Home Blog Page 4836

નવા 1,409 કેસ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 21,000ને પાર

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમણનો પ્રકોપ દેશમાં સતત જારી છે. લોકડાઉન છતાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,000ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી તાજા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,393 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1,409 નવા કેસ સામે આવ્યા છે અને 41 લોકોનાં મોત થયાં છે. જોકે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 681 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતની વાત એ છે કે 4,258 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે.   

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી કુલ 26,28,872 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે 16,32,252 દર્દીઓની સારવાર ચાલુ છે અને 7,13,179 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. દેશમાં જારી કરવામાં તાજા આંકડા મુજબ રાજ્યવાર કોરોના સંક્રમિતોની સંખ્યા નીચે મુજબ છે.

 

ક્રૂડનો ભાવ શૂન્ય તો પેટ્રોલ ડિઝલ મફતમાં ના મળે?

મને સમાચાર વાંચીને નવાઈ લાગી હશે કે ક્રૂડનો ભાવ શૂન્ય થઈ ગયો. એટલે કે મફતના ભાવમાં ખનીજ તેલ થઈ ગયું. હકીકતમાં માઇનસમાં ભાઈ ગયો હતો, પણ આ બધા ભાવ વાયદા બજારના હોય છે અને તરત તેમાં સુધારો પણ થતો હોય છે. ક્રૂડના ભાવમાં તે પછી તરત જ સુધારો પણ થયો હતો અને અત્યારે શું ભાવ ચાલે છે તે ઓનલાઇન જોઈ લેશો. ક્રૂડ ફ્યુચર્સમાં સોમવારે નેગેટિવ ભાવ આવ્યો હતો અને દુનિયા આખી ચોંકી ગઈ હતી. કોરોનાના કેર પછી એક પછી એક દેશમાં સંચારબંધી થવા લાગી એટલે વાહનોના પૈડાં થંભી ગયા અને પેટ્રોલ ડિઝલના ભાવ ઘટવા લાગ્યા. ખનીજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ કોરોના પહેલાથી થોડા દબાયેલા હતા, કેમ કે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સમાધાન ના થયું ત્યારે સાઉદીએ ભાવમાં સીધો 30 ટકાનો ઘટાડો કરી નાખ્યો હતો.

તો સવાલ થવાનો કે ક્રૂડ ઑઇલનો ભાવ શૂન્ય કે માઇનસમાં હોય તો પેટ્રોલ ડિઝલ મફતમાં ના મળવું જોઈએ? મફતમાં ના મળે તો કમસે કમ એકદમ સસ્તું થઈ જવું જોઈએ કે નહિ? ક્રૂડના ફ્યુચર્સમાં ભાવ નેગેટિવ નોંધાયો તેને અપવાદ ગણીને ભૂલી જઈએ તો પણ છેલ્લા એક મહિનામાં તે ઘટીને 30 ડૉલરની આસપાસ રહ્યા છે. તેની આગળના મહિને 50 ડૉલરની આસપાસ. ભારતમાં ગ્રાહકો પેટ્રોલ ડિઝલનો જે ભાવ ચૂકવી રહ્યા છે તે 70 ડૉલરની આસપાસનો જ છે. ભાવઘટાડાનો લાભ મળ્યો નથી, કેમ કે સરકારે વચ્ચે ટેક્સ વધારી દીધો હતો.

તેમાં કંઈ ખોટું નથી, કેમ કે અત્યારે સરકારને જ્યાંથી પણ થાય ત્યાંથી આવક મેળવવાની છે. બહુ વપરાશ પણ બે મહિના નથી રહેવાનો ત્યારે ભાવ બહુ ઘટાડી દેવાનો પણ મતલબ નથી. તેથી પણ ગ્રાહકોને એક હદથી નીચેન ભાવ ક્યારેય મળવાનો નથી. પેટ્રોલ ફરીથી 50 રૂપિયાનું લીટર થઈ જાય તેવું બનવાનું નથી. નજીકના ભવિષ્યમાં તો નહિ જ. તેથી માઇનસ ભાવે ક્રૂડ થાય એટલે મફતમાં પેટ્રોલ મળવાનું નથી. શક્ય પણ નથી.

