Home Blog Page 4762

પંચાંગ 18/06/2020

રાશિ ભવિષ્ય 18/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પ્યારની વાત – ૧૮ જૂન, ૨૦૨૦

પ્યારની વાત – ૧૮ જૂન, ૨૦૨૦

Chitralekha Gujarati – June 29, 2020

PDF Version

‘મિસ્ટર માર્કેટ’ ગમે તેટલા પડકારો અને ઉતાર-ચડાવને સહન કરી લેવા સક્ષમ છે

બદલાતા સમયની સાથે નાણાકીય તંત્રમાં કેવા કેવા ફેરફારો આવ્યા છે અને ભૂતકાળમાં કયા પ્રકારનાં વલણ જોવા મળ્યા હતાં એ સમજવાનું ઘણું મહત્ત્વ છે.

ચાલો, આજે આપણે એવી કેટલીક ઘટનાઓ વિશે વાત કરીએ.

વર્ષ ૧૯૮૨ના ઓગસ્ટ મહિનામાં ડેટ ક્રાઇસિસ અર્થાત્ ઋણસંબંધી કટોકટી દેખાવા લાગી હતી. એ કટોકટીમાં મેક્સિકો પોતાની વિદેશી કરજની જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ રહ્યું ન હતું. પરિણામે, ડેટ ક્રાઇસિસ ઊભી થઈ હતી. મેક્સિકોએ સતત વર્ષો સુધી વિદેશી કરજ વધારે રાખ્યું. વિદેશી કરજ પરના વ્યાજના દરો પણ વધતા ગયા. બીજી બાજુ, વિશ્વમાં મંદી આવી અને મેક્સિકોના ચલણ પેસોનું ઓચિંતું અવમૂલ્યન થયું. આ બધા સંજોગોને લીધે દેશ પર કરજ પુષ્કળ વધી ગયું. એ જ રીતે કરજના બોજ હેઠળ દબાયેલું લેટિન અમેરિકા તથા અન્ય વિકાસશીલ દેશો પોતાનાં કરજ ચૂકવી ન શક્યા. તેથી તેમણે બીજાઓની મદદ માગી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આ કટોકટીનો મુકાબલો કરવા માટે વૈશ્વિક સહયોગની હાકલ કરી અને કેન્દ્રીય બેંકોની સાથે સાથે કોમર્શિયલ બેન્કોની પણ મદદ લીધી. જો એક પછી એક દેશ પોતાના કરજ ચૂકવવામાં નિષ્ફળ જશે તો છેવટે બધાને જ નુકસાન થશે એવું તેને સમજાઈ ગયું હતું.

નોંધનીય છે કે થોડા જ સમય બાદ એટલે કે ૧૯૮૩માં શેરબજારમાં નવી ઊંચી સપાટી રચાઈ. અમેરિકાના ઇન્ડેક્સ એસએન્ડપીમાં ૨૨.૫૧ ટકાની વૃદ્ધિ થઈ. ૧૯૮૪માં અમેરિકામાં રાજકોષીય ખાધ સર્જાઈ. ૧૯૮૫માં ડોલરનું અવમૂલ્યન થવા લાગ્યું અને શેરબજારમાં આગઝરતી તેજી ચાલુ રહી.

૧૯૮૬માં ઈન્ડેક્સ ડાઉ જોન્સ ૨૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યો પરંતુ એના બીજા જ વર્ષે ઓક્ટોબર માસમાં બજારમાં જોરદાર કડાકો બોલાયો, જેને ‘બ્લેક મંડે’ તરીકે ઓળખાવાય છે. ૧૯૮૮માં અમેરિકામાં ચૂંટણીનું વર્ષ હતું અને લોકોમાં આશા બંધાઈ હતી, પરંતુ નબળા બોન્ડને કારણે મોટી ગરબડ સર્જાઈ અને તેને પગલે બીજો નાનકડો કડાકો બોલાયો.

