Home Blog Page 4659

મુંબઈમાં હૃદયદ્રાવક ઘટનાઃ માતા બાદ પોલીસજવાન દીકરાનું પણ કોરોનાથી મૃત્યુ થયું

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ અત્યાર સુધીમાં અનેક જણનો ભોગ લીધો છે, પરંતુ મુંબઈમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં, એક માતા અને એના પોલીસજવાન દીકરાનું આ રોગચાળાને કારણે મૃત્યુ થયું છે.

કોરોનાને કારણે માતાનું મૃત્યુ નિપજ્યા બાદ સશસ્ત્ર પોલીસ દળમાં કાર્યરત એમના દીકરાનું પણ આ જ બીમારીને કારણે મૃત્યુ થતાં શહેરના પોલીસ દળમાં શોક વ્યાપી ગયો છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે ત્રણ પોલીસ જવાને જાન ગુમાવ્યો છે. રાજ્યના પોલીસ દળમાં આ રોગથી થયેલા મૃત્યુનો આંકડો વધીને 184 થયો છે.

એક જ દિવસમાં 500થી વધારે પોલીસકર્મી કોરોનાનો ચેપ લાગ્યો હોય એવું ગયા એક મહિના દરમિયાન બે વાર બન્યું છે.

મૃત્યુ પામેલા પોલીસ જવાનનું નામ છે વિકાસ કૃષ્ણા કાંબળે (53). એ વરલી વિસ્તારમાં ફરજ બજાવતા હતા. એમને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તકલીફ હતી. એમની ઉંમર અને બીમારી જોઈને એમને ફરજ પર હાજર થવામાંથી રાહત આપવામાં આવી હતી.

ગઈ 24 ઓગસ્ટે એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એ વખતે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સસ્થિત કોવિડ કેર સેન્ટરમાં એમની સારવાર ચાલુ હતી. ગયા બુધવારે મધરાત બાદ બે વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એ ખૂબ જ કાર્યક્ષમ પોલીસ જવાન હતા.

કમનસીબે, મૃત્યુ થયાના અમુક જ દિવસો પહેલાં એમના માતાનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.

વિકાસ કાંબળેના પરિવારમાં એમના પત્ની અને એક ભાઈ છે. એમના પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તાબડતોબ એમને સારવાર અપાઈ ગયા બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મુંબઈમાં છેલ્લા પાંચ મહિનાથી વધારે સમયમાં કોરોનાથી સંક્રમિત થયેલા પોલીસકર્મીઓનો આંકડો 5,000 પર પહોંચ્યો છે. 72 પોલીસ જવાનનું કોરોનાથી મૃત્યુ થયું છે. મુંબઈ ઉપરાંત પડોશના થાણે શહેરમાં પણ પોલીસોને કોરોનાનો ચેપ લાગ્યાના અનેક કિસ્સા બન્યા છે.

આયુર્વેદિક કારણોસર હું દરરોજ ગૌમૂત્રનું સેવન કરું છું: અક્ષયકુમાર

મુંબઈઃ બોલિવુડ એક્ટર અક્ષયકુમારે જણાવ્યું છે કે તે આયુર્વેદિક કારણોસર દરરોજ ગૌમૂત્ર પીએ છે. અક્ષય આજકાલ સ્કોટલેન્ડમાં આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ માટે હુમા કુરેશી અને લારા દત્તા-ભૂપતિની સાથે શૂટિંગ કરી રહ્યો છે. અક્ષયે હાલમાં જ બ્રિટિશ એડવેન્ચર અને હોસ્ટ બેર ગ્રિલ્સની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ભાગ લીધો હતો. આ સેશનમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે. તેણે આ સેશનમાં તેની સાથે જંગલ એડવેન્ચર કરવાની વાત પણ કહી હતી.

હુમા કુરેશીએ અક્ષયકુમારને પૂછ્યું કે બેર ગ્રિલ્સે તેને હાથીના મળથી બનેલી ચા પીવા માટે કેવી રીતે મનાવ્યો. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે હું જયાર ચિંતિત નહોતો, હું ઘણો ઉત્સાહમાં હતો. હું આયુર્વેદિક કારણોને લીધે દરરોજ ગૌમૂત્રનું સેવન કરું છું તો મારા માટે આમ કરવું મુશ્કેલ નહોતું. અક્ષયની વાત સાંભળીને બેર ગ્રિલ્સે કહ્યું હતું કે તમે જ છો, જે ગૌમૂત્ર પીવાની બાબતને સરળ કહી રહ્યા છો. તેણે એ પણ કહ્યું હતું કે જ્યારે લોકો મશહૂર થઈ જાય છે, તો એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કામ કરવાનું બંધ કરી દે છે, કેમ કે તેમને નબળા પડી જવાનો ડર હોય છે, પરંતુ અક્ષયકુમાર કોઈ પણ બાબત માટે તૈયાર હતો.

