Home Blog Page 2682

IPL ટીમના બોસ, જે છે 33,000 કરોડના સામ્રાજ્યના ઉત્તરાધિકારી, મળો…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મોટા ભાગની ટીમોની માલિકી વિશ્વના કેટલાક મોટા શ્રીમંત કોર્પોરેટ ગ્રુપો પાસે છે.સન રાઇઝર્સ પણ (SRH) પણ એમાંથી બાકાત નથી, કેમ કે એને 2012માં ડેક્કન ક્રોનિકલથી રૂ. 33,000 કરોડનો બિઝનેસ સંભાળતાં સન ગ્રુપ દ્વારા પાછી લેવામાં આવી હતી. એ જ વર્ષે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સથી બદલીને સનરાઇઝર્સ હૈદરાબાદ કરવામાં આવ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી SRHના CEO અને સહમાલિક કાવ્યા મારન છે. એ સન ગ્રુપના માલિક કનાનિધિ મારનનાં પુત્રી છે. તેઓ IPL નિયમિત જુએ છે. હાલના દિવસોમાં તે નિયમિત લિલામીમાં ટીમના કોચો અને સહયોગી કર્મચારીઓ સાથે સીઝનની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે. તેમને વર્ષ 2018માં ટીમના CEO નીમવામાં આવ્યાં હતાં.

કોણ છે કાવ્યા મારન?

કલાનિધિ મારન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરાસોલી મારનના પુત્ર ને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ. કરુણાનિધિના ભત્રીજા છે. કલાનિધિ મારનનાં લગ્ન કાવેરી સથે થયાં છે અને તેમનાં પુત્રી કાવ્યા મારન છે.

કાવ્યા મારને ચેન્નઈથી સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સની ડિગ્રી લીધી છે. એ સાથે તેમણે UKની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી MBA પણ કર્યું છે. તે દેશની સૌથી વધુ સેલેરી મેળવતા બિઝનેસ મહિલાઓમાંનાં એક છે. તેમની કુલ સંપત્તિ આશરે રૂ. 409 કરોડ છે, પણ તેઓ સન ગ્રુપનાં એકમાત્ર ઉત્તરાધિકારી પણ છે, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 33,000 કરોડ છે. તેમ રિપોર્ટ કહે છે. તેઓ સન ટીવી નેટવર્ક બિઝનેસમાં પણ સક્રિય છે.

 

 

 

 

 

આઈસીસી વર્લ્ડકપ-2023નો પ્રોમોઃ શાહરૂખનો સ્વર, દિગ્ગજોની ઝલક

મુંબઈઃ આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્વે સ્પર્ધાનો એક નવો પ્રચારક વીડિયો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) અને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ સાથે મળીને બહાર પાડ્યો છે.

વર્લ્ડ કપ-2023ની પહેલી મેચ રમાવાને આડે હજી 77 દિવસ બાકી છે ત્યારે આઈસીસી, બીસીસીઆઈએ ‘ઈટ ટેક્સ વન ડે’ શિર્ષક સાથેનો કેમ્પેન વીડિયો બહાર પાડ્યો છે. આ પ્રમોશનલ વીડિયો ફિલ્મમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ સામેલ કરવામાં આવ્યો છે. તદુપરાંત, જેપી ડુમિની, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, વર્તમાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઓઈન મોર્ગન (ઈંગ્લેન્ડ) મુથૈયા મુરલીધરન, જોન્ટી રોડ્સ અને જેમિમા રોડ્રિગ્સની ઝલક જોવા મળે છે.

પાંચમી ઓક્ટોબરે વર્લ્ડ કપની પ્રારંભિક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ જ મેદાન પર 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો નિર્ધારિત છે.

‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ પ્રોગ્રામ હેઠળ રાજ્યની હસ્તકલાને પ્રોત્સાહન

નવી દિલ્હી: ODOP પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપીને દેશ અને તેના લોકોને આત્મનિર્ભર બનાવવા માટેના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમ દરેક જિલ્લામાંથી એક અનન્ય ઉત્પાદન પસંદ કરે છે, તેને બ્રાન્ડ બનાવે છે અને તેનો પ્રચાર કરે છે અને આ રીતે દેશમાં વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરે છે, જેમાં હેન્ડલૂમ્સ અને હેન્ડિક્રાફ્ટ સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT – ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેનો વિભાગ) હેઠળની એક પહેલ છે. આ પ્રોગ્રામે ગુજરાતની સ્વદેશી હસ્તકલા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ગુજરાત સરકાર સાથે તેનો પ્રથમ સહયોગ જાહેર કર્યો છે. DPIITનાં સંયુક્ત સચિવ મનમીત નંદા તેમ જ રેસિડેન્ટ કમિશનર અને ગુજરાત સરકારના નાણાં વિભાગનાં સચિવ (આર્થિક બાબતો) આરતી કંવરે સંયુક્ત રીતે ગરવી ગુજરાત ભવનમાં ODOP વોલનું ઉદઘાટન કર્યું હતું.

આ લક્ષ્યાંકને વધુ સારી રીતે સાકાર કરવા માટે ODOP ની ટીમ આ દિશામાં કામ કરી રહેલી અન્ય સરકારી અને ખાનગી કંપનીઓ સાથે જોડાણ કરી રહી છે. ODOP-ગુજરાત ટીમ પાસે 68 યુનિક પ્રોડક્ટ્સનું એક સમૃદ્ધ કલેક્શન છે, જેમાં ગામઠી બ્લોક પ્રિન્ટ અને માતાની પછેડી જેવી પરંપરાગત હસ્તકલાથી માંડીને મગફળી અને જીરું જેવા કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ સહયોગનો હેતુ ગ્રાહકોને એમ્પોરિયા તરફ આકર્ષિત કરવાનો, વેચાણમાં વધારો કરવાનો અને ગુજરાતની પ્રોડક્ટ્સની દ્રષ્યતા વધારવાનો છે. ગરવી ગુજરાત ભવને ગુજરાતની હસ્તકલાને વધુ સારી રીતે પ્રદર્શિત કરવા માટે તેના આંતરિક ભાગમાં ODOP પ્રોડક્ટ્સને સંકલિત કર્યાં છે. ઉદાહરણ તરીકે, સુજાની હેન્ડલૂમ, જામનગરી બાંધણી અને પાટણના પટોળા માટે GeM (સરકારી ઈ-માર્કેટપ્લેસ) ઓનબોર્ડિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વધુમાં, ખંભાત જિલ્લાના અકીકના પથ્થર અને ભરૂચ જિલ્લામાંથી સુજાની માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) વર્કશોપ તરફથી સપોર્ટ આપવામાં આવ્યો છે.

 

 

 

 

રેલવે શ્રમિકો, મજૂરો માટે ‘વિશેષ’ ટ્રેનો દોડાવશે

નવી દિલ્હીઃ તહેવારો દરમ્યાન અને ઉનાળુ વેકેશનમાં મધ્યમથી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાઓ ગીચોગીચ ભરાયેલા હોય છે. જેથી સામાન્ય યાત્રીઓની હાલાકી ઓછી કરવા માટે રેલવે બોર્ડ દેશભરના શ્રમિકો, મજૂરો જેવી ઓછી આવકવાળા ગ્રુપોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એસી વગરની, સામાન્ય શ્રેણીની ટ્રેનો શરૂ કરવા માટે વિચારવિમર્શ કરી રહ્યું છે. તહેવારો અથવા ઉનાળુ વેકેશનમાં નીચલી આવક ધરાવતા વર્ગ માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે, પરંતુ એ પણ અપૂરતી થઈ પડે છે, જેથી તેમની સુવિધા માટે રેલવે વધુ ટ્રેનો દોડાવશે, એમ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું.

આ ડેવલપમેન્ટ એક અભ્યાસ પછી આવ્યું છે, જેમાં એવાં રાજ્યોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં નીચી આવક ધરાવતા યાત્રીઓએ કન્ફર્મ ટિકિટ મેળવવા માટે રાહ જોવી પડે છે અથવા જનરલ કોચમાં યાત્રા કરવી પડે છે, જેમાં ખૂબ ગિરદી હોય છે, એમ અધિકારીએ કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર નવી ટ્રેનો જાન્યુઆરી, 2024થી ચાલવાની શક્યતા છે અને એ ટ્રેનો એસી વગરના કોચ હશે. આ ટ્રેનોમાં માત્ર સ્લીપર અને જનરલ શ્રેણીના ડબ્બા હોવાની સંભાવના છે. આ પહેલાં કોરોના ચોગચાળામાં રેલવેએ શ્રમિકો માટે પ્રવાસી વિશેષ ટ્રેનો ચલાવી હતી.

