
કંગનાએ મહાપાલિકાએ તોડેલી ઓફિસની મુલાકાત લીધી…
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક
મુંબઈઃ પીઢ ચરિત્ર અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર આ પ્રતિષ્ઠિત સંસ્થાએ આજે તેના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કર્યા છે.
આ સંસ્થાની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. આ સંસ્થાએ ભારતીય સિનેમાને અનેક જાણીતા કલાકારો આપ્યા છે, જેમ કે, ઓમ પુરી, અનુપમ ખેર, આશુતોષ રાણા, આદિલ હુસેન, પંકજ ત્રિપાઠી વગેરે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે NSDના ચેરમેન તરીકે પરેશ રાવલને નિયુક્ત કર્યા છે.
NSD સંસ્થાએ એના ટ્વીટમાં લખ્યું છે કે પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ સંસ્થા સફળતાની નવી ઊંચાઈ હાંસલ કરશે.
આ હોદ્દા પર પરેશ રાવલ જાણીતા રંગભૂમિ અદાકાર અર્જૂન દેવ ચરણના અનુગામી બન્યા છે.
અમદાવાદ (ઈસ્ટ) બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાણીતા સમર્થક પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વખતથી સંકળાયેલા છે. તેમણે પોતાની અભિનયની કારકિર્દી 80ના દાયકામાં શરૂ કરી હતી. એમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ બજાવી છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.
બોલીવૂડમાં તેઓ વિલન અને કોમેડી ભૂમિકાઓમાં વધારે જોવા મળ્યા છે.
રાવલને 2014માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એમણે 1994માં ‘વોહ છોકરી’ અને ‘સર’ ફિલ્મોમાં કરેલા અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.
પરેશ રાવલના અભિનયવાળી જાણીતી ફિલ્મો છેઃ ‘નામ’, ‘શિવા’, ‘તમન્ના’, ‘ઐતરાઝ’, ‘ઓયે લકી! લકી ઓયે!’, ‘ઓ માય ગોડ’, ‘ટેબલ નંબર 21’.
કોમેડી ભૂમિકાઓ માટે એમની જે ફિલ્મો દર્શકોને પસંદ પડી છે એમના નામ છેઃ ‘અંદાઝ અપના અપના’, ‘ચાચી 420’, ‘હેરા ફેરી’, ‘આંખે’, ‘આવારા પાગલ દીવાના’, ‘હંગામા’, ‘હલચલ’, ‘ગરમ મસાલા’, ‘ભાગંભાગ’, ‘માલામાલ વીક્લી’, ‘વેલકમ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’ વગેરે.
We are glad to inform " Hon’ble President of India @rashtrapatibhvn has appointed renowned actor & Padma Shri @sirpareshrawal as chairman of @nsd_india."NSD family welcome the legend to shower his guidance to NSD for achieving new heights.@prahladspatel @MinOfCultureGoI
— National School of Drama (@nsd_india) September 10, 2020
રફાલ ફાઇટર જેટની 10 ખાસિયતો…
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે હવાઈ દળની તાકાત વધી છે. ગત્ દિવસોમાં ફ્રાંસથી ભારત આવેલાં પાંચ રફાલ લડાકુ વિમાન આજે સત્તાવાર રીતે હવાઈ દળમાં સામેલ થયાં છે. લાંબી રાજકીય દલીલો અને પ્રક્રિયા પૂરી થયા પછી રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા છે, જે અત્યાધુનિક ટેક્નિકની સાથે હવાઈ દળમાં સામેલ થયાં છે.
આવામાં રફાલ લડાકુ વિમાનોની ખાસિયતો શી છે અને દુશ્મનો એનાથી કેમ ગભરાય છે? જોઈએ એક નજર…
|
રફાલ યુદ્ધવિમાનો હવાઈદળમાં સામેલ; દુશ્મનોને સંરક્ષણપ્રધાનની કડક ચેતવણી
નવી દિલ્હીઃ પાંચ ફાઇટર જેટ રફાલ વિમાનોને આજે ઔપચારિક રીતે ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યા છે. અમ્બાલાસ્થિત એરફોર્સ મથક ખાતે યોજવામાં આવેલા પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે ‘Rafale’ induction ceremonyમાં ફ્રાંસના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લીનું દેશવાસીઓ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે તેમની ઉપસ્થિતિ વર્ષોથી બે દેશો વચ્ચે ચાલ્યા આવતા સંરક્ષણ સહયોગને દર્શાવે છે.