અક્ષયકુમાર બ્રિટિશ એડવેન્ચર અને હોસ્ટ ગ્રિલ્સની સાથે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં એક વાઇલ્ડ એડવેન્ચર પર ગયો હતો, જેમાં “Into the Wild with Bear Grylls” ના એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેનું પ્રીમિયર 11 સપ્ટેમ્બરે (આજે) ડિસ્કવરી પ્લસ પર બતાવવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ગ્રિલ્સે કહ્યું હતું કે તેઓ અક્ષયને વ્યક્તિગતરૂપે નથી જાણતા પરંતુ તેને મળ્યા પછી તેમણે અનુભવ્યું કે અક્ષયકુમાર જરાય અહંકારથી પીડિત નથી અને ખુશમિજાજી વ્યક્તિ છે.

કંગનાને ‘હરામખોર’ કહેનાર સંજય રાઉતથી રાષ્ટ્રીય મહિલા પંચ નારાજ

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત માટે અપશબ્દ વાપરવા બદલ રાષ્ટ્રીય મહિલા પંચ (NCW)એ મુંબઈ પોલીસને કહ્યું છે કે તે શિવસેનાના નેતા સંજય રાઉત સામે ‘સુઓ મોટો’ (કોઈની ફરિયાદ વગર સ્વયં રીતે) પગલું ભરે.

કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બદનામ કર્યા એવા આક્ષેપ સાથે એની સામે મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ NCWનાં અધ્યક્ષા રેખા શર્માએ એક ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય એમ જણાવ્યું છે કે જો ખરાબ ભાષા વાપરવા બદલ કંગના સામે મુંબઈ પોલીસ ફરિયાદ કરી શકે છે તો એણે કંગના માટે અપશબ્દ ઉચ્ચારવા બદલ સંજય રાઉત સામે સુઓ મોટો પગલું ભરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કંગનાએ અમુક દિવસો પહેલાં મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે કર્યા બાદ સંજય રાઉતે કંગનાને ‘હરામખોર’ કહી હતી. રેખા શર્માએ મુંબઈના પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેઓ આ બાબતમાં ધ્યાન આપે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. રેખા શર્માએ આ માટે એમનાં ટ્વીટમાં મુંબઈના પોલીસ કમિશનરને ટેગ કર્યાં છે.

મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં, કંગનાનાં નિવાસસ્થાનમાં એણે બનાવેલી ઓફિસ ગેરકાયદેસર છે એવું કહીને શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ તે ઓફિસમાં તોડકામની કાર્યવાહી હાથ ધરી હતી.  કંગનાએ મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરવાના સ્ત્રીના દ્રઢ નિશ્ચયના પ્રતિક તરીકે એ જ તોડફોડ થયેલી હાલતવાળી ઓફિસમાં કામકાજ શરૂ કર્યું છે.

એણે કહ્યું કે મેં આ વર્ષની 15 જાન્યુઆરીએ મારી ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કોરોના વાઈરસ ફેલાતાં બીજા ઘણાય લોકોની સાથે હું પણ ત્યાં વધુ કામ કરી શકી નથી. હવે જ્યારે મહાપાલિકાએ ત્યાં તોડકામની કાર્યવાહી કરી છે ત્યારે ઓફિસને રીનોવેટ કરવાના મારી પાસે પૈસા નથી. તેથી હું તોડફોડ થયેલી હાલતવાળી ઓફિસમાં કામકાજ શરૂ કરીશ અને મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરવાનો સ્ત્રીનો દ્રઢ નિશ્ચય કેવો હોય છે એ હું બતાવી દઈશ.