૧૯૯૦માં અખાતી યુદ્ધને પગલે ૧૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. ૧૯૯૧માં સોવિયેત સંઘનું વિસર્જન થયું અને એના બીજા વર્ષે વૈશ્વિક આર્થિક મંદીને કારણે બજારો ફ્લેટ રહ્યાં. 1993 દરમિયાન વૈશ્વિક સ્તરે બિઝનેસમાં સુધારો જોવા મળ્યો અને તેની સાથે સાથે વ્યાજના દરો પણ વધતા ગયા. 1995માં બજારમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી અને ફુગાવાનું જોખમ સર્જાયું. સરકારી કરજનું પ્રમાણ વધી ગયું અને કંપનીઓએ વૃદ્ધિ કરવા માટે મોટાં જોખમો માથે લઈ લીધાં. આવા સમયે બજારમાં સેન્ટિમેન્ટ બદલાયું બજારમાં માનસિકતા બદલાઈ અને વિદેશી રોકાણકારોએ એશિયન દેશોમાં કરેલું રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી. તેને પગલે બજારોમાં વિશ્વાસનો અભાવ સર્જાયો. એશિયન દેશોમાં મોટા પાયે મેક્રોઇકોનોમિક સમસ્યાઓ સર્જાઈ, જેને આજે લોકો 1997ની એશિયન આર્થિક કટોકટી તરીકે ઓળખે છે. આ કટોકટી મુખ્યત્વે થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, મલયેશિયા, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં સર્જાઇ હતી. આ દેશોમાં સ્થાનિક ચલણનું ઝડપથી અવમૂલ્યન થયું હતું અને વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચી લેતાં સમગ્ર અર્થતંત્રમાં નિરાશાવાદ છવાઈ ગયો હતો.

૧૯૯૭થી ૨૦૦૦ની સાલના પ્રારંભિક ગાળા સુધી લોકોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘણું રોકાણ કર્યું અને કદાચ એ જ કારણસર આ ગાળામાં રિયલ એસ્ટેટના ભાવ ઉંચકાયા હતા.

90ના દશકામાં ઇન્ટરનેટ ક્રાંતિને કારણે એના ઉપયોગ પર આધારિત કંપનીઓની સંખ્યામાં પ્રચંડ વધારો થયો. આ ઇન્ટરનેટ સંબંધિત કંપનીઓના શેરોમાં મોટાપાયે સટ્ટો ખેલાયો હતો. આખરે પરપોટો ફૂટ્યો ત્યારે શેરબજારમાં કડાકો બોલાયો. વર્ષ ૨૦૦૦ પછી ૨૦૦૧ની મંદી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો, ૨૦૦૨માં કોર્પોરેટ એકાઉન્ટિંગ કૌભાંડો, ૨૦૦૩માં ઇરાકમાં યુદ્ધ, ૨૦૦૪માં અમેરિકાની વેપાર અને બજેટની પ્રચંડ ખાધ, ૨૦૦૫માં ઓઇલ અને ગેસના અતિશય વધી ગયેલા ભાવ, ૨૦૦૬માં રિયલ એસ્ટેટનો પરપોટો ફૂટવાની ઘટના, ૨૦૦૭માં સબપ્રાઈમ મોર્ગેજ કટોકટી, ૨૦૦૮માં બેન્કિંગ અને ક્રેડિટની ક્રાઇસિસ, ૨૦૦૯માં વૈશ્વિક આર્થિક કટોકટી, 2010માં ગ્રીન ડેટની કટોકટી, ૨૦૧૧માં યુરો ઝોનની કટોકટી, ૨૦૧૨માં અમેરિકાની રાજકોષીય સમસ્યાઓ, ૨૦૧૩માં આર્થિક રાહત પાછી ખેંચી લેવાની ફેડરલ રિઝર્વની જાહેરાત, ૨૦૧૪માં ક્રૂડના ભાવમાં કડાકો, ૨૦૧૫માં ચીની શેરબજારમાં થયેલી વેચવાલી, ૨૦૧૬માં બ્રેક્ઝિટ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીઓ, ૨૦૧૭માં આ સ્ટોક્સમાં અતિશય વૃદ્ધિ અને બિટકોઈન પ્રત્યેની ઘેલછામાં થયેલો વધારો, ૨૦૧૮માં વેપાર યુદ્ધ અને વધેલા વ્યાજદરની સમસ્યા, ૨૦૧૯માં ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશમાં થયેલો ઘટાડો, એમ એક પછી એક કેટલીય સમસ્યાઓ આવતી ગઈ.

