Home Blog Page 2638

રાહુલ ગાંધી લોકસભામાં ‘અયોગ્ય’ ઘોષિત; સાંસદપદ રદ

નવી દિલ્હીઃ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી પ્રચાર સભા વખતે મોદી અટક વિરુદ્ધ નિવેદન કરીને મોઢવણિક સમાજની બદનક્ષી કરવાના કેસમાં બે વર્ષની જેલની સજા પામેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવી છે. 2019માં રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. સુરત-પશ્ચિમના ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા કેસમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ. વર્માએ ગઈ કાલે રાહુલને ગુનેગાર જાહેર કરીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. જોકે રાહુલ આ ચુકાદા સામે અપીલમાં જઈ શકે એ માટે તેમને જામીન પર છોડ્યા છે અને સજાને એક મહિના માટે મોકૂફ કરી છે.

52 વર્ષીય રાહુલ ગાંધીએ 2019ની 13 એપ્રિલે કર્ણાટકના કોલાર ખાતે કોંગ્રેસના એક ચૂંટણી ઉમેદવારના પ્રચાર વખતે એમ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? એમણે આમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા સાથે કરી હતી.

સુરતની કોર્ટે ગઈ કાલે રાહુલને અપરાધી જાહેર કરી સજા ફરમાવી એ સાથે જ એમનું સંસદસભ્ય જોખમમાં આવી ગયું હતું. કાયદા અનુસાર, જો કોઈ સભ્યને બે વર્ષ કે એનાથી વધારે મુદતની જેલની સજા કરાય તો અપરાધી ઘોષિત કરાયાની તારીખથી અયોગ્ય ઘોષિત કરવામાં આવે છે અને તે વ્યક્તિ સજા પૂરી થયા બાદ જનપ્રતિનિધિ બનવા માટે છ વર્ષ સુધી અયોગ્ય રહે છે. રાહુલ ગાંધી છ વર્ષ સુધી એકેય ચૂંટણી લડી નહીં શકે.

શૂટિંગ દરમિયાન અક્ષયકુમાર જખ્મી થયો

મુંબઈઃ બોલીવુડમાં અક્ષયકુમાર એવો અભિનેતા છે જે પોતાની ફિલ્મોમાં એક્શન સીન્સ ભજવતી વખતે પોતાના બોડી ડબલ્સ કે ડુપ્લિકેટનો બહુ ઓછો ઉપયોગ કરે છે. પરંતુ, સ્કોટલેન્ડમાં આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ વખતે એ જખ્મી થયાનો અહેવાલ છે. આ ફિલ્મમાં એની સાથે ટાઈગર શ્રોફ પણ છે.

એક એક્શન દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એ વખતે અક્ષયને ઈજા થઈ હતી. જોકે તે ગંભીર નથી એવું જાણવા મળ્યું છે. એના ઘૂંટણ પર બ્રેસીસ લગાડવામાં આવ્યા છે. હાલ તે એક્શન દ્રશ્યનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે અને અક્ષય એકદમ સાજો થઈ જશે પછી એ પૂરું કરવામાં આવશે.

રાહુલ ગાંધી સંસદના સભ્યપદ માટે અયોગ્ય થઈ ચૂક્યા છેઃ સિબ્બલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમવાલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે એ સાથે રાહુલ ગાંધી પર રૂ. 15,000નો દંડ પણ ફટકાર્યો હતો. જોકે કોર્ટે રાહુલ ગાંધીને તત્કાળ જામીન પણ આપ્યા હતા. એ સાથે તેમને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસની મુદત પણ આપતાં તેમની સજાને હાલપૂરતી સસ્પેન્ડ પણ કરી છે. આ મુદ્દે ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજાની સાથે એક સાંસદના રૂપે અયોગ્ય થઈ જાય છે. એ સજા વિચિત્ર છે.

તેમણે કહ્યું હતું કે માનહાનિ કેસમાં બે વર્ષની સજા થયા બાદ રાહુલ ગાંધી કાયાદા હેઠળ સંસદની સભ્યપદથી અયોગ્ય ઠેરવવામાં આવે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે જો કોર્ટ માત્ર સજાને સસ્પેન્ડ કરી દે છે તો એ પૂરતું નહીં હોય સસ્પેન્ડ અથવા દોષસિદ્ધિ પર સ્ટે હોવો જોઈએ. તેઓ સંસદના સભ્ય તરીકે ત્યારે રહી શકે છે, જ્યારે દોષસિદ્ધિ પર સ્ટે હોય. તેમણે કહ્યું હતું કે કાનૂન કહે છે કે કોઈ વિધાનસભ્ય અથવા સાસંદને કી ગુના માટે બે વર્ષની સજા ફટકારવામાં આવે છે તો સંબંધિત વિધાનસભ્ય કે સાંસદની સીટ ખાલી થઈ જાય છે. સ્વાભાવિક રૂપે અધ્યક્ષ કાનૂન અનુસાર આગળ વધશે.