પહેલાં તો નેગેટિવ ભાવથી શું થાય તે સમજો. ક્રૂડ વેચનાર કંપની, ક્રૂડ ખરીદનાર ગ્રાહકને પોતાને ત્યાંથી ક્રૂડ લઈ જવા માટે સામેથી પૈસા આપે. હા, સામેથી પૈસા આપે કે મારે ત્યાંથી તમે આખું ટેન્કર ભરીને ક્રૂડ લઈ જાવ હું તમને લીટર દીઠ અમુક ડૉલર આપીશ. આવું એટલા માટે થાય કે તેલનો કુવા પર કામ ચાલુ જ છે. ખનીજ તેલ બહાર આવે છે અને સ્ટોર કરવામાં આવે છે, પણ છેલ્લા બે મહિનાથી માલનો ઉપાડ સાવ થંભી ગયો છે એટલે સ્ટોરેજ માટે હવે જગ્યા પણ નથી રહી. દેશો પાસે અનામત જથ્થો સ્ટોર કરી રાખવાની વ્યવસ્થા હોય છે. મોટા ભાગના દેશોએ અનામત જથ્થો છલોછલ ભરી લીધો છે. અમેરિકાના પ્રમુખે પણ જાહેરાત કરી કે 7.5 કરોડ બેરલ જેટલું ઓઇલ સ્ટોર કરાશે.

ભારતમાં ત્રણ જગ્યાએ વિશાખાપટ્ટનમ, મેંગાલુરુ અને પડુરમાં ક્રૂડ સ્ટોર કરવાની વિશાળ ક્ષમતા છે. 53.3 મેટ્રિક ટન ક્રૂડ સાચવી શકાય તેમ છે અને ક્ષમતાના અડધાથી થોડું વધારે સ્ટોર થયું છે. ભારત પાસે તક છે કે ઘટેલા ભાવે અનામત જથ્થો છલોછલ ભરી લેવામાં આવે. હાલના મહિનાઓમાં ભાવ 20 ડૉલરથી નીચે રહેવાનો છે અને વર્ષના અંતે ફરી 40 ડૉલર થઈ શકે છે. અર્થાત 50 ટકા જેટલો ભાવમાં ફાયદો થાય, પણ ક્ષમતાથી વધુ સ્ટોર કરવું મુશ્કેલ છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ઇન્ટરેસ્ટિંગ સજેશ્ચન કર્યું કે અત્યારે સરકાર બહુ જ ઓછા ભાવે ડિઝલ અને પેટ્રોલ લોકોને આપે તો લોકો સગવડ પ્રમાણે સ્ટોરેજ કરી શકે. દેશના 10 કરોડ લોકો પણ 1000 લીટર સ્ટોર કરે તો એક લાખ કરોડ લીટર સ્ટોર થઈ જાય. જોકે તેમાં ઘણી પ્રેક્ટિકલ મુશ્કેલી થઈ શકે, પણ નિષ્ણાતે કેલ્ક્યૂલેટર લઈને આ સૂચનની ગણતરી કરવામાં ખોટું નથી.

પ્રેક્ટિકલ મુશ્કેલીને કારણે જ ક્રૂડનો ભાવ માઇનસમાં ગયો છે તે વાત પર પાછા ફરીએ. ઉત્પાદક કંપની કે વેચાણ કંપનીએ સ્ટોરેજ માટે પણ ખર્ચ કરવો પડે. તેથી સ્ટોરેજનો ખર્ચ બતાવવા ખરીદનારને સામેથી પૈસા આપીને ઉપ્પાડો જથ્થો એમ કહેવામાં આવે છે. લીટરે 2 રૂપિયા સ્ટોરેજનો ખર્ચ હોય તો બે રૂપિયાની ખોટ કરવાના બદલે 1 રૂપિયામાં વેચી નાખવાનું, તેથી રૂપિયો તો મળે!

કેમ? ખેડૂતો ખેતરને ચોખ્ખું કરવા નથી કહેતા કે કપાસની સાંઠી ખેંચી જાવ? કારખાનામાં બહુ ભંગાર ભેગો થયો હોય અને નડતો હોય અને તેનું કંઈ ઉપજવાનું ના હોય ત્યારે મફતમાં આપી દેવાય. ભંગારવાળો મફતમાં કારખાનામાંથી નડતરરૂપ વસ્તુઓ લઈ જાય એટલે કારખાનેદારને મફતમાં સફાઈ થઈ. જાણકારો કહે છે કે તેલના કુવાની બાબતમાં પણ આવું જ થયું છે. કુવામાંથી તેલ ઉલેચવાનું ચાલુ રાખવું પડે. તેને ઉલેચવાનું બંધ કરી દેવાય તો વધુ મોંઘું પડે. કુવાને નુકસાન પણ થાય અને કુવાને બંધ કરી દેવાય તે પછીય માણસોનો પગાર, મેઇન્ટેનન્સ વગેરે ખર્ચ તો ચાલુ રહેવાનો. તેથી તેલ કુવામાંથી કાઢ્યા સિવાય છૂટકો નહિ. કાઢ્યા પછી નાખવું ક્યાં? તેથી ઉપ્પાડો અમારું ઑઈલ, અમે તમને ઑઈલ લઈ જવાનો ખર્ચ સામેથી આપીશું!