આજકાલ ચાલી રહેલી કોરોનાની કટોકટી વિશે તો આપણે રોજેરોજ જાતજાતના અનુભવ કરી રહ્યા છીએ. ઉપરોક્ત વાતો પરથી સ્પષ્ટ થાય છે કે શેરબજારમાં હંમેશાં વિવિધ લાગણીઓની અસર જોવા મળતી હોય છે. ક્યારેય વર્ષો સુધી એકસામટી ચાલતી વૃદ્ધિ કે વર્ષો સુધી એકસામટી મંદી રહેતી નથી. ટૂંકમાં, એમાં ચડ-ઊતરનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. મંદી અને તેજી એ બંને શેરબજારના સિક્કાની બે બાજુઓ છે. આમ ઇતિહાસના આધારે કહી શકાય કે રાત ગમે તેટલી અંધારી હોય બીજા દિવસે સવારનું અજવાળું એ અંધારાને ઉલેચી દેતું હોય છે. શેરબજારને એક વ્યક્તિ ગણીએ, તો કહી શકાય કે ‘મિસ્ટર માર્કેટ’ ગમે તેટલા પડકારો અને ઉતાર-ચડાવને સહન કરી લેવા સક્ષમ છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

મુંબઈની પડોશના ભિવંડી શહેરમાં ગુરુવારથી 15-દિવસનું કડક લોકડાઉન

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી જતાં અને નાગરિકો દ્વારા આરોગ્યના નિયમો ન કરાતા, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી ન લેવાતા 15-દિવસનું કડક લોકડાઉન લાગુ કરવામાં આવનાર છે. આ લોકડાઉન 18 જૂનના ગુરુવારથી શરૂ થશે.

આ જાહેરાત ભિવંડી મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે મિશન બિગિન અગેઈન ઝુંબેશ અંતર્ગત કોરોના-લોકડાઉનને હળવું કર્યું છે, ઘણી છૂટાછાટો જાહેર કરી છે, પણ ભિવંડી શહેરમાં એ છૂટછાટોનું પદ્ધતિસર પાલન કરવામાં આવ્યું નથી પરિણામે કોરોના વાઈરસનો ફેલાવો વધ્યો છે અને દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.

આને કારણે ભિવંડી શહેર 18 જૂનથી 3 જુલાઈ સુધી સંપૂર્ણપણે બંધ રખાશે.

ભિવંડીનાં મહિલા મેયર પ્રતિભા પાટીલે મહાનગરપાલિકાની સર્વસાધારણ સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે કોરોનાની ચેન તોડવા માટે શહેરમાં 15-દિવસનું કડક લોકડાઉન લાગુ કરવું જોઈએ. એ પ્રસ્તાવને તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો. બાદમાં મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ આષ્ટિકરે પણ એ માટે પરવાનગી આપી દીધી છે.

આ સાથે જ, ગુરુવારથી શહેરમાં તમામ રસ્તાઓ પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. માત્ર મેડિકલ, દૂધ, કરિયાણાની દુકાનો જેવી આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવા દેવામાં આવશે. આ દુકાનો માટે પણ ચોક્કસ કલાકો નક્કી કરવામાં આવ્યા છે, જે પ્રમાણે દુકાનો ખોલવાની રહેશે અને બંધ કરી દેવાની રહેશે.

ભિવંડીમાં મંગળવાર રાત સુધીમાં કોરોનાના 650 દર્દીઓની નોંધણી થઈ હતી અને અત્યાર સુધીમાં 30 જણના મૃત્યુ થયા છે.

કોરોના સંકટઃ સરકારી અમલદારોને તાલીમ માટે વિદેશમાં મોકલવાનું બંધ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળાને કારણે સરકાર દ્વારા લેવામાં આવેલાં સલામતીનાં પગલાં અને ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન સરકારી અમલદારોને તાલીમ-પ્રશિક્ષણ માટે વિદેશમાં મોકલવામાં નહીં આવે. કર્મચારીઓ અને તાલીમ વિભાગ, સંબંધિત મંત્રાલયોના કેડર નિયંત્રક અને કેન્દ્રીય તાલીમ સંસ્થાના પૂર્ણ તાલીમ કાર્યક્રમ હેઠળ વિદેશમાં તાલીમનું આયોજન કરવામાં આવે છે.

