ કરતાં રહેવું જોઈએ (2) હાયર લેવલે(ઊંચા મથાળે) પ્રોફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ (3) કેટલીક કંપનીઓના કવાર્ટર વન અને કવાર્ટર ટુના પરિણામ નિરુત્સાહી આવ્યા, પણ હવે પછીના કવાર્ટરમાં પરિણામો પ્રોત્સાહક આવશે, એવી કંપનીઓને અલગથી તારવીને રોકાણ કરી શકાય (4) ગ્લોબલ ઈવેન્ટ પર ખાસ ધ્યાન રાખવું (5) અમેરિકામાં વ્યાજ દર વધશે તો વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજારમાં સેલીંગ પ્રેશર આવશે, જેથી રોકાણકારોએ એલર્ટ રહેવું (6) સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો પાસે ખુબ જંગી રકમનું ફંડ આવ્યું છે, તે રોકાણ અર્થે સ્ટોક માર્કેટમાં આવી રહ્યું છે, તે સ્ટોક માર્કેટને નરમાઈમાંથી બચાવશે (7) નવી તેજી થાય ત્યારે નવું રોકાણ કરવાનું ટાળવું

વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં નિફટી ઉપરમાં 10,500-10,600 થવાની શકયતા છે, અને નીચામાં 9600, આ લેવલ તૂટે તો 9200 થઈ શકે છે. તેમજ સેન્સેક્સમાં ઊંચામાં 33,500-33,600 થવાની સંભાવના છે, નીચામાં 30,000 અને આ લેવલ તૂટે તો 28,400 થઈ શકે.

એચડીએફસી સિક્યુરિટીઝના બેસ્ટ બાય ફાઈવ સ્ટોક

(1) બજાજ ઓટો(રૂ.3225)– બજાજ ઓટોએ ભારતની ટોન ટેન કંપનીઓમાંની એક છે. તે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું ઉત્પાદન કરે છે. ભારતમાં તે મોટરસાયકલનું ઉત્પાદન કરતી ભારતની બીજા નંબરની કંપની છે. સ્થાનિક માર્કેટમાં મોટરસાયકલનો માર્કેટ શેર 18 ટકા છે. બજાજ ઓટો આગામી કવાર્ટરમાં સારા પરિણામ દર્શાવશે, કંપનીનું માર્જિન વળી પાછુ ટ્રેક પર આવ્યું છે અને હવે માર્જિન 17 ટકાથી વધી 19.50-20 ટકા આવશે. નિકાસમાં વધારો થશે, મે-2017માં ભાવ વધારો કર્યો છે, જેનો સીધો લાભ હવે પછીની આવકમાં જોવા મળશે. હાલ બજાજ ઓટોના શેરનો ભાવ રૂ.3225 છે, જે શેર રૂ.2890થી 2910 સુધીના ઘટાડામાં બાય કરવા. આવતી દીવાળી સુધી ટાર્ગેટ પ્રાઈઝ રૂ.3820 અપાયો છે.

(2) બિરલા કોર્પોરેશન(રૂ.997)– બિરલા કોર્પોરેશનએ એમપી બિરલા ગ્રુપની ફ્લેગશીપ કંપની છે. હાલ તે જ્યુટ ગુડઝ અને સીમેન્ટની ઉત્પાદક કંપની છે. બિરલા કોર્પોરેશને સીમેન્ટ બિઝનેસ રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી એક્વાયર કર્યો છે. ચોમાસા પછી સીમેન્ટની ડિમાન્ડમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના પ્લાન્ટમાં તે ઉત્પાદન કેપેસીટી વધારી રહી છે, બિરલા કોર્પોરેશને ગ્રોથ વધારવાનો ટાર્ગેટ મુક્યો છે. હાલ તેના શેરની પ્રાઈજ રૂ.997 છે, અને રૂ.815-825 સુધી ખરીદી કરવી, આવતી દીવાળી સુધી ટાર્ગેટ પ્રાઈઝ રૂ.1220 મુકાયો છે.

