નવી દિલ્હીઃ પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે સાયબર ઠગાઈના એક મોટા કેસમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કંબોડિયામાં બેઠેલા સાયબર ગુનેગારોએ ભારતીય કાયદાની એજન્સીઓના અધિકારીઓ બનીને દિલ્હીમાં રહેતા 78 વર્ષીય નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટમાં કરી રાખીને તેમની પાસેથી રૂ. 2.19 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
DCP વિનીત કુમારે જણાવ્યું હતું કે પીડિતે ફરિયાદમાં કહ્યું હતું કે ગયા વર્ષના નવેમ્બરમાં તેમને લખનૌ પોલીસ હેડક્વાર્ટરથી સુમિત મિશ્રા હોવાનો દાવો કરનારી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને કહ્યું હતું કે મની લોન્ડરિંગના કેસમાં તેમના વિરુદ્ધ બે ધરપકડ વોરંટ બાકી છે.DCPના જણાવ્યા મુજબ પીડિતની ઉંમર વધુ હોવા અને પોલીસ સ્ટેશન જઈ શકતા ન હોવાને બહાને ઠગોએ ડિજિટલ રીતે ખોટો ધરપકડ કેસ નંબર તૈયાર કર્યો. ત્યાર બાદ પ્રેમકુમાર ગૌતમ નામના બીજા કોલરે પીડિતનો સંપર્ક કર્યો અને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. તેણે તેમની સંપત્તિની વિગતો માગી, જે પીડિતે આપી દીધી.
24 કલાક નજરકેદ
DCPએ આગળ જણાવ્યું હતું કે ફરિયાદીને 24 કલાક વોટ્સએપ વિડિયો કોલ દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેમને ઘર બહાર ન નીકળવા તેમ જ કોઈની સાથે સંપર્ક ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. પીડિત પર દબાણ બનાવવા માટે એક વ્યક્તિને વકીલ તરીકે નકલી CBI ઓફિસમાં પણ બેસાડવામાં આવ્યો હતો. અંતે 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે 70 વર્ષીય પીડિતને વિવિધ ખાતાઓમાં કુલ રૂ. 2,19,18,000 ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મંગળવારે મધ્ય પ્રદેશના બરવાણી સ્થિત તેના ગૃહનગરમાંથી 30 વર્ષીય દીપેશ પાટીદારને ધરપકડ કર્યો અને તેની પાસેથી રૂ. 1 કરોડ રોકડા જપ્ત કર્યા. તે ઇલેક્ટ્રોનિક સામાનની રિપેરિંગની દુકાન ચલાવતો હતો.આ ઉપરાંત 28 વર્ષીય અંશુલ રાઠોડ—જે લગ્ન પ્રસંગો માટે મ્યુઝિક સિસ્ટમ ભાડે આપતો હતો—તેની પણ એ જ સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન ઝાંસીમાં પ્લાસ્ટિક પ્લેટ બનાવતી એકમના માલિક 36 વર્ષીય શ્યામ બાબુ ગુપ્તા, મોટરસાયકલ એક્સેસરીઝની દુકાન ચલાવનાર 25 વર્ષીય રાઘવેન્દ્ર વર્મા અને લખનૌના એક હોટેલમાંથી B.Tech પ્રથમ વર્ષનો વિદ્યાર્થી 26 વર્ષીય દેવેશ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
હરિદ્વાર: તીર્થનગરી હરિદ્વારના કુંભ ક્ષેત્રમાં બિનહિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધની માગ વચ્ચે હરકી પૌડી પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડમાં હરકી પૌડીને ‘બિનહિન્દુ પ્રવેશ નિષેધ ક્ષેત્ર’ તરીકે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે બિનહિન્દુઓના પ્રવેશ પર રોકની સૂચના આપવામાં આવી છે. શુક્રવાર સવારથી હરકી પૌડીની વ્યવસ્થા સંભાળતી સંસ્થા ગંગા સભા દ્વારા બ્રહ્મકુંડ અને તેની આસપાસ આ બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડ ગંગા સભાને નામે નહીં, પરંતુ મ્યુનિસિપાલિટી બાયલોઝના હવાલાથી લગાવવામાં આવ્યાં છે.
વાસ્તવમાં, ગયા મંગળવારે બે યુવકો અરબી શેખની વેશભૂષામાં હરકી પૌડી પર ફરતા જોવા મળ્યા હતા, જેમની તસવીરો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. ગંગા સભા સાથે જોડાયેલા તીર્થ પુરોહિતોનું કહેવું છે કે પહેલેથી અસ્તિત્વમાં રહેલા નિયમોના આધારે આ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જેથી લોકો હરકી પૌડી વિસ્તારમાં પ્રવેશના નિયમો વિશે જાગ્રત થઈ શકે.
પોસ્ટર લગાવવાનો હેતુ શો છે
હરિદ્વારના તીર્થ પુરોહિત ઉજ્જવલ પંડિતે જણાવ્યું હતું કે બોર્ડ લગાવવાનો હેતુ માત્ર એટલો છે કે દરેકને અહીંના નિયમો અને મર્યાદાઓની જાણ રહે. અગાઉ પણ આવાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ કેટલાંક નુકસાન પામ્યાં હતાં. અમારો ઉદ્દેશ એ છે કે સનાતન ધર્મના આ પવિત્ર સ્થળ પર આવનારી દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે અહીં કયા નિયમો લાગુ પડે છે અને કયા ધર્મના લોકોનો અહીં પ્રવેશ યોગ્ય છે.
હરિદ્વારમાં આગામી વર્ષે યોજાશે કુંભ મેળો
હરિદ્વારમાં કુંભ મેળો આગામી વર્ષની શરૂઆતમાં યોજાવાનો છે. નીતિન ગૌતમનું કહેવું છે કે હરિદ્વાર નગર નિગમના જૂના બાયલોઝમાં આવા નિયમોનો ઉલ્લેખ મળે છે. આ નિયમો વર્ષ 1916માં બનાવવામાં આવ્યા હતા, જ્યારે દેશમાં બ્રિટિશ શાસન હતું. આ નિયમોનો હેતુ હરિદ્વારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાનો હતો. તેના હેઠળ હરકી પૌડી અને આસપાસના ધાર્મિક વિસ્તારોમાં બિનહિન્દુઓને જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં, સૂર્યાસ્ત પછી કોઈપણ ગેર-હિન્દુ દુકાનદાર અથવા વેપારીને ત્યાં રોકાવાની મંજૂરી નહોતી.