આજે વિશ્વમાં સુરક્ષાની સાથે-સાથે, ઈકોનોમી અને જિયો-સ્ટ્રેટેજિકના મુદ્દા નવાં-નવા રૂપોમાં આપણી સામે આવી રહ્યાં છે. એનો સતત સામનો કરતાં આપણાં બે લોકતંત્ર. એક સ્થાયી, સક્રિય સંબંધ બનાવવામાં અને વધારવામાં સફળ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં એક્સટેન્શન અને આતંકવાદની સામે લડાઈમાં પણ ભારત અને ફ્રાંસ સાથે રહ્યા, એમ તેમણે કહ્યું હતું.
રાજનાથ સિંહે કહ્યું હતું કે સમગ્ર વિશ્વને અમારા સાર્વભૌમત્વ પર ઊઠેલી આંખો માટે એક મોટો અને કડક સંદેશ છે. અમારી સરહદો પર જે રીતેનો માહોલ હાલના દિવસોમાં બન્યો છે અથવા સીધું કહું તો બનાવવામાં આવ્યો છે. એ દ્રષ્ટિએ આ induction બહુ મહત્ત્વનો છે. આ ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે સરકારના કમિટમેન્ટનું એક ઉદાહરણ છે. બદલાતા સમયની સાથે આપણે તૈયાર રહેવું પડશે. જેની તાકાત આજે આપણે જોઈ રહ્યા છીએ. આ વડા પ્રધાનની મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે. અમારો ઉદ્દેશ વિશ્વ શાંતિ માટે રહ્યો છે. અમે એવું ક્યારેય કોઈ પગલું નથી ઉઠાવતા, જેનાથી શાંતિ ભંગ થાય, એમ તેમણે કહ્યું હતું.
રફાલનું સામેલ થવું એક મહત્ત્વનું અને ઐતિહાસિક પળ છે. આ પ્રસંગે હું દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન આપું છું, એમ તેમણે કહ્યું હતું.
ફાઇટર જેટ રફાલ વિમાનોને ઔપચારિક રૂપે ભારતીય હવાઈદળમાં સામેલ કરવામાં આવ્યા એ સમારંભની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સભા કરવામાં આવી હતી. એક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હવાઈદળના જવાનોએ દિલધડક કરતબ દર્શાવ્યા હતા.
રફાલની તાકાત
રફાલ ફાઇટર જેટ 55,000 ફૂટથી હુમલો કરવા સક્ષમ છે, જે પોતાની સાતે ઉડાનમાં 16 ટન બોમ્બ અને મિસાઇલ લઈ શકે છે. રફાલ મલ્ટિ ડિરેક્શનલ રડારથી લેસ છે અને એની નજરથી કોઈ બચી નહીં શકે. રફાલ એકસાથે 40 લક્ષ્યોની દેખરેખ કરવાની કાબેલિયત રાખે છે. રફાલની ઝડપ 2200 કિલોમીટર પ્રતિ કલાક છે. રફાલમાં ત્રણ પ્રકારની ઘાતક મિસાઇલો લાગેલાં છે. લેઝર ગાઇડેડ બોમ્બની તાકાત છે. રફાલ ઇન્ટિગ્રેટેડ સેલ્ફ પ્રોટેક્શન સિસ્ટમની સાથે ફ્રાંસથી ભારત આવ્યાં છે. દુશ્મનના રડાર જેમ કરવામાં સક્ષમ છે. રફાલમાં લાગેલા કેમેરાનું વજન 1000 કિલોગ્રામ છે. રફાલ પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે.
ફરી એક વારઃ BSE સ્ટાર MF પર ઓગસ્ટમાં નેટ ઈક્વિટી ઈન્ફ્લો પોઝિટિવ રહ્યો
મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર પોઝિટિવ નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે. ઉદ્યોગના કુલ ઈન્ફ્લોમાં રૂ.4000 કરોડનો ઘટાડો ઓગસ્ટમાં નોંધાયો છે ત્યારે બજારમાં અતિ મોટી વધઘટ છતાં રોકાણકારોનો BSE સ્ટાર MF પરનો વિશ્વાસ વધ્યો છે, એનું પ્રતિબિંબ એમાં પડે છે કે BSE સ્ટાર MF પર ઓગસ્ટમાં રૂ.667 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણની આવક રહી છે.
