Home Blog Page 4614

ડ્રગ્સ-કેસઃ એક્ટર રામપાલની વિદેશી ગર્લફ્રેન્ડનાં ભાઈની ધરપકડ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા નશીલી દવાઓના સેવન-ગેરકાયદેસર ધંધાના વેચાણના કૌભાંડ કેસમાં તપાસ કરતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અધિકારીઓએ એક મોટું પગલું ભરીને અભિનેતા અર્જુન રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડમિટ્રીએડ્સનાં ભાઈ ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સની ધરપકડ કરી છે.

ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, પણ મોટે ભાગે ભારતમાં જ રહેતો હોય છે. સુશાંતના કેસમાં પકડાયેલા ડ્રગ્સના દાણચોરોના સંપર્કમાં ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ હતો એવું જાણવા મળ્યા બાદ એનસીબીના અધિકારીઓએ એની ધરપકડ કરી છે.

અધિકારીઓએ આજે તેને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો અને ન્યાયાધીશે એને વધુ તપાસ તથા પૂછપરછ માટે એનસીબીની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.

ગેબ્રિયેલા અર્જુન રામપાલની લિવ-ઈન પાર્ટનર છે. હવે આ બંને જણની પણ એનસીબી અધિકારીઓ પૂછપરછ કરે એવી ધારા રખાય છે.

ઉલ્લેખનીય છે કે આ કેસના સંબંધમાં એનસીબી એજન્સીએ અગાઉ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, અંગત સહાયક દિપેશ સાવંત તથા બીજા અનેક જણની પણ ધરપકડ કરી હતી.

રિયાને મુંબઈ હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ એનસીબીએ તેને 28 દિવસ પછી જેલમાંથી મુક્ત કરી હતી.

એનસીબીના અધિકારીઓ બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી યુવા અભિનેત્રીઓની પણ ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરી ચૂકી છે.

એનસીબી એજન્સીએ નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ ક્ષિતિજ રવિપ્રસાદની પણ ધરપકડ કરી છે.

સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન ડ્રગ્સના ઉલ્લેખવાળી અનેક વોટ્સએપ ચેટ્સ ધ્યાનમાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કેન્દ્રીય એજન્સીએ કરેલી વિનંતીને પગલે એનસીબી એજન્સીએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ફ્લિપકાર્ટનું બમ્પર-સેલઃ બે-દિવસમાં 70 વેચાણકારો કરોડપતિ બન્યા

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર 16 ઓક્ટોબરની મધરાતથી ‘બિગ બુલિયન ડેઝ’ સેલ શરૂ કર્યાના પહેલા ત્રણ દિવસમાં જ 70થી વધુ વેચાણકર્તાઓ કરોડપતિ બની ગયા છે, જ્યારે 10,000 જેટલા વેચાણકર્તાઓ લખપતિ બની ગયા છે, એમ આ કંપનીએ જણાવ્યું છે. પ્રારંભિક વેચાણના આંકડાઓ બહાર પાડતાં કંપનીએ કહ્યું હતું કે વેચાણકર્તાઓના બે દિવસના વેચાણનો ગ્રોથ ગયા વર્ષના છ દિવસના વેચાણના ગ્રોથ સમાન છે. 16 અને 17 ઓક્ટોબર દરમ્યાન ફ્લિપકાર્ટ હોલસેલ અને બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સમાં 35,000 રિટેઇલર્સ અને 18,000 કરિયાણા, ફેશન, ફેશન એક્સેસરીઝ કેટેગરીમાં વેચાણ માટે કાર્યરત હોવાનો દાવો કંપનીએ કર્યો હતો.

એમેઝોન ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે તેના પ્રાઇમ વેચાણ શરૂ થયું એના પ્રથમ 48 કલાકમાં 1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર મળ્યા હતા. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન  ફેસ્ટિવલ સેલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 3.5 લાખ ફોન EMIથી વેચ્યા હતા. કંપનીએ ઉમેર્યું હતું કે પ્રથમ 48 કલાકમાં 5000થી વધુ વેચાણકર્તાઓએ રૂ. 10 લાખનું વેચાણ કર્યું છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓના ઓર્ડર ટિયર-II, ટિયર-III શહેરોમાંથી મળ્યા છે.