મંત્રાલયે નિર્ણય લીધો

મંત્રાલયે હાલમાં જ એક આદેશમાં કહ્યું હતું કે કોવિડ-19 વૈશ્વિક રોગચાળાનાં કારણોસર અને સુરક્ષા પગલાં તથા ખર્ચમાં કાપ કરવાને ધ્યાનમાં રાખતાં બધી કેડર નિયંત્રણ સત્તાવાળા અને કેન્દ્રીય તાલીમ સંસ્થાને સૂચિત કરવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન વિદેશમાં કોઈ તાલીમ શિક્ષણ નહીં યોજાય. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો અસાધારણ પરિસ્થિતિઓમાં કોઈ વિદેશી તાલીમ કરાવવી જરૂરી લાગશે તો પહેલાં DoPT પાસેથી મંજૂરી લેવી પડશે.

બજેટમાં રૂ. 243.45 કરોડની ફાળવણી

નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા નાણાં વર્ષ 2020-21ના બજેટ અનુસાર પર્સોનેલ મંત્રાલયના કર્મચારીઓને સ્થાનિક અને વિદેશી તાલીમ તથા આવશ્યક પાયાના માળખા માટે નાણાં વર્ષમાં કુલ રૂ. 238.45 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: પોલીસે 9 જણના નિવેદનો નોંધ્યા

મુંબઈ:  સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસે અત્યાર સુધી 9 જણના નિવેદનો નોંધ્યા છે. બોલીવૂડ એક્ટર સુશાંત સિંહના ઘરમાં સાથે રહેનાર સિદ્ધાર્થ પીઠાણી (ક્રિએટિવ મેનેજર), દીપેશ સાવંત (ઘરની દેખરેખ કરનાર અને સામાન લાવનાર-રસોઇયો) અને સુશાંતના રૂમની ચાવી બનાવનારનું નિવેદન લેવામાં આવ્યું છે.

 

ગયા મંગળવારે પોલીસ સુશાંતના પિતા કૃષ્ણકુમાર સિંહ અને બે બહેનનાં નિવેદન પણ લીધા હતા. મુંબઇમાં રહેતી બહેનનું નિવેદન હજુ અધૂરું છે, જ્યારે મિત્ર મહેશ શેટ્ટીનું નિવેદન લેવામાં આવ્યું છે. સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિને પોલીસ ટૂંક સમયમાં જ બોલાવે એવી ધારણા છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધને બોલીવુડને બે ભાગમાં વહેંચી નાંખ્યું છે. એક જૂથ પર એવો આરોપ છે કે એણે એક એવું ગ્રુપ બનાવી રાખ્યું છે જેમાં માત્ર એમના માનીતા અને નિકટના લોકો જ લાભ મેળવી શકતા હતા, બહારના લોકો નહીં.

સુશાંત સિંહના પિતરાઈ ભાઇ અને પૂર્વ ધારાસભ્ય નીરજ બબલૂએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહે 10 વર્ષમાં જે સફળતા મેળવી તેનાથી બોલીવુડના ઘણા લોકોને ઈર્ષા થતી હતી. બબલૂએ કહ્યું છે કે પોતે સમય આવ્યે એવા લોકોના નામ જાહેર કરશે. એમણે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે કે સુશાંતના મોતની ઘટનામાં વિસ્તારથી તપાસ કરવામાં આવે, જેનો સરકારે સ્વીકાર પણ કરી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતે ગયા રવિવારે મુંબઇમાં બાન્દ્રા સ્થિત એના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ બાદ પોલીસનું માનવું છે.

દાયકાઓ જૂનો ભારત-ચીન સીમાઝઘડો હજીય ચાલુ…

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સોમવાર 15 જૂનની રાત્રે ભારતીય સેનાના જવાનો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યો. ભારત અને ચીન વચ્ચે સરહદ પર હાલ પરિસ્થિતિ તંગ છે. બંને પડોશી દેશ વચ્ચેનો સીમા વિવાદ આજકાલનો નહીં, પણ દાયકાઓ જૂનો છે, જે હાલ વધારે તાણ અને નાજુક સ્થિતિમાં આવી ગયો છે.