 વર્ષ 2013મા લિલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ સાંસદ, વિધાનસભ્ય કે MLC- જેને અપરાધી કે દોષી ઠેરવવામાં આવે અને ઓછામાં ઓછી બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે. તેઓ તત્કાળ પ્રભાવથી સંસદની સભ્યપદ ગુમાવી દે છે.

 

 

 

ED, CBIના દુરુપયોગની સામે 14 વિરોધ પક્ષોની સુપ્રીમ કોર્ટમાં ધા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત રૂપે મનમાની ઉપયોગને લઈને 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી. વાય. ચંદ્રચૂડની સામે આ મામલાને સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ ઉઠાવ્યો છે. રાજકીય વિરોધીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જેથી તપાસ એજન્સી અને કોર્ટે માટે ધરપકડ અને રિમાન્ડ પર ગાઇડલાઇન બનાવવામાં આવે. આ મામલામાં પાંચ એપ્રિલે સુનાવણી થશે. ખાસ વાત એ છે કે આ 14 રાજકીય પાર્ટીઓમાં દેશની સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ પણ સામેલ છે.

આ ઉપરાંત એમાં આમ આદમી પાર્ટી, તૂણમૂલ કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચો, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, RJD, સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, CPI, CPI (M), DMK અને શિવસેના પણ સામેલ છે.  પાછલા દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 31 જાન્યુઆરી, 2023 સુધીના આંકડા જારી કર્યા હતા. EDએ અત્યાર સુધી મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ એન્ફોર્સમેન્ટ મામલાની 5906 સૂચના રિપોર્ટ (ECIR (કેસ) નોંધ્યા છે. આ કેસોમાં 513 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં દરોડાના 531 કેસોમાં પડ્યા છે. આ 531 કેસોમાં 4954 સર્ચ વોરન્ટ જારી થયા છે.

આ બધા કેસોમાં નેતાઓની સામે 176 કેસો નોંધવામાં આવ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓ પર પણ કેસ નોંધવામાં આવ્યા છે. EDએ કુલ કેસોના આશરે ત્રણ ટકા કેસોમાં અત્યાર સુધી 1142 ચાર્જશીટ રજૂ થઈ છે. PMLA હેઠળ 25 કેસોમાં ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે, એમાં 24 કેસોમાં આરોપી દોષી ઠેરવવામાં આવ્યા છે. અત્યાર સુધી 45 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે.

 

 

આત્માના મૂલ્યો જાળવીને કાર્ય કરો

મારે ભૌતિક ચીજો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે સાથે એ માન્યતા છે કે જે ઈમાનદાર હોય છે તેમને જીવનમાં ખૂબ સામનો કરવો પડે છે. જેઓ બીજાની જેમ ચાલે છે તેઓ ખૂબ જલ્દી સફળતા પ્રાપ્ત કરે છે. તો શું સફળતા સ્થૂળ વસ્તુઓની પ્રાપ્તિ માં છે? આ માન્યતા એ કારણે છે કે હું પોતાને શરીર સમજુ છું. પરિણામે આપણે એવું વિચારીએ છીએ કે શરીરને જેટલું સુખ મળે એટલું આરામદાયક જીવન જીવી શકીશ. આ માટે ખોટો રસ્તો પસંદ કરતાં પણ અચકાઇશ નહીં. પરંતુ આ પ્રકારનું કાર્ય જીવનમાં અશાંતિ ઉભી કરે છે. આપણી એક માન્યતા બની જાય છે કે જૂઠું બોલો, અપ્રમાણિક બનો પરંતુ પકડાવો નહીં. આ મારી હોશિયારી છે. ભલે બીજા દ્વારા આપણે પકડાઈ એ નહીં પરંતુ આપણને પોતાને તો ખ્યાલ આવી જ જાય છે કે હું ખોટું કરી રહેલ છું.