BSE સ્ટાર MF ઓગસ્ટ, 2020માં જ સૌથી વધુ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. એ પૂર્વે 10 ઓગસ્ટે 11.40 લાખ અને 13 એપ્રિલ, 2020ના રોજ 11.58 લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવાના રેકોર્ડ આ પ્લેટફોર્મ ધરાવે છે.
રાષ્ટ્રવ્યાપી મહામારી અને સતત લંબાઈ રહેલા લોકડાઉન વચ્ચે પણ BSE સ્ટાર MFએ AMCs, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળપણે પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 20-21માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 3.28 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 19-20ના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સના 57 ટકા છે.
ઓગસ્ટ, 2020માં આ પ્લેટફોર્મ પરનું ટર્નઓવર ઓગસ્ટ 2019ના રૂ.14,714 કરોડથી 71 ટકા વધીને રૂ.25,128 કરોડ થયું છે.
‘શિવસેના સોનિયાસેના બની ગઈ છે’; કંગના સામે પોલીસમાં ફરિયાદ
મુંબઈઃ આક્રમક મિજાજવાળી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે એની વિરુદ્ધ ખૂન્નસ કાઢનાર મહારાષ્ટ્રની શાસક શિવસેના પાર્ટી વિરુદ્ધ આકરાં નિવેદનો કરવાનું આજે પણ ચાલુ રાખ્યું છે. એક ટ્વીટમાં એણે લખ્યું છે કે, ‘શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના આદર્શવાદને વેચી દીધો છે અને હવે તે શિવસેનામાંથી ‘સોનિયા સેના’ બની ગઈ છે.’
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના સ્થાપક પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરે એમના રાજકીય જીવન દરમિયાન કોંગ્રેસ પાર્ટીનાં સખત ટીકાકાર રહ્યા હતા, પણ એમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી નામે સંયુક્ત સરકાર રચી છે.
કંગનાએ એનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ – ‘ટીમ કંગના’ પરથી કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘બાળાસાહેબ ઠાકરેએ જે આદર્શવાદ પર શિવસેનાનું ઘડતર કર્યું હતું, તેને આજે લોકોએ સત્તા માટે વેચી દીધું છે. હવે પાર્ટી શિવસેનામાંથી સોનિયા સેના બની ગઈ છે. જે ગૂંડાઓએ મારી ગેરહાજરીમાં મારાં ઘરમાં તોડફોડ કરી એમને સિવિક બોડી ન કહો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરો.’
કંગનાએ આ કમેન્ટ એક લેખના જવાબમાં કરી છે. તે લેખ મુંબઈ હાઈકોર્ટની સુનાવણી વિશેનો હતો. તે સુનાવણીમાં હાઈકોર્ટે કંગનાનાં મુંબઈસ્થિત નિવાસસ્થાનમાંની ઓફિસમાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા ગઈ કાલે કરવામાં આવેલી તોડકામની કાર્યવાહી સામે કંગનાનાં વકીલે નોંધાવેલી અરજી પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.
બીએમસીનો દાવો છે કે બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના પાલી હિલ વિસ્તારમાં આવેલી કંગનાની ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેથી એને તોડી પાડવામાં આવ્યું છે.
કંગના એ સમયે મુંબઈ આવવા માટે ચંડીગઢથી વિમાનમાં બેઠી હતી.
હાઈકોર્ટે ગઈ કાલની સુનાવણીમાં એવી ટકોર કરી હતી કે મહાનગરપાલિકાનું પગલું ઉચિત જણાતું નથી અને એમાં બદઈરાદાની ગંધ આવે છે. એમ કહીને કોર્ટે તોડકામની કાર્યવાહીને અટકાવી દીધી હતી અને કંગનાની પીટિશન પર જવાબ આપવાનો મહાપાલિકાને આદેશ આપ્યો હતો. સુનાવણી મોકૂફ રાખી હતી.