વતન મનાલીથી મુંબઈ પાછી ફર્યાં બાદ કંગનાએ એક વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું જેમાં એણે ઉદ્ધવ ઠાકરેને તૂંકારે બોલાવીને એમ કહ્યું હતું કે, ‘ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ? કે તેં ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખજે.. બધું હંમેશાં એક સરખું રહેતું નથી. અને મને લાગે છે કે તેં મારી પર મોટો ઉપકાર કર્યો છે… મને એ તો ખબર હતી કે કશ્મીર પંડિતો પર કેવું વીત્યું હશે, આજે મેં મહેસુસ કર્યું છે. અને આજે હું આ દેશને વચન આપું છું કે હું માત્ર અયોધ્યા વિષય પર જ નહીં, પણ કશ્મીર વિશે પણ ફિલ્મ બનાવીશ.. હું દેશવાસીઓને જાગૃત કરીશ. મને હતું જ કે આવું કંઈક થશે તો ખરું… પરંતુ મારી સાથે એ થયું છે એની પાછળ કોઈક મતલબ છે, હેતુ છે… ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આતંક છે, એ મારી સાથે થયું એ સારું થયું… કારણ કે એનો કોઈક હેતુ છે.’

કોરોનાના નવા 96,551 નવા કેસઃ કોરોના વાઇરસથી મગજને નુકસાન

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 96,551 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1209 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 45,62,415 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 76,271 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 35,42,663 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,43,480 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

કોરોના વાઇરસથી મગજને નુકસાન

કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક દર્દીઓને હાલમાં માથાનો દુખાવો, ભ્રમમાં રહેવાનો અનુભવ સામે આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વાઇરસથી વ્યક્તિના મગજ પર પ્રતિકૂળ અસર પડી શકે છે, એમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસથી મગજમાં રહેલા ઓક્સિજન બ્રેન સેલ પર અસર પડી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ભારત-ચીનના વિદેશપ્રધાનો તણાવ ઓછો કરવા પાંચ મુદ્દા પર સહમત

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે જારી રહેલા તનાવની વચ્ચે બંને દેશોના વિદેશપ્રધાનોની વચ્ચે થયેલી વાતચીત પછી LAC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર ટેન્શન ઓછું કરવા માટે પાંચ મુદ્દાઓ પર સહમતી બની છે. ભારતે ચીનને કહ્યું હતું કે ચીની સેનાની ઉશ્કેરણીપૂર્વકની કાર્યવાહી દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન દર્શાવે છે. વિદેશપ્રધાન એસ જયશંકર અને ચીની વિદેશપ્રધાન વાંગ ચીની વચ્ચે ગઈ કાલે મોસ્કોમાં બે કલાક લાંબી ચાલેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી બંને દેશો સીમા વિવાદ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશોની વચ્ચે પાંચ સૂત્રીય ફોર્મ્યુલા પર સહમતી બની છે.

ભારત-ચીન વચ્ચે નીતિ પર કોઈ ફેરફાર નહીંમોસ્કોમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત LAC પર જારી તનાવને વધુ વધારવા નથી ઇચ્છતો, વળી ભારતનું માનવું છે કે ચીન માટે ભારતની નીતિમાં અને ભારત પ્રતિ ચીનની નીતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.

ભારત-ચીન વચ્ચે જે પાંચ મુદ્દે સહમતી બની છે, એ નીચે મુજબ છે…

  • આપસી મતભેદોને વિવાદ નહીં બનાવવામાં આવે.
  • બંને દેશોની સેનાઓ વિવાદવાળાં ક્ષેત્રોથી પાછળ હટશે.
  • બંને દેશો વચ્ચે નક્કી કરેલી પદ્ધતિ અનુસાર વાટાઘાટ જારી રાખશે.
  • હાલની સંધિઓ અને પ્રોટોકોલ્સને બંને દેશો અનુસરશે.
  • બંને દેશો એવું કોઈ પગલું નહીં ભરે, જેનાથી ટેન્શન વધે.

 

બંને દેશોના વિદેશપ્રધાનોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે બંનો પક્ષોએ ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા પર બંને દેશોના નેતાઓની વચ્ચે સર્વસંમતિ બનાવવાની ચાલી આવેલી પરંપરાથી માર્ગદર્શન લેવું જોઈએ, જેમાં મતભેદોને વિવાદ ના બનાવવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે  ભારત અને ચીનની કૂટનીતિ અને સૈન્યના વિવિધ સ્તરે એકબીજાના સંપર્કમાં છે અને સમસ્યાના સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. ભારત સીમા સમયસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

 

 

 

