નિર્ભયા ગેંગરેપ કેસઃ એ તારીખો કે જે ક્યારેક લાવી આંસુ તો ક્યારેક આશાઓ

નવી દિલ્હીઃ આખરે સાત વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળી ગયો છે. આજે સવારે 5:30 વાગ્યે ચારેય દોષિતોને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે અને 6 વાગ્યે તેમના મોતની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા ચારેય દોષિતોને ફાંસીથી બચાવવા માટે રાત્રે એકવાર ફરીથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાત્રે જ આના પર સુનાવણી પણ થઈ પરંતુ તમામ દલીલોને નકારતા કોર્ટે તેમની ફાંસીની સજાને યથાવત રાખી હતી. ફાંસી બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજનો દિવસ આપણી દિકરીઓના નામે છે અને મહિલાઓના નામે છે. મોડો ન્યાય મળ્યો પરંતુ આપણી કોર્ટ અને ન્યાયિક વ્યવસ્થાનો આભાર.

  1. 16 ડિસેમ્બર 2012: પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ પહેલા ગેંગરેપ કર્યો અને તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી. આ ઘટનાને ચાલતી બસમાં અંજામ આપવામાં આવ્યો. ઘટના સમયે પીડિતા સાથે તેનો એક મિત્ર પણ હતો. તેની સાથે પણ મારામારી કરવામાં આવી.
  2. 17 ડિસેમ્બરઃ આ ઘટનાથી લોકોમાં ખૂબ રોષ ફેલાયો અને દિલ્હી સહિત આખા દેશમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગને લઈને પ્રદર્શનો શરુ થઈ ગયા. આ વચ્ચે દિલ્હી પોલીસે ચારેય દોષિતોની ઓળખ કરી લીધી હતી. આમાં રામ સિંહ, તેનો ભાઈ મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તા હતા.
  3. 18 ડિસેમ્બરઃ રામ સિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી.
  4. 19 ડિસેમ્બરના રોજ આ તમામને પીડિતાના સાથીએ કે જે ઘટના સમયે ત્યાં ઉપસ્થિત હતો તેણે ઓળખી લીધા.
  5. 21 ડિસેમ્બરઃ આનંદ વિહાર બસ સ્ટેશનથી મુકેશની પણ ધરપકડ કરી લેવામાં આવી કે જેણે પોતે નાબાલિક હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય એક અન્ય દોષિત અક્ષય ઠાકુરને પકડવા માટે પોલીસ બિહાર અને હરિયાણામાં રેડ પાડી રહી હતી.
  6. 29 ડિસેમ્બરઃ આ તરફ દિલ્હીમાં લાંબી સારવાર બાદ પીડિતાને સિંપાપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
  7. 17 જાન્યુઆરી 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પાંચ દોષિતો અને એક કથિત નાબાલીક વિરુદ્ધ સુનાવણી શરુ થઈ.
  8. 11 માર્ચ 2013: રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી કે જે મુખ્ય આરોપી હતી.
  9. 2 એપ્રીલ 2013: આ વચ્ચે રેપની ઘટનાઓને લઈને સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું હતું. જેમાં પીછો કરવાનો ગુનો માનવામાં આવ્યો હતો અને રેપના મામલાઓમાં ફાંસીની સજાનું પ્રાવધાન હતું.
  10. સપ્ટેમ્બર 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામને દોષિત ગણ્યા અને ફાંસીની સજા સંભળાવી દીધી. આમાં નાબાલીકને 3 વર્ષની કેદ થઈ અને તે વર્ષ 2015 માં જેલમાંથી છૂટી ગયો.
  11. 5 મે 2017: સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી. તમામ દોષિતોએ પુનર્વિચાર અરજી દાખલ કરી.
  12. 17 જાન્યુઆરી 2020: રાષ્ટ્રપતિએ કોવિંદે તમામ અરજી ફગાવી દીધી છે.
  13. 19 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે મુકેશની એ દલીલને ફગાવી દીધી કે જેમાં તેણે દાવો કર્યો કે તેઓ ઘટનાના દિવસે દિલ્હીમાં હતો કે નહી.
  14. 20 માર્ચ 2020: સવારે 5:30 વાગ્યે ચારેયને ફાંસી આપી દેવામાં આવી.