(3) દિવીઝ લેબ(રૂ.878)– દિવીઝ લેબની સ્થાપના 1990માં થઈ હતી. દિવીઝ લેબએ વિસ્તરણ યોજના હાથ ધરી છે અને હૈદરાબાદમાં 500 એકરની સાઈટમાં પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્લાન્ટ કંપનીને 35 ટકા આવક આપે છે. દિવીઝ લેબે બીજો ઉત્પાદન પ્લાન્ટ 2002માં વિશાખાપટ્ટનમમાં 350 એકર જમીનમાં ઉભો કર્યો હતો. કંપનીએ બલ્ક ડ્રગ્સ યુનિટ માટે પર્યાવરણનું કલીયરન્સ સર્ટિફિકેટ્સ મેળવી લીધું છે. આમ કંપનીનો ગ્રોથ સતત વધવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, હાલ દિવીઝ લેબના શેરનો ભાવ રૂ.878 ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં રૂ.775-787 સુધીના ઘટાડા સુધી ખરીદી કરવી, અને આવતી દીવાળી સુધીનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ.1070 અપાયો છે.

(4) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ(રૂ.391.50)– આ કંપની એ આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્સિયલ કોર્પોરેશન હોલ્ડિંગ લિમિટેડનું જોઈન્ટ વેન્ચર છે. કંપનીએ 2001માં ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતના લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સએ હાલ માર્કેટ લીડર છે. કંપની લાઈફ ઈન્સ્યુરન્સ, હેલ્થ અને પેન્શન જેવા પ્લાન્સ ઓફર કરે છે. આગામી સમયમાં કંપનીની બેલેન્સશીટ ખુબ મજબૂત થશે, કંપનીના પેરસિસ્ટન્સી રેશિયો અને સોલવન્સી રેશિયો ઊંચો છે. ડિવિડંડ પે-આઉટ રેશિયો પણ ઊંચો છે, સામે ખર્ચનો રેશિયો ખુબ નીચો રહ્યો છે. હાલ કંપનીના શેરનો ભાવ રૂ.391.50 છે. આવનારા ઘટાડામાં રૂ.370-399 સુધીના ભાવમાં ખરીદી કરવી, અને એક વર્ષમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 520 અપાયો છે.

(5) પર્સિસ્ટન્ટ સીસ્ટમ્સ લિમિટેડ(રૂ.649.70)– પર્સિસ્ટન્ટ સીસ્ટમ કંપનીએ ગ્લોબલ સોફટવેર કંપની છે. એનાલિટિક્સ, બિગ ડાટા, કલાઉડ કમ્પ્યુટિંગ, મોબિલિટી, ટેલિકોમ્યુનિકેશન માટે સોશિયલ… જેવા નેક્સ્ટ જનરેશન ટેકેનોલોજીમાં તે કલાસ સોલ્યુશનમાં બેસ્ટ ડેવલપ કરી છે. કંપની આગામી સમયમાં નવા પ્લાન્સ પર કામ કરી રહી છે. હાલ પર્સિસ્ટન્ટ સીસ્ટમના શેરનો ભાવ રૂ.649.70 છે, જે આવનાર સમયમાં ઘટાડામાં રૂ.590-645 સુધી ખરીદી કરી શકાય, એક વર્ષમાં ટાર્ગેટ પ્રાઈઝ 780 અપાયો છે.