અમેરિકાના આટલાન્ટા નજીક આશરે સાડાસાત હજારની વસતીવાળી, પર્વત-સરોવર-હરિયાળાં મેદાનના ખોળે વસેલી રળિયામણી ડેહલોનેગા નગરીનું ગાઢ જંગલ. જંગલમાં પાર્ક્ડ કારના બોનેટ પર એક લોહીલુહાણ જુવાન સ્ત્રી ચત્તીપાટ પડી છે. રાચેલ નામની એ સ્ત્રીના હાથની આંગળીઓ પર કૅમેરા ફોકસ થાય ત્યારે આપણે જોઈએ છીએ કે એમાં થોડો જીવ છે…
સીન કટ્ થાય છે ને પરદા પર બીજી એક સ્ત્રી (આના) લગભગ દોડતી ઘરે આવે છે. એ ગભરાયેલી છે, રઘવાટમાં છે. એ શરીર પરથી લોહીના ડાઘા સાફ કરે છે, વાઈનનો બાટલો મોંએ માંડે છે, કોફી ટેબલ પર પડેલાં કાગળના ઢગલા, ચીજવસ્તુઓ ગાર્બેજ બૅગમાં ઠાલવી રસ્તા પરના ડસ્ટબિનમાં પધરાવે છે.
-અને બૅકગ્રાઉન્ડમાં અવાજ આવે છેઃ એક વાત બે જણ રજૂ કરે ત્યારે એક જ વાતની બે બાજુ રજૂ થાય. આનો અર્થ એ કે બેમાંથી એક જુઠ્ઠું બોલી રહ્યું છે.
તે પછી દર્શક હીરો જેક, પોલીસ ડિટેક્ટિવની સવાર જોય છે. એ ઊઠીને પાંચ-છ વર્ષની મીઠડી ભાણેજ સાથે મસ્તીમજાક કરે છે, કિચનમાં આવી ભાણી માટે બ્રેકફાસ્ટ તૈયાર કરે છે, જંગલમાં રાચેલની લાશના સમાચાર મળતાં એ એની પાર્ટનર પ્રિયા પટેલ (સુનીતા મણિ) સાથે ક્રાઈમ સીન તરફ ધસી જાય છે.
આ છે હિઝ ઍન્ડ હર્સનો ઉપાડ. 40-45 મિનિટનો એક, એવા છ એપિસોડ્સની અંત સુધી ઉત્કંઠા જાળવી રાખતી, નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થેયલી આ સિરીઝ હાલ ચર્ચામાં છે.
સિરીઝના એક્ટર્સ જબરદસ્ત છે. ‘ધ બેર’થી પ્રસિદ્ધ થયેલો જોન બર્ન્થલ અહીં ડિટેક્ટિવ જેક હાર્પરના રોલમાં છે, જે રાચેલ મર્ડર કેસનો ઈનચાર્જ ડિટેક્ટિવ છે. ટેસા થૉમ્પસન બની છે આના એન્ડ્ર્યુસ. એ WSK ટીવીની ફેમસ ન્યુસ એન્કર હતી, પણ લગ્નજીવનમાં ભંગાણ તથા એક ટ્રેજેડી બાદ એણે એકાદ વર્ષનો બ્રેક લીધો છે. સિરીઝના પહેલા એપિસોડમાં આપણે જોઈએ છીએ કે, બ્રેક બાદ એ પાછી નોકરી પર આવી છે, પણ એની જગ્યા રૂપાળી-નખરાળી લેક્સીએ લઈ લીધી છે. આનાને લાગે છે કે રાચેલ-મર્ડર કેસથી એ પોતાની કરિયર ફરીથી સેટ કરી શકે. મર્ડર-કેસનું રિપોર્ટિંગ પોતે કરશે એવું એ ટીવીચેનલના હેડને મનાવી લે છે.
હવે જુઓ વળાંકઃ જેક-આના તો પતિ-પત્ની છે, અત્યારે નોખાં રહે છે. આના કૅમેરામેન રિચાર્ડ સાથે ફરે છે એ જેકને પસંદ નથી. રિચાર્ડ નખરાળી લેક્સીનો પતિ છે.
રાચેલ-મર્ડરની તપાસ ચાલી રહી હોય છે ત્યાં જ રાચેલની ફ્રેન્ડ હેલેનનું પણ મર્ડર થાય છે. આ સાથે આનાને જૂના સ્કૂલના દિવસો યાદ આવે છે અને આપણને ખબર પડે છે કે સ્કૂલમાં રાચેલ-હેલેન-ઝો માથાભારે ત્રિપુટી તરીકે કુખ્યાત હતી. ત્રણેવ સ્કૂલમાં આના અને બીજી એક છોકરી કેથરિનનું બુલિઈંગ કરતી, એમને પજવતી. રાચેલ ‘મીન ગર્લ’ હતી (એટલી ખરાબ કે સ્કૂલની કેન્ટીનમાં કેથરીનને કોકા કોલામાં પેશાબ પીવડાવી). રાચેલ-મર્ડરકેસનો મુખ્ય ઈન્વેસ્ટિગટેર જેક પત્ની આના સાથેનાં લગ્નમાં તિરાડ પડતાં મોટી બહેન ઝો અને એની નાનકી દીકરી (એટલે જેકની ભાણી) સાથે રહે છે.