Chitralekha Gujarati – September 21, 2020

PDF Version Password for PDF- cg21092020

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦


૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦

ખુશીઓની ચાવી: ભાગ-2   

(બી.કે. શિવાની)

ધારો કે આજે તમે તમારી જાતે બાળકો માટે પીત્ઝા બનાવ્યા, તે પીત્ઝા બાળકો બહુ જ હોંશે-હોંશે ખાઈ રહ્યાં છે. બાળકોને હોંશે-હોંશે પીત્ઝા ખાતા જોઈ, તેમના ચહેરા પરનો આનંદ જોઈને, તમે મનોમન ખુબ ખુશ થાવ છો. પણ તે જ સમયે જો ઓફિસથી તમારા બોસનો ફોન આવે, અને કહે કે આજે તમે જે કામ કર્યું છે તેમાં ઘણી બધી ભૂલો છે, મારું નુકશાન થઈ ગયું. તો આ વાત સાંભળીને તમારી ખુશી જતી રહેશે. આમ જોવા જોઈએ તો ખુશી આપણી પરિસ્થિતિઓ ઉપર આધારિત હોય તેવું થઈ ગયું છે. આપણી ખુશી શા માટે પરિસ્થિતિઓ ઉપર આધારિત હોવી જોઈએ? આજે તો આપણું જીવન બીજા લોકો, તેમના મૂડ અને સ્વભાવ ઉપર આધારિત છે. આપણા મનની સ્થિતિ અન્ય લોકોના સ્વભાવ ઉપર આધારિત છે. જો મારી શારીરિક તંદુરસ્તી પ્રકૃતિના વાતાવરણ ઉપર આધારિત હશે, તો હું કેવી રીતે સ્વસ્થ રહી શકીશ?

આજે (કોવિડ-૧૯ના) વાતાવરણમાં બેક્ટેરિયા-ઇન્ફેક્શન તો પહેલેથી જ છે, પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો બેક્ટેરિયા તમારા ઉપર કોઈ અસર નહીં કરી શકે. પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડશે તો, નાના-નાના વાઇરસ પણ ઋતુ બદલાતા તમારા શરીર ઉપર આક્રમણ કરી દેશે. પણ જો તમે મજબૂત હશો, તો તમારા ઉપર કોઈ પણ ઇન્ફેક્શનનો પ્રભાવ નહીં પડે. જો તમે તમારું ધ્યાન નહીં રાખો અને માત્ર એમ કહેતાં રહેશો કે વાતાવરણ બરાબર નથી, ઠંડી વધારે પડે છે, ગરમી વધી ગઈ છે, તો ખરેખર બીમાર પડી જ જવાશે. તો શું આપણે બીમાર પડવું છે? કે સ્વસ્થ રહેવું છે? તે બંને વિકલ્પ આપણી પોતાની પાસે જ છે.

જેવી રીતે આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ. તેવી રીતે આપણે પોતે પોતાના મનનું ધ્યાન પણ રાખવું જોઈએ. આપણે એમ વિચારીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ આવશે, ત્યારે તે સમયે મનનું ધ્યાન રાખીશ, પણ તે સમયે તો મનનું ધ્યાન રાખવું ઘણું અઘરું બની જશે. જેમ ઋતુ બદલાય તેમ  આપણે આપણા શરીરનું દરરોજ વિશેષ ધ્યાન રાખીએ છીએ. માટે જ બહાર પ્રકૃતિના વાતાવરણમાં થયેલ પરિવર્તનની કોઈ ખાસ અસર આપણા શરીરને થતી નથી. આપણા શરીરની રચના એવી છે કે, બહારના વાતાવરણના પરિવર્તન સાથે તાલમેલ બનાવી શરીરના રોગપ્રતિકારક તંત્રનો નાશ કરી છે, આપણને તેની ખબર સુદ્ધાં પડતી નથી અને સામાન્ય રીતે આપણે આપણું દૈનિક કાર્ય કરતા રહીએ છીએ. પણ જયારે ઋતુ બદલાય છે ત્યારે આપણે આપણા શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, અને તે સમયે શરીરમાં શક્તિ-તાકાત ભરી શરીરને તૈયાર કરવું જરૂરી છે. કે જો બહારથી ઇન્ફેક્શન આવે તો તેનો સામનો કરી શકીએ.

