Home Blog Page 2798

ભારતના ટોચના ચાર બેટ્સમેનોએ શરમજનક રેકોર્ડ બનાવ્યો

લંડનઃ WTCની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર છે. ઓસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગ્સમાં 469 રનના જવાબમાં ટીમ ઇન્ડિયા 151 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીદી હતી. આ પાંચ વિકેટમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા સામેલ છે. ભારત હજી 318 રન પાછળ છે. અહીંથી ટીમ ઇન્ડિયાએ વાપસી કરવી મુશ્કેલ છે.

ટીમ ઇન્ડિયાના ટોચના ચાર બેટસમેનેઓ મળીને એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે, જે ભારટી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર થયું છે. ઓસ્ટ્રેલિયાની સામે WTCની ફાઇનલ મેચમાં રોહિત શર્મ, હિત શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ શરૂઆત સારી કરી હતી, પરંતુ તેઓ મોટો સ્કોર નહોતા ઊભો કરી શક્યા. રોહિત શર્માએ 26 બોલમાં 15 રન, ગિલે 15 બોલમાં 13 રન, પૂજારાએ 25 બોલમાં 14 રન અને કોહલીએ 31 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારતીટ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર આવું થયું છે કે ટોપ-ચારના બધા બેટ્સમેન દ્વિઅંકીમાં તો પહોંચ્યા પણ કોઈ પણ બેટ્સમેન 20 રનનો આંકડો પાર ના કરી શક્યો.

 ગિલ અને પૂજારા બોલ છોડવાના પ્રયાસમાં આઉટ થયા હતા, જ્યારે રોહિતને કમિન્સે LBW આઉટ કર્યો હતો તો કોહલીને મિશેલ સ્ટાર્કે બાઉન્સર બોલની જાળમાં ફસાવ્યો હતો. ટીમ ઇન્ડિયાને આઠમી ઓવરમાં જ શુભમન ગિલના રૂપમાં બીજો ફટકો લાગ્યો હતો. ત્યાર બાદ પૂજારા આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 50 રન હતો. આટલા ઓછા સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હતી.

 

 

 

 

‘બિપરજોય’ 36 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશેઃ IMD

નવી દિલ્હીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપરજોય’ વાવાઝોડું આગામી 36 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં છે અને એ આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ વાવાઝોડું ગોવાથી 840 કિલોમીટર અને મુંબઈથી 870 કિલોમીટર દૂર છે. ‘બિપરજોય’ હાલ ગોવા અને મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે.

રાજ્ય દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 રાજ્યમાં વાવાઝોડાને લઈને સુરત વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરમાં આ વાવાઝોડાને પગલે ચાર દિવસ વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં  બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત સતર્ક છે.

આ વાવાઝોડાનું સ્વરૂપ અને ઝડપ જોતાં NDRF અને SDRFની 11 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યમાં દરિયાની નજીકના વિસ્તારોમાં માછીમારોને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. બંદરો પર પણ ચેતવણી સંકેત લગાવવામાં આવ્યા છે.

 

કોરાનાના 169 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 169 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,462 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,888 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,019 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 299 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2555એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 85,789 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.11 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,28,887 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 887 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

પંચાંગ 09/06/2023

રણબીર કપૂર ગરીબ બાળકો માટે ‘આદિપુરુષ’ની 10,000 ટિકિટો બુક કરાવશે

મુંબઈઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનિત તેલુગુ અને હિન્દી ભાષી ફિલ્મ ‘આદિપુરુષ’ આવતી 16 જૂને દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા મુજબ, બોલીવુડ અભિનેતા રણબીર કપૂરે નક્કી કર્યું છે કે તે સમાજના વંચિત (અસહાય કે ગરીબ) બાળકોને મફતમાં આ ફિલ્મ બતાવશે. એ માટે તે થિયેટરોમાં ‘આદિપુરુષ’ ફિલ્મની 10,000 ટિકિટો બુક કરાવવાનો છે.

આ જ રીતે, નિર્માતા અભિષેક અગ્રવાલે પણ જાહેરાત કરી છે કે પોતે તેલંગાણાની સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં ‘આદિપુરુષ’ ફિલ્મની 10,000 મફત ટિકિટ વહેંચશે.