તો હવે શંકાની સોય કોના પર? આના પર? કારણ એ શરૂઆતમાં લોહીવાળી હાલતમાં દેખાઈ હતી અને એ રાચેલ, હેલેન સાથે ભણતી. જેક પોતે? જે પોતાના DNA સૅમ્પલ આપવા તૈયાર નથી કેમ કે એને મૃત રાચેલ સાથે સેક્સસંબંધ હતા. રાચેલનો ધનાઢ્ય પતિ? કેમ કે રાચેલ એને છેતરતી હતી. જેકની પાર્ટનર પ્રિયા પટેલને જેક પર જ શંકા છે, કારણ કે એ હત્યાના પુરાવા સાથે છેડછાડ કરી રહ્યો છે. પ્રિયાને લાગે છે કે જેક પોતાના તરફથી ધ્યાન બીજે હટાવવા રાચેલના પતિને ફસાવી રહ્યો છે.
આ બધાં વચ્ચે ફૅમિલી ડ્રામા છે. જેકની આલ્કોહોલિક બહેન, સિંગલ મધર ઝો છે, આનાની વૃદ્ધ માતા છે, જેને ભૂલવાની બીમારી છે.
-અંતે ખૂન કોણે કર્યાં એ રહસ્ય છતું થાય છે ત્યારે આપણાં મોં ખુલ્લાં રહી જાય છે. ક્લાઈમેક્સ, એન્ટી ક્લાઈમેક્સ વિચિત્ર છે, પરંતુ દર્શકે કલ્પી ન હોય એવી પણ છે. વાર્તામાં વળાંક ઘણા છે, જે ક્યારેક અજીબ લાગે, પણ જોવાની મજા આવશે.
વિલિયમ ઓલ્ડ્રોઈડનું ડિરેક્શન મસ્ત છે, ડાયલોગ્સ ઠીકઠાક છે. લેખન ક્યાંક ક્યાંક નબળું પડે છે. જેમ કે જેક દુનિયાનો સૌથી ઠોઠ ડિટેક્ટિવ લાગે છે. એના અમુક સીન તો અકારણ કોમિક બની ગયા છે. એવું જ આના અને એના કેમેરામેનનું પણ છે. આખી સિરીઝમાં જો કોઈ સમજદાર, ઠરેલ હોય તો એ જેકની પાર્ટનર પ્રિયા પટેલ છે. વળી આજના સમયમાં મોબાઈલ ફોન સ્વિચઓન થાય તો તરત એનું પગેરું મળી જાય એટલી સાદી વાત સિરીઝના લેખકોને કેમ ખબર નહીં હોય?
તો, સિરીઝ જોવી કે નહીં? જો જાન્યુઆરીની સુસ્ત સંધ્યાએ તમારી પાસે કરવા જેવું ખાસ કંઈ નથી અને ઉત્તરાયણવાળા વીકએન્ડની રજાનો મૂડ છે તો ઊંધિયું-જલેબી લઈને બેસી જાઓ ટીવી સામે. પાંચ કલાક વેડફાઈ ગયા જેવું તો નહીં જ લાગે! ‘હિઝ એન્ડ હર્સ’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે રાજ્યની 29 મહાનગરપાલિકાઓમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં 26 શહેરોમાં ભાજપ અને તેના સાથી પક્ષો આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી મળેલા રુઝાનો મુજબ BMCમાં ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી આગળ છે, જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરેની જોડીએ પણ પુરજોશમાં પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસની આશા દીપક કાલેએ પ્રથમ અધિકૃત જીત નોંધાવી છે અને વોર્ડ નંબર 183માંથી જીત મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીનાં પરિણામો આવનારા દિવસોમાં રાજ્યના રાજકીય ભવિષ્યની દિશા નક્કી કરશે.
આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ભવિષ્ય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી (MVA) માટે પોતાની જમીની પકડ સાબિત કરવાનો લિટમસ ટેસ્ટ પણ માનવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી રુઝાનોનો સંપૂર્ણ ટ્રેન્ડ
કુલ 2869 વોર્ડમાંથી 1092ના રુઝાનો સામે આવ્યાં છે:
* ભાજપ – 509
* શિવસેના (શિંદે) – 150
* કોંગ્રેસ – 150
* શિવસેના (ઠાકરે) – 71
* એનસીપી (અજિત) – 64
* એનસીપી (શરદ) – 07
* AIMIM – 25
* MNS – 06
કોલ્હાપુરમાં કોંગ્રેસની જીતનો ઉત્સવ શરૂ
કોલ્હાપુરમાં કોંગ્રેસ ઉમેદવારોની જીતને લઈને ઉજવણીનો માહોલ છે. કસબા બાવડા વિસ્તારમાં ગુલાલ ઉડાવીને જીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.આ જીત બાદ સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં 893 વોર્ડ અને કુલ 2869 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. તેમાં બીએમસી, પુણે, કલ્યાણ-ડોમ્બિવલી, ઠાણે અને મીરા-ભાયંદર જેવી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. 15 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને આજે તેના પરિણામો આવી રહ્યાં છે. મહાયુતિથી લઈને ઉદ્ધવ ગઠબંધન, રાજ ઠાકરેથી લઈને કોંગ્રેસ સુધી – આ ચૂંટણીનાં પરિણામો તમામ માટે મહત્વપૂર્ણ છે. અહીં સૌથી વધુ ચર્ચા બીએમસીની થઈ રહી છે, કારણ કે તેના પાસે વિશાળ બજેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી બીએમસીમાં શિવસેનાનું શાસન રહ્યું છે, પરંતુ આ વખતનાં બદલાયેલાં રાજકીય સમીકરણોમાં ચૂંટણી યોજાઈ હોવાથી, આ ચૂંટણી દરેક પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. અહીં હિંદુઓને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં આવી રહી છે અને તેમનાં ઘરો સળગાવવામાં આવી રહ્યાં છે, પરંતુ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ ઘોર નિદ્રામાં છે. બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુ પર હુમલો થયો છે. આ ઘટના સિલ્હેટ જિલ્લાના ગોયાઇનઘાટ વિસ્તારના નંદિરગાંવ યુનિયનના બહોર ગામની છે. અહીં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક હિંદુ પરિવારના ઘરમાં હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ બિરેન્દ્ર કુમાર દેના ઘરને આગ ચાંપી હતી.