બોર્ડના મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં નવી વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે આ રાજ્યોમાંથી મોટા ભાગે કુશળ, અકુશળ કામદારો, મજૂરો, કારીગરો અને અન્ય લોકો કામ માટે મહાનગરોમાં અને મોટાં શહેરોમાં આવ-જા કરે છે. આ ટ્રેનોને નિયમિત રીતે દોડાવવામાં આવશે.

 

 

ભાઈંદરમાં મકાનની બાલ્કની તૂટી પડી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી

મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાઈંદર (ઈસ્ટ) ઉપનગરમાં ભારે વરસાદને કારણે 20 જુલાઈ, ગુરુવારે સવારે રેલવે સ્ટેશન અને ટિકિટબારીની સામે આવેલા નવકીર્તિ એસ્ટેટ બિલ્ડિંગની એક બાલ્કની તૂટી પડી હતી. સદ્દભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. બાલ્કની જોરદાર ધબાકા સાથે તૂટી પડતાં આસપાસનાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અગ્નિશામક દળ અને પોલીસ જવાનો જાણ થતાં તરત જ ત્યાં દોડી ગયા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરીનો આરંભ કર્યો હતો. (તસવીર અને વિડિયો: દીપક ધુરી)

શું રણબીર-આલિયાનાં સંબંધમાં ભંગાણ પડ્યું છે? નીતૂ કપૂરની પોસ્ટને લીધે અટકળો

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કપૂર કુટુંબ બોલીવુડમાં સૌથી જૂના કુટુંબો પૈકી એક છે. આ કુટુંબની અનેક પેઢીઓએ મોટા પડદા પર મનોરંજનનો જાદૂ ફેલાવ્યો છે. આ પરિવારનાં એક સભ્ય છે, અભિનેત્રી નીતૂ સિંહ-કપૂર. અભિનેતા પતિ રિશી કપૂરના નિધન બાદ નીતૂએ ફિલ્મ પડદે પુનરાગમન કર્યું છે. ગયા વર્ષે એમનાં અભિનેતા પુત્ર રણબીર કપૂરનાં પણ લગ્ન થયા હતા. પરંતુ હાલ કપૂર ખાનદાનમાં કોઈક વિવાદ થયો હોવાની ચાહકોને શંકા ગઈ છે.

આનું કારણ છે, નીતૂ કપૂરે એમનાં ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી વિભાગમાં શેર કરેલી એક પોસ્ટ. તે પોસ્ટ વાંચીને ઘણા ચાહકો ગૂંચવણમાં પડી ગયા છે. કેટલાક લોકોએ એવી અટકળો કરવા માંડી છે કે કપૂર ખાનદાન તૂટી રહ્યો છે. નીતૂએ લખ્યું છે કે, અમારો પરિવાર હવે પહેલા જેવો રહ્યો નથી. આવું એટલા માટે છે કે પરિવારને સાથે લાવનાર લોકો હવે દુનિયામાં રહ્યાં નથી.

નીતૂની આ પોસ્ટને કારણે અનેક પ્રકારનાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. વળી, નીતૂએ એક કૌટુંબિક તસવીર પણ શેર કરી હતી. પરંતુ એમાં આલિયા ભટ્ટ ગાયબ હતી. લોકો એવી અટકળો કરી રહ્યાં છે કે સાસુ-વહુ (નીતૂ અને આલિયા) વચ્ચે અણબનાવ થયો છે. નીતૂએ એમનો 65મો જન્મદિવસ હાલમાં જ લંડનમાં ઉજવ્યો હતો. તે વખતે રણબીર અને નીતૂ-રિશીની પુત્રી રિધિમા કપૂર-સાહની, રિધિમાનાં પતિ ભરત સાહની અને એમની પુત્રી સમાઈરા ઉપસ્થિત હતાં. પરંતુ આલિયા અને એની પુત્રી રાહા દેખાતાં નથી. પરિણામે નીતૂએ શેર કરેલી પોસ્ટમાંનું લખાણ કોને ઉદ્દેશીને લખાયું છે તે વિશે લોકોમાં અટકળો થઈ રહી છે.

