ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી 26 જાન્યુઆરી 2026ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. આ ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ યોજાનારી ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. મંત્રી મંડળના અન્ય સભ્યો પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે, જેમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારીના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદરના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડાના ઠાસરામાં ધ્વજવંદન કરાવશે.

આ ઉપરાંત, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ અલગ-અલગ તાલુકા મથકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદાના એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકિલ છોટાઉદેપુરના બોડેલીમાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથના તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા કચ્છના ભુજમાં, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા પંચમહાલના હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા ભાવનગરના વલ્લભીપુરમાં ધ્વજવંદન કરાવશે. તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી મહેસાણાના વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિત ડાંગના આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અમરેલીના ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ વડોદરાના વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા આણંદના ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા મહિસાગરના કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર પાટણના શંખેશ્વરમાં અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા બોટાદના ગઢડામાં ધ્વજવંદન કરાવશે.
રાજ્યના અન્ય 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, જામનગરના કાલાવડ, જુનાગઢના કેશોદ, મોરબીના ટંકારા, સુરતના માંડવી અને તાપીના ઉચ્છલનો સમાવેશ થાય છે.





















ખોમિની પર હુમલો ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશેઃ રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિની પર કોઈ પણ પ્રકારનો હુમલો યુદ્ધની ઘોષણા સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર થનારા દરેક હુમલાનો તે સંપૂર્ણ શક્તિથી જવાબ આપશે.
તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલી લાંબા સમયથી ચાલતી શત્રુતા અને અમાનવીય પ્રતિબંધો છે. અમારા દેશના સર્વોચ્ચ નેતા સામે થતી કોઈ પણ આક્રમકતા ઈરાની રાષ્ટ્ર સામે સંપૂર્ણ યુદ્ધ સમાન છે.
તેમની આ ટિપ્પણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આવી છે. શનિવારે ‘પોલિટિકો’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીના લગભગ 40 વર્ષના શાસનને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ઈરાની સર્વોચ્ચ નેતાને “બીમાર માણસ” ગણાવ્યા અને પોતાના જ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે દેશને યોગ્ય રીતે ચલાવવા માટે નેતૃત્વે યોગ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ હું અમેરિકામાં કરું છું, સત્તા પર કાબૂ રાખવા માટે હજારો લોકોની હત્યા કરવાની જરૂર નથી. તેમણે આગળ ઉમેર્યું, નેતૃત્વ સન્માન વિશે હોય છે, ભય અને મૃત્યુ વિશે નહીં.
ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ?
હવે જો ઈરાનમાં ચાલી રહેલી અશાંતિની વાત કરીએ તો તે 28 ડિસેમ્બરે શરૂ થઈ હતી. દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોનો ગુસ્સો તેહરાનથી દેશનાં શહેરોમાં ફેલાયો. વિરોધ પ્રદર્શન વધતા ઈરાની અધિકારીઓએ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેટ અને ફોન સેવાઓને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પગલાને કારણે ઈરાનનો મોટા ભાગનો હિસ્સો બાહ્ય દુનિયા સાથે સંપર્કથી કપાઈ ગયો.
ઈરાનમાં ઈન્ટરનેટ લગભગ સંપૂર્ણ રીતે બંધ હોવાના કારણે મૃત્યુઆંક હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અમેરિકા સ્થિત ઈરાની માનવાધિકાર સંગઠન HRANA અનુસાર ઓછામાં ઓછા 3090 લોકોનાં મોત થયાં છે. કેટલાંક કાર્યકર જૂથોનું માનવું છે કે આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બીજી તરફ, 24,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.