વૈશ્વિક મંદીને કારણે છેલ્લા થોડા મહિનાથી ક્રૂડની બાબતમાં આમ પણ મુશ્કેલ સ્થિતિ થયેલી છે. દાખલા તરીકે અમેરિકા શેલ (shale) ઓઇલ કહેવાય છે તેવું ખડકો વચ્ચેથી અમુક ટેક્નિકથી મેળવાતું ખનીજ તેલ મેળવવા માટે અમુક ખર્ચ કરવો પડે. એક અંદાજ પ્રમાણે જો તેનો ભાવ 50 ડૉલરથી નીચે જાય તો અમેરિકન કંપનીઓને ખોટ જાય. નવા અંદાજ પ્રમાણે હવે ખર્ચ 35 ડૉલર જેટલો નીચે આવ્યો છે. તેથી રશિયા ક્રૂડનો ભાવ 50 ડૉલર અથવા તો 35 ડૉલરથી નીચે લાવવા માગતું હતું જેથી અમેરિકાની કંપનીઓએ દેવાળું કાઢવું પડે.

2015માં પણ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 28 ડૉલર જેટલો નીચે ગયો હતો, પણ ભારતમાં એક હદથી પેટ્રોલ ડિઝલના ભાવો ઘટાડાયા નહોતા. તેના બદલે સરકાર તબક્કાવાર વેરો વધારતી રહી હતી અને કમાણી કરતી રહી હતી. અત્યારે પણ એવું જ થશે અને કરવું પડે તેમ પણ છે, તેથી પેટ્રોલ ડિઝલના ભાવ નહિ ઘટે. એ વાત પણ ખરી કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 50 ટકા જેટલો હિસ્સો તો કેન્દ્ર અને રાજ્યના વેરાનો હોય છે. રાજ્ય સરકારો માટે પેટ્રોલિયમ પેદાશનો પરનો વેટ કમાણીનું મોટું સાધન છે. તેથી વેટ પણ ઘટાડાશે નહિ.

ક્રૂડ મફતમાં મળે તો પણ તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવે. દરિયાઈ ટેન્કરોમાં ભરીને દરિયાઇ માર્ગે તેને લાવવું પડે. તેને પોર્ટમાં ઉતારીને રિફાઇનરી સુધી પહોંચાડવું પડે. રિફાઇન કરવું પડે. રિફાઇનરીથી પેટ્રોલ અને ડિઝલ જથ્થાબંધ વિતરકના સ્ટોરેજ ડિપોમાં જાય અને ત્યાંથી ટ્રક ટેન્કરમાં રસ્તા માર્ગે પેટ્રોલ પંપ સુધી પહોંચે. તે બધાનો ખર્ચ, કરવેરા અને બધાના નફા પ્રજા નામની કન્યાની કેડે જ આવે. એટલે ભવિષ્યમાં 40 ડૉલરના સરેરાશ ભાવે ક્રૂડ મળતું હશે ત્યારે પેટ્રોલ સસ્તુ નહિ થાય.

બીજું આ સ્થિતિ લાંબી નથી ટકવાની. બધા દેશો માટે પણ લૉકડાઉન બહુ લાંબો ચલાવવો પરવડે તેમ નથી. અમેરિકામાં તો રોજ હજારોના મોત થઈ રહ્યા છે તો પણ લૉકડાઉન હટાવવા માટે આંદોલનો થવા લાગ્યા છે. તેથી બેએક મહિનામાં ફરી ક્રૂડની માગ રાબેતા મુજબની થશે અને ભાવ પણ સ્થિર થશે. ઉલટાના વધી પણ શકે છે, કેમ કે અત્યારે જે ખોટ ગઈ છે તે વસૂલ કરવા માટે ઑપેકના દેશો અને રશિયા પણ ભાવો વધારશે. કુવો તાત્કાલિક બંધ ના કરી શકાય, પણ પદ્ધતિસર ઉત્પાદન ઘટાડી શકાય છે. ક્રૂડનું ઉત્પાદન બાદમાં ઘટાડીને, સાઉદી અને રશિયા વચ્ચે પણ સમાધાન થઈને ભાવોને ફરીથી ઊંચકી લેવામાં આવશે. જૂનના ફ્યુચર્સ 37થી 40 ડૉલર બોલાઈ પણ રહ્યા છે.