આપણે મૂળ પ્રકૃતિથી વિરુદ્ધ કામ કર્યું પરિણામે જીવનમાં ડર તથા અશાંતિનો અનુભવ સતત કરીએ છીએ. અપરાધ ભાવનાની ઉર્જા ઉત્પન્ન થઈ તો તેનું પરિણામ સકારાત્મક નહીં હોય. હવે મને એ લક્ષ મળ્યું છે કે મારી પ્રાથમિકતા આત્માના મૂલ્યો જાળવીને કાર્ય કરવાની છે. જ્યારથી આપણને સમજમાં આવ્યું અને આપણે પોતાનું પરિવર્તન કર્યું તો વધુ વિચારવું નથી પડતું. ઘણીવાર આપણે કહીએ છીએ કે તે સમયે વિચારવું પડે છે કે સાચું બોલીએ કે જૂઠું બોલીએ! પરંતુ જ્યારે આપણા સ્પષ્ટ વિચાર છે કે – ‘હું આત્મા છું’. પછી આપણી પાસે બે વિચાર નથી આવતા કે આમ બોલું કે તેમ બોલું. આપણે સાચું જ બોલવું છે. ભલે તેનું પરિણામ કોઈ પણ આવે, કારણકે મારે મારી નજરમાં ખોટું નથી બનવું.
આજ સુધી આપણે એવું વિચારતા હતા કે – ‘હું શરીર છું’. તો શરીરનું ધ્યાન રાખતા હતા. શરીરના સુખ માટે આપણે વિચારતા હતા. આપણા આદર્શો ઉપર ચાલવું મુશ્કેલ નથી, તે સ્વાભાવિક છે. ભલે મને આર્થિક નુકસાન થાય પરંતુ મારે મારા આદર્શો છોડવા નથી તે પાકું કરી લેવું જોઈએ.

આજે ઘણા લોકો એવું વિચારે છે કે હું આદર્શો ઉપર ટકી રહ્યો પરંતુ સફળ થયો નહીં. આવા વિચારોના કારણે તેઓ દુઃખી થાય છે. પરંતુ પણ એ યાદ રાખવાનું છે કે જે સ્થૂળ વિનાશી ચીજોનું નુકસાન થાય છે તે એટલું મહત્વ નથી, પરંતુ આજે આદર્શો ઉપર ચાલનાર વ્યક્તિ દુઃખી એટલે થાય છે કે તે એવું વિચારે છે કે હું સફળ એટલા માટે ન થયો કે હું આદર્શો ઉપર ટકી રહ્યો. આજે એવી ઘણી વ્યક્તિઓ છે કે જે આદર્શો ઉપર ચાલવા છતાં સફળ છે. તેની જિંદગીમાં સુખ-શાંતિનો અનુભવ કરી રહેલ છે. હા જ્યાં સુધી ભૌતિક સફળતાની વાત છે તો તે જીવનમાં ગૌણ બની જાય છે. દરેક વ્યક્તિનો મૂળભૂત હેતુ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરવાનો હોય છે, જે આદર્શો ઉપર ચાલવાથી કરી શકાય છે. આદર્શો ઉપર ચાલવાથી ભૌતિક ચીજોની પ્રાપ્તિ વધુ પ્રમાણમાં નહીં થાય પરંતુ શૂન્ય તો નહીં જ થઈ જાય. આવી વ્યક્તિ પોતાનું જીવન આદર્શો સાથે માનસિક શાંતિનો અનુભવ કરતા-કરતા સહેલાઇથી પસાર કરી શકશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

વાસ્તુ: કાચ અને અરીસાનો વધારે પડતો ઉપયોગ હાનીકારક છે

ઢોંગી, ધુતારા, જેવા અનેક શબ્દો આપણા મનમાં થોડો સમય આવે. દુખ પણ થાય, સ્મશાન વૈરાગ્ય જેવું લાગવાનું શરુ થાય અને પછી અચાનક એક વંટોળ આવે જેમાં લોકો કોઈ સાવ શુલ્લક વિષય પર જોરદાર ચર્ચાઓ કરતા હોય. બસ પછી એવું જનુન ચડે કે પેલી બધીજ વાતો વિસરાઈ જાય અને જાણે પોતાના વિચારોથી જ દુનિયા ચાલવાની હોય એ રીતે જોરદાર અને ધારદાર રીતે વિચારો રજુ થવા લાગે. રસ્તાની ધારે ઉભા હોય કે સોસાયટીના નાકે એ પોતાનો મત પકડી રાખે. બસ આ પ્રક્રિયામાં અગત્યના મુદ્દાઓ વિસરાઈ જાય. સમાજને વિસ્મૃતિની બીમારી હોય એમ બધું જ થાળે પડી જાય. અને તોય માણસ વિચારે કે અન્ય લોકો કરતા પોતે અત્યંત સુખી છે. આને કહેવાય જીવન જીવવાની કળા. ઘરમાં ભલે હાંડલા કુસ્તી કરતા હોય તોય દેવું કરીને ઘી ખાવાના વિચારો આવે એ પણ એક અલગ જ વિચારધારા છે. ટૂંકમાં દિશા શોધવા માટે રીલ્સનો પણ સહારો લઇ લેવાય છે. આવા સમયે મીરાના શબ્દો યાદ આવે કે “કરમ કી ગતિ ન્યારી. “