જુઓ વિડિયો
બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓના આ કરતૂતનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે આગ લાગ્યા બાદ તે ઝડપથી ઘરમાં ફેલાઈ જાય છે. પરિવારના લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આગને કારણે ઘર સંપૂર્ણ રીતે ખાખ થયું હતું.
હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM) સંસ્થાએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયો પર વધી રહેલી હિંસા પર સતત નજર રાખી છે. સંસ્થાએ છેલ્લા સાત મહિનામાં 100થી વધુ મોતનું દસ્તાવેજીકરણ કર્યું છે. HRCBMનો આરોપ છે કે આ હિંસા કોઈ છૂટક કે અલગ-અલગ ઘટનાઓ નથી, પરંતુ અલ્પસંખ્યકોને વ્યવસ્થિત રીતે નિશાન બનાવતી દેશવ્યાપી પેટર્ન છે.
રિપોર્ટ મુજબ, 6 જૂન 2025થી 5 જાન્યુઆરી 2026 વચ્ચે બાંગ્લાદેશના તમામ 8 ડિવિઝન અને ઓછામાં ઓછા 45 જિલ્લાઓમાં 116 અલ્પસંખ્યકોનાં મોત થયાં છે, તેમાં લિન્ચિંગ, હત્યા અને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયેલા મોતનો સમાવેશ થાય છે। આ કોઈ સ્થાનિક કે સંયોગવશ થયેલી હિંસા નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હિંસા છે, જેની પેટર્ન સમગ્ર દેશમાં જોવા મળે છે.
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મહારાષ્ટ્રભરના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સવારે 10 વાગ્યે મત ગણતરી શરૂ થઈ, જેમાં ભાજપ નોંધપાત્ર રીતે આગળ છે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે હવે બીએમસી પરિણામો પર નિવેદન જારી કર્યું છે.
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ (મહાગઠબંધન) મોટાભાગના મતવિસ્તારો પર પ્રભુત્વ ધરાવે છે. રાજ્યની સૌથી મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ભાજપ-શિવસેના ગઠબંધન આગળ છે. ચૂંટણી પરિણામો અંગે રાજકીય પક્ષો તરફથી હવે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. શિવસેનાના યુબીટી સાંસદ સંજય રાઉતે મુંબઈ જેવા શહેરમાં મતદાન પેટર્નને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે BMC ચૂંટણીઓ પર કહ્યું, “મુંબઈ જેવા શહેરમાં મતદાન પેટર્ન એક ગંભીર બાબત છે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા હજારો લોકો એવા વિસ્તારોમાંથી ગાયબ છે જ્યાં શિવસેના (UBT), MNS અથવા કોંગ્રેસ સત્તામાં છે. EVM મશીનો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. ચૂંટણી પંચ અમારી વાત સાંભળવા તૈયાર નથી. ગઈકાલે, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટણી પંચના કર્મચારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. શા માટે? આચારસંહિતા હજુ પણ અમલમાં છે.”
તેમણે એમ પણ કહ્યું, “મતદાનની ટકાવારી ખબર પડે તે પહેલાં જ એક્ઝિટ પોલ બહાર આવી ગયા. ભાજપે પોતાની જીતની ઉજવણી શરૂ કરી દીધી. અમે લોકોને ડરવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે.”
મુંબઈમાં BMCની 227 બેઠકો માટે મત ગણતરી માટે 23 મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર એક સમયે બે વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે. આ રીતે એક સમયે 46 વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે. આ પછી, આગામી 46 વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને 2029 ની વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. રાજકીય પક્ષો માટે મ્યુનિસિપલ ચૂંટણીઓ પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઠાકરે ભાઈઓ 20 વર્ષ પછી એક સાથે આવ્યા છે, ત્યારે રાજ્યમાં સરકારી ભાગીદારો મ્યુનિસિપલ ચૂંટણીઓમાં એકબીજાની સામે છે. ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે લગભગ 53 ટકા મતદાન થયું હતું.