ભારત બહુ મોટું આયાતકાર છે, પણ કમનસીબે ક્રૂડના ભાવ ઘટ્યા છે ત્યારે વપરાશ પણ ઘટી ગયો છે. માર્ચની મધ્યથી મેના મધ્ય સુધીમાં 50 ટકાના કાપ દેખાશે અને વચ્ચેના આ એક મહિનો 80થી 90 ટકા વપરાશ ઘટી જ ગયો છે. ભારત પાસે ઉપર દર્શાવે તે પ્રમાણેની સ્ટોરેજ ક્ષમતા છે તે કદાચ પૂર્ણ ભરી લેવામાં આવશે, પણ નાણાકીય ફાયદો કોરોના સંકટમાં સહાય પાછળ વપરાઈ જવાનો છે.

સુવિચાર – ૨૩ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૨૩ એપ્રિલ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 23/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીન ઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુ વ્યક્તિની મદદ કે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

કોરોના લાંબા સમય સુધી રહેશેઃ WHOની દુનિયાના દેશોને ચેતવણી

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હાહાકાર મચાવી રહેલા જીવલેણ કોરોના વાઈરસ અંગે દુનિયાના દેશોને ચેતવ્યા છે કે કોઈ એવું માનવાની ભૂલ ન કરતા કે આ રોગચાળાનો ટૂંક સમયમાં જ અંત આવી જશે. આ વાઈરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રીસસે જણાવ્યું છે કે કોરોનાની બાબતમાં કોઈ ગાફેલ ન રહે અને સાવચેત રહે. ઘણા દેશો આ રોગ સામેની લડાઈમાં આરંભિક તબક્કામાં છે.

ગેબ્રીસસે એમ પણ કહ્યું કે જે દેશો એવું સમજે છે કે તેઓ કોરોના વાઈરસથી મુક્ત થઈ ગયા છે ત્યાં હવે આ બીમારીના કેસો ફરી વધી રહ્યા છે. આફ્રિકા ખંડના દેશો અને અમેરિકામાં આ ચેપના વધી રહેલા કેસો આપણા માટે ચેતવણી સમાન છે.

ડો. ટેડ્રોસે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈ 30 જાન્યુઆરીએ, એકદમ યોગ્ય સમયે જ કોરોનાને જાગતિક મહાબીમારી તરીકે ઘોષિત કરી હતી. જેથી દુનિયાના દેશો આયોજન કરી શકે અને આ રોગ સામે લડવા સજ્જ થઈ શકે.

ડો. ટેડ્રોસે કહ્યું કે પશ્ચિમ યુરોપના દેશોમાં પરિસ્થિતિ હવે સ્થિર થઈ છે. એવું જ બીજે પણ થઈ રહ્યું છે, પરંતુ આ જ દેશોમાં નવા કેસ વધવાનું પણ ચાલી રહ્યું છે. તેથી મારી સલાહ છે કે કોઈ ગાફેલ ન રહે. આપણી લડાઈ લાંબી ચાલવાની છે, કારણ કે આ વાઈરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે.

દુનિયામાં કોરોનાના અત્યાર સુધીમાં 26,37,673 કેસો નોંધાઈ ચૂક્યા છે. કુલ 1,84,217 જણ મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, 7,17,625 જણ આ બીમારીમાંથી સાજા પણ થઈ ચૂક્યા છે.

અમેરિકામાં ગઈ કાલે એક જ દિવસમાં 2,341 જણના મરણ થયા હતા. એ દેશમાં અત્યાર સુધીમાં 47,676 જણ મૃત્યુ પામ્યા છે.

Chitralekha Gujarati – May 04, 2020

PDF Version

શું ચીની ડ્રેગન ભારતીય કંપનીઓનો ભરડો લઈ રહયો છે?

નવી દિલ્હીઃ શું ચીન ભારતીય કંપનીઓને હસ્તગત કરીને ભારતમાં પગદંડો જમાવી રહી છે. હવે પ્રત્યક્ષ યુદ્ધને બદલે પરોક્ષ યુદ્ધનો જમાનો છે ત્યારે ચીન ભારતીય કંપની જગતમાં પોતાનું વર્ચસ સતત વધારી રહ્યું છે. બીજિંગની નજર નવી દિલ્હી પર છે, પરંતુ ભારત પણ ચીન સામે સતર્ક થઈ ગયું છે, સાવધ થઈ ગયું છે. ભારતે ચીનની મેલી મુરાદને ઓળખીને ચીનનો પગપેસારો અટકાવવા માટે એક પછી એક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. જેથી ચીન ગુસ્સામાં છે અને ભારતના પગલા સામે બખાળા કાઢવા માંડ્યું છે.