1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર્સ મળ્યા છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓને 91 ટકા નવા ગ્રાહકો અને 66 ટકા નવા પ્રાઇમ મેમ્બર નાના શહેરોમાંથી  તેમ જ પાંચ ભારતીય સ્થાનિક ભાષાઓમાં ખરીદદારી કરી છે અને ભારતના 98.4 ટકાથી વધુ ઓર્ડર્સ પિન-કોડથી માત્ર 48 કલાકમાં મળ્યા છે. આ એમેઝોન પર હકીકતમાં સૌથી મોટો ઉત્સવ છે, એમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ  મનીષ તિવારીએ જણાવ્યું હતું.

બીજી બાજુ, સ્નેપડીલે જણાવ્યું હતું કે વેચાણકર્તાઓ 65 ટકા ઓર્ડર્સ ભારતના ટોચનાં પાંચ મેટ્રોપોલિટન શહેરોમાંથી મળ્યા છે, જેમાં દિલ્હી, એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુનો ‘કમ મેં દમ સેલ’ના ત્રણ દિવસના વેચાણમાં કુલ ઓર્ડર્સમાં 35 ટકા હિસ્સો હતો.

કેટલાક એવા પણ ગ્રાહકો છે, જે ઓનલાઇન ખરીદી નથી કરતાં, પણ તેઓ ચીજવસ્તુઓની વધુ પસંદગી સુરક્ષા સુવિધાને લીધે ઈકોમર્સથી ખરીદી કરી રહ્યા છે. અમે અમારા પ્લેટફોર્મ પર 60 લાખ નવા ખરીદદરો જોડ્યા છે, એમ સ્નેપડીલના સંસ્થાપક કુણાલ બહેલે જણાવ્યું હતું.

લંડનના ચોકમાં શાહરૂખ-કાજોલની કાંસ્યની પ્રતિમા મૂકાશે

લંડનઃ શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને 25 વર્ષ પૂરા થયા છે. એની ખુશાલીમાં લંડનના લેસ્ટર સ્ક્વેરમાં શાહરૂખ અને કાજોલની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. આ પ્રતિમા શાહરૂખ અને કાજોલે તે ફિલ્મમાં ભજવેલા પાત્રો – રાજ અને સિમરનની હશે.

આ ચોક ખાતે હોલીવૂડના બીજા 10 ખ્યાતનામ પાત્રોની પણ પ્રતિમા મૂકવામાં આવી છે. જેમાં હેરી પોટર, લોરેલ અને હાર્ડી, મેરી પોપિન્સ, મિસ્ટર બીન, બેટમેન, બગ્સ બુની, પેડિંગ્ટન, વન્ડર વુમન અને જીન કેલીનો સમાવેશ થાય છે.

આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 1995ની 20 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

લેસ્ટર સ્ક્વેર ખાતે શાહરૂખ-કાજોલનાં પાત્રોની પ્રતિમા મૂકવાની જાહેરાત હાર્ટ ઓફ લંડન બિઝનેસ અલાયન્સ સંસ્થાએ કરી છે.

આ પ્રતિમાનું અનાવરણ 2021માં કરવામાં આવશે એવા અહેવાલો છે. એ પ્રસંગે શાહરૂખ અને કાજોલ પણ હાજર રહે એવી આયોજકોની યોજના છે.

શાહરૂખ-કોજોલની પ્રતિમા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના એક બહુ જાણીતા દ્રશ્યને પ્રદર્શિત કરશે. એ દ્રશ્ય લંડનના આ હાર્દ વિસ્તારમાં જ ફિલ્માવાયું હતું. ફિલ્મમાં રાજ અને સિમરન, બંને બિન-નિવાસી ભારતીય પાત્રો હોય છે. જેઓ યુરોપમાં ફરવા ગયા હતા ત્યારે એકબીજાનાં પ્રેમમાં પડે છે. ફિલ્મનું શૂટિંગ ભારત, લંડન અને સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવ્યું હતું.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનું આ સિલ્વર જ્યુબિલી વર્ષ છે અને તે મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં હજી પણ બતાવવામાં આવી રહી છે.

કોરોનાના કેસો 75 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 75 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,722 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 579 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 75,50,273 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,14,610 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 66,63,608 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 70,338 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,72,055એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

કેટલાંક રાજ્યોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન

કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ગઈ કાલે પહેલી વાર સ્વીકાર કર્યો હતો કે દેશમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. જોકે તેમણે કહ્યું કે આ ફક્ત કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત છે. ડૉ. હર્ષવર્ધને સોશિયલ મિડિયા પર એક સવાલનો જવાબ આપતાં આ વાત કહી, જેમાં તેમણે પોતાના સોશિયલ મિડિયાના ફોલોઅર્સ સાથે વાતચીત કરી.

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે કે પશ્ચિમ બંગાળ સહિત અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ભાગોમાં ખાસ કરીને ગીચ વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા છે. જો કે આ સંપૂર્ણ દેશમાં નથી થઈ રહ્યું. આ કેટલાક જિલ્લાઓ સુધી સીમિત છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પહેલો કેસ આવ્યા બાદ આ પહેલી વાર છે, જ્યારે સરકારે વાઇરસના સામુદાયિક પ્રસારની વાત સ્વીકારી છે. અત્યાર સુધી સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે આ જીવલેણ વાઇરસના સામુદાયિક પ્રસારની કોઈ પુષ્ટિ નથી થઈ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

સ્થાનિક સ્તરે નવા લોકડાઉનની જરૂર નથીઃ સમિતિ

નવી દિલ્હીઃ કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે જિલ્લા અથવા રાજ્ય સ્તરે કોઈ નવા લોકડાઉનની લાગુ કરવાની જરૂર નથી. જો બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો આગામી વર્ષના પ્રારંભમાં ફેબ્રુઆરીના અંત સુધી કમસે કમ સક્રિય કોરોના સંક્રમણ અને રોગચાળાને નિયંત્રિત કરી શકાય તો કોઈ લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, એમ સરકાર દ્વારા નિયુક્ત થયેલી IIT હૈદરાબાદના પ્રોફેસરની એમ. વિદ્યાસાગરની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિએ જણાવ્યું હતું.

10 સભ્યોની સમિતિ કે જેણે દેશમાં ‘કોવિડ-19ની પ્રગતિઃ પ્રોગ્નોસિસ એન્ડ લોકડાઉન ઇમ્પેક્સ’ પર એક અભ્યાસ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉન લાગુ કરવામાં ના આવ્યું હોત તો આવતા જૂન સુધીમાં  કોરોનાના 1.40 કરોડથી વધુ કેસ નોંધાયા હોત. સમિતિએ કોવિડ-19ની પ્રગતિ માટે એક મેથેમેટિકલ મોડલ વિકસિત કર્યું છે, જે રાષ્ટ્રીય સ્તરે સુપર મોડલ વિવિધ માપદંડો પર આધારિત છે, જેમાં લોકડાઉનનો સમયગાળો, વૈકલ્પિક લોકડાઉનનો સિનારિયો, પ્રવાસી શ્રમિકો તેમના ઘરે પરત ફર્યા અને રોગચાળાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા પ્રોટોકોલનું પાલન ના કરવાથી પડેલી અસરોનો સમાવેશ થાય છે.

જો સૌ દેશવાસીઓ આ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ તો આગામી વર્ષના પ્રારંભે ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના સક્રિય કેસો પર પણ કાબૂ મેળવી શકાશે. જોકે અમે અત્યાર સુધી આ રોગચાળો સીઝનમાં (ખાસ કરીને શિયાળામાં વધુ સક્રિય થાય છે) અને ભવિષ્યમાં કેટલો પ્રસરશે એ વિશે નથી જાણતા. એટલે વ્યક્તિગત સુરક્ષા પ્રોટોકોલને સંપૂર્ણ રીતે જારી રાખવાની આવશ્યકતા છે, જો લોકો પૂરતી સાવચેતી નહીં રાખે તો કોરોના કેસોમાં ઝડપી ઉછાળો આવશે.જ્યાં સુધી આરોગ્ય સુવિધાઓ માટે મોટું જોખમ નથી, ત્યાં સુધી જિલ્લા અને રાજ્ય સ્તરે લોકડાઉન  લાગુ કરવાની જરૂર નથી, એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું.