CM રૂપાણીએ વિકાસનું વર્ષ બને તેવી મંગલકામના પાઠવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2074નું વર્ષ સૌ ગુજરાતીઓ માટે સુખ સમૃદ્ધિ, શાંતિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. તેમણે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન અર્ચનથી કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની જે લહેર જાગી છે, તેમાં ગુજરાત સોળે કળાએ વિકાસની સિદ્ધિ મેળવીને દેશનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાત આવનારા દિવસોમાં પણ નંબર વનનું સ્થાન જાળવી રાખશે અને સૌ ગુજરાતીઓ વિકાસની આ તરાહને ભાજપમાં વિશ્વાસ મૂકીને અવશ્ય નવી ઊંચાઈ એ પહોંચાડશે એવો વિશ્વાસ મુખ્યપ્રધાને નૂતન વર્ષ અવસરે દર્શાવ્યો હતો. તેમણે નૂતન વર્ષની ગુજરાતને ભેટ રૂપે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનો પ્રારંભ 22 ઓકોટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે થવાનો છે તેની પણ જાહેરાત કરતા કહ્યુ કે આ રો રો ફેરી સર્વિસને કારણે માર્ગ પરનું વાહન વ્યવહાર ભારણ ઘટશે. સમય અને ઈંધણની બચત થશે. 350 કી.મીનું ઘોઘા દહેજ અંતર ઘટીને 31 કી.મી થઈ જવાથી 8 કલાક ને બદલે માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચી શકાશે.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નૂતન વર્ષની શુભેચ્છાઓ રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજભવન ખાતે મળીને આપી હતી.

સિંગાપોરમાં દિવાળીઃ મેટ્રો ટ્રેનનો શણગાર…

સિંગાપોરના વહીવટીતંત્રે આ વખતે આ પ્રશંસનીય થીમ્ડ ટ્રેન સાથે દિવાળી તહેવારની આગવી રીતે ઉજવણી કરી છે. ટ્રેનનું ઈન્ટિરીયર રંગબેરંગી રંગોળી અને ડિઝાઈનથી સુશોભિત કરવામાં આવ્યું છે. મેટ્રો રેલવે સ્ટેશનો ઉપરાંત શહેરમાં અનેક બસને પણ સુંદર ડિઝાઈન વડે શણગારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મલેશિયાની દક્ષિણે આવેલા ટાપુ-શહેર-રાષ્ટ્ર સિંગાપોરમાં ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તથા નોકરી-ધંધો કરવા માટે ભારતમાંથી ગયા છે.

દેશભરમાં દિવાળીની ઉજવણી…

મુંબઈ સહિત દેશભરમાં ૧૯ ઓક્ટોબર, ગુરુવારે દિવાળી તહેવારની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈમાં શેરબજાર ઈમારત (BSE) ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે લક્ષ્મીપૂજન કર્યું હતું.

BSE ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણ દ્વારા લક્ષ્મીપૂજન

 

ગુવાહાટીમાં આતશબાજી

મુંબઈ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં ચોપડાપૂજન કાર્યક્રમ

ભવ્ય રોશનીથી ઝગમગતું અમૃતસરનું સુવર્ણ મંદિર

ભવ્ય રોશનીથી ઝગમગતું અમૃતસરનું સુવર્ણ મંદિર

પટનામાં દીવડા પ્રગટાવતા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર

પટનામાં દીવડા પ્રગટાવતા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર

નાગપુરમાં ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી

જમ્મુ-કશ્મીરના નાયબ મુખ્યપ્રધાન નિર્મલ સિંહ જમ્મુના અખનૂર સેક્ટરમાં સરહદ પર સૈનિકોને દિવાળીની શુભેચ્છા આપવા આવ્યા છે.

નવી દિલ્હીમાં દિવાળીની ઉજવણી

નવી દિલ્હીમાં દિવાળીની ઉજવણી

નવી દિલ્હીમાં દિવાળીની ઉજવણી

જયપુરમાં દિવાળીની ઉજવણી

જીટીયુ આપશે સ્ટાર્ટ અપ તાલીમ સાથે પેટન્ટની પણ સઘન તાલીમ

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી આપવામાં આવી રહેલી સ્ટાર્ટ અપની તાલીમ દરમિયાન એક મહત્ત્વની બાબત ધ્યાનમાં આવી કે વિદ્યાર્થીઓને તેઓના ઈનોવેટીવ આઈડિયા ખરેખર અનોખા છે કે તેમાં અગાઉ કોઈ કામ થઈ ચૂક્યું છે કે કેમ તે ખબર પડે. આ મુદ્દાને અનુલક્ષીને જીટીયુએ હવે સ્ટાર્ટ અપની સાથોસાથ પેટન્ટ અને કોપીરાઈટ સહિત બૌદ્ધિક સંપદા અધિકાર એટલે કે આઈપીઆરની સઘન તાલીમને પણ તેમાં આવરી લેવાનું નક્કી કર્યું છે.જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ તાલીમ માટે દેશવિદેશના આઈપીઆર નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. કેન્દ્ર સરકારે ગત વર્ષે આઈપીઆરની નવી નીતિને મંજૂરી આપી તેમાં જે વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ શરૂ કરવા માગતા હોય તેઓ માટે ઘણી રાહતો જાહેર કરવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે સરકારની નવી નીતિમાં આઈપી ક્લિનિક રચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે જીટીયુમાં પેટન્ટ ક્લિનિક વર્ષ ૨૦૧૩થી કાર્યરત છે. જીટીયુના પેટન્ટ ક્લિનિકમાં પેટન્ટને લગતા તમામ પાસાંઓની સઘન તાલીમ આપવામાં આવે છે. તે ઉપરાંત જીટીયુ તરફથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન આઈપીઆરનો કોર્સ પણ ચલાવવામાં આવે છે.

તાજેતરમાં તે કોર્સ અંતર્ગત યોજાયેલા કોન્ટેક્ટ ક્લાસમાં પેટન્ટના ભૂતપૂર્વ કંટ્રોલર જનરલ એસ. ચંદ્રશેખરનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિકીકરણ અને સતત વધતી જતી હરીફાઈના જમાનામાં આગામી થોડા વર્ષોમાં પેટન્ટ અને આઈપીઆર નિષ્ણાતોની માગમાં ઘણો વધારો થશે. તે ઉપરાંત મેઈક ઈન ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં આઈપીઆર આવશ્યક બનશે. ઉદ્યોગોએ અવિરત પ્રગતિ કરવી હશે તો પેટન્ટ અને આઈપીઆર મુદ્દે વિચાર કર્યા સિવાય છૂટકો જ નહિ રહે. પેટન્ટ અરજી દાખલ કરવા તેના દસ્તાવેજોમાં કેવું પ્રેઝન્ટેશન આપવામાં આવે છે તે સૌથી મહત્ત્વપૂર્ણ છે.

આઈપીઆર નીતિમાં સ્ટાર્ટ અપને રાહતો

કેન્દ્ર સરકારની આઈપીઆર નીતિમાં સ્ટાર્ટ અપને પ્રોફેશનલ ફી ન ચૂકવવી પડે એવી જોગવાઈ, તેઓને સચોટ માર્ગદર્શન મળી રહે તેના માટે આઈ પી ફેસીલિટેટરની વ્યવસ્થા અમલમાં રહેશે. પેટન્ટ ફાઈલ કરવામાં ચૂકવવી પડતી સરકારની ફીમાં સ્ટાર્ટ અપને ૮૦ ટકા રીબેટ આપવાની જાહેરાત નવી નીતિમાં કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ શરૂ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને મૂંઝવણમાં માર્ગદર્શન માટે પેટન્ટ એજન્ટ અને એટર્નીની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ પેટન્ટની પ્રોસેસ શરૂ કરીએ તો એક્ઝામમાં બે-ત્રણ વર્ષ લાગે એટલો બેકલોગ હોય છે, પણ કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ માટે રાહત આપીને તે એક્સપેડિટેટ એક્ઝામ છ મહિનામાં થઈ જાય એવી વ્યવસ્થા કરવાની જાહેરાત આઈપીઆર નીતિમાં કરી છે.​