એક સપ્તાહના મંથન પછી સરકારે પાછલા સપ્તાહે ભારતના પડોશી દેશોથી આવતા સીધા વિદેશી મૂડીરોકાણ પર કડક પ્રતિબંધ લગાવી દીધા છે. આ પ્રકારે પ્રતિબંધ પહેલાં બંગલાદેશ અને પાકિસ્તાનના મામલામાં હતા. સરકારના આ નવા પગલાથી ચીનથી ભારતમાં આવનારા FDI અને ભારતીય કંપનીઓને ચીનને નજરથી બચાવવા માટે લેવામાં આવ્યા છે.

10 દિવસ પહેલાં HDFCમાં ચીનની મધ્યસ્થ બેન્કે હિસ્સો વધારીને 1.01 ટકા કર્યાના અહેવાલ આવતાં સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીન કેવી રીતે અને કઈ-કઈ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધારીને ઇન્ડિયા ઇન્ક. પોતાનું વર્ચસ જમાવવાનું વિચારી રહ્યું છે. પેમેન્ટ્સ મોબિલિટી અને ઈકોમર્સ ક્ષેત્રમાં ચીનની કંપનીઓએ મોટા મૂડીરોકાણ પહેલેથી જ કર્યા છે.

HDFCમાં હિસ્સાએ ખબરદાર કર્યા

11 એપ્રિલ, 2020એ HDFC લિમિટેડે એક નિયમનકારી સંસ્થાને જણાવ્યું હતું કે ચીનની સેન્ટ્રલ બેન્ક એટલે કે પીપલ્સ બેન્ક ચાઇનાએ પોતાનો હિસ્સો વધારીનો 1.01 ટકા કર્યો છે. પહેલાં આ હિસ્સો 0.8 ટકા હતો. ત્યાર બાદ સેબીએ પહેલાં તો ભારતીય કંપનીઓમાં એ કંપનીઓની શેરહોલ્ડિંગની વિગતો માગી છે, જેના માટે અલ્ટિમેટ બેનિફિશિયરી ચીન અથવા હોંગકોંગમાં છે અને એના પછી આ સવાલના ઘેરામાં પાકિસ્તાન, નોર્થ કોરિયા, તાઇવાન અને ઇરાનની કંપનીઓને પણ લાવી દીધી છે.

વેન્ચર ફંડ્સની ભારતીય કંપનીઓ તરફ નજર

હાલના છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનના વેન્ચર ફંડ્સે બારતીય કંપનીઓમાં ઘણો રસ લીધો છે. ફોસુન, દીદી, ટેનસેન્ટ અને શાઓમી જેવી જાણીતી કંપનીઓ અને ફંડ્સ સિવાય શુનવેઈ, હોરાઇજન્સ અને સાઇનોવેશન જેવી ચીની કંપનીઓ પણ ભારતીય કંપનીઓ ખરીદવાની તકો શોધી રહી છે.

કયાં ક્ષેત્રોમાં ચીનને વધારે રસ?

સેન્ટ્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમડી સંદીપ ઉપાધ્યાયે કહ્યું હતું કે ચીનના વેન્ચર ફંડ્સનો ભારતની ઊંચો ગ્રોથ નોંધાવતી કંપનીઓમાં રસ વધી રહ્યો છે.  તેમણે કકહ્યું હતું કે આ રોગચાળામાં સૌથા ખરાબ દોર ચીનમાં પૂરો થઈ ચૂક્યો છે. જેથી ચીનને ભારતની કેટલીય લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓના મૂલ્યાંકન આકર્ષક દેખાઈ રહ્યાં છે. પેમેન્ટ્સ (PAYTM) મોબિલિટી (OLA), ઈ-કોમર્સ ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રોમાં –ચીનના રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે.

કઈ કંપનીઓમાં કેટલું મૂડીરોકાણ?