બે મહિના પૂર્વે આર્જેન્ટિનાની રાજધાનીમાં, બુએનોસ આઈરેસમાં ભટકતાં હતાં. ગાઈડ જોડે હતી, તેને ઘણું બધું બતાવવું હતું. પરંતુ અમારી પાસે સમય નહોતો. આમ જોવા જઈએ તો અમે બંને બીજી વાર અહીં આવવાને કારણે ખાસ્સું શહેર યાદ હતું. ફાસ્ટ ફોર્વર્ડ રીતે તે અમને નાના નાના સ્ટોપ્સ આપતી હતી. તેને કહ્યું, `ઈવા પેરોને જે ભાષણ કર્યું હતું, જે ગેલેરીમાંથી તે બોલી હતી ત્યાં અમને લઈને ચાલ. ‘ફૂટબોલ અને ઈવા પેરોન આર્જેન્ટિનાના જાણે ભગવાન જ બની ગયાં છે. ત્રણ વાર રાષ્ટ્રાધ્યક્ષ રહેલા હુઆન પેરોનની તે પત્ની. `ફર્સ્ટ લેડી ઓફ આર્જેન્ટિના. તેણે ફર્સ્ટ લેડી હોવાનો રુઆબ છાંટવા સાથોસાથ તે માટે ઘણું બધું કામ પણ કર્યું. ગરીબોનો વિચાર કરનારી, તેમને તેમના હક મેળવી આપવા મનઃપૂર્વક પ્રયાસ કરનારી, મહિલાઓને ચૂંટણીમાં મતદાનનો હક મેળવી આપનારી ઈવા પેરોન ભગવાન બની નહીં હોત તો જ નવાઈ. તેની પર એક ફિલ્મ પણ આવી હતી, `એવિટા’ જેમાં મેડોનાએ કામ કર્યું હતું અને તેમાંનું `ડોન્ટ ક્રાય ફોર મી આર્જેન્ટિના’ ગીત બહુ ગાજ્યું હતું. અર્થાત ઈવા પેરોન અને મેડોના આ બે પર્સનાલિટીઝમાં વિરોધાભાસનો આર્જેન્ટિનિયન લોકોએ વિરોધ કર્યો. તેમણે તે ફિલ્મને, એટલે કે, મેડોનાનો પ્રચંડ વિરોધ કરીને આ ફિલ્મ લગભગ ફ્લોપ કરી દીધી હતી. તેમના મતે `અમારી ઈવા પેરોન ક્યાં અને મેડોના ક્યાં. વારુ, તો આવી આ ઈવા પેરોનની તે જગપ્રસિદ્ધ બારી જોવા માટે અમે પહોંચ્યાં
`કાસા રોસાદા’ નામે ગુલાબી રજવાડા નજીક. અત્યંત સુંદર, આર્જેન્ટિનાની સ્વાતંત્ર્યની લડાઈ, રાજકારણ, ક્રાંતિ અને સંઘર્ષનું સાક્ષીદાર આ રજવાડું જોયા પછી એક ફોટો તો બનતા હૈ. ગાઈડે તેની પાર્શ્વભૂમાં અમારો ફોટો કાઢ્યો અને અમે નીકળ્યાં અમારા વાહન તરફ. તે `પ્લાઝા દે માયો’માં જ્યાં આ રજવાડું છે તેની સામે જ એક મોટ્ટું સ્ટેચ્યુ છે આર્જેન્ટિનાના ફાઉન્ડર્સમાંથી મેન્યુઅલ બેલગ્રાનોનું. તેના વિશે મહત્ત્વની માહિતી સાંભળતી વખતે તેના સ્ટેચ્યુના પગથિયા પાસે ધ્યાન ગયું. સ્ટેચ્યુ જે ચબુતરા પર ઊભું હતું ત્યાં ઘણા બધા નાના નાના પથ્થરો મૂકેલા હતા અને તે પથ્થરો પર કાંઈક લખાણ હતું. આવું દ્રશ્ય તો હું પહેલી વાર જોતી હતી. આ નાના પથ્થરો અહીં હોવાનું કારણ શું હોઈ શકે? અમારી ગાઈડ માર્સેલ્લાને પૂછ્યું, `આ શું છે?’ તેની પર તેના ઉત્તરથી હું છક થઈ ગઈ, નિઃશબ્દ બની ગઈ. `કોવિડ 19 પેન્ડેમિકમાં અમારા જે જે લોકોએ- સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા, તેમનું સ્મૃતિચિહન તરીકે આ પથ્થર ત્યાં છે. અર્થાત કોવિડ મૃત્યુને બરોબર હાથ નહીં ધરાયું હોવાથી લોકોએ પ્રોટેસ્ટ માર્ચ પણ કર્યું હતું.
તેમના આપ્તજનોને ગૂડબાય કરવા માટે તેમણે આ પથ્થરોના સ્મૃતિચિહનની માગણી કરી હતી. તે દરેક પથ્થર પર કોરોના મહામારીમાં ભોગ બનેલી વ્યક્તિનું નામ, જન્મતારીખ અને મૃત્યુ દિવસ લખેલા હતા. અમુક પથ્થરો પર ફક્ત ચિહન હતું. તેમના કુટુંબને જે રીતે તેમના આપ્તજનોની યાદ ત્યાં જીવંત રાખવાની હતી તે જ રીતે તેમણે પથ્થર પર સ્મૃતિ કોતરી હતી. કોઈ પણ શિલાલેખ નહીં, કોઈ પણ મોટી સમાધી નહીં. ફક્ત એક નાનો પથ્થર, જેના દ્વારા તે દરેકનું જીવન, એક કુટુંબ, એક કથા તે ઠેકાણે જીવંત રાખી હતી. કોવિડનો મહામુશ્કેલ સમય આપણે કોઈ પણ ભૂલી નહીં શકીએ. દરેકે કોઈકને ગુમાવ્યા. ડર એટલે શું તે અનુભવ્યું, અનિશ્ચિતતાનો સામનો કર્યો, જે ક્યારેય ભુલાશે નહીં. જો કે દરેકના સ્મરણની શૈલી અલગ અલગ. જનરલી સર્વત્ર યુદ્ધ સ્મારકો, શહીદ સ્મારકો ઊભાં કરાય છે તે મોટા લોકોના અને શહીદ જવાનોના અને તે સ્મારક હોવું જરૂરી હોય છે. આ સ્મારકોના રૂપમાં તે ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે જીવંત રહે છે. જો કે સામાન્ય માણસોના જીવનનું સ્મરણ અનેક વાર ભુલાઈ જવાય છે. `પ્લાઝા દે માયો’ના આ સ્મૃતિપૂર્ણ પથ્થર મને કહેતા હતા, `અમે હતા, અમારું અસ્તિત્વ હતું, હવે શોક નહીં કરો, શું બની શકે તેનો ઈશારો કોવિડે આપ્યો છે. તેમાંથી શીખો, પ્રેરણા લો અને હવે સર્વશક્તિ સાથે તમે આગળ વધતા રહો.’ શરીર પર કાંટો ઊભો રહ્યો અને આંખોમાં પાણી આવ્યા. સમયના પ્રવાહમાં પણ આ નાના નાના પથ્થરો ટકી રહેશે સ્મૃતિચિહન તરીકે, કારણ કે તે પથ્થર ફક્ત ખુલ્લા ચબુતરા પર નહોતા પરંતુ તેને વ્યવસ્થિત લોખંડની વાડ હતી. એકાદ મોટા ભાષણમાં પણ નહીં હોય તેટલી પ્રચંડ તાકાત તે નાના પથ્થરોમાં હતી, જે ઘણું બધું આપી ગઈ, ભાન જાગૃત કરી ગઈ. આપણે જીવંત છીએ એ જ મોટું વરદાન છે. આપણે સપનાં જોઈએ છીએ, કામ કરીએ છીએ, કુટુંબ ઘડીએ છીએ, પ્રવાસ કરીએ છીએ, એકબીજાને મળીએ છીએ તે આપણું ભાગ્ય જ છે. કોવિડમાં મૃત્યુ પામેલાઓએ આપણને આ જ શીખવ્યું છે, `જીવન ક્યારેય અટકી નહીં શકે, પરંતુ તેનું સ્મરણ અટકાવો નહીં અને જીવનની દરેક પળનું જતન કરો, તેને નિખારો, તેનું સોનું કરો.’ મને આર્જેન્ટિનિયન ગવર્નમેન્ટ વિશે સારું લાગ્યું કે કોવિડમાં ભોગ બનેલા લોકો કોઈ પણ પદ પર નહોતા, એકદમ સામાન્ય હતા, પરંતુ આ ચબુતરા પર તેમના જીવનને તેમણે સન્માનિત કર્યા અને રાષ્ટ્રની સ્મૃતિમાં તેની નોંધ કરાઈ.