જે રીતે શરીરનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે જો મનનું ધ્યાન રાખીશું તો નાની-મોટી પરિસ્થિતિઓ જીવનમાં ક્યારે આવીને જતી રહેશે તેનો ખ્યાલ પણ નહિ પડે. ઘણા પ્રકારની બહારથી પરિસ્થિતિઓ આવશે, જેમ કે કોઈએ તમને ખરું-ખોટું કીધું તો કોઈ નારાજ થઈ ગયા. કોઈ આર્થિક નુકશાન થયું. બાળકો તમારાથી સંતુષ્ટ નથી. બોસ તમારાથી રાજી નથી કે વારંવાર તમારા પર ગુસ્સે થઈ જાય છે. પાડોશી ઊંચા અવાજે કઈ કહી ગયા વગેરે.

જેમ ઋતુઓની, હવામાનની, બહારની સ્થિતિઓ સામે શરીરનું રક્ષણ કરવું ઘણું સરળ લાગે છે. એવી જ રીતે જ્યારે આપણે પોતાનું ભાવનાત્મક રક્ષણ કરવાનું શરૂ કરીશું ત્યારે તે પણ આપણને સહેલું અને સરળ લાગશે. ત્યારબાદ તમને કોઈ કાંઈ પણ કહે, તો પણ તેનો પ્રભાવ તમારી ઉપર નહીં પડે. તમારું મન હેરાન-પરેશાન નહિ થાય. કોઈએ તમારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તમને અપમાનિત કર્યા, તો પણ તે સમયે આપણે એમ જ વિચારવાનું કે શું હું એટલી નબળો/નબળી છું કે, બીજાના વિચારોનો પ્રભાવ મારી ઉપર પડે કે તેના અયોગ્ય વ્યવહારના કારણે હું શા માટે વારંવાર અપસેટ થઈ જાઉં?

અન્ય વ્યક્તિઓ તમારા માટે કેવી પ્રતિક્રિયા આપશે તે બાબતે સારા ખોટા અનુમાનો આપણે કરીએ છીએ. પરંતુ આપણે પોતાની જાતને અંદરથી જોઈશું તો ખબર પડશે કે, આપણે અચાનક ક્રોધિત કેમ થઈ જઈએ છીએ? આપણી આસપાસના લોકો પણ એમ કહેશે કે, અરે, આને અચાનક શું થઈ ગયું? અત્યાર સુધી તો ખૂબ સારા મૂડમાં હતા. દરેક વ્યક્તિના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. તે વિચારોની પ્રતિક્રિયા અંગે આપણે કંઈ પણ અનુમાન લગાવવું શક્ય નથી.

જેમ ઋતુઓ અંગે આપણને ખબર હોય છે કે, અત્યારે ઉનાળામાં ગરમી જ રહેશે, ત્યારબાદ ચોમાસામાં વરસાદ આવશે. પરંતુ જે દિવસે વાતાવરણ અચાનક બદલાઈ જાય, અત્યારે ગરમી છે. અડધા કલાક પછી અચાનક વરસાદ આવવા માટે અને અડધા કલાક પછી ખૂબ ઠંડી લાગવા માંડે. તો શું આપણે ઝડપથી આપણી સુરક્ષાની વ્યવસ્થા કરી શકીશું? જેવી રીતે વાતાવરણમાં અચાનક ફેરફાર સર્જાતા તે પરિવર્તનનો સામનો કરવા આપણે તૈયાર હોતા નથી. તેવી જ રીતે અન્ય લોકોના આપણી સાથેનો તોછડો કે ખરાબ વ્યવહારનો સામનો કરવા માટે આપણે પહેલેથી તૈયાર હોતા નથી.

અહીં આ બાબત ખાસ અગત્યની છે કે, આપણે પહેલાં આપણું ધ્યાન રાખીએ ત્યારબાદ અન્યનું. દિનપ્રતિ-દિન દરેકના જીવનમાં સમસ્યાઓ વધી રહી છે. આજે વ્યક્તિએ પોતાના મનનો કંટ્રોલ પરિસ્થિતિઓ ઉપર આધારિત બનાવી દીધો છે. વર્તમાન સમયે પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, જેના કારણે દરેકના મનની સ્થિતિ પણ ઝડપથી બદલાઈ રહી છે. આવા સંજોગોમાં આપણે વિચારીએ કે, આત્માની સ્થિતિ કેવી હશે? સમગ્ર દિવસ દરમિયાન મન અનેક સ્થિતિઓમાંથી પસાર થાય છે. લોકોના અજુકતા વ્યવહારને ઝેલે છે, પરિણામે જેટલો બીજાનો અસ્વાભાવિક વ્યવહાર હશે તેટલો જ તમારો પણ અસ્વાભાવિક વ્યવહાર બની જાય છે.

