Home Blog Page 4973

CAA મામલે દિલ્હીમાં ભડકેલી હિંસામાં સાતનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં (CAA લઈને) સતત ત્રીજા દિવસે હિંસા ચાલુ રહી હતી. ભજનપુરા, કરાવલનગર, બાબરપુર, મૌજપુર, ગોકુલપુરી બ્રહ્મપુરી અને ચાંદબાગ સહિતના વિસ્તારોમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરબમારા સહિતના બનાવો બન્યા હતા. CAAવિરોધી અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં બંને પક્ષે પથ્થરબાજી થઈ હતી. ગોળીબાર થયો હતો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે આ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ મૂકી દીધી છે. દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સાત પર પહોંચી છે, એમ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રે સૈંકડો મહિલાઓએ જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે CAAની સામે ધરણાં પર બેઠી હતી. આ ધરણાં પ્રદર્શન દરમ્યાન રસ્તા પર વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ આવતી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તા પરથી હટવાની અપીલ કરી હતી, પણ મહિલાઓ માની ના હતી. ત્યાર બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ રોડ બ્લોકની વિરુદ્ધ CAA સમર્થકોને રવિવારે બપોરે ત્રણ કલાકે મૌજપુર ચોક આવવાનું ઇજન આપ્યું હતું. એ જ સમયે જાફરાબાદ વિસ્તારમાં ચાર કલાકે CAA વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરબાજી થઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસ છોડ્યો હતો.

ભાજપના કપિલ મિશ્રા સામે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ

ભાજપના નેતા કપિલ મિશ્રાની સામે રવિવારે અને સોમવારે હિંસા ભડકાવવાના આરોપમાં બે કેસ નોંધવામાં આવ્યા છે. એક ફરિયાદ આમ આદમી પાર્ટીની કોર્પોરેટર રેશમા નદીમે અને બીજી ફરિયાદ હસીબ અલ હસને નોંધાવી છે. પોલીસે પાસે નોધાવાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કપિલ મિશ્રાએ ભડકાઉ ભાષણ આપીને લોકોને ભડકાવ્યા હતા, જેનાથી અરાજકતા ફેલાઈ હતી.

બીજી બાજુ ઉત્તર-પૂર્વમાં હિંસક ઘટનાઓમાં માર્યા ગયેલાઓની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. આ સાત લોકોમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે. જોકે આ હિંસાને કાબૂમાં લેવા ગૃહપ્રધાન અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 11 લાગુ કરી હતી. આ મિટિંગમાં મુખ્ય પ્રધાન કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગાંધીના વિચારોનું અદભૂત ભારત: રાજધાટ પર ટ્રમ્પ

નવી દિલ્હી: ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમ્યાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા.

રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમ્યાન એવુ માનવામાં આવતું કે, ટ્રમ્પ મહાત્મા ગાંધી અંગે વિઝિટર બુકમાં સંદેશો લખશે, પણ તેમણે ગાંધીજી વિશે એક શબ્દ પણ લખ્યો ન હતો. ટ્રમ્પે ગઈકાલની ભૂલને સુધારતા આજે રાજઘાટની મુલાકાત સમયે વિઝિટર બુકમાં મહાત્મા ગાંધી અંગે લખ્યું કે, ‘અમેરિકાના લોકો ભારત સાથે મજબૂતીથી ઉભા છે. મહાત્મા ગાંધીના વિચારોનું અદભૂત ભારત, આ એક શાનદાર સન્માન છે.’

 

દિલ્હીઃ મેલાનિયાએ ‘હેપીનેસ ક્લાસ’ની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. મેલાનિયા ટ્રમ્પ સ્કૂલના દરવાજા પાસે ખુશ (હેપ્પી) થઈ ગયાં, જ્યારે એક નાના બાળકે તેમના માથા પર તિલક લગાવ્યું અને આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. માથે તિલક લગાવ્યા બાદ મેલેનિયા ચહેરાના ખુશી છલકતી હતી. મેલેનિયા ટ્રમ્પ આરકે પુરમ સ્થિત સર્વોદય સહશિક્ષણ વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાં ‘હેપીનેસ ક્લાસ’ જોવા પહોંચ્યાં હતાં.

દિલ્હીની સર્વોદય કો-એડ સિનિયર સેકેન્ડરી સ્કૂલે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના સ્વાગતની પહેલેથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, કેમ કે તેમની હેપીનેસ ક્લાસની મુલાકાત પહેલેથી આયોજિત હતી.

મેલનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત વિશે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી હતી. કેજરીવાલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે આજે અમારી સ્કૂલમાં હેપીનેસ ક્લાસમાં તેઓ ભાગ લેશે. અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીવાસીઓ માટે સારો દિવસ.સૈકાઓથી ભારત વિશ્વને આધ્યાત્મિકતા શીખવાડી છે. મને ખુશી છે કે તેઓ અમારી સ્કૂલમાંથી ખુશીનો સંદેશ પાછો લેશે. તેમના માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.તેમણે આ સ્કૂલમાં કેજરીવાલ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હેપીનેસ ક્લાસ  વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી. દિલ્હી સરકારની સ્કૂલોમાં આશરે દોઢ વર્ષ પહેલાં હેપીનેસ કરિકુલમ શરૂ કરવામાં આવ્યો હતો.

શું છે ‘હેપીનેસ ક્લાસ’

દિલ્હીની સરકારી સ્કૂલોમાં ચાલતા હેપ્પીનેસ ક્લાસ 45 મિનિટના હોય છે. સ્કૂલના દિવસોમાં એ દરરોજ હોય છે. આમાં નર્સરીથી માંડીને ધોરણ આઠમા સુધીનાં બાળકો સામેલ હોય છે. બાળકોને સૌથી પહેલાં ધ્યાન કરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પૂજા નથી કરવામાં આવતી, માત્ર પોતાના શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપવામા આવે છે. પોતાના મન પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. પોતાના વિચારો પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. આ ભારતની બહુ જૂની સંસ્કૃતિ છે.

 

એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં કદાચ અદાણી ગ્રુપ પણ ઝુકાવે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવા માટેની રેસમાં અદાણી ગ્રુપ પણ જોડાશે અને તે આવતા મહિને એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) સુપરત કરવા વિચારે છે, એવું મિડિયા અહેવાલોનું કહેવું છે.

એર ઈન્ડિયાને ખરીદવાની પ્રક્રિયામાં અદાણી ગ્રુપને સામેલ કરવું કે નહીં એનો નિર્ણય EoI પ્રક્રિયા પૂરી થયા બાદ લેવાશે.

અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. એણે ત્રણ એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી મેળવી જ લીધી છે – અમદાવાદ, લખનઉ અને મેંગલોર. તે ઉપરાંત તિરુવનંતપુરમ, જયપુર અને ગુવાહાટી એરપોર્ટનું સંચાલન પણ એને સોંપવામાં આવશે એવા અહેવાલો છે. આ માટે તે સરકારની મંજૂરીની રાહ જુએ છે.

એર ઈન્ડિયાને હસ્તગત કરવાની રેસમાં સામેલગીરી વિશે અદાણી ગ્રુપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.

નિષ્ણાતોનું માનવું છે કે અદાણી ગ્રુપને એરપોર્ટ્સના સંચાલનની માલિકી આપવામાં આવી હોવાથી એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં એની સામે કાયદેસર પડકારો ઊભા થઈ શકે છે.

એર ઈન્ડિયાને ખરીદવા માટેની રેસમાં ટાટા ગ્રુપ પણ એક સ્પર્ધક હોવાનું મનાય છે. આ ગ્રુપ સિંગાપોર એરલાઈન્સ અને એર એશિયાને ઓપરેટ કરે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવાનું નક્કી કર્યું છે.

2018માં, સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી હતી, પણ એકેય ખરીદાર આગળ આવ્યો નહોતો.

તેથી ગયા જાન્યુઆરીમાં, સરકારે જાહેરાત કરી હતી કે તે એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માગે છે. જે કોઈ એર ઈન્ડિયાને ખરીદવા માગે એણે તેનું રૂ. 232.87 અબજના દેવા સહિતની જવાબદારીઓ પણ લેવાની રહેશે.

સુવિચાર – ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦

દિવ્યાંગોને નોકરી માટે તાલીમ આપવા માઇક્રોસોફ્ટની પહેલ

નવી દિલ્હીઃ આઇટી અગ્રણી કંપની માઇક્રોસોફ્ટ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે મળીને દિવ્યાંગોને પ્રશિક્ષિણ પૂરું પાડશે, જેથી તેઓ બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રમાં નોકરીઓ મેળવી શકે, એમ SBIના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતું. આ સમજૂતી કરાર હેઠળ પ્રથમ વર્ષમાં 500થી વધુ દિવ્યાંગોને પ્રશિક્ષિણ આપવામાં આવશે.  

કુમારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે આ આદર્શ ભાગીદારી છે અને વિશેષ ક્ષમતાવાળી વ્યક્તિઓની ઓળખ કરવાની દિશામાં આ એક નવી પહેલ છે. વળી, દિવ્યાંગોની સાથે અમારો અનુભવ ઘણો સારો રહ્યો છે. માઇક્રોસોફ્ટના વૈશ્વિક વેચાણના અધ્યક્ષ ફિલિપ કોરટોઇસે કહ્યું હતું કે દેશમાં 2.6 કરોડ દિવ્યાંગો છે. 21મી સદીમાં અર્થતંત્રમાં તેમના યોગદાન માટે આપણે નવા વિકલ્પો અપનાવવા પડશે.

કંપનીના નિવેદન મુજબ SBI ફાઉન્ડેશન અને માઇક્રોસોફ્ટ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઈ-માર્કેટ પ્લેસ સ્થાપિત કરશે, જ્યાં બેન્કિંગ, નાણાકીય અને વીમા ક્ષેત્રથી સંકળાયેલી કંપનીઓ સરળતાથી દિવ્યાંગોની સાથે સરળતાથી જોડાઈ શકશે અને તેમની આવડતનો લાભ લઈ શકશે. આ ઉપરાંત બંને કંપનીઓ તેમના માટે રોજગારીની તકો પણ ઊભી કરી શકશે.

શા માટે કોંગ્રેસ નેતા નહીં જોડાય ટ્રમ્પ માટે આયોજીત ભોજન સમારંભમાં?

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સરકાના વલણને લઈને નારાજ છે. ચૌધરી મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આયોજીત કરવામાં આવી રહેલા સત્તાવાર ભોજન સમારંભમાં સામેલ નહીં થાય. ચૌધરીએ કહ્યું કે, મોદી સરકારે અમેરિકન રાષ્ટ્રપતિની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટીઓને વિચાર-વિમર્શ કરવા મંજૂરી આપવાની જૂની પરંપરાને ખત્મ કરી દીધી છે. સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ નિમંત્રણ નથી આપ્યું. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગુલામનબી આઝાદ પણ આ ભોજન સમારંભમાં સામેલ નહીં થાય.

અધીર રંજન ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, તે 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત ભોજન સમારંભમાં સામેલ નહીં થાય. આ મારી વિરોધ કરવાની રીત છે.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકાર દ્વારા આ રીતે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મહત્વપૂર્ણ વિદેશી મહેમાનોના પ્રવાસ દરમ્યાન નજરઅંદાજ કરવા અને જૂની પરંપરામાં ફેરફાર કરવો સારી બાબત નથી. અગાઉ સરકારોમાં અમે સુનિશ્ચિત કર્યું હતું કે, તત્કાલિક અમેરિકન રાષ્ટ્રપતિ જોર્જ બુશ કે બરાક ઓબામા સહિત ભારત આવનાર તમામ ગણમાન્ય લોકો સાથે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓને મળી શકશે.

રાશિ ભવિષ્ય 25/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


 

આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ તા. 25/02/2020

તાજ ભારતની સમૃધ્ધ સંસ્કૃતિનું પ્રતીકઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા ટ્રમ્પ દંપતીએ આગ્રામાં તાજ મહેલની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમની પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનેર પણ સાથે હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે  અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે આગ્રાના એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

ટ્રમ્પે તાજ મહેલમાં જે સમય વિતાવ્યો તેની એક ઝલક…

  • ટ્રમ્પે પત્ની મેલેનિયા સાથે તાજમહેલના કેમ્પસમાં અંદાજે દોઢ કિમી સુધી વોક કર્યું
  • ટ્રમ્પ દંપતીએ તાજ મહેલમાં ફોટો સેશન કરાવ્યું હતું.
  • તેમણે વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો.
  • ટ્રમ્પે લખ્યું- આ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે
  • ટૂરિસ્ટ ગાઈડે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી તાજમહેલ સાથે જોડાયેલા કિસ્સાની માહિતી આપી હતી
  • ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ સહયોગીને પોતાનો મોબાઈલ આપીને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ તાજ મહેલની વિઝિટર બુકમાં નીચે મુજબનો સંદેશ લખ્યો હતો.

ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકારોએ ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 કલાકે તાજમહાલ સામાન્ય પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે, જે હવે મંગળવારે સવારે ખૂલશે. આગ્રા મુલાકાત પછી ટ્રમ્પ પરિવાર દિલ્હી જવા રવાના થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં તેમનું રાત્રિ રોકાણ છે.