નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના 22 નવા કેસો સામે આવ્યા બાદ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 195 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આમાંથી 32 જેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મંત્રાલય અનુસાર, દેશમાં કોવિડ-19 અત્યારે 171 કેસ છે. આ સિવાય 20 લોકો એ છે કે જે સાજા થઈ ગયા છે અને જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી એક વિદેશી સહિત 17 દર્દીઓની પુષ્ટી થઈ છે. તો ઉત્તર પ્રદેશમાં પણ એક વિદેશી સહિત કુલ 19 કેસો સામે આવ્યા છે.
- પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. તાજેતરમાં જ બ્રિટનની યાત્રા પર ગયેલો આ વ્યક્તિ રાજ્યમાં કોરોના વાયરસનો બીજો દર્દી છે.
- તાજેતરમાં બ્રિટનથી પાછી આવેલી મોહાલીની 69 વર્ષની મહિલા કોરોના પોઝિટીવ આવી અને આ સાથે જ પંજાબમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. મોહાલીના ડેપ્યુટી કમિશનર ગિરીશ દયાલનને કહ્યું કે, મોહાલીમાં ફેઝ 3 એની નિવાસી મહિલા કોરોના વાયરસની પોઝિટીવ આવી છે. તેમણે કહ્યું કે, તપાસ માટે મહિલાના પરિવારના બે અન્ય સભ્યોના નમૂના લેવામાં આવશે.
- રેટિંગ એજન્સી “ફિંચ” કોરોના વાયરસ મહામારીના કારણે ભારતની આર્થિક વૃદ્ધિના અનુમાનને 5.6 ટકાથી ઓછું કરીને 5.1 કરી દીધું છે.
- ફિરોઝપુર રેલવે મંડળે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને લઈને હિમાચલ પ્રદેશમાં તમામ પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કાંગડા ઘાટીમાં 14 ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.
- કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીનમાં સતત બીજા દીવસે જીવલેણ બીમારીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જો કે ત્રણ અન્ય લોકોના મોત સાથે દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક 3,248 પર પહોંચી ગયો છે.
- પશ્ચિમ બંગાળમાં સાત લોકોમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી કેટલાક લોકો તાજેતરમાં વિદેશથી પાછા આવ્યા હતા.
- જયપુરમાં એક દંપતિને કોવિડ-19 પોઝિટીવ આવ્યો હતો. 30 વર્ષીય આ દંપતિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. તેમને સવાઈ માનસિંહ ચિકિત્સાલયના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
- દિલ્હીમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખતા મેટ્રો અધિકારીઓએ યાત્રીઓને જરુર વગર મેટ્રોમાં મુસાફરી ન કરવા માટે અપીલ કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, તમામ સ્ટેશનો પર યાત્રીઓની તપાસ કરવામાં આવશે.
- છત્તિસગઢ સરકારે નોવેલ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્યની તમામ શાળાઓને આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.




ખાસ યાદ રાખજો, કેવી રીતે મદદની વહેંચણી કરવી તેના આઇડિયા પણ વિચારો અને શેર કરજો. જરા પણ ભીડ કર્યા વિના, એક પછી એકને વારાફરતી, દસ દસ ફૂટનું અંતર રાખીને સહાયના વિતરણના આઇડિયા વિચારો. ડૉક્ટર્સ, નર્સ, વૉર્ડમાં કામ કરતા સહાયકો, હોસ્પિટલમાં મદદરૂપ થાઓ, સાફસફાઇ રાખનારા સૌ કોઈ હિંમતથી જોખમી કામ ફરજ સમજીને બજાવે છે ત્યારે સૌ કોઈ તેમને વધાવી રહ્યા છે, તેમને ધન્યવાદ આપી રહ્યા છે. તમે દાનપૂણ્ય, સહાયના સલામત આઇડિયા શેર કરશો તો સોશ્યલ એન્ટ્રપ્રેન્યોર તરીકે તમને પણ સૌ ઓનલાઇન વધાવી લેશે.