કુંભરાશિ વિશેષ: આત્મખોજ અને સ્વતંત્રતાની ચાહક રાશિ

જ્યોતિષનો આધાર ગ્રહો, રાશિઓ અને બારસ્થાનોના આંતરસંબંધ પર રહેલો છે. મનુષ્યની ઓળખ અને અસ્તિત્વ તેના શરીરથી છે, આ શરીરની અંદર તેનો રાજા આત્મા રહે છે. આ આત્મા એને જ પ્રાણ કહીએ તો શરીર પ્રાણથી વ્યાપ્ત છે. પરંતુ આત્મા અને શરીરથી પણ બળવાન મનુષ્યનું મન છે. મન યેન કેન પ્રકારે કળા કરતું રહે છે, મનમાં વિચારોનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. માનસિક આવેગના લીધે ઘણીવાર મનુષ્ય વેર બાંધે છે તો ઘણીવાર ના કરવાનું પણ કરી બેસે છે. તેને મનનું બળ ના કહીએ તો બીજું શું કહીએ? આ કારણોથી જ આપણા આદ્ય આચાર્યો અને ઋષિમુનીઓએ ચંદ્રને સૌથી વધુ અસરકર્તા ગણ્યો છે. બીજા અર્થમાં જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિના ગુણ-દોષ મનુષ્યમાં અચૂક જોવા મળે છે. આજે આપણે કુંભ ચંદ્ર રાશિ વિષે જોઈશું.

કુંભ રાશિ સ્થિર અને વાયુ તત્વની રાશિ છે. કુંભ રાશિ વાયુ તત્વની હોઈ તેનામાં વિચારવાની અને તર્કને બેસાડવાની અદભુત આવડત છે. કુંભ રાશિના માણસો મોટેભાગે સ્વતંત્ર મિજાજથી કાર્ય કરે છે. તેમનામાં તકલીફોને ધીરજપૂર્વક લડવાની સુંદર કાબેલિયત હોય છે. સ્થિર રાશિ હોઈ આ રાશિના જાતકોના અભિગમમાં જલ્દી પરિવર્તન આવતું નથી. તેઓ એકવાર જે કાર્ય શીખે છે તેને તેઓ આત્મસાત કરી લેવાની આવડત ધરાવે છે. કુંભ રાશિની વ્યક્તિઓએ સંજોગ અનુસાર પોતાને ઢાળવું જોઈએ, તેઓ ઘણીવાર કઠોર બને છે તો ઘણીવાર તેઓ પોતાને અવ્યક્ત પણ રાખે છે, આ તેમના નકારાત્મક પાસા કહી શકાય.કુંભ રાશિમાં મેં અનેક વિદ્વાન અને અનુભવી માણસો જોયા છે. કુંભ રાશિના અક્ષર ગ, શ અને સ તો જાણે સફળતાનો પર્યાય બની ગયા હોય તેવું અનુભવ્યું છે. કુંભ રાશિના પ્રતીકાત્મક ચિત્રમાં કુંભ એટલે ઘડો દર્શાવાયો છે, આ ઘડા સાથેનો મનુષ્ય સુચન કરે છે કે કુંભ રાશિના જાતક પાસે બીજાને આપવા માટે કશુક ચોક્કસ હોય છે પછી તે જ્ઞાન, ધન કે અનુભવ પણ હોઈ શકે.

ચંદ્ર રાશિ કુંભ હોય તો કુંભ ચંદ્રલગ્ન મુજબ નીચેના યોગ બને છે. આદ્ય આચાર્યોએ જન્મલગ્ન સાથે ચંદ્રલગ્નને પણ ખુબ મહત્વ આપ્યું છે. ચંદ્રલગ્ન પણ જન્મલગ્નની જેમ જ જોઈ શકાય. ગોચરના ગ્રહો પણ ચંદ્રલગ્નના આધારે જોવાય છે. જન્મલગ્ન કુંભ હોય તેમને પણ આજ યોગો લાગુ પડે છે. જન્મલગ્ન અને ચંદ્રલગ્ન કુંભ હોય તેમણે નીચેના યોગો વાંચવા.

