Home Blog Page 4642

મહારાષ્ટ્રના એક વધુ પ્રધાન – એકનાથ શિંદેને કોરોના થયો

મુંબઈઃ મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમણે પોતે જ આની જાણકારી સોશિયલ મિડિયા પર આપી છે.

શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.

શિંદેએ આ અઠવાડિયાના આરંભમાં રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપી હતી.

કોરોનાના ચેપનો શિકાર બનેલા શિંદે મહારાષ્ટ્રના 13મા પ્રધાન છે.

આ પહેલાં જિતેન્દ્ર આવ્હાડ (હાઉસિંગ), અશોક ચવ્હાણ (જાહેર બાંધકામ), ધનંજય મુંડે (સામાજિક ન્યાય), સુનીલ કેદાર (પશુપાલન), બાળાસાહેબ પાટીલ (સહકાર), અસલમ શેખ (ટેક્સટાઈલ), નીતિન રાઉત (ઊર્જા), હસન મુશરીફ (ગ્રામીણ વિકાસ), વર્ષા ગાયકવાડ (શિક્ષણ), અબ્દુલ સત્તાર (ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન), સંજય બેનસોડે (પર્યાવરણના રાજ્યપ્રધાન), વિશ્વજીત કદમ (સહકારના રાજ્યપ્રધાન)ને પણ કોરોના થયો હતો.

એકનાથ શિંદેએ ટ્વીટમાં લખ્યું હતું કે, મેં ગઈ કાલે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય આપ સૌનાં આશીર્વાદને કારણે સરસ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હું યોગ્ય કાળજી લેવા અને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.

ડ્રગ્સ કેસમાં પૂછપરછઃ દીપિકા આજે NCB ઓફિસમાં હાજર થશે

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા ડ્રગ્સના સેવન-ધંધાના મામલે કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ બજાવેલા સમન્સને પગલે ટોચની બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ પૂછપરછ માટે આવતીકાલે એજન્સીના અત્રેના મુખ્યાલયમાં હાજર થશે.

સૂત્રના જણાવ્યા મુજબ, દીપિકાની લીગલ ટીમે તપાસ એજન્સીને આની જાણ કરી છે.

દીપિકા તેની એક આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ગોવા ગઈ હતી. ત્યાંથી તે આજે મુંબઈ પાછી ફરી છે.

દીપિકાની સાથે એની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ NCB અધિકારીઓ પૂછપરછ કરશે.

NCB એજન્સીએ દીપિકા ઉપરાંત સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ જેવી અન્ય અભિનેત્રીઓને પણ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે.

સારા ફિલ્મ કલાકારો સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની પુત્રી છે જ્યારે શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે.

રકુલપ્રીતને આજે જ પૂછપરછ માટે હાજર થવાનું જણાવાયું હતું, પરંતુ તે આવતીકાલે અધિકારીઓ સમક્ષ હાજર થશે.

સારા અને શ્રદ્ધાને શનિવારે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

NCB અધિકારીઓ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરતા હતા એ દરમિયાન એમણે મેળવેલી વોટ્સએપ પરની ચેટ્સમાં દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલનું નામ ચમક્યાં બાદ અધિકારીઓએ આ તમામને હાજર થવાનું ફરમાન કર્યું છે.

અધિકારીઓ આ અભિનેત્રીઓને પૂછશે કે તેઓ નશીલી દવાઓ કોની પાસેથી અને કેવી રીતે મેળવી હતી. તેમજ આ દવાઓ એમણે અંગત ઉપયોગ માટે લીધી હતી કે કોઈ અન્યને માટે.

અધિકારીઓ આ કેસમાં ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના જોડાણ વિશે તપાસ કરી રહ્યા હતા ત્યારે એમને દીપિકા અને કરિશ્મા વચ્ચેની ચેટ હાથ લાગી હતી. કરિશ્માએ 2017 સુધી ક્વાન ખાતે દીપિકાનો એકાઉન્ટ સંભાળ્યો હતો.