લાંબા સમયથી વિવાદ

બંને દેશ વચ્ચે 3500 કિલોમીટરની સરહદને લઈને 1962માં લોહિયાળ યુદ્ધ થયું હતું, તે છતાં આ સીમા વિવાદનો ઉકેલ હજી સુધી નથી આવી શક્યો. દુર્ગમ વિસ્તાર, કાચા-પાકા સર્વેક્ષણ અને બ્રિટિશ સામ્રાજ્યવાદી નકશાએ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. માનવવસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બે સૌથી દેશ અને બે આર્થિક મહાશક્તિ વચ્ચે સીમા પરનો તણાવ વિશ્વ આખા માટે ચિંતાનું કારણ બન્યો છે.

અકસાઇ ચીન

કારાકાશ નદી પર સમુદ્ર તળથી 14,000-22,000 ફૂટ ઊંચા પર મોજૂદ અકસાઈ ચીનનો મોટો હિસ્સો વેરાન છે. 32000 વર્ગ મીટરમાં ફેલાયેલો આ વિસ્તાર વેપારનો રસ્તો હતો અને એને કારણે એનું ઘણું મહત્ત્વ હતું. ભારતનું કહેવું છે કે ચીને જમ્મુ-કાશ્મીરના અકસાઈ ચીનમાં 38,000 કિલોમીટર જમીન પર કબજો કરી રાખ્યો છે.

અરુણાચલ પ્રદેશ

ચીન દાવો કરે છે કે મેકમેહોન રેખા દ્વારા ભારતે અરુણાચલ પ્રદેશમાં એની 90,000 વર્ગ કિલોમીટર જમાન દબાવી લીધી છે. ભારત એને પોતાનો હિસ્સો ગણાવે છે. હિમાલયી ક્ષેત્રમાં સીમા વિવાદને ઉકેલવા માટે 1914માં ભારત- તિબેટ-શિમલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

બ્રિટને ભારત અને તિબેટ વચ્ચે સીમાની વહેંચણી કરી

એ વખતના બ્રિટિશ શાસને મેકમેહોન રેખા બનાવી હતી, જેનાથી બ્રિટિશ ભારત અને તિબેટની વચ્ચે સરહદની વહેંચણી થઈ હતી. ચીનના પ્રતિનિધિ એ શિમલા સંમેલનમાં હાજર હતા, પણ તેમણે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો કે એને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે તિબેટ ચીની શાસન અંતર્ગત છે, એટલે એણે અન્ય દેશની સાથે સમજૂતી કરવાનો હક નથી.

આંતરરાષ્ટ્રીય સીમા

1947માં સ્વતંત્રતા મળ્યા પછી ભારતે મેકમેહોન રેખાને સત્તાવાર સીમા રેખાનો દરજ્જો આપી દીધો. જોકે 1950માં તિબેટ પર ચીની નિયંત્રણ પછી ભારત અને ચીનની વચ્ચે એક ભાગીદારીવાળી સીમા બનાવવામાં આવી હતી, જો કે એના પર કોઈ સમાધાન થયું નથી. ચીન મેકમેહોન રેખાને ગેરકાયદેસર અને પારંપરિક માને છે, જ્યારે ભારત એને આંતરરાષ્ટ્રીય સીમાનો દરજ્જો આપે છે.

સમજૂતી

1947માં ભારતની સ્વતંત્રતા પછી 1954માં ભારત અને ચીન વચ્ચે તિબેટ વિસ્તારમાં વેપાર અને લોકોની અવરજવર માટે સમજૂતી થઈ હતી. એ સમજૂતી પછી ભારતે માન્યું કે હવે સીમા વિવાદનું કોઈ મહત્ત્વ નથી રહ્યું અને ચીને ઐતિહાસિક સ્થિતિનો સ્વીકાર કરી લીધો છે.

ચીનનું વલણ

બીજી બાજુ ચીનનું કહેવું છે કે સરહદીય મુદ્દા પર ભારત સાથે કોઈ સમજૂતી નથી થઈ અને તિબેટમાં ચીનની સત્તાને ભારત માન્યતા આપે. આ ઉપરાંત ચીનનું એમ પણ કહેવું છે કે મેકમેહોન રેખાને લઈને ચીનની અસહમતી હજી પણ કાયમ છે.

સિક્કિમ

તિબેટના મામલે 1962માં બંને દેશોની વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. મહિના સુધી ચાલેલી એ લડાઈમાં ચીનની સેના ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવી હતી. ત્યાર બાદ ચીની સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાછી ફરી હતી. ત્યાંથી ભૂટાનની પણ સીમા લાગે છે. સિક્કિમનો એ છેલ્લો વિસ્તાર છે જ્યાં સુધી ભારતની પહોંચ છે. તે ઉપરાંત ત્યાંના કેટલાક વિસ્તારો ઉપર ભૂટાન પણ દાવો કરે છે અને ભારત એ દાવાનું સમર્થ કરે છે.

માનસરોવર

માનસરોવર હિન્દુઓનું મહત્ત્વનું તીર્થસ્થળ છે, જેની યાત્રા પર દર વર્ષે કેટલાક લોકો જાય છે. ભારત ચીનના સંબંધોની અસર આ તીર્થયાત્રા ઉપર પણ છે. સીમાવિવાદને કારણે ચીને માનસરોવર માટેના શ્રદ્ધાળુઓને ત્યાં પૂર્વના રસ્તેથી જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વાટાઘાટથી નિવેડો લાવવાના પ્રયત્નો

ભારત અને ચીનની વચ્ચે છેલ્લા 40 વર્ષોમાં આ વિવાદને વાતચીતથી ઉકેલવાના અનેક પ્રયાસો થયા છે. જોકે આ પ્રયત્નોનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું અને વાટાઘાટના 19 રાઉન્ડ પછી પણ માત્ર આશા જ વ્યક્ત કરવામાં આવે છે કે કોઈક સમાધાન જરૂર સધાશે.

ચીન સાથે ઘર્ષણઃ 19 જૂને મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ચીન સાથેની સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના ગલવાન ખીણવિસ્તારમાં ગયા સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ ઘર્ષણ અને એમાં ભારતના જવાનો શહીદ થયા એને કારણે દેશભરમાં રોષ ફેલાયો છે તથા વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી છે ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તે બેઠક વર્ચુઅલ હશે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન નિયમો લાગુ હોવાને કારણે આ સર્વપક્ષીય બેઠક ઓનલાઈન યોજવામાં આવશે.

વડા પ્રધાન કાર્યાલય તરફથી આજે એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારતીય દળો તથા ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ સંબંધિત મુદ્દાઓ પર 19 જૂને સાંજે પાંચ વાગ્યે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તે બેઠકમાં અનેક રાજકીય પક્ષોના પ્રમુખો હાજરી આપશે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એમની સારવાર ચાલી રહી છે. પરંતુ મરણાંક વધી શકે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકોનો આંકડો ડબલ ફીગરમાં છે.

ભારતીય લશ્કરે આ વિશે વધારે વિગત આપવાનો ઈનકાર કર્યો છે.

ગલવાન ખીણપ્રદેશમાં ગયા સોમવારની રાતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી તે લોહિયાળ અથડામણ લગભગ સાત કલાક સુધી ચાલી હતી.

આ છે, શહીદ થયેલા એ 20 જવાનોના નામઃ

ભારતીય જવાનોના મૃતદેહો તથા ઘાયલ સૈનિકોને ગલવાન વેલીમાં હુમલાના સ્થળેથી લદાખમાં લઈ આવવા માટે ભારતીય લશ્કરના હેલિકોપ્ટરોએ અનેક ફેરા કર્યા હતા.

અહેવાલ અનુસાર, તે લડાઈમાં ભારતે 20 જવાનને ગુમાવ્યા છે, જેમાં અમુક ઓફિસરો સામેલ છે.

કહેવાય છે કે 17 જવાન ઘાયલ થયા હતા. ખૂબ ઊંચાઈ પર આવેલી ગલવાન વેલીમાં સબ-ઝીરો તાપમાનની પરિસ્થિતિ વચ્ચે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી.

દરમિયાન, આજે બપોરે, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોએ વર્ચુઅલ મીટિંગમાં 2-મિનિટનું મૌન પાળીને લદાખના ગલવાન ખીણવિસ્તારમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.