સત્ય વાત એ છે કે, ઘણીવાર આપણને પોતાને પણ ખબર પડતી નથી કે, આપણાં અંતરમનનો જવાબ પણ અસ્વાભાવિક શા માટે બની જાય છે? બાળકોનું જ ઉદાહરણ લઈએ કે – માની લો કે આજે તમારા બાળક સાથે સ્કૂલમાં કોઈ ઘટના બની. બાળકે ઘેર આવીને તમને આ અંગે કશું જણાવ્યું નહિ. પરંતુ તેના મનની અંદર ઘણું મનોમંથન ચાલી રહ્યું છે. અને તે સમયે ધારો કે, તમે બાળકને દરરોજની જેમ કોઈક બાબતે તેને ટોક્યું કે કહ્યું. અત્યાર સુધી તો દરરોજ તે તમારી વાત ધ્યાનથી સાંભળતો હતો. પરંતુ આજે અચાનક જ તેણે તમને સામે જવાબ આપી દીધો. આ સમયે જો તમે તમારા મન પર કાબૂ રાખી, મનની અંદર થોડું વિચારો તો, આ પરિસ્થિતિ ત્યાંજ સામાન્ય બની જાય. પરંતુ મોટાભાગે આપણે આવા સમયે તેણે અસ્વાભાવિક જવાબ આપ્યો એટલે આપણે તેને એમ કહીએ છીએ કે, આ કોઈ તારી વાત કરવાની રીત છે? તને આજે શું થઇ ગયું છે? તું બગડી ગયો છે. તને ખરાબ મિત્રોનો સંગ લાગી ગયો છે. અને પછી પણ ઘણું બધું બોલતા જ રહીએ છીએ. એ બાળક પહેલેથી જ મનથી પરેશાન હતું. તેને ખબર છે કે તેણે ખરાબ રીતે વ્યવહાર કર્યો છે. જેનો તેને પશ્ચાતાપ પણ છે અને ઉપરથી આપણો ગુસ્સો, હવે તેનો આગળનો જવાબ કેવો હશે? આ સંજોગોમાં આપણે બીજાના જવાબનું મૂલ્યાંકન કરવાના બદલે પોતાના જવાબ તરફ ધ્યાન આપીશું તો, સામેવાળી વ્યક્તિને સાચવી લેવી કે સંતુષ્ટ કરવી સરળ બની જશે.

બીજાને તેમની ભૂલો બતાવવાના બદલે પહેલાં સ્વયંને અંતરમનથી ઊંડાણપૂર્વક જોવું જરૂરી છે. જ્યારે બાળક ઉપર, પતિ ઉપર કે બીજા કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ પછી આપણે કેવું અનુભવીએ છીએ? કારણ કે ગુસ્સો કર્યા પછી, આપણે એવું વિચારીએ છીએ કે મારે આમ નહોતું કરવું જોઈતું. મારા કારણે ઘરમાં અશાંતિ થઇ ગઈ. આવી રીતે પશ્ચાતાપ કરવાના બદલે આપણે એમ પણ વિચારી શકીએ કે, ભલે સામેવાળી વ્યક્તિએ બરાબર રીતે વાત નથી કરી, પણ તેની સાથે મારે શાંતિથી વાત કરવી જરૂરી છે. મારે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોયતો હતો, તે તો મારા જ હાથમાં હતું. પણ જો તે સમયે મેં શાંતિપૂર્વક વ્યવહાર કર્યો હોત તો આજે આવી પરિસ્થિતિ ના સર્જાત, કંઈક જૂદી જ સ્થિતિ હોત.

આપણે આપણા જીવનમાં આંતરિક ખુશી-આનંદને પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે જ્યારે પહેલા હું પોતે ખુશ રહીશ તો બીજાને પણ ખુશી આપી શકીશ. હવે આપણે એમ વિચારીએ કે આ વિશ્વ એક નાટકનું રંગમંચ છે, તેના દરેક દ્રશ્યોમાં હું એક્ટર બનીને અભિનય કરી રહેલ છું, નાટકના દરેક કામથી હું ખુશ છું.

વધુ આવતા લેખમાં…

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.) 

રાશિ ભવિષ્ય 11/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 11/09/2020

(મયંક રાવલ)