કંગના સામે કોર્ટમાં કેસ
દરમિયાન, કંગનાએ ગઈ કાલે મુંબઈ પાછી ફર્યાં બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું એ બદલ એની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વિક્રોલી ઉપનગરના પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે કંગનાએ એમ કહીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બદનામ કર્યા છે કે એમને બોલીવૂડના માફિયા સાથે સંપર્ક છે.
પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીતિન માને નામના એક એડવોકેટે નોંધાવી છે.
કંગનાએ ગઈ કાલે એનાં વિડિયો નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેને તૂંકારે બોલાવીને એમ કહ્યું હતું કે,
કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત બીજા નંબરે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યાને મામલે અમેરિકા પછી ભારત બીજા નંબરે છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1172 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 44,65,863 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 75,062 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 34,71,783 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,19,018 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.
પાંચ કરોડથી વધુ લોકોનાં ટેસ્ટ
ICMRના જણાવ્યા મુજબ નવમી સપ્ટેમ્બર સુધી કોરોના વાઇરસના કુલ 5.29 કરોડ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 11 લાખ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવિટી રેટ સાત ટકાથી ઓછો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

NCBએ મને નિવેદન આપવા મજબૂર કરીઃ રિયા ચક્રવર્તી
મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે તેની ધરપકડ દરમ્યાન તેને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સના મામલે રિયાની ધરપકડના એક દિવસ પછી સ્પેશિયલ કોર્ટ આજે તેની અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સુનાવણી કરશે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રિયાને મંગળવારે NCBએ ધરપકડ કરી છે. રિયાએ મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા પછી સ્પેશિયલ કોર્ટનાં દ્વાર ખટખટાવવાનો નિર્ણય કર્યો છે.
તાજી અરજી તેના વકીલ સતીશ માનશિંદે દ્વારા દાખલ કરવામાં આવી છે. રિયાએ દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો નથી કર્યો અને તેને આ મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવી છે, એમ તેણે અરજીમાં કહ્યું છે. તેણે 20 પાનાંની અરજીમાં એ પણ દાવો કર્યો છે કે તેની પાસેથી કોઈ પણ ડ્રગ અથવા સાઇકોટ્રોપિક પદાર્થ જપ્ત નથી કરવામાં આવ્યો. આ સિવાય ઓછી માત્રામાં ડ્રગ્સ સંબંધિત મામલામાં જામીન મળવાની જોગવાઈનો ઉલ્લેખ પણ કર્યો છે અને તેણે કોઈ મોટો ગુનો કર્યો નથી. તેના ગુના સામે જામીન મળી શકે એમ છે.
કોઈ મહિલા અધિકારી હાજર નહીં
રિયાએ તેની જામીન અરજીમાં દાવો કર્યો છે કે તેની ધરપકડ દરમ્યાન તેને બળજબરીપૂર્વક નિવેદન આપવા મજબૂર કરવામાં આવી હતી. NCB ઓફિસમાં છ, સાત અને આઠ સપ્ટેમ્બર, 2020એ પૂછપરછ કરવામાં આવી હતી. રિયાની આ ઊલટ તપાસ દરમ્યાન એક પણ મહિલા અધિકારી હાજર નહોતી, જે કાયદા અનુસાર તેની તપાસ કરી શકે. શીલા બર્સે વિરુદ્ધ મહારાષ્ટ્રના કેસમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે મહિલાઓની પૂછપરછ માત્ર એક મહિલા પોલીસ અધિકારી-કોન્સ્ટેબલની હાજરીમા કરવામાં આવવી જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સ્પેશિયલ કોર્ટ જામીન અરજીની સુનાવણી કરશે
રિયાની ત્રણ દિવસની પૂછપરછ દરમ્યાન NCBએ ધરપકડ કરી હતી. તેની ધરપકડ પછી રિયાને એક સ્થાનિક કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. રિયાએ NCBની ઓફિસમાં એક રાત ગાળ્યા પછી ગઈ કાલે મુંબઈની ભાયખલ્લાની જેલમાં મોકલવામાં આવી હતી.





