એનસીબી અધિકારીઓનો દાવો છે કે રીયા ચક્રવર્તી તથા અન્ય હસ્તીઓની વોટ્સએપ ચેટ્સના અભ્યાસ પરથી ષડયંત્ર દ્વારા ડ્રગ્સ રાખવા, કોઈને એનું સેવન કરવા મજબૂર કરવા, ડ્રગ્સના વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટેશન જેવી બાબતો પર પ્રકાશ પડ્યો હતો. આ બધું NDPS કાયદા અંતર્ગત આવે છે. NCB અધિકારીઓએ આ કેસમાં અત્યાર સુધીમાં 18 જણની ધરપકડ કરી છે જેમાં રીયા ચક્રવર્તી અને એનાં ભાઈ શોવિક ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

NCB અધિકારીઓએ આજે સવારે જાણીતી ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ હજી ચાલુ છે.

34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર એણે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું, પરંતુ સુશાંતના મૃત્યુનું ખરું કારણ જાણવાની એના પરિવારજનોએ માગણી કરી હતી અને એ માટે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. રીયા ચક્રવર્તીએ પણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી હતી. એમની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આ કેસમાં ડ્રગ્સનો પણ મામલો બહાર આવતાં સીબીઆઈની સાથે આ તપાસમાં NCB એજન્સી પણ જોડાઈ છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં અવસાન થયું છે.

ડીન જોન્સ 59 વર્ષના હતા અને હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી મોસમ માટે સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટરી પેનલના સભ્ય હતા.

સ્ટાર ઈન્ડિયા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે ડીન મેરવીન જોન્સનું નિધન થયું છે. અચાનક હૃદયરોગનો હુમલો આવતાં એમનું નિધન થયું છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, અમે એમના પરિવારજનો પ્રતિ ઘેરું દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ સંકટના સમયમાં અમે એમની પડખે છીએ. અમે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનના સંપર્કમાં છીએ.

જમણેરી બેટ્સમેન ડીન જોન્સ એમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઓસ્ટ્રેલિયા વતી 52 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં એમણે 11 સદી અને 14 અડધી સદી સાથે 46.55ની સરેરાશ સાથે 3,631 રન કર્યા હતા. તેઓ 164 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યા હતા જેમાં 44.61ની સરેરાશ સાથે 6,068 રન કર્યા હતા. એમાં તેમણે 7 સદી અને 46 અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને વિરેન્દર સેહવાગે ડીન જોન્સના નિધનના સમાચાર જાણ્યા બાદ ટ્વીટ કરીને દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.

કોરોનાને કારણે દુનિયાભરમાં 50 કરોડ લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસો ભારત સહિત દુનિયાભરમાં હજી પણ વધી રહ્યા છે. આ રોગચાળાને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખથી વધારે લોકોનાં મરણ થયા છે. એવામાં એક અહેવાલ અનુસાર, દુનિયાભરમાં આ બીમારીને કારણે 50 કરોડ લોકો નોકરી-રોજગાર વિહોણા થઈ ગયા છે.

ભારતમાં, બે કરોડ લોકોની નોકરી ગુમાઈ છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન સંસ્થાના જણાવ્યા મુજબ, આ આંકડો (50 કરોડ) વધારે પણ થઈ શકે છે.

ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ ઈન્ડસ્ટ્રીમાં અને 1.74 લાખ પરિવારોનો સર્વે કરનાર CMIE સંસ્થાના અહેવાલમાં આ જાણકારી મળી છે.

કહેવાય છે કે કોરોના વાઈરસથી નુકસાન વિશે અપેક્ષા હતી એના કરતાં વધારે ભયંકર પરિણામો આવ્યા છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અનુમાન અનુસાર, સમગ્ર દુનિયામાં લગભગ 3.5 ટ્રિલિયન ડોલર લેબર ઈનકમનું નુકસાન ગયું છે. જૂન મહિનાથી આ પરિણામ સતત ખરાબ આવતા રહ્યા છે.

વર્ષ 2020ના પહેલા હાફ કરતાં બીજા હાફમાં નુકસાન વધી શકવાની સંભાવના છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જે સંસ્થાઓ, કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ અને ઈન્ફોર્મલ વર્કના વિકલ્પો ઓછા હતાં ત્યાં નોકરીઓ વધારે ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંચાલિત આ આ સંસ્થાના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં નોકરીઓ કપાઈ ગઈ હતી. હવે જો કોરોનાને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો જોબ રીકવરીમાં વિલંબ થઈ શકે છે.