એક સાદો પથ્થર ક્યારેક રસ્તા પર પગથી લાત મારીને આપણે બાજુમાં ફેંકીએ છીએ અને તે જ પથ્થર આવી સ્મૃતિ બનાવી આપણે હાથ જોડવા માટે ફરજ પાડે છે. નાનપણમાં ઝાડ પરથી ફળો પાડવા આપણે પથ્થરો ફેંકતાં અને તેવા જ પથ્થરમાંથી ઘડેલી મૂર્તિને મંદિરમાં મનઃપૂર્વક પૂજવા જતાં અથવા આજે પણ જઈએ છીએ. એકાદ માણસનો આપણે જાણ્યેઅજાણ્યે `પથ્થર’ તરીકે ઉલ્લેખ કરીએ છીએ તેને કશું સમજાતું નથી તેથી. આથી પરથી પથ્થરની આપણે કેટલી અવગણના કરીએ છીએ તે ધ્યાનમાં આવે છે. જોકે કદાચ તે માણસ અથવા તે પથ્થર આપણને કહેતો હોય છે, `મારાં અલગ અલગ રૂપ છે. એક જ માપમાં મને તોલશો નહીં.’ અને તે સાચું જ છે. મારા બુએનોસ એઈરિસથી મુંબઈ પ્રવાસમાં પથ્થરોએ રચેલો ઈતિહાસ આંખો સામે લાવી દીધો અને મને પથ્થરનું મહત્ત્વ ખાસ્સું સમજાઈ ગયું. હવે પથ્થરને લાત મારતી વખતે અથવા કોઈને પણ `પથ્થર’ પદવી બહાલ કરતી વખતે હું હજાર વાર વિચાર કરીશ.ચાર વર્ષ પૂર્વે હમ્પીમાં ગઈ હતી. સેંકડો વર્ષ પૂર્વેની આ વિજયનગરની રાજધાની, મહાકાય પથ્થરોની મોટી મોટી ટેકરીઓમાં વસેલી. ત્યાંની બજારો, મંડપ, રજવાડાં, મ્યુઝિકલ પિલર્સ આ સર્વનો ઈતિહાસ જોઈને, સાંભળીને નતમસ્તક થવાનું મન થાય છે. ધ્વંસ થયું હોવા છતાં તે જગ્યા આજે પણ એકાદ મહેફિલના પ્રતિધ્વનિની જેમ વસેલી લાગે છે. અજિંઠાની બૌદ્ધ ગુફાઓ, દીવાલ પર કોરેલાં ચિત્રોમાં અને શિલ્પોમાં પેઢી દર પેઢી સંભળાવતી કથા, એલોરાનું એક જ પથ્થરમાંથી કોરી કાઢેલું જગપ્રસિદ્ધ કૈલાસ મંદિર જોઈને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ. આ બધું તેમણે કઈ રીતે સાકાર કર્યું હશે. તે પણ એવા સમયમાં જ્યારે આપણને આજે ઉપલબ્ધ છે તેવાં કોઈ પણ સુવિધાસાધન ઉપલબ્ધ નહોતાં? આ પ્રશ્ન આપણને અચૂક થાય છે. સમ્રાટ અશોકના સમયમાં ઉદય પામેલા સાંચીના સ્તુપની પ્રદક્ષિણાનું મહત્ત્વ સમજાવીને કહે છે અને ચલણનો અર્થ આપણને જ્ઞાત કરી આપે છે. આ જ રીતે કોણાર્કનો અશોકસ્તંભ અથવા ધર્મચક્ર કોરેલા પથ્થર સંદેશસ્તંભ સત્તા અને સદાચારનું એક નિશાન તરીકે સતત આપણી સામે દીપસ્તંભની જેમ ઊભો છે. ગુજરાતમાં `રાની કી વાવ’ ખાતે તમે ક્યારેય ગયા છો? અગિયારમી સદીમાં આ બાવડી બંધાઈ હતી. દક્ષિણ ભારતના ગોપુરાનું અથવા મિનારાનું એકાદ ઊંચું ભવ્ય મંદિર જો આપણે ઊલટું, એટલે કે, અપસાઈડ ડાઉન કર્યું તો કેવું દેખાશે, તેવો જ અદભુત કૂવો જેને `રાની કી વાવ’ કહેવાય છે તે બાંધ્યો. સાત પ્રકારની ગેલેરી, પાંચસોથી વધુ શિલ્પ આપણને ઘેરો ઘાલે છે. તેમણે તે સમયે શું શું નિર્માણ કર્યું અને આજે આપણે શું કરી રહ્યા છીએ તેમાંનો ફરક આપણી આંખોમાં અંજન આંજે છે. પથ્થરોને દિવ્યસ્ત પ્રાપ્ત કરીને આપનારા તે શિલ્પકારો, તેમની પાછળના તે સમયના રાજા- રાણી બધાં જ અદભુત, અફલાતૂન અને આપણા આકલનની પારનાં છે.આજના સમયમાં આ કામ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામના સ્વરૂપમાં અને અમુક પ્રમાણમાં બિર્લા મંદિરોએ કર્યું છે. ભાવિ પેઢીઓ કહી શકશે કે આવો નાનો ઈતિહાસ તેમના દ્વારા નિર્માણ થઈ રહ્યો છે તેનું શ્રેય તેમને આપવું ઘટે. દુનિયાની પીઠ પર પણ પથ્થરોએ પ્રચંડ મોટું કામ કરી રાખ્યું છે ભવિષ્યની અનેક પેઢીઓ માટે. ઈજિપ્તના પિરામિડ્સની કથા પણ આર્જેન્ટિનાની કોરોના સ્મૃતિની જેમ અલગ અલગ પ્રદેશમાંથી મજૂરોને