વૈજ્ઞાનિકો સિવાય IIT અને IIScના પ્રોફેસરો સહિત સમિતિએ કહ્યું હતું કે આગામી દિવાળીનો તહેવાર અને શિયાળામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતા છે, પરંતુ જો પૂરતા સુરક્ષા માપદંડોનું ધ્યાનમાં રાખવામાં આવે તો બધી કામગીરી ચાલુ રાખી શકાય છે. જોકે  પ્રારંભિક લોકડાઉનને લાગુ કરવાથી ભવિષ્યમાં કોરોના કેસમાં ઘટાડો કરી શકાયો છે અને સિસ્ટમ પર લોડને પણ ઓછો કરી શકાયો છે.

 

 

પ્યારની વાત – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૦

પ્યારની વાત – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 19/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

૧૯ ઓક્ટોબર ૨૦૨૦

૧૯ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 19/10 થી 25/10/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખોતો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.


મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે.


જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે. નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણેતે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવાવાગવા કે લપસવા જેવી બાબત ઉપરાંત શરદી, ઉધરસ, તાવ, ઇન્ફેકશન જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટી વાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમા લાભની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજમા વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયનો વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતીવાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનુ આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચાની તકલીફ સંભવિત છે, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજમા જોડાવવાની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથ સહકાર મળી શકે છે.


સપ્તાહ દરમિયાન તમારા મગજમા વધુ વિચારો માનસિકથાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદવિવાદની સંભાવના બની શકે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. બજારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહસુચન ન આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકોથી દુર રહેવામા જ શાણપણ છે.


ભક્તિમય બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમા કોઈના કામમા સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં, સગાસ્નેહીમા તમે મજાક કરવાની વૃતિવાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે. બજારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસ ના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું, જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલનમુલાકાત કે હરવા ફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. બજારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાંભળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.

રામનું જીવન – સ્વતંત્રતાનો એક પાઠ

(સદગુરૂ જગ્ગી વાસુદેવ) 

રાકુલ પ્રિત સિંહઃ મને લાગે છે કે જ્યારે કોઈ તમારી સાથે વાત કરે છે, અથવા તમારા પ્રવચનો સાંભળે છે કે તમારી વાતને અનુસરે છે. ત્યારે ખરેખર એવું લાગે છે કે જીવન કેટલું સરળ, સુંદર અને પ્રેમથી ભરેલું છે. બધે જ, બધી જ આસ-પાસની વસ્તુઓ પ્રેમ ટપકાવે છે, બધી જ વસ્તુઓ જીવંત છે. પરંતુ શા માટે લોકો સમજી શકતા નથી કે, જીવન સરળ છે. તમારા વિચારે શા માટે માણસે નાનામાં નાની વસ્તુને આટલી બધી જટિલ બનાવી દીધી છે, પછી તે સંબંધ હોય, લગ્ન હોય, પ્રેમ હોય કે પછી તમારું કામ? હવે અહિયાં ઘણી બધી વસ્તુઓ ઉપર-ઉપરથી જ કરવામાં આવે છે અને લોકો જીવનનો નાનો નાનો આનંદ માણવાનું ચુકી જાય છે. તેઓ એ રીતે નથી જીવતા જે રીતે તેમણે જીવું જોઈએ. તમારા મતે એ શું છે જેને બધા પહેલું પગલું ગણીને પોતાનું ધ્યાન જીવનની સુંદરતા તરફ દોરી શકે?

સદગુરૂઃ જીવન ન તો સુંદર છે ન તો ખરાબ છે. તે ન તો, પ્રેમમય છે કે ન તો નફરત વાળુ. તમે સુંદર બની શકો છો કે ખરાબ થઈ શકો છો, તમે પ્રેમાળ બની શકો છો કે તમે પ્રેમાળ નથી બની શકતા. બસ આ આટલું જ હોઈ શકે. “દરેક જગ્યાથી પ્રેમ ટપકે છે- ના! આ તમને સ્વપ્નની દુનિયામાં લઈ જશે.