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: આપના દરેક લેખમાં જીવનની સુક્ષ્મ ફિલોસોફી હોય છે. આપના વ્યક્તિત્વમાં પારદર્શકતાની ઝલક દેખાય છે. એટલે જ આપને એક સવાલ પૂછવો છે. આજકાલ રીલ્સ જોઇને લોકો જીવન જીવે છે અને એના આધારિત નિર્ણય પણ લે છે. એક રીલમાં મેં એવું જોયું હતું કે ડાયનીંગ રૂમમાં અરીસો લગાવવાથી સમૃદ્ધિ આવે છે. મેં આવું ક્યાંય વાંચ્યું નથી. વળી જે વ્યક્તિએ આવું કહ્યું છે એણે કારણ એવું આપ્યું છે કે જમતી વખતે બધા ખુશ હોય. એટલે અરીસામાં જોઇને ખાવાથી જીવનમાં સુખ આવે. સાચું કહું? મને આવી રીલ્સ જોઇને ચિંતા થાય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાતને આટલા અધિકાર સાથે કેવી રીતે કહી શકે? એ પહેલા એક બહેને રીલમાં ભૂંડને કેસર ખવરાવવાની વાત કરી હતી. એનું કારણ એવું આપ્યું હતું કે ભૂંડે જીવનમાં કેસર ન ખાધું હોય એટલે એને કેસર ખવરાવો તો એ રાજી થાય. કુતરાને બિસ્કીટ આપાય ખરા? ગળ્યું ખાવાથી એમને ચામડીના રોગ થાય, એવું મેં ક્યાંક વાંચ્યું છે. આવી અસંખ્ય વાતો જોયા પછી ક્યારેક અકળામણ તો ક્યારેક દુખ થાય છે. અંધશ્રદ્ધા વિનાનો ભારતીય સમાજ ન બની શકે? વળી મેં આવું પણ જોયું છે કે કેટલાક લોકો ભારતીય વિષયોનું નામ આવતા જ નાકનું ટીચકું ચડાવી દે છે. જો ભારતીય હોવામાં આટલી બધી શરમ આવતી હોય તો અહી રહે છે શું કામ? શું આવા લોકો ભારતને વિશ્વ ગુરુ બનાવશે?

જવાબ: આપનો સવાલ ખુબ લાંબો છે. અને એનો મર્મ તો એનાથી પણ વિશાળ છે. વિશ્વગુરુ બનવા માટે ગુરુત્વ જોઈએ. જે દેશમાં એસટી બસની સીટ માંથી સ્પંજ ચોરાઈ જતું હોય કે પરબ પર પાણીના ગ્લાસ સાંકળથી બાંધીને રાખવા પડતા હોય એના વિષે શું વિચારી શકાય? રીલ પોપ્યુલર થાય એના માટે કોઈ પણ પાયરી સુધી જવા મથતો સમાજ ક્યાં પહોંચશે? જે જીવને જેની જરૂરીયાત છે એની વ્યવસ્થા કુદરત જ કરી આપે છે. એના માટે માણસે મથવાની જરૂર નથી. ખેડૂત અન્ન નહિ ઉગાડે તો? એવી ચિંતા કરવા કરતા કૃષિમાં રસ લેવો જરૂરી છે. જે દેશ ખેતી પ્રધાન હતો એ જ દેશમાં કૃષિકાર સરકારને આધીન જીવન જીવવા લાગે. અને વાતવાતમાં પોતાના જ અનાજને રસ્તા પર ફેંકી દે એવી માનસિકતા આ દેશની ક્યારેય ન હતી. દેશનો દરેક નાગરિક દેશ માટે જરૂરી છે. પણ દરેક વ્યક્તિ પોતે જ ખાસ છે એવું માનવા લાગે ત્યારે વિસમતા આવે. માનવ વસવાટ પહેલા પણ પૃથ્વી હતી અને એના પછી પણ રહેશે. સ્વાર્થ શબ્દ આ આખી પ્રક્રિયામાં વિલન છે.