ઓમ રાઉત દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મમાં પ્રભાસે રાજા રાઘવ (ભગવાન રામ), કૃતિ સેનને જાનકી, સની સિંહે લક્ષ્મણ, દેવદત્ત નાગેએ બજરંગ બલી (હનુમાન) અને સૈફ અલી ખાને લંકેશ (રાવણ)ની ભૂમિકા ભજવી છે.

મુંબઈના ઝવેરી બજારમાં રહેણાંક ઈમારતમાં ભીષણ આગ; અનેકને બચાવી લેવાયાં

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં ગઈ મધરાત બાદ લગભગ 1.35 વાગ્યે મુંબાદેવી મંદિર નજીક આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અગ્નિશામક દળને તે વિશે 1.38 વાગ્યે જાણ કરવામાં આવી હતી. ફાયરમેનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને મકાનમાં ફસાઈ ગયેલા 50-60 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આગ કાલબાદેવી વિસ્તારના ચાઈના બાઝાર નામક પાંચ-માળના મકાનમાં લાગી હતી. એને કારણે મકાનના તમામ માળને ખૂબ જ નુકસાન થયું છે. આગ બુઝાવવા માટે 12 ફાયર ટેન્ડર્સ સાથે જવાનો કામે લાગ્યા હતા. અગ્નિશમન વિભાગે આગને લેવલ-3ની ઘોષિત કરી હતી. આગ નીચેના માળ પર લાગી હતી, પણ ખૂબ ઝડપથી ઉપરના છ માળ સુધી ફેલાઈ ગઈ હતી.

આગની તીવ્ર જ્વાળાઓ અને ગરમીને કારણે પહેલા અને બીજા માળ પરની છત તેમજ સીડી ધ્વસ્ત થઈ ગયા હતા. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નથી.

ફાયરમેનોએ બાજુના મકાનની સીડીનો ઉપયોગ કરીને ફસાઈ ગયેલા લોકોને ઉગારી લીધા હતા. બચાવ કામગીરીમાં જવાનોએ જબરદસ્ત હિંમત અને ઝડપ દર્શાવી હતી.

૦૯ જૂન, ૨૦૨૩

૦૯ જૂન, ૨૦૨૩

Chitralekha Gujarati – June 19, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 09/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

WTC Final 2023 IND vs AUS : બીજા દિવસની રમતના અંતે ભારતના 5 વિકેટે 151 રન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં બીજા દિવસની (8 જૂન)ની રમત પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં રમતના અંત સુધી 5 વિકેટે 151 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 318 રનથી આગળ છે. ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણે (29) અને કેએસ ભરત (5) અણનમ છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા.

 

ભારતે જલ્દીથી મહત્વની વિકેટો ગુમાવી દીધી

રોહિત શર્મા અને શુભમન ગીલે ભારતને સકારાત્મક શરૂઆત અપાવી હતી પરંતુ તે પછીથી તે બધું ઝડપથી ઉકેલાઈ ગયું કારણ કે ભારતે બીજા દિવસના બીજા ભાગમાં તેની પ્રથમ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તેઓ 151/5 પર દિવસનો અંત આવ્યો, ઓસ્ટ્રેલિયા 318 રનથી પાછળ છે અને હજુ પણ 118 રન છે. ફોલો-ઓન ટાળવાથી દૂર ભાગી જાય છે. ઓસ્ટ્રેલિયાના પાંચેય બોલરોએ એક-એક વિકેટ લીધી હતી અજિંક્ય રહાણે અને રવીન્દ્ર જાડેજા વચ્ચે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારીથી ભારત મોટાભાગે ઉછળ્યું હતું. જાડેજા 51 બોલમાં 48 રનના સ્કોર પર લિયોનનો શિકાર બન્યો હતો જ્યારે રહાણે બીજા છેડે કેએસ ભરત સાથે 71 બોલમાં 29 રને સ્ટમ્પ પર અણનમ રહ્યો હતો.


ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદી થઈ

અગાઉ, ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીઓએ ઓસ્ટ્રેલિયાને 469ના સ્કોર પર પહોંચાડ્યું હતું. ભારતે પ્રથમ દિવસે માત્ર ત્રણ વિકેટ ઝડપી લીધા બાદ બીજા દિવસે સારી લડત આપી હતી, જેમાં મોહમ્મદ સિરાજની ચાર વિકેટ ઝડપી હતી. એલેક્સ કેરીના ક્વિકફાયર 48એ ઓસ્ટ્રેલિયાને 450 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી, જેના પછી ભારતે ખાતરી કરી હતી કે વિપક્ષની પૂંછડી વધુ લહેરાતી નથી.