Home Blog Page 4302

મુંબઈ લોકલ ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કરનારને રૂ.200નો દંડ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રેલવે પોલીસ (જીઆરપી)ને આદેશ આપ્યો છે કે શહેરની લોકલ ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર જે પ્રવાસીઓ મોઢા પર માસ્ક પહેર્યા વગર દેખાય એમને દંડ ફટકારવો.

રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગવર્મેન્ટ રેલવે પોલીસના કમિશનર રવિન્દ્ર સેનગાંવકરને લખેલા પત્રમાં મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર અભય યાવલકરે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 9 સપ્ટેમ્બરે ઈસ્યૂ કરેલા એક સર્ક્યૂલર અન્વયે દંડ વસુલ કરવો જોઈએ.

મહાનગરપાલિકા જાહેર સ્થળોએ માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ રૂપે રૂ. 200 વસૂલ કરે છે.

યાવલકરે પત્રમાં લખ્યું છે કે લોકલ ટ્રેનોમાં કે સ્ટેશનની અંદર જે કોઈ પ્રવાસી માસ્ક પહેર્યા વગર દેખાય એને દંડ ફટકારવાની રાજ્ય સરકાર રેલવે પોલીસને સત્તા આપે છે.

કોવિડ-19 કેસોને વધતા રોકવા માટે પ્રવાસીઓ તમામ સંબંધિત પ્રોટોકોલ્સનું પાલન કરે એ અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 15 જૂનથી મહારાષ્ટ્ર સરકાર અને રેલવે સત્તાવાળાઓએ તાકીદની સેવાઓમાં સંકળાયેલા લોકો માટે વિશેષ ઉપનગરીય ટ્રેન સેવા મર્યાદિત સંખ્યામાં શરૂ કરી છે.

રેલવે સત્તાવાળાઓ હાલ મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર 10 લેડિઝ સ્પેશિયલ ટ્રેનો સહિત 1,410 સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે.

રાજ્ય સરકારની વિનંતીને પગલે રેલવે મંત્રાલયે મુંબઈમાં કાયદેસર ટિકિટ/પાસધારક તમામ મહિલાઓને નિર્ધારિત કલાકો દરમિયાન લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે એવું પણ સૂચન કર્યુ છે કે રેલવેએ ધસારા-સિવાયના કલાકો દરમિયાન તમામ લોકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવો જોઈએ.

શ્રીનગરમાં પીડીપીની ઓફિસને સીલ કરી દેવાઈ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની પોલીસે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીડીપી)ની અત્રેની ઓફિસને આજે સીલ કરી દીધી છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન-ખરીદીના નવા કાયદા લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં પીડીપીના કાર્યકર્તાઓ વિરોધ-કૂચ કાઢે એ પહેલાં જ પોલીસો ત્રાટક્યા હતા અને પાર્ટીના કાર્યાલયને સીલ કરી દઈ તેના અનેક નેતાઓને અટકમાં લીધા છે.

પીડીપીના નેતાઓએ કેન્દ્રના નવા કાયદા સામેના વિરોધમાં પક્ષના મુખ્યાલયથી પ્રેસ એન્ક્લેવ સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું હતું.

જોકે અત્રે પાર્ટીના મુખ્યાલયની બહાર જ પોલીસો ગોઠવાઈ ગયા હતા અને પાર્ટીના અનેક નેતાઓને પકડી લીધા હતા. જેમાં ખુર્શીદ આલમ, વહીદ પારા, સુહૈલ બુખારી, રઉફ ભટ, મોહિત ભાન જેવા નેતાનો સમાવેશ થાય છે.

આજે સવારથી જ પીડીપીના મુખ્યાલયની અંદર તથા બહાર પોલીસોને મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યા હતા.

પાર્ટીનાં પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ વહીવટીતંત્રના આ નિર્ણયની ટ્વિટરના માધ્યમ દ્વારા ઝાટકણી કાઢી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘તમે દુનિયામાં જે બતાવી રહ્યા છો એ સામાન્યવત્ પરિસ્થિતિની શું આ જ વ્યાખ્યા છે?’

ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના જનક કેશુભાઈ પટેલની ચિરવિદાય

મદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ આજે દુઃખદ નિધન થયું છે. કેશુબાપાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 92 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કેશુભાઈના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

કોરોનાને માત આપી હતી

કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોના વાઈરસ બીમારીને માત આપી હતી. જૈફ વય હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.

કેશુભાઈની રાજકીય કારકિર્દી

કેશુભાઈ પટેલ ૧૯૯૫ના માર્ચથી ૧૯૯૫ના ઓક્ટોબર અને ત્યારબાદ ૧૯૯૮ના માર્ચથી ૨૦૦૧ના ઓક્ટોબર સુધી  – એમ બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કેશભાઈને પરિવારમાં પાંચ પુત્ર અને એક પુત્રી

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેમના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઇઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં સંન્યાસી બની ગયેલા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

રૂપાણી સહિત દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી

કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. લોકોમાં તેઓ કેશુબાપાના હુલામણા નામે ઓળખાતા હતા. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે  કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે. કેશુભાઈના નિધનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રએ એક ગૌરવપૂર્ણ નેતા ગુમાવ્યા છે. 