અરીસો આભાસી છે. એટલે એનો જેટલો ઓછો વપરાસ થાય એ જરૂરી છે. વળી ભોજન સમયે મન શાંત  રાખીને ભોજનમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. એના માટે અરીસામાં જોવાની ક્યાં જરૂર છે? રીલ જોઇને જીવનના અગત્યના નિર્ણયો ન જ લેવાય. વળી મફતમાં મળેલી વસ્તુ નો દોષ કોને આપશો? સુખ પ્રાપ્ત કરવા માટે સુખને સમજવું પડે. કેટલીક રીલમાં તો એ લોકો વાંચી ને બોલે છે. જ્ઞાની માણસને આવી જરૂર પડે? જ્યાં માત્ર દેખાડો છે ત્યાં કશુક ખૂટતું હોય છે. વળી વિશ્વગુરુ જેવા ભારેખમ શબ્દોને સમજતા પહેલા ગુરુ શબ્દ સમજવો પડશે. કોઈ રંગના વસ્ત્રો પહેરવાથી ગુરુ ન થઇ જવાય. જેના ચેલાઓ વધારે એ સાચા ગુરુ એવું પણ ન વિચારાય. ગુરુત્વ સાદગીથી આવે, વૈભવથી નહિ. જેમ માત્ર ડીગ્રીઓ ધારણ કરવાથી જ્ઞાની નથી બની જવાતું એ જ રીતે. ભારતીય વિચારધારા માટે ભારતીય વિચારો વાળા શિક્ષકો અને ભારતીય વિચારો વાળું શિક્ષણ જરૂરી છે. એના થકી જ સાચો રાષ્ટ્ર પ્રેમ જાગૃત થઇ શકે. આપના વિચારો સારા છે. સૂર્યને જળ ચડાવો અને બુધવારે શિવ મંદિરમાં દહીંમાં કાળા તલથી અભિષેક કરો.

સુચન: કાચ અને અરીસાનો વધારે પડતો ઉપયોગ હાનીકારક છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

કોરાનાના 1249 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1249 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,00,667 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,818 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,61,922 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 925 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7927એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,05,316 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,34,827 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 6117 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

વર્લ્ડ બેન્કના પ્રમુખ બંગાને કોરોના થયો, મોદી સાથેની મુલાકાત રદ

નવી દિલ્હીઃ વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકે અમેરિકાએ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરેલા અજય બંગા એમની વૈશ્વિક યાત્રાના ભાગરૂપે 23-24 માર્ચ, એમ બે-દિવસ માટે ભારત આવ્યા છે, પરંતુ એમને ચેપી કોરોના બીમારી લાગુ પડી છે. એને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની એમની નિર્ધારિત મુલાકાતો રદ કરવામાં આવી છે.

નાણાં મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આની જાણકારી આપી છે. એણે કહ્યું છે કે અજય બંગા હાલ ક્વોરન્ટીન વ્યવસ્થામાં છે. રાબેતા મુજબના ટેસ્ટિંગમાં, એમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે એ એસિમપ્ટોમેટિક છે. સ્થાનિક માર્ગદર્શિકા અનુસાર, તેઓ આઈસોલેશનમાં ક્વોરન્ટીન થયા છે.

નવજોતસિંહ સિધુના પત્નીને સ્ટેજ-2 કેન્સર છે

અમૃતસરઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાન નવજોતસિંહ સિધુના પત્ની નવજોતકૌરને કેન્સર થયું છે. આ જાણકારી ખુદ નવજોતકૌરે આપી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી એમણે કહ્યું છે કે પોતાને સ્ટેજ-2 કેન્સર થયું છે. અમૃતસરના ભૂતપૂર્વ વિધાનસભ્ય સિધુ 1988ની સાલના રસ્તા પર મારામારીમાં નિપજેલા એક જણના મરણના કેસમાં હાલ પટિયાલા સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સજા ભોગવી રહ્યા છે. એમને ગયા વર્ષની 20 મેએ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

22 માર્ચે એમણે પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર પતિ માટે એક ભાવુક પોસ્ટમાં લખ્યું છેઃ ‘તમારી રાહ જોઈ રહી છું. હું જોઉં છું કે તમે નિર્દોષ હોવા છતાં તમારે સજા ભોગવવી પડી રહી છે. સત્ય બહુ શક્તિશાળી હોય છે, પરંતુ એ વારંવાર પરીક્ષા લે છે.’

બીજા ટ્વીટમાં એમણે લખ્યું છે, ‘કળિયુગ છે. સોરી, હું રાહ જોઈ શકું એમ નથી, કારણ કે સ્ટેજ-2નું કેન્સર છે. અને આજે એ માટે સર્જરી કરાવવાની છે. કોઈને દોષ દેવો નથી, કારણ કે આ ઈશ્વરની મરજી છેઃ પરફેક્ટ.’

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો