Home Blog Page 4541

રાશિ ભવિષ્ય 14/12 થી 20/12/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 14/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

૧૪ ડિસેમ્બર ૨૦૨૦

૧૪ ડિસેમ્બર ૨૦૨૦

દૂરંદેશીતાનું સર્જન

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણી જ સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થઈ હોવા છતાં માનવજાતિ હજી પણ ભારે ગૂંચવણ અને અવ્યવસ્થિતતામાં રાચે છે. દુનિયાના મોટાભાગના લોકો એ સમજણ વિના જ જીવન વીતાવે છે કે તેઓ સ્વયં માટે વાસ્તવમાં શું ઈચ્છે છે. અને જો તેઓ જાણતા હોય કે પોતે શું ઇચ્છે છે, તો ના તો તેમનામાં તે પામવાની ઇચ્છાશક્તિ હોય છે કે ના તે માટેની દ્રષ્ટિ હોય છે. મોટાભાગે તેઓ તેમના માટે સરળ હોય તેવી કોઈપણ બાબત અથવા તો તેમના જીવનમાં જે-તે બાબતની જરૂરિયાત જાણ્યા વિના જ તેના પર ઠરીઠામ થઈ જવાનો નિર્ણય લઈ લે છે.

આપણે કાયમ આ ક્ષણે આપણી આસપાસની વાસ્તવિકતાના આધારે આપણા જીવનનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જીવનમાં જે વસ્તુને સર્વોચ્ચ સ્તરે ઈચ્છીએ છીએ, તેને આપણી વર્તમાન સ્થિતિ સાથે કશી લેવાદેવા નથી. જો આપણે આપણી દૂરંદેશીતાને વર્તમાન પરિસ્થિતિની ગુલામ બનાવી દઈશું, તો તે ફરી પાછી સરળ અને તમારા માટે શક્ય હોય તેવી બાબત તરફ નજર દોડાવશે.

જો વ્યક્તિ પોતાની સાથે અને આસપાસના વિશ્વ સાથે શું કરવા ઈચ્છે છે તે અંગેની દ્રષ્ટિ ધરાવતી હોય, તો તે સ્થિતિનું સર્જન કરવું તેની ક્ષમતાની બહારની વાત નથી. તે આ જન્મમાં સાકાર થઈ શકે છે, કદાચ તે માટે બીજા કેટલાક જન્મ સુધી રાહ જોવી પડે, પણ આપણે જે ઈચ્છીએ છીએ, તે ચોક્કસપણે સાકાર થાય છે. જે વ્યક્તિના જીવનનું વિઝન સ્પષ્ટ હોય અને તે જીવનની દરેક ક્ષણે તેને ઝંખતો હોય, તો ગમે તેટલી મુશ્કેલ વસ્તુ પણ તેના ચરણોમાં આવી પડશે. પણ વ્યક્તિ કાયમ ગૂંચવણનો ભાર માથે લઈને ફરે છે અને જે નથી જોઈતું, તેની જ મથામણમાં રચ્યોપચ્યો રહે છે. તેના જીવનમાં આ દૂરંદેશીતા અને ઈચ્છાશક્તિના અભાવ માટે મુખ્યત્વે આપણી આસપાસના વિશ્વની વિકૃત સમજૂતી જવાબદાર છે.

જેને તમે સર્વોચ્ચ ગણો છો, તેના માટે મથામણ કરો. તે સાકાર થશે કે નહીં – તે મહત્વનું નથી. બસ, તે વિઝન (દૂરદ્રષ્ટિ) સાથે જીવવાનો અનુભવ માત્ર જ ઉત્કર્ષ, મુક્તિ અને પ્રસન્નતાની પ્રક્રિયા છે. તે કાલે સાકાર થાય કે સેંકડો વર્ષો પછી, તે મહત્વનું નથી. તમને પરિણામની કોઈ ચિંતા નથી. તમે એક દૂરદ્રષ્ટિ ધરાવો છો અને તમે તમારૂં જીવન તે તરફ વાળ્યું છે, તે મહત્વપૂર્ણ છે. સર્વોચ્ચ વસ્તુ સાકાર કરવા માટેનો આ એક સરળ માર્ગ પણ છે. સમગ્ર ગીતા તેના પર જ છે – તમે જે ઈચ્છો છો, તેમાં જીવન સમર્પિત કરી દો, તે ઈચ્છા સાકાર થશે કે નહીં થાય તેની ચિંતા છોડી દો. આ સ્વયં એક આધ્યાત્મિક પ્રક્રિયા છે.