ઇસ્કોન અકસ્માતઃ પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરાશેઃ ગૃહપ્રધાન

અમદાવાદઃ રાજ્યમાં કાળજું કંપાવી દે એવો ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત થયો હતો, જેમાં નવ લોકોનાં મોત થયાં છે. આ મૃતકોના પરિવારનાં આંસુ સુકાતાં નથી, ત્યારે જેગુઆર કારચાલકના પિતા આરોપી તથ્ય પટેલને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પણ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ અકસ્માત અંગે જણાવ્યું હતું કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે 16 જણ ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈને લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને જેગુઆર કારચાલક તથ્ય પટેલને માર માર્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, તથ્ય પટેલ માર ન મારવા કાકલૂદી કરતો જોવા મળ્યો હતો.

કેસમાં SITની રચના કરી તપાસ શશે

આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ ઘટનાની તપાસમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, DCP જોઇન્ટ અને CP જોડાશે. FSL રિપોર્ટ આવતી કાલે સાંજ સુધીમાં આવશે, એમ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે મૃતકોના પરિવારોને દિલસોજી પાઠવી હતી.

ટ્રાફિક DCP નીતા દેસાઈ​​​​​​​એ વધુમાં જણાવ્યું હતું કે ગુનેગારને છોડવામાં નહીં આવે અને મૃતકના સ્વજનોને ન્યાય અપાવીશું, પરંતુ ગાડીની સ્પીડ ખૂબ જ હતી તેના કારણે ગંભીર અકસ્માત થયો છે.

તથ્યના પિતાનો પણ ગુનાઇત ઇતિહાસ

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત બહાર આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી રૂ. 30,000  પણ પડાવ્યા હતા.

વર્ષ 2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્ર ગોસ્વામી મુખ્ય આરોપી હતા. આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી યુવતી સાથે એક વાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો.

રાજ્ય સરકાર આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.

 

 

 

મણિપુરની ઘટના દેશવાસીઓ માટે શરમજનક, નહીં બચે ગુનેગારોઃ PM

નવી દિલ્હીઃ મણિપુરના વાઇરલ વિડિયો પર હંગામો થયા પછી રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે. મણિપુરની ઘટના પર વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે મણિપુરની ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક છે. ગુનો કરવાવાળા કેટલા અને કોણ છે- જે એની જગ્યાએ છે, પણ બદનામી દેશઆખાની થઈ રહી છે. 140 કરોડ દેશવાસીઓનું માથું શરમથી ઝૂકી ગયું છે. તેમણે કહ્યું હતું કે પુત્રીઓ સાથે જે કંઈ થયું, એને માફ કરવામાં નહીં આવે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આજે મારું હ્દય પીડા અને ક્રોધથી ભરેલું છે.

તેમણે કહ્યું હતું કે હું બધા મુખ્ય મંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ પોતપાતાનાં રાજ્યોમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં ઉઠાવે. તેમણે કહ્યું હતું કે આ દેશના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ રાજ્યમાં રાજકારણ અને વાદવિવાદથી ઉપર કાયદો વ્યવસ્થાનું માહાત્મ્ય અને સ્ત્રીઓનું સન્માન છે. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મણિપુરની આ પુત્રીઓની સાથે જે થયું એને ક્યારેય માફ નહીં કરવામાં આવે. મણિપુરની ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લેતાં કહ્યું છે કે સરકાર દોષીની સામે કાર્યવાહીની જાણ કોર્ટને પણ કરે.

મણિપુર મામલે પહેલી ધરપકડ

મણિપુરના CM એન. બિરેન સિંહે કહ્યું હતું કે અમે વિડિયો જોયો અને મને બહુ ખરાબ લાગ્યું છે. એ માનવતાની વિરુદ્ધ ગુનો છે. મેં પોલીસને દોષીઓની ધરપકડ કરવા આદેશ આપ્યો છે. આરોપીઓને મોતની સજા થાય એવો પ્રયાસ કરીશું. તેમણે જણાવ્યું હતું કે રાત્રે 1.30 કલાકે મુખ્ય અપરાધીની ધરપકડ કરવામાં આવી છે.

શું છે ઘટના?

હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાનો બહુ હેરાન કરતો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પાસેથી મળેલા સમાચાર મુજબ ભીડે ના તેમને એ વિસ્તારમાં નિર્વસ્ત્ર ફેરવી, પણ તેની સાથે ગેન્ગરેપ પણ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે બળાત્કાર અને મારપીટ પછી આ મહિલાઓ બોલી પણ નથી શકતી.

 

રાશિ ભવિષ્ય 20/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

કોરાનાના 49 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,004 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,664 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1476એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 44,517 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,49,119 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 537 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.