ભારતમાં, ગયા જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં 81 લાખ લોકો બેરોજગાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.

સેલ્ફ ટ્રેડ, ટ્રેડ રિવર્સલ સોદા રોકવા માટે BSEએ નવું ફીચર દાખલ કર્યું

મુંબઈઃ એક્સચેન્જના પ્લેટફોર્મ પર સ્વ-સોદા અને ટ્રેડ રિવર્સલ સોદાના કિસ્સા રોકવા માટેના નિયમન પગલારૂપે BSE સોમવારથી ઈક્વિટી સેગમેન્ટના બીએસઈ એક્સક્લુઝિવ સ્ટોક સબ-સેગમેન્ટમાં રિવર્સલ ટ્રેડ પ્રિવેન્શન ચેક (RTPC) દાખલ કરશે. આ પૂર્વે એક્સચેન્જે તેના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માર્કેટની અખંડિતતા અને રોકાણકારોની સલામતી જાળવવા માટે RTPC દાખલ કર્યું છે.

RTPC એવું ફીચર છે કે જેમાં PANના આધારે રિવર્સલ ટ્રેડ અને સેલ્ફ ટ્રેડ આપોઆપ રદ થઈ જાય છે.

ટ્રેડ રિવર્સલ એ એવા સોદા છે જે શેરના ભાવના ટ્રેન્ડને બદલવા માટે કરવામાં આવતા હોય છે.

આ ચેક BSEના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એક્સ, એક્સટી, ઝેડ, વાય, ઝેડપી અને ઝેડવાય ગ્રુપના શેરો માટે ઉપલબ્ધ રહેશે.

આ સાથે BSE એકમાત્ર એવું એક્સચેન્જ છે, જે સેલ્ફ પ્રિવેન્શન ચેક (STPC) અને રિવર્સલ ટ્રેડ પ્રિવેન્શન ચેક (RTPC)ની સુવિધા બધા ટ્રેડિંગ સેગમેન્ટમાં ઓફર કરે છે.

સુવિચાર – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦

સુવિચાર – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦

સુરતમાં ONGCના પ્લાન્ટમાં 3 વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી

સુરતઃ ગુજરાતના સુરત શહેરના હજીરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કંપનીના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3 વિસ્ફોટ થયા હતા અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આગને પણ કાબૂમાં લાવી દેવામાં આવી છે.

આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે પ્લાન્ટના બે ટર્મિનલમાં એક પછી એક 3 ધડાકા થયા હતા. ત્રીજો ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. એની જ્વાળા દૂરના વિસ્તારોમાંથી પણ જોઈ શકાતી હતી.

ઓએનજીસી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હજીરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. એને કાબૂમાં લાવી દેવામાં આવી છે. કોઈ પણ જાનહાનિ થઈ નથી કે કોઈ પણ વ્યક્તિને ઈજા પણ થઈ નથી.

નજરે જોનારાઓનું કહેવું છે ધડાકાનો અવાજ છેક 10 કિ.મી. દૂરના વિસ્તારમાં પણ સંભળાયો હતો.

રાશિ ભવિષ્ય 24/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે ,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦

કોમન કિંગફિશરની ફિશિંગ ડાઈવ

આમતો કોમન કિંગફિશરને બધા કિંગફિશર પીણાના કારણે ઓળખે છે. પણ કોમન કિંગફિશરની જેમ જંગલમાં કોમન નામ વાળા ઘણા પક્ષી અનકોમન હોય છે. એટલે કે એ સરળતાથી મળતા નથી અને મળેતો ખુબ ચંચળ હોવાને કારણે તમે એના ધારો તેવો ફોટા પરફેક્ટ લાઇટ સાથે પાડી શકતા નથી. કિંગફિશર ફિશિંગ કરતા હોય ત્યારે જે રીતે હોવર કરે અને પછી જે ડાઇવ કરે એ જોવું એક લાહવો છે.

(શ્રીનાથ શાહ)