ખેંચીને વહાવી લાવેલા અજસ્ત્ર પથ્થરો શિલાઓએ બાંધેલા આ અતિભવ્ય આર્કિટેક્ચરલ વંડર્સ `આ રાજા અહીં રાજ્ય કરીને ગયા’ તેનું શાશ્વત પ્રતીક છે. ફ્રજાઈલ, સતત બદલાતી દુનિયામાં આપણા અસ્તિત્વનું નિશાન કાયમી સ્વરૂપે રહેવા માટે કરેલા આ તેના પ્રયાસ આપણને ત્યાં જઈને તે જોવા પ્રેરિત કરે છે. કોણે નિર્માણ કર્યું? શા માટે કર્યું? ક્યારે કર્યું? તેની ઝાઝી માહિતી ઉપલબ્ધ નહીં ધરાવતા બ્રિટનમાંના `સ્ટોન હેંજ’ નામે અનેક અજસ્ત્ર પથ્થરોએ મળીને બનાવેલું શિલ્પ, આ કદાચ આદિમાનવોના અવકાશમાંની અકલ્પનીય વાતોથી બચાવ કરવા માટે ભગવાન સાથે કરેલો સંવાદ હોવો જોઈએ, તેમની પ્રાર્થના ત્યાં સુધી પહોંચાડવાનો તે પ્રયાસ હોવો જોઈએ એવું માનવામાં આવે છે. અનેક રાજવંશોએ મળીને, દેશના રક્ષણ માટે પથ્થર પર પથ્થર રચીને બાંધેલી ચીનની દીવાલ, તેની પરના વોચટાવર્સ બીક્નસ અને ઘાટના માથાને લીધે દુનિયાને ચીનની શક્તિનું અને સતર્કતાનું આહવાન દર્શાવતી એક મહાકાય ભૂશિલ્પ બની બારમી સદીમાં પથ્થર શિલાઓમાં બાંધેલું, વિષ્ણુને સમર્પિત કરેલું કમ્બોડિયાનું અંગકોરવાટ મંદિર આજે પણ ભારતીયોને એકાદ તીર્થસ્થળ જેવું લાગે છે.
પથ્થરોએ રચેલો આવો અનોખો ઈતિહાસ આપણને દરેક દેશમાં અચંબિત કરે છે. ટર્કીનું ગ્લોબેક્લી ટેપે, ચિલેનું મોઆઈ- રાપા નુઈ, જોર્ડનનું પેટ્રા, ઈન્ડોનેશિયામાંનું બોરબોદૂર અથવા બાલીમાં આપણે અયુગ નદીમાં રાફ્ટિંગ કરતી વખતે બાજુના પથ્થરોની પગાડીઓ પર કોતરવામાં આવેલું રામાયણ, મેક્સિકોનું માયન સામ્રાજ્યનું પ્રતીક ચિચેન ઈટ્ઝા, પેરુમાં માચૂ પિચૂ અને ત્યાંના મોર્ટાર સિવાય જોડાતી ડ્રાય સ્ટોન રચના, ઊંચું સિટાડેલ, ફ્રાન્સના મહાકાય કાર્માક સ્ટોન, જેરુસલેમની વેસ્ટર્ન/ વેલિંગ વોલ એમ અનેક અફલાતૂન અવિશ્વસનીય બાબતોથી દુનિયા ભરચક અને ઊભરે છે. આપણે તેમાંથી કેટલું લેવાનું તે આપણી પર છે.મને લાગે છે કે પથ્થર એટલે ફક્ત `પથ્થર’ નહીં પણ તે છે રેઝિલિયન્સનું પ્રતીક, મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત, જેમ કે, પાસાં પાડીએ તે અનુસાર જોનારાના દ્રષ્ટિકોણ ફેરફાર ઘડનારી એક એડોપ્ટેબલ વસ્તુ. પથ્થર આપણને કહેતો હોય છે, બધું બદલાતું રહેશે, આજનો દિવસ, હાલની ક્ષણ ફરી આવશે નહીં, પરંતુ હું એક પ્રતીક તરીકે સતત તમારી સામે- ભાવિ અનેક પેઢીઓની સામે દીપસ્તંભની જેમ ઊભો હોઈશ તમને ઈતિહાસની શીખ આપતા અને ભવિષ્યકાળનો માર્ગ બતાવતા. આગળ વધતા રહો.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સામેનું પ્રદર્શન હવે હિંસક બની ગયું છે. ગુરુવારે ઉત્તર દિનાજપુરના ચાકુલિયામાં ગુસ્સે ભરાયેલી ભીડે BDO (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર)ની કચેરીમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી. આ તોડફોડ અને આગજનીમાં અંદાજે 20 લાખ રૂપિયાની સરકારી સંપત્તિનું નુકસાન થયું છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ચાકુલિયા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ ઘાયલ થયા છે. ભારે હોબાળા બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. બબાલ બાદ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે આ મામલે ચાકુલિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે શું જણાવ્યું?
આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના ચીફ ઇલેકશન ઓફિસર (CEO)એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સુજોય ધર, WBCS (Exe.), BDO ગોલપોખર-2 અને AERO ગોલપોખર વિધાનસભા ક્ષેત્રે ચાકુલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે ઉપદ્રવી તત્ત્વોની ભીડે BDO કચેરીમાં તોડફોડ કરી, જેને કારણે આશરે 20 લાખ રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું અને સરકારી અધિકારીઓને ઇજા પહોંચી છે. ચાકુલિયા પોલીસ સ્ટેશને FIR નોંધાવી લીધી છે. પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ અને રાજ્યના ડીજીપી દ્વારા SIRની સુનાવણી સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
ભારે આગજની અને તોડફોડ
હંગામો કરનાર લોકોનો આરોપ છે કે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વેરિફિકેશન હિયરિંગ માટે તેમને વારંવાર નોટિસ મોકલવામાં આવી રહી છે અને વારંવાર સુનાવણી માટે બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. BDO કચેરીની અંદર ભારે તોડફોડ કરવામાં આવી. કોમ્પ્યુટરો તોડી નાખવામાં આવ્યાં, ફાઈલોમાં આગ લગાવવામાં આવી, સરકારી દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા, ફર્નિચર સંપૂર્ણ રીતે તહસ-નહસ કરી નાખવામાં આવ્યું અને બારી-દરવાજા તોડી નાખવામાં આવ્યા. ત્યાર બાદ કચેરીનો માલસામાન બહાર કાઢીને સળગાવી દેવામાં આવ્યો. ફાયર બ્રિગેડ BDO કચેરી સુધી પહોંચી ન શકે તે માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા અને ટાયરો સળગાવીને આગ લગાવવામાં આવી હતી.
જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સનાતન સત્ય છે. તો પણ આ બાબતમાં વિરોધાભાસ ધરાવતી મનોદશા દેખાય છે. કેટલાક લોકો એવું મને છે કે એ ક્યારેય મરવાના જ નથી. અને કેટલાક લોકો સતત મૃત્યુથી ડર્યા કરે છે. જેમને ડર છે એમનું દમન શક્ય છે. અને જેમને ડર નથી એ દમન કરી શકે છે. વળી અમર થવું એને વરદાન ગણી શકાય? હજારો વરસ સુધી જીવવામાં પોતાના સ્નેહીઓનો અભાવ દેખાય, જાતજાતના રોગની અસર હોવા છતાં દેહ છુટે નહિ, લોકો ભૂતકાળ સમજીને કોઈ વાત માને નહિ આવી ઘણી સ્થિતિ સર્જાઈ શકે. તેથી જ મૃત્યુનો સ્વીકાર કરતા જ જીવન વિષે બધું જ સમજાય જાય એવું પણ બને.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારાથી નજીકમાં એક ભાઈ રહે છે. એ પોતાની ઉમર ત્રણસો વરસની દર્શાવે છે. એમનું એવું કહેવું છે કે એ પ્રેત યોની સાથે વાત કરી શકે છે. એમના કહેવા મુજબ પાછલા જનમમાં હું ઈરાનમાં રહેતી હતી. અને મને પીરામીડમાં દફનાવી હતી. તેથી મારે મારા ઘરના ડ્રોઈંગ રૂમમાં કબર બનાવવી જોઈએ. એનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. શું આ વાત સાચી છે?
જવાબ: સહુથી પહેલા તો એ ભાઈનું નામ ગિનીસ બુકમાં લખાવવાનું કહો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વળી આપણે ત્યાં પુનર્જન્મની વાત છે. જે વાતને એ પોતે પણ સમર્થન આપે છે. જેટલા પણ લોકો મૃત્યુ પામે છે એ બધા પ્રેત યોનીમાં જાય છે એ વાત જ પાયા વિનાની છે. આ ગેરમાન્યતામાંથી જ પિતૃદોષનો વિચાર જન્મ પામ્યો હોય એવું પણ બની શકે. જે માણસને સાચો ઈતિહાસ નથી ખબર એને કોઈ પણ યોની સાથે વાત કર્યા બાદ પણ કોઈ જ્ઞાન મળ્યું હોય એવું લાગતું નથી. ઈરાનમાં કોઈ પણ પીરામીડ ક્યારેય બન્યા નથી. ઈજીપ્તમાં બન્યા છે. અને તમને પીરામીડમાં દફનાવ્યા હતા એટલે ઘરમાં કબર બનાવો એ વાત સાવ વાહિયાત છે. જેમને અગ્નિસંસ્કાર આપ્યા હોય એમના ઘરમાં ચિતા મુકવી જોઈએ એવો નિયમ ક્યારેય જોયો છે?
ઘરમાં સુખ શાંતિ લાવવા માટે સહુથી પહેલા તો આવા માણસોથી દુર રહો. બીજું કે સત્યને જાણવા પ્રયાસ કરો. કોઈની પણ વાતમાં આવીને વિચાર્યા વિના નિર્ણય ન લો. એમને પૂછો કે ત્રણસો વરસ પહેલા અમદાવાદ કેવું હતું એનું વર્ણન કરે. એ એમને ચોક્કસ ખબર નહિ હોય.
સવાલ: અમે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં મોટા ભાગના લોકો પંચાતીયા છે. અમારા ઘરમાં જે વાત થાય એને મીઠું મરચું ભભરાવીને બહાર ફેલાવે છે. મારી દીકરી બીમાર હતી એટલે હું બાળકોના રૂમમાં સુતી અને દીકરાને એના પપ્પા સાથે સુવરાવવો તો કહે કે કેવી રીતે જીવવું એ સમજણ નથી. ઘરે મહેમાન આવ્યા અને અમે બહાર હતા તો કહે કે આવા કેવા મહેમાન છે કે કહ્યા વગર આવી જાય છે. અને મહેમાનને ચડાવ્યા કે કેવા લોકો છે તમે આવો ત્યારે ઘરે ન હોય. આવું ઘણી વાર થાય છે. આનો કોઈ ઈલાજ ખરો?
જવાબ: આવા લોકો ઘણી બધી જગ્યાએ હોય છે. આ નવરા લોકોનું કામ છે. જે આપણા દેશમાં સહુથી વધારે છે. આવા લોકોને નજરઅન્દાઝ કરો. એમને ગણશો નહિ એટલે એની મેળે જ બધું બરાબર થઇ જશે. આવા લોકોનો ઓપીનીયન પણ અગત્યનો નથી હોતો. પાણી વધારે પીવો. એ મનને શાંત રાખવામાં મદદ કરશે.
સુચન: દક્ષિણના દોષના લીધે સમસ્યા હોય તો યોગ્ય રીતે પ્રાણાયામ કરવાથી લાભ થાય છે.