કુંભ રાશિના જાતકો માટે શનિ શુભ ગ્રહ છે. શનિવાર અને મોટા વ્યવસાય તેમને ફળે છે. આધુનિક જ્યોતિષીઓએ કુંભ રાશિનો સ્વામી યુરેનસ ગણ્યો છે. યુરેનસ અગાઉ જણાવ્યું તેમ, યુરેનસ સ્વતંત્રતા નો ચાહક અને નવા વિચારો જે આમૂલ પરિવર્તન લાવી શકે તેને દર્શાવે છે. સ્વાભાવિક છે કે કુંભ રાશિના જાતકોમાં ઉત્તમ મનોબળ, બુદ્ધિ અને બદલાવ પ્રેરક વિચારોનો સમન્વય જોવા મળે જ.

ધન ભાવ અને લાભ ભાવ બંને ગુરુ શાષિત હોઈ, આ રાશિના જાતકોને આર્થિક ઉન્નતિ ખુબ વહેલી થાય છે. તેઓ જલ્દી આવક રળતા થાય છે, આશરે ૨૧ વર્ષની ઉમરે તેઓ આર્થિક રીતે પગભર થવા લાગે છે. તેમને જીવન દરમ્યાન આર્થિક બચત પર વધુ ભાર મુકવો જોઈએ. બંને કીમતી ચીજો- સોનું અને જ્ઞાન તેમની પાસે હોય છે.મકાન અને વાહનનું સુખ જોઈએ તો કુંભ રાશિના જાતકો આ બંને બાબતમાં નસીબદાર હોય છે. મકાન અને વાહનના ભાવનો સ્વામી શુક્ર શુભ ગ્રહ હોઈ, તેમને મકાન અને વાહનનું સુખ ૨૫માં વર્ષે મળી શકે. પરાક્રમ અને ભાઈ-બહેનના ભાવનો સ્વામી મંગળ થાય છે. તેમને ભાઈ બહેન સાથે સંબંધ જાળવવામાં વધુ પ્રયત્ન કરવો પડે છે. મોટેભાગે તેઓ ૨૮માં વર્ષની આસપાસ પોતાના ભાઈ કે બહેનથી દુર જતા હોય છે, અથવા સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે.

સંતાન બાબતે તેઓનું વલણ સ્પષ્ટ હોય છે, સંતાન ભાવનો સ્વામી બુધ હોઈ તેઓ પોતાના સંતાનોને પુરેપુરી આઝાદી આપવામાં માનતા હોય છે. લગ્ન પછી થોડા અંતરાલ પછી સંતાનપ્રાપ્તિ થાય છે, પહેલું સંતાન મોડેથી આવે છે. મારા મતે લગ બાદ સંતાન બાબતે આ રાશિના જાતકોએ થોડી ઉતાવળ કરવી તેમને લાભપ્રદ રહેશે.

ચંદ્ર રોગ અને શત્રુ ભાવનો સ્વામી હોઈ, કુંભ લગ્નના જાતકો અવારનવાર બીમારી અનુભવે છે, પરંતુ આ નાની બીમારી તેમને થોડો બોધપાઠ આપી અને રવાના થઇ જાય છે. તેમને ઋતુ અનુસાર નાની બીમારીઓ વધુ સતાવે છે. મોટી ઉમરે પેશાબ, કફ અને અનિદ્રા તેમને સતાવે છે. કુંભ લગ્નના જાતકોને પાણી અને ખોરાક બંને નિયમિત હોવા જોઈએ. ચંદ્ર શત્રુ ભાવનો સ્વામી હોઈ, સ્ત્રીવર્ગ સાથે હમેશા સમાધાનકારી અને આનંદપૂર્ણ વ્યવહાર રાખવો.