રાકુલ પ્રિતસિંહ: ના, મારો અર્થ એ છે કે દરેક જણ અહીં સુંદર છે; મને કોઈની સાથે કોઈ સમસ્યા નથી, પણ દરેક વ્યક્તિ તે રીતે જોઈ શકતા નથી.

 

સદગુરૂ: અહિયાં હું તમને કંઈક કહીશ. એક વખતની વાત છે. એક યુવાન વિધવા તેને ફાળવામાં આવેલી કબરની મુલાકાત લેવા તેના સાત વર્ષના દિકરા સાથે કબ્રસ્તાનમાં ગઈ. તેનો છોકરો જે વાંચતા લખતા શીખી રહ્યો હતો, તે કબરો પર લાગેલી તખ્તીઓ દોડી દોડીને વાંચતો હતો. આશરે વીસ થી ત્રીસ મિનિટ પછી તે તેની માતા પાસે આવ્યો અને કહ્યું, “મમ્મી ખરાબ લોકોને ક્યાં દફનાવવામાં આવે છે?”

આ સત્ય નથી કે દરેક વ્યક્તિ સુંદર છે – અમુક લોકો અત્યંત ખરાબ પણ હોઈ શકે છે. જો તમે સુંદર હોવ તો, તમે તેમનું ખરાબપણું અમુક અંશે પરિવર્તિત કરી શકો છો. શું બધા લોકો તમારા માર્ગે આવશે?  ના, તેઓ નહીં આવે. જો તેઓ તમારા માર્ગમાં નહીં આવે તો, શું તમે ખરાબ થઈ જશો? ના. એ મહત્વનું નથી.

જ્યારે વસ્તુઓ તમારા પ્રમાણે નથી થતી, શું છતાં પણ તમે સુંદર મનુષ્ય બની રહેવા સક્ષમ છો? બસ તમારે એ જ ઠીક કરવાનું છે. જો તમે એ એક વસ્તુને ઠીક કરી લેશો તો બાકી બધુ જાતેજ ઠીક થઈ જશે. જ્યારે તમારા પ્રમાણે કશુંજ થતું નથી,  ત્યારે પણ તમે એક સુંદર મનુષ્ય છો? આજ એક વસ્તુ છે જેની આપણી સંસ્કૃતિએ પૂજા કરી છે.

તમે જાણો છો, રામને પૂજવામાં આવે છે. પણ મનુષ્ય તરીકે તેમનું જીવન સતત સંઘર્ષપૂર્ણ રહ્યું હતું: સતત કંઈક ને કંઈક ચાલ્યા કરતું, એક આફત ભર્યું જીવન હતું, પરંતુ તેઓ સ્થિર રહ્યાં હતા. તેમણે તેમનું કાર્ય અને વહીવટ એવી સ્થિરતા અને કુશળતાથી સંભાળ્યું કે આજે હજારો વર્ષો પછી પણ જ્યારે આપણે આદર્શ રાષ્ટ્રની વાત કરીએ છીએ ત્યારે આપણે “રામરાજ” કહીએ છીએ. રામના જીવનમાં જે કંઇપણ પણ બન્યું, તેમાંની એકપણ ઘટના સામાન્ય લોકોના જીવનમાં ઘટે તો તેઓ પડી-ભાંગશે. રામે તેમના જીવનમાં એક પછી એક અનેક સંઘર્ષોનો સામનો કર્યો, તેમ છતાં પણ તેમણે પોતાની ફરજ અને તેમના કાર્યો તે ક્ષણની શ્રેષ્ઠ કુશળતાથી કર્યા.

એમના જીવનમાં આવી રહેલા સંઘર્ષોમાંથી ફક્ત આ જ હતું જેનાથી તે સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવતા હતા. આજ મુક્તિ છે. જ્યારે તેઓ જીવિત હતા, તેઓ મુક્ત હતા- આ જ છે જીવન મુક્તિ. એ આજ મુક્તિ છે જેને આપણે નમન કરીએ છીએ –ના કે એટ્લે કે તેઓ એક રાજા, કે ભગવાન કે અન્ય કોઈ હતા, ફક્ત એટ્લે કે એ વ્યક્તિ તેમના જીવનમાં થતાં સતત સંઘર્ષની સ્થિતિમાં પણ બધાથી મુક્ત રહ્યા.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)