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી

શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કર્યો

તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે 52 વર્ષના અમારા સંબંધો હતા. રાજકોટના સામાન્ય પરિવારમાં ખેડૂત જન્મેલ અમારા કેશુભાઈ, ધરતી સાથે જોડાયેલા, તેમની આગેવાનીમાં મેં મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આજે અમારા લાગણીબંધ સંબંધો તૂટ્યા છે. ભગવાન તેમની આત્માને પ્રાર્થના આપે.

 

કોરોનાના કેસોની સંખ્યા 80 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 80 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 49,881 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 517 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 80,40,203 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,20,527 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 73,15,527 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,03,687એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી નવેમ્બર સુધી લોકડાઉન
કોરોના વાઇરસને કારણે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉન  અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવેલા નવા નિર્ણય પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી નવેમ્બર સુધી લોકડાઉનનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની અંદર અને બહાર ટ્રાન્સપોર્ટેશન  પર કોઈ જ પ્રતિબંધ નહીં રહે. એ સાથે જ સમાન કે વ્યક્તિએ મુસાફરી કરવા માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર નથી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અલગ દર્શાવતાં ભારતે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવવામાં આવ્યા હતા. આ મામલે હવે ભારત દ્વારા સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને એને યોગ્ય કરવા માટે કહેવામાં આવ્યું છે. સાઉદી અરબિયાએ હાલમાં 20 રિયાલની એક નવી નોટ જારી કરી છે, જેમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખને અલગ ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયાની આગેવાનીમાં હાલમાં જ G-20ની બેઠક થવાની છે. આ અવસરે સાઉદી અરેબિયાએ એક નોટ જારી કરી છે, જેમાં કિંગ સલમાનનો ફોટો, G-20 સાઉદી સમિટનો લોગો અને G-20 દેશોનો નકશો દર્શાવવામાં આવ્યો છે.

આ નકશામાં જમ્મુ અને કશ્મીર, જેમાં પાકિસ્તાન અધિકૃત કશ્મીર સામેલ છે. એને અલગ હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. એટલે કે એને ના તો પાકિસ્તાન અને ના તો પાકિસ્તાનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે.  

સાઉદી અરેબિયાના આ નિર્ણયથી પાકિસ્તાન અધિકૃત ચળવળકાર અમજદ અયુબ મિરઝાએ ખુશી દર્શાવી છે. તેમણે PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે સાઉદી અરેબિયાની પ્રશંસા કરી છે.

ભારતે જ્યારે હવે આ નકશો જોયો તો એમાં એને ગરબડ લાગી. આ વિશે નવી દિલ્હી સ્થિત સાઉદી અરેબિયા એમ્બેસી અને રિયાધમાં મોજૂદ ભારતીય એમ્બેસીએ આ મામલો ઉઠાવ્યો હતો. જોકે સાઉદી તરફથી આ મુદ્દે જવાબ આવવાનો બાકી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને સાઉદી અરેબિયાની મિત્રતા મજબૂત થઈ છે. આવામાં સાઉદી અરેબિયા ભારત સાથે સંબંધો બગાડવા નહીં ઇચ્છે.

ભારત G-20 દેશોને હિસ્સો છે, પરંતુ પાકિસ્તાન નથી. આ સમિટ 21-22 નવેમ્બરે થવાની છે. આવામાં સાઉદી અરેબિયાની સામે નોટ પર છાપેલા નકશાને બદલવાનું દબાણ રહેશે.

 

 

 

ભારત સામે ODI, T20I સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

બ્રિસ્બેનઃ ભારતીય ક્રિકેટ ટીમ સામેની આગામી વન-ડે ઈન્ટરનેશનલ્સ તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમોની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ક્રિકેટમાં, ખાસ કરીને શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કરનાર બેટ્સમેન કેમરન ગ્રીનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટીમના 21-વર્ષના ગ્રીને શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટની બે મેચમાં અનુક્રમે 158 અને 197 રનના ખેલેલા દાવને કારણે ઓસ્ટ્રેલિયાના પસંદગીકારો એને ટીમમાં સામેલ કરવા આગ્રહી બન્યા.

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આવતી 27 નવેમ્બરથી શરૂ થશે. આઈપીએલ-2020 સ્પર્ધા પૂરી થયા બાદ તરત જ ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.

કેમરન ગ્રીન ઉપરાંત મોઈઝીસ હેન્રિક્સ ત્રણ વર્ષે ટીમમાં પાછો ફર્યો છે. મિચેલ માર્શ આઈપીએલ-2020માં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતાં ઈજાગ્રસ્ત થયો હોવાથી એની જગ્યાએ પસંદગીકારોએ હેન્રિક્સને ટીમમાં સામેલ કર્યો છે. હેન્રિક્સને ઘૂંટીની સર્જરી કરાવવી પડી હતી એટલે તે લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો હતો. હેન્રિક્સ છેલ્લે 2017માં ઓસ્ટ્રેલિયા વતી (ઈંગ્લેન્ડ સામે) વન-ડે મેચમાં રમ્યો હતો. એની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ ગુવાહાટીમાં હતી.