દૂરદ્રષ્ટિ એ આપણી અંદર અને બહાર રહેલી મર્યાદાઓને ઓળંગી જવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ છે. તમે જે ઈચ્છો છો, તે અંગે તમે અત્યંત સ્પષ્ટ હોવ, તો આજે જે અશક્ય જણાતું હોય, તે આવતીકાલે તમારા જીવનનો સામાન્ય ભાગ બની જાય છે. કોઈપણ મુશ્કેલી વિના તે તમારા ચરણોમાં આવી પડે છે. પણ દરેક ક્ષણે જો તમે તાર્કિક રીતે એ પ્રશ્ન કરો અને વિચારો કે, ‘શું તે પ્રાપ્ત કરી શકાય તેમ છે કે નહીં?’ તો પછી તમે તમારા દિમાગમાં અને તમારી આસપાસના વિશ્વમાં જે ગૂંચવણ જન્માવો છો, તે વિશ્વને મોટી ગૂંચવણમાં નાંખી દે છે. આપણે વાસ્તવમાં શું ઈચ્છીએ છીએ, તે અંગેની દૂરદ્રષ્ટિ કેળવવા માટેનો સમય પાકી ગયો છે.

(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.)

ગ્રેટેસ્ટ શો-મેનઃ રાજ કપૂર

રાજ કપૂર જીવતા હોત તો આજે ૯૬ વર્ષના થાત. ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ના પેશાવરમાં જન્મેલા રાજ કપૂર એક વિચક્ષણ કલાકાર હતા. ભારતીય સિનેમામાં રાજ કપૂરને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના એક રૂપે નવાજવામાં આવે છે. તેમને ત્રણ નેશનલ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ફિલ્મફેર દ્વારા અપાતો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રાજ કપૂરના નામે અપાય છે. ટાઈમ મેગેઝીન દ્વારા રાજ કપૂરના ‘આવારા’ના અભિનયને સર્વકાલીન ટોપ ટેન અભિનયમાં ક્રમાંકિત કરાયો છે.

રાજનું પ્રેક્ષકગણ તે સમયે આખી દુનિયામાં, ખાસ કરીને એશિયા અને યુરોપમાં હતું. ભારતીય ફિલ્મોના ‘ક્લાર્ક ગેબલ’ રૂપે હોલીવૂડ તેમને ઓળખે છે. ભારત સરકારે રાજને ૧૯૭૧માં પદ્મ ભૂષણ અને ૧૯૮૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજ્યા હતા.

રાજ પંજાબી હિંદુ પરિવારમાં પૃથ્વીરાજ કપૂર અને રામસરણી દેવીના છ સંતાનોમાં સૌથી મોટા હતા. તેમના ભાઈઓ શમ્મી કપૂર અને શશી કપૂર પણ જાણીતા અભિનેતા હતાં. ત્રીસીના દાયકામાં રાજ દેહરાદૂનની સ્કૂલમાં ભણ્યા હતા.

‘નીલકમલ’ (૧૯૪૭)માં તેઓ મધુબાલા સામે નાયક બન્યા. ૨૪ વર્ષની ઉમરે ૧૯૪૮માં તેમણે આર.કે. ફિલ્મ્સ સંસ્થા શરૂ કરી અને તેમના સમયના સૌથી યુવાન દિગ્દર્શક બન્યા અને ‘આગ’ બનાવી. મેહબૂબખાનની ‘અંદાઝ’ એ રાજની પહેલી સફળતા હતી. નિર્માતા-નિર્દેશક-અભિનેતા રૂપે તેમની પહેલી સફળતા એટલે ‘બરસાત’, જેમાં તેમણે મહાન સંગીતકારો શંકર-જયકિશન અને મહાન ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરીને પહેલી તક આપી હતી.

રાજ કપૂરે પછી સફળ ફિલ્મોની હારમાળા સર્જી. ‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’ બનાવી. તેમના લાંબા સમયના સાથી રઘુ કરમાકરે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું નિર્દેશન કર્યું અને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. પોતાના નિર્માણ ગૃહની બહાર રાજની અભિનેતા તરીકે નોંધપાત્ર ફિલ્મો  ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’ આવી. સમાજના પ્રશ્નોની રજૂઆત તેમણે ‘બૂટ પોલિશ’ અને ‘અબ દિલ્લી દૂર નહીં’માં કરી.

૧૯૬૪માં રાજે ‘સંગમ’ બનાવી, નાયક તરીકેની આ તેમની છેલ્લી મોટી સફળતા હતી. ત્યાર બાદ રાજશ્રી, સાયરા બાનુ અને હેમામાલીની જેવી યુવાન અભિનેત્રીઓ સાથેની તેમની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘દીવાના’ અને ‘સપનોં કા સૌદાગર’ નિષ્ફળ ગઈ. અંતે છ વર્ષની જહેમતે તેમણે સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી, જે પણ નિષ્ફળ ગઈ. તેનાથી રાજ અને પરિવાર દેવામાં ડૂબી ગયા. પછી એમણે મોટા દીકરા રણધીર કપૂરને ‘કલ આજ ઔર કલ’માં અને નાના દીકરા હૃષીકપૂરને ‘બોબી’માં રજૂ કર્યા. હૃષી-ડીમ્પલની ‘બોબી’ જબ્બર સફળ થઇ. નવી પેઢીનો એ પહેલો રોમાન્સ હતો. પછી રણધીર નિર્દેશિત ‘ધરમ કરમ’માં રાજે ચરિત્ર ભૂમિકા કરી.

સિત્તેર અને એંશીના દાયકામાં રાજ નિર્દેશિત ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘પ્રેમ રોગ’, અને ‘રામ તેરી ગંગા મૈલી’ આવી. રાજ તેમના નિધન પહેલાં દીકરા હૃષી અને પાકિસ્તાની અભિનેત્રી ઝેબાની ‘હીના’નું નિર્દેશન કરતા હતા. તેઓ અસ્થમાથી પીડાતા હતા. માત્ર ૬૩ વર્ષની ઉંમરે ફાળકે એવોર્ડ લેતાં રાજ ફસડાઈ પડ્યા અને દિલ્હીની એઈમ્સમાં એક મહિના બાદ ૨ જૂન, ૧૯૮૮ના રોજ શો મેનના જીવન પર પડદો પડ્યો હતો.

(નરેશ કાપડીઆ-સુરત)

પંચાંગ 24/12/2020

મેક્ડોનાલ્ડ્સની કથિત ફ્રેન્ચાઈઝી પર નફાખોરીનો આરોપ

નવી દિલ્હીઃ દેશમાં અયોગ્ય નફાખોરી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે જીએસટી કાયદા અંતર્ગત રચાયેલી કાનૂની યંત્રણા નેશનલ એન્ટી-પ્રોફિટીયરિંગ ઓથોરિટી (એનએએ) એજન્સીએ રૂ. 7.49 કરોડથી વધુ રકમના જીએસટી રેટ કટનો લાભ ગ્રાહકોને ન આપવા બદલ ફાસ્ટ ફૂડ ચેન મેક્ડોનાલ્ડ્સની કથિત ફ્રેન્ચાઈઝી હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ કંપનીને કસુરવાર ઘોષિત કરી છે. મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયાનું કહેવું છે કે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ પ્રા.લિ. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તેની ફ્રેન્ચાઈઝ ઓફર કરતી નથી.

મુંબઈસ્થિત હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ ભારતના પશ્ચિમી અને દક્ષિણી ભાગોમાં મેક્ડોનાલ્ડ્સ બ્રાન્ડ નામ હેઠળ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે. NAAના ઓર્ડરમાં જણાવાયું છે કે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સે તેના કેટલાક ઉત્પાદનો પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો હોવા છતાં તે ગ્રાહકો પાસેથી વધારે ચાર્જ વસૂલ કરીને નફાખોરીની પ્રવૃત્તિ કરી હતી. એજન્સીએ હાર્ડકેસલને આદેશ આપ્યો છે કે તે નફાખોરીથી મેળવેલી રૂ. 7.49 કરોડની રકમની 50 ટકા રકમ સેન્ટ્રલ કન્ઝ્યૂમર વેલ્ફેર ફંડમાં જમા કરાવે અને બાકીની 50 ટકા રકમ તેણે જ્યાં તેના ઉત્પાદનો સપ્લાય કરીને નફાખોરી કરી છે તે 10 રાજ્યોના ગ્રાહક વેલ્ફેર ફંડમાં જમા કરાવે.

NAA finds McDonald’s franchisee Hardcastle guilty of profiteering

નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપઃ ચેન્નાઈનો અશ્વિન દત્તા વિજેતા…

કોઈમ્બતુરના કારી મોટર સ્પીડવે રેસટ્રેક (ફોર્મ્યુલા 3 ઓટો રેસિંગ સર્કિટ) ખાતે 13 ડિસેમ્બર, રવિવારે યોજાઈ ગયેલી 23મી FMSCI રાષ્ટ્રીય રેસિંગ ચેમ્પિયનશિપમાં ચેન્નાઈનો અશ્વિન દત્તા (ડાર્ક ડોન રેસિંગ) અને કોટ્ટાયમનો અમિર સઈદ (એમસ્પોર્ટ) છવાઈ ગયા હતા. બંનેએ બબ્બે રેસ જીતી હતી. 14 લેપ્સની રેસ-1માં દત્તા 19:28.450 સમય સાથે પહેલો આવ્યો હતો. રેસ-2માં દત્તા 21:30.683 સાથે પહેલો આવ્યો હતો. 10-લેપ્સની રેસ-1માં અમિર સઈદ 18:24.277 સાથે પહેલો આવ્યો હતો અને રેસ-2માં 14:54.496 સમય સાથે પહેલો આવ્યો હતો. એમસ્પોર્ટની મીરા એર્ડાને બેસ્ટ મહિલા પરફોર્મર ઘોષિત કરવામાં આવી હતી.

કૃષિ-કાયદાઓમાં ખેડૂતોના હિતની જોગવાઈ છેઃ પરષોત્તમ રૂપાલા

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાએ વિવાદ સર્જ્યો છે. આ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના હજારો ખેડૂતો દિલ્હીના હદ વિસ્તારમાં 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પરષોત્તમ રૂપાલાનું કહેવું છે કે, ખેડૂતો નવા લાગુ કરાયેલા કૃષિ કાયદાની અસર વિશે જોયા-જાણ્યા વિના વિરોધ કરે છે. કાયદામાં ખેડૂતોના હિતની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સાત વખત ખેડૂતો સાથે વાટાઘાટો કરી છે.

એક વિડિયોમાં રૂપાલાએ કહ્યું કે ખેડૂતોએ નવા કાયદાના અમલીકરણની રાહ જોવી જોઈએ. કાયદા લાગુ કરાયા બાદ એના અનુભવ પરથી જો એમને લાગે કે એનાથી તેમને આર્થિક નુકસાન જઈ રહ્યું છે તો તેઓ એ વિશે ફેરવિચારણા કરવાનું ચોક્કસપણે કહી શકે. અમારી કૃષિ નીતિ સંપૂર્ણપણે ઉત્પાદન કેન્દ્રિત છે. ખેડૂતોની આવકની બાબત તેમાં ગાયબ હતી, જેનો નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉમેરો કર્યો છે.

વિશ્વનાથન આનંદના જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવાશે

ચેન્નાઈઃ ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદના જીવનને આધારિત એક હિન્દી ફિલ્મ જાણીતા બોલીવૂડ દિગ્દર્શક આનંદ એલ. રાય બનાવવાના છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટડ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટરના માધ્યમથી આપી છે. ચેસ મહારથી આનંદ વિશેની ફિલ્મનું નિર્માણ સનડાયલ એન્ટરટેનમેન્ટ (મહાવીર જૈન) અને કલર યેલો પ્રોડક્શન્સ (આનંદ એલ. રાય) કંપનીઓ કરશે. પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા આનંદે ગઈ 11 ડિસેમ્બરે જ એમનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ફિલ્મમાં આનંદનું પાત્ર કોણ ભજવશે એ હજી નક્કી કરાયું નથી. કેટલાક નેટયૂઝરનું કહેવું છે કે આ રોલ માટે અભિષેક બચ્ચન વધારે જામશે. એક યૂઝરે ગુજરાતી અભિનેતા અને હાલમાં જ રિલીઝ થયેલી બિગ બુલ હર્ષદ મહેતા વિશેની ફિલ્મ ‘સ્કેમ 1992’ના અભિનેતા પ્રતિક ગાંધીનું નામ આપ્યું છે.