સપ્તમ ભાવ લગ્નજીવનનો ભાવ છે. અહી સૂર્ય આ ભાવનો સ્વામી છે. કુંભ રાશિના જાતકોને મોટેભાગે ઉર્જાથી ભરપુર અને જીવનને એક ઓળખ સાથે જીવનાર જીવનસાથી મળે છે. કુંભ રાશિના જાતકે લગ્ન જીવનને વધુ સફળ બનાવવું હોય તો જીવનસાથીના અભિપ્રાયને હમેશા પોતાની નજર સામે રાખવો જોઈએ. સૂર્ય અને શનિ દુશ્મન ગ્રહો હોઈ, અન્ય વિપરીત ગ્રહોના યોગે લગ્નજીવનમાં તકલીફ સર્જાતા વાર નથી લાગતી, માટે કુંભ રાશિના જાતકોને લગ્નજીવન દરમ્યાન અનેક અનુભવો થાય છે, અલબત તે તેમને વધુ કાબેલ અને જવાબદાર વ્યક્તિ પણ બનાવે છે.

કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિ ખુબ ઝડપી અને અણધારી કહી શકાય. જો તેમને તક મળે તો તેઓ તેને સુંદર રીતે ઉપયોગ કરી જાણે છે. કારકિર્દીમાં તેઓ અવ્વલ રહે છે પરંતુ તેમને આલોચક અને સમીક્ષક ડગલેને પગલે સતાવતા હોય છે, તેનું મૂળ કારણ કુંભ રાશિનો સ્વતંત્ર સ્વભાવ કહી શકાય. તેઓ કોઈની નીચે કાર્ય કરવા માટે સર્જાયા નથી, બલકે તેઓ પોતે નવું સર્જન કરવા સર્જાયા છે તેવો મારો અનુભવ છે. શુક્ર ભાગ્યેશ હોઈ, કારકિર્દી અને સામાજિક જીવનમાં ૨૬માં વર્ષે ભાગ્યોદય થાય છે. નાની ઉમરે મળતા મિત્રો મોટેભાગે સુખી ઘરના હોઈ શકે. કુંભ રાશિના જાતકો જ્ઞાની અને બુદ્ધિશાળી વર્ગ તરફ મિત્રતા માટે વધુ આકર્ષણ રહે છે, તેનું કારણ લાભ કે સામાજિક જીવનનું સુચન કરતા ભાવનો સ્વામી ગુરુ છે.

શુભ ગ્રહો: શુક્ર, શનિ: આ બંને ગ્રહોના વાર અને જણસ તેમને ફળે છે.

અશુભ ગ્રહો: ચંદ્ર, ગુરુ(મધ્યમ અશુભ); બાકીના ગ્રહો સમ કે સામાન્ય શુભાશુભ કહી શકાય.

શુભ રાશિઓ: મિથુન અને તુલા તેમની પ્રકૃતિની હોઈ તેમની જોડે તેઓ તુરંત હળે-મળે છે. મેષ, સિંહ અને ધન રાશિઓ સાથે તેઓ અજબ યુગ્મ બનાવે છે. તેમની આ રાશિઓ સાથે જોડી અગ્નિ તત્વ અને વાયુ તત્વનો મેળાપ છે જે બંને એકબીજાના પોષક છે અને માટે જ લાભદાયી-સફળ પણ કહી શકાય.

બાકીની રાશિઓ સામાન્ય શુભ ગણી શકાય: વૃષભ, કન્યા, વૃશ્ચિક અને કર્ક સાથે તેઓ મધ્યમ શુભ બને છે. મધ્યમ તાલમેલ જોવા મળે છે. જયારે મકર અને મીન જોડે સ્વાભાવિક બીજે બારમે થતા મતભેદ અને ક્યારેક મનભેદ વ્યક્ત થાય છે. કર્ક અને કન્યા રાશિઓ સાથે આ રાશિના જાતકોને હમેશા કઈ નવું જાણવાનો અવસર મળશે, તેનું કારણ કર્ક અને કન્યા બંને કુંભ રાશિ સાથે છઠે અને આઠમે હોઈ તેમની વચ્ચે આદાન-પ્રદાન જલ્દી શક્ય નથી.