ગ્રીન અને હેન્રિક્સ ઉપરાંત આઈપીએલ-2020માં દિલ્હી કેપિટલ્સ વતી રમતા ડેનિયલ સેમ્સનો પણ 18-સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે. એણે ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ સ્પર્ધામાં પણ નોંધનીય દેખાવ કર્યો હતો.

ટીમમાં જેય રિચર્ડસનને સામેલ કરાયો નથી, જેણે ભારતીય ટીમ ગયે વખતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી ત્યારે વિરાટ કોહલીને ત્રણેય મેચમાં આઉટ કર્યો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પહેલાં 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે.

આ મેચો 27 નવેમ્બર, 29 નવેમ્બર અને 2 ડિસેમ્બરે અનુક્રમે સિડની, સિડની અને કેનબેરામાં રમાશે.

ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમાશે. આ મેચો 4, 6, 8 ડિસેમ્બરે અનુક્રમે કેનબેરા, સિડની, સિડનીમાં રમાશે.

આ બંને શ્રેણી પૂરી થયા બાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. ચાર ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ 17-ડિસેમ્બરથી એડીલેડમાં, બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં, ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં અને ચોથી તથા છેલ્લી ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.

ODI અને T20I, બંને સિરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ આ મુજબ છેઃ

ODI ટીમઃ આરોન ફિન્ચ (કેપ્ટન), શોન એબટ, એશ્ટન એગર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઈઝીસ હેન્રિક્સ, માર્નસ લેબુસેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

૨૯ ઓક્ટોબર ૨૦૨૦

૨૯ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 29/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

અને એ વાઘ નજીકના વાંસના જંગલમાં જતો રહ્યો…

તાડોબા અંધારી ટાઇગર રીઝર્વ એ થોડા વર્ષો પહેલા બહુ જાણીતું નામ ન હતું. પણ છેલ્લા 5-6 વર્ષોથી ખુબ સારુ ટાઇગર સાઇટીંગ (વાઘ દેખાવા) ના કારણે બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. 2019ના ડિસેમ્બરમાં અમે છ સફારી બુક કરી અને ચાર મિત્રો પહોચ્યાં તાડોબા અંધારી ટાઇગર રીઝર્વ –મોહરલી ગેટ. પહેલી પાંચ સફારી કરી જેમાંથી એકમાં પણ ટાઇગર સાઇટીંગ (વાઘ દેખાયો) નહી. છેલ્લા દિવસે સવારની છેલ્લી સફારીમાં અમે ફરવાનું શરુ કર્યુ. 

એજ સમયે જંગલમાં રોડ સાઇડ કન્ટ્રોલ્ડ સેફ્ટી ફાયર (જંગલમાં દાવાનળ ના લાગે માટે જંગલના રસ્તાની બે બાજુ સ્થાનિક મજુરો દ્વારા થોડા ફુટ ઘાસને બાળીને ઓલવી નાખે જેથી આગ ત્યાથી જલ્દી આગળ ન વધે) નું કામ ચાલતુ હતુ. અમારા ગાઇડને ટાઇગર રોર સંભળાઇ, જે અમે કોઇ એ સાંભળી નહોતી એટલે અમે આ સ્થાનિક મજુરોને પુછ્યું, ભાઇ આ વિસ્તારમાં વાઘની કોઇ માહિતી, મજુર કહે હમણાં નજીકની ટેકરી પર એક વાઘને રોરીંગ કરતા સાંભળ્યો છે, હવે અમે એ વાત માની ગયા કે અમારા ગાઇડ એ ખરેખર ટાઇગર રોર સાંભળી હતી. 

તાડોબાના બધા રસ્તા વન વે એટલે લગભગ પાંછ-છ કિમી ફરી અમે મજુરે કીધેલી જગ્યાએ પહોંચ્યા પણ કોઇ અણસાર નહીં, થોડું રોકાવાનું નક્કી કર્યુ, દસ-પંદર મિનીટ જીપ બંધ કરી બેસી રહ્યા. અચાનક એકી શ્વાસે ગાઇડ બોલ્યો  ટાઇગર”. નજીકની ઝાડી માંથી વાઘ બહાર આવ્યો અને ફરી રોરીંગ કર્યુ, લગભગ બે મીનીટ અમે આગળ ચાલ્યા અને બે જીપ વાઘની પાછળ આવી ગઇ, લગભગ 15 મિનીટ વાઘ રોડ પર ચાલ્યો અમે આગળ અને એ પાછળ, દસ-પંદર હેડ ઓન ફોટો મળ્યા અને પછી એ નજીકના વાંસના જંગલમા જતો રહ્યો. 

(શ્રીનાથ શાહ)