બિગબાસ્કેટમાં અલીબાબાએ આશરે 25 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. બાયજૂજમાં ચીને ટેન્સેન્ટ હોલ્ડિંગ્સે આશરે પાંચ કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. ડિલિવરીમાં ફોસુને આશરે અઢી કરોડ ડોલર લગાવ્યા છે. ડ્રીમ 11માં સ્ટેન્ડવ્યુ કેપિટલ અને ટેન્સેન્ટનું 15 કરોડ ડોલરનું રોકાણ છે. હાઇકમાં ટેન્સેન્ટ અને ફોક્સકોનનું 15 કરોડ ડોલરનું રોકાણ છે.બીજી બાજુ ANI ટેક્નોલોજી (OLA)માં ચીનની કંપનીઓનું 50 કરોડ ડોલરનું રોકાણ છે. આ ઉપરાંત અલીબાબા ગ્રુપે પેટીએમ મોલમાં 15 કરોડ ડોલર લગાવ્યા છે, જ્યારે પેટીએમમાં 40 કરોડ ડોલર.OYOમાં ચીની કંપનીઓએ 10 અબજ ડોલર લગાવ્યા છે. આ સિવાય કેટલાંય સુનિકોનર્ન્સ છે, જેમાં ચીનની કંપનીઓએ મોટા મૂડીરોકાણ કર્યાં છે (યુનિકોર્ન એ સ્ટાર્ટઅપને કહેવામાં આવે છે, જેનું મૂલ્યાંકન એક અબજ ડોલરથી વધુનું હોય છે).

ચીની બેન્ક બેન્કોને ઋણ આપવા તૈયાર

ચીનની બેન્ક દેશની મોટી કંપનીઓને લોનો ધીરવા માટે તૈયાર છે. ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની ઓફિસ મુંબઈમાં છે. બેન્કિંગ જગતનાં સૂત્રો અનુસાર આ બેન્કે હાલમાં ટીમનું કદ વધાર્યું છે. આ બેન્કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સથી લોન રિકવરી માટે 2019ના અંતિમ દિવસોમાં અનિલ અંબાણીની સામે લંડનની એક કોર્ટમાં કેસ કર્યો હતો.

સરળ છે ભારતીય કંપનીઓમાં હિસ્સો લેવો?

નિપ્પોન લાઇફ ઇન્ડિયા AMCના CEO સંદીપ સિક્કાએ કહ્યું હતું કે ભારતની ઈક્વિટી અને ડેટ માર્કેટ ઘણી નિયમબદ્ધ છેઅને કોઈ પણ FPI માટે ધીમે-ધીમે કોઈ પણ ભારતીય કંપનીઓમાં મોટો હિસ્સો લેવો અસંભવ છે.

પેટીએમ, ઝોમેટો, બિગબાસ્કેટ અને ડ્રીમ11 પર અસર પડશે

કંપનીના વિકાસના પ્રારંભમાં કેટલીક સ્ટાર્ટઅપ્સની પણ ચીનના રોકાણકારો સાથે ફંડ હાસલ કરવા માટે વાતચીત ચાલી રહી હતી, જેથી એમાં અડચણો આવી શકે. એક યુનિકોર્ને નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે અમારી જેવી કંપનીઓને મુશ્કેલી સર્જાશે, જેમાં હવે ચાઇનીસ રોકાણકારોની પેહલેથી જ 33 ચકા હિસ્સેદારી છે. આ માહોલમાં અમને મૂડીરોકાણ નહીં મળે. સરકારની આ જાહેરાતથી ભવિષ્યમાં ફંન્ડિગ હાસલ કરવામાં મુશ્કેલીઓ પડશે.

 

 

કોરોનાના સમાચારોથી દૂર રહેવા સમાચારોથી જ દૂર

“કોરોના…”

આ શબ્દ જ આ સમયનો સૌથી વધુ ભયાનક શબ્દ પૂરવાર થયો છે અને આ વાયરસે તેની ભયાનકતા પણ પૂરવાર કરી દીધી છે. આજે કોઈ પણ અખબાર જૂઓ કે ટીવી ચેનલ, સમાચારો “ કોરોના” સંબંધિત જ હોય છે.

જો કે મિડીયાનું તો આ કામ જ છે એટલે એમાં કાઇ ખોટું નથી, પણ આ બધા સમાચાર જોઈ-સાંભળી કે વાંચીને માનસપટ પર ખોટા વિચારો છવાઈ જવા કે સતત એ જ વિચારોથી દિલ-દિમાગ પર આ જ બધી બાબતો છવાઈ જવી જેવી ઘટના પણ હવે બનવા લાગી છે. મોટાભાગના લોકો “મને કોરોના તો નહી થાય ને…?’ આવી માનસિકતાથી પીડાવા માંડ્યા છે.

જાણીને નવાઇ લાગશે, પણ કેટલાક લોકોએ તો તેના ઈલાજ રૂપે સમાચારથી જ દૂર રહેવાનું વલણ પણ અપનાવ્યું છે.

અમદાવાદના વિકાસગૃહ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય દર્શનાબેન ઑઝા કહે છેકે, “ હું રાતે ૯ કલાકના સમાચાર હજોયા પછી જ સુવા જવાનું એવો નિત્ય ક્રમ હતો… શરુઆતમાં કોરોનાને લગતા સમાચારો જોયા પણ ખરા… પણ ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે સતત આ જ પ્રકારના સમાચારો જોવાથી મારા મગજ પર એક પ્રકારનો ભાર રહેવા લાગ્યો.. પછે તો ઘરમાંઠી કોઈ નહાર જાય તો પણ સતત ચિંતા રહેતી કે કંઈ થઈ તો નહી જાય ને…? બસ પછી તો સમાચાર જોવાનું છોડી જ દીધુ!

એસ. જી. હાઈવે પર રહેતા ભાવેશભાઈ આમ તો મેનેજમેન્ટ એક્સપર્ટ છે અને મેનેજમેન્ટના અને પોઝીટીવીટીના લેક્ચર આપવા પણ જાય છે. એ કહે છે, “ આમ તો આપણે સમાચારોથી દૂર રહી જ ન શકીએ. આ રોગની ભાયનકતા પણ સમાચારોના માધ્યમથી જ જાણી શકાઈ છે, પરંતુ હવે એવું લાગે છે કે મોટાભાગનું જાણી લીધુ છે એટલે હવે ક્રમશ: સમાચારોથી દૂર રહેવાનું શરુ કર્યું છે. કારણ મગજમાં સતત કોરૌના ઘુમરાયા કરે છે. મારો દીકરો અમેરિકા રહે છે. શરૂઆતના દિવસોમાં તો દિવસમાં બે વાર એને ફોન કરીને ખબર અંતર પુછતો હતો. એ પણ હવે કહેવા લાગ્યો છે કે મારી બહું ચિંતા ન કરો. તમે લોકો સાચવજો.

ઘોડાસર વિસ્તારમાં રહેતા વાલ્મિક જાની કહે છે કે…” આમ તો હું લાફીંગ ક્લબ ચલાવું છું. એટલે અમે તો નિયમિત સવારે ૬ કલાકે આવકાર હોલમાં ભેગા થતા હતા, અત્યારે એ બધુ બંધ છે.. કારણ કે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું પણ એટલુ જ જરૂરી છે… અમારા મોટાભાગના સભ્યો તો નિવૃત જીવન ગાળે છે એટલે સમય પસાર કરવા માટે અમારે મન સમાચારો તો સૌથી મહત્વનું માધ્યમ છે પણ એમ છતા ય અમારામાંથી મોટાભાગનાએ કોરોનાના સમાચારોથી અંતર જાળવવાનું મુનાસિબ માન્યું છે…એટલું જ નહી પરંતુ ટેલિફોન પર વાત કરીએ છીએ ત્યારે આ સંદર્ભની કોઈ વાત ન થાય તેની તકેદારી રાખીએ છીએ. હવે જો આપણે કોરોના કોરોના કરીશું તો નહીં હોય તો માનસિક એવો ભ્રમ મગજમાં પેસી જશે. માટે જે થઈ ગયું છે તેની સામે ન જૂઓ. બસ, પોઝીટિવ વિચારોમાં રહો,…”

ઇસનપુર વિસ્તારમાં રહેતા જીગ્નેશ પંડ્યા જુદી વાત કરે છે…લોકડાઉંન પ્રક્રિયા ને લગભગ એક મહિનો થયો, આપણે ઘર મા રહ્યા સોશિયલ મિડિયામાં કોરોના ને લગતી સાચી ખોટી માહિતીની આપ-લે કરી મજાક કે ગુસ્સાની અનુભૂતિ કરી ત્યારે મગજ એક સવાલ કરે છે કે હવે શુ? કોરોના કાલે મટી કે જતો નથી રહેવાનો તો આપણે એનાથી દૂર રહીને નવીન રીતે જીવન જીવવાનું શરુ કરવા શુ કરવુ જોઓ?

વૈષ્ણોદેવી સર્કલ પર રહેતા અનિલ જાની કહે છે કે, “ હું સ્વૈચ્છિક રીતે મારી સેવા સંસ્થા ચલાવું છુ. મારા વતન બાજુ અનેક જરૂરિયાત મંદ લોકો માટે મેડિકલ હેલ્પ, સાધન સહાય કેમ્પ, શૈક્ષણિક સાધનોનું વિતરણ કર્યું છે. એટલે મારી સેવા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે પણ મિડીયા મારા માટે અત્યંત મહત્વનું છે. પરંતુ કોરોનાનો ભય એટલો બધો વ્યાપી ગયો છે કે, મેં કોરોના વિષે કોઈની સાથે ચર્ચા પણ કરવાનું છોડી દીધુ છે.

અલબત્ત, આ બધા વચ્ચે કેટલીક હકારાત્મક બાબતો પણ મિડીયાએ અપનાવવા માંડી છે તેની પણ નોંધ લેવી ઘટે…. મિડીયા કોરોના સંબંધી સમાચારો બતાવે કે છાપે છે પરંતુ કોરોનાના દર્દી સાજા કેવી રીતે થયા…? તેમની કેવી સારવાર મળતી હતી?  હોસ્પિટાઈલેઝેશન દરમ્યાન તબીબો- મેડિકલ સ્ટાનો વ્યવહાર અને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જતા સમયે હોસ્પિટલ સ્ટાફ તરફથી અપાતી વિદાય અને ઘરે પહોંચે ત્યારે ફ્લેટ કે સોસાયટી તરફથી થતું અભિવાદન પણ મોટા ભાગના મિડીયાએ ખુબ સારી રીતે પ્રકાશિત કે પ્રસારિત કર્યું છે. હકારાત્મક સમાચારોને બહાર લાવવાની મિડીયાની આ ભૂમિકા કદાચ આગામી પેઢી પણ યાદ રાખશે…

લોકડાઉનમાં સાયબર ક્રાઈમે પણ માજા મૂકી

નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. આ ઘટનાઓ ફક્ત તમારા લેપટોપ અને ડેસ્કટોપ પર જ નથી બનતી, પરંતુ સાયબર ક્રિમિનલ તમારી વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, પેટીએમ જેવી એપ્સને પણ નિશાન બનાવી રહ્યા છે. કારણ કે આ એપનો વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઉપયોગ વધી ગયો છે. આવી સ્થિતિમાં, તેઓ સહેલાઇથી તમને સાયબર ફ્રોડના શિકાર બનાવે છે. ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુઓની કાળજી રાખીને સાયબર ફ્રોડથી બચી શકાય.

Zoom એપને લઈને રહો સાવધાન

છેલ્લા કેટલાક સમયથી ઝૂમ એપને લઈને સમસ્યા ઉદભવી રહી છે. આ એપની ગોપનીયતા(પ્રાઈવેસી) અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાથમિક સલાહ તો એ જ છે કે ઝૂમ એપનો ઉપયોગ કરવાનું ટાળો. જો એપ ઇન્સ્ટોલ કરેલી છે, તો નોટિફિકેશન અને અન્ય માહિતી પર ખાસ નજર રાખો. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારું એકાઉન્ટ પાસવર્ડ બદલો અને ખૂબ જટિલ પાસવર્ડ બનાવો. કોઈપણ અજાણી લિંક્સ ખોલો નહીં અને આવી ગતિવિધિઓથી સાવધ રહો.

હેકર્સ વોટ્સએપને હેક કરવા માટે નવી યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે. હેકર્સ આ માટે તમારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામને હેક કરે છે. આ કારણે તમે બંને એપમાં લોગઈન કરવામાં સમસ્યા આવે છે. આ કિસ્સામાં, તે તમને વોટ્સએપનો સિક્યુરિટી કોડ પૂછે છે, જ્યાંથી તે વોટ્સએપ હેક કરે છે. સાયબર નિષ્ણાત કહે છે કે તમારો પાસવર્ડ, સુરક્ષા કોડ અને ઓટીપી ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. જો ઇન્ટરનેટ પર અથવા એપ્લિકેશન પર કોઈ અસામાન્ય ગતિવિધિ દેખાય તો ફક્ત અધિકૃત વેબસાઇટ પર જ જાણ કરો.

કોઈ સાચી વેબસાઇટ તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગતી નથી. તેથી તમારી કોઈપણ ખાનગી માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. સાયબર નિષ્ણાતો કહે છે કે એકાઉન્ટ સુરક્ષા માટે ટુ સ્ટેપ વેરિફિકેશન અપનાવો. વર્ક ફ્રોમ હોમ દરમિયાન તમાર પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તમારા ઓફિસ વર્ક બંને માટે અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરો. ભૂલથી પણ ઘરેથી કામ કરતી વખતે તમારા વર્કની જગ્યાની તસવીરો શેર ન કરો. જો તમે કામ કરતી તસવીરો શેર કરો છો તો તમારી કોઈ પર્સનલ માહિતી લીક થવાનો ડર રહે છે.

પંચાંગ 23/04/2020