Home Blog Page 2639

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી સીધી વાતચીતને અમેરિકાનો ટેકો

વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને અમેરિકા ટેકો આપે છે, એમ બાઇડન વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની પાંચ ઓગસ્ટે વર્ષગાંઠ છે.

બંને દેશોની સરહદે આંતકવાદને ઇસ્લામાબાદ સતત ટેકો આપે છે અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન જારી છે. ભારત હંમેશાં કહેતું રહે છે કે પડોશી દેશ સાથે સામાન્ય સંબંધો ઇચ્છનીય છે, પણ હમેશાં એ વાત પર ભાર મૂકે છે કે આ પ્રકારના સંબંધો માટે આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ રાખવાની જવાબદારી ઇસ્લામાબાદની છે. આ સાથે ભારતે એ પણ કહે છે જમ્મુ-કાશ્મીર હંમેશાં દેશનો હિસ્સો હતો, છે અને રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગંભીર મુદ્દાઓ પર વાટાઘાટ થવી જોઈએ, એ અમે લાંબા સમયથી કહીએ છીએ, એમ વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મિલરની આ ટિપ્પણી પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફ દ્વારા બધા ગંભીર અને પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે ભારતની સાથે વાતચીતની રજૂઆત કર્યાના બે દિવસ પછી આવી છે. ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે દ્વિપક્ષી સંબંધ ઓગસ્ટ, 2019થી તનાણપૂર્ણ છે, જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને બદલી કાઢી હતી.

પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી સીમા પાર આતંકવાદની નીતિ ખતમ નહીં થાય, ત્યાં સુધી ભારત માટે પડોશી દેશની સાથે સામાન્ય સંબંધો રાખવા સંભવ નથી. આ પહેલાં જૂનમાં તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદને સામાન્ય ગણવાની મંજૂરી નથી આપતા. અમે એને પાકિસ્તાન સાથે ચર્ચામાં સામેલ થવાનો આધાર નહીં બનવા દઈએ.

 

 

 

તપ ઋષિમુનિ જ કરે?

મહેન્દ્રસિંહ ધોનીને કોણ નથી ઓળખતું આજકાલ આ ક્રિકેટર વિશેના એલફેલ સમાચારો આવતા રહે છે. એલફેલ એટલા માટે કે આ સમાચારો સાથે એની સ્પૉર્ટ્સ, અહીં સુધી પહોંચવા માટેની એની મહેનત, એની ધગશને બદલે એ મોબાઈલમાં શું જુએ છે, વિમાનમાં એ કેવી રીતે ઊંઘે છે, વગેરે. મૂળ ઉત્તરાખંડથી આવતા ધોની પરિવારના મહેન્દ્રસિંહનો જન્મ રાંચીમાં. પિતા પાનસિંહની સામાન્ય નોકરી, પણ મહેન્દ્રસિંહ નક્કી કર્યું કે એણે ખેલકૂદજગતમાં જવું છે, ભારત વતી રમવું છે, નામ કાઢવું છે. ધોનીની સંઘર્ષકથા પર અડધો ડઝનથી વધારે પુસ્તક લખાયાં છે, જેમાં એના સફળતાના મંત્રો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

હવે જરા આ જુઓઃ થોડાં વર્ષ પહેલાં માલ્કમ ગ્લેડવેલ થો નામના લેખકનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકમાં લેખકે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરીને એ લોકોની સફ્ળતાનું રહસ્ય એક વાક્યમાં દર્શાવતાં કહેલું કે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ અર્થાત્ તમે જે કોઈ ક્ષેત્રમાં, કાર્યમાં હો, એમાં ટોચ પર પહોંચવું હોય તો 10 હજાર કલાક સુધી પ્રૅક્ટિસ કરવી પડે. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી માસ્ટર ક્રિમિનલ્સ જે કોઈ નિષ્ણાત થયા છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે.

માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.

પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.

વિદ્યાનગરમાં ગણિતના રેંગ્લર ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, આપની સફ્ળતાનું રહસ્ય શું છે? તો ઉત્તરમાં તેમણે જણાવ્યું, દિવસના 20 વર્ષ સુધી સતત દિવસના ૧૮ કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફવા જવાનું નહીં. તો વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના.

મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસે એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય, વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે પછીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. આવા અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે.

આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત. તો આવો પ્રમુખસ્વામી મહારાજ તથા એમના જેવા મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

HCએ જ્ઞાનવાપી મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનઉઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જ્ઞાનવાપી પ્રાંગણમાં ASI સર્વેને જારી રાખવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ કોર્ટ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપચા મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે ASI સર્વે જરૂરી છે. કેટલીક શરતો હેઠળ એને લાગુ કરવાની આવશ્યકતા છે. મુસ્લિમ પક્ષે પહેલાં સુપ્રીમ કોર્ટ પછી હાઇકોર્ટમાં ASI સર્વેના ચુકાદાને પડકાર્યો હતો.

હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ASI સર્વે જલદી શરૂ કરે એવી શક્યતા છે. આ પહેલાં વારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર ASI સર્વેનો આદેશ આપ્યો હતો. જોકે ASIની ટીમે સર્વે પણ શરૂ કર્યો હતો, પણ મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સર્વે પર સ્ટે મૂકવાની સાથે અરજીકર્તાઓને હાઇકોર્ટ જવા નિર્દેશ આપ્યા હતા.આ અરજી વારાણસીની અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી વતી દાખલ કરવામાં આવી છે. 27 જુલાઈએ આ અંગેની સુનાવણીમાં ASIના એડિશનલ ડિરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું હતું કે સર્વે કરવાથી બાંધકામને કોઈ નુકસાન થશે નહીં. આમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ શશિ પ્રકાશ સિંહે પણ દાખલ કરવામાં આવેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો.

અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદના વરિષ્ઠ વકીલ એસએફએ નકવી અને પુનિત ગુપ્તાએ સર્વેક્ષણને કારણે બિલ્ડિંગ તોડી પડવાની આશંકા વ્યક્ત કરી હતી. તેણે ASI અધિકારીઓના ફોટા પણ બતાવ્યા હતા જેઓ કોદાળીના પાવડા સાથે આવતા હતા. આના જવાબમાં ASIના એડિશનલ ડિરેક્ટર જનરલે કહ્યું કે તેઓ ભોંયરામાં ઘણી જગ્યાએ એકઠા થયેલા કાટમાળને સાફ કરવા માટે કોદાળી અને પાવડા લાવ્યા હતા. પ્રાંગણમાં ખોદકામ કરવામાં આવશે નહીં.

 

 

 

 

૦૩ ઓગસ્ટ, ૨૦૨૩

૦૩ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 03/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 03/08/2023

કોંગ્રેસે રાજસ્થાન, છત્તીસગઢ, એમપી અને તેલંગાણા માટે સ્ક્રિનિંગ કમિટીની રચના કરી

આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ શ્રેણીમાં બુધવારે પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની નિમણૂક કરી છે. જેમાં ગૌરવ ગોગોઈને રાજસ્થાન સમિતિના અધ્યક્ષ, જિતેન્દ્ર સિંહને મધ્યપ્રદેશ સમિતિના અધ્યક્ષ, અજય માકનને છત્તીસગઢ સમિતિના અધ્યક્ષ અને કે મુરલીધરનને તેલંગાણા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

 

કેનેડાના PM ટ્રુડોનું છૂટાછેડાનું એલાન, 18 વર્ષ પછી પત્ની સોફીથી અલગ થયા

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ અને તેમની પત્ની, સોફી ગ્રેગોઇર ટ્રુડો અલગ થઈ રહ્યા છે. જસ્ટિન ટ્રુડો અને સોફીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ લાંબી વાતચીત બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ કાનૂની અલગતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Justin Trudeau (@justinpjtrudeau)

બંનેના લગ્ન 2005માં થયા હતા

બંનેના લગ્ન વર્ષ 2005માં થયા હતા. 48 વર્ષની સોફી ગ્રેગોઇર ટ્રુડો ક્વિબેકમાં ટેલિવિઝન રિપોર્ટર પણ રહી ચૂકી છે. તેણે 51 વર્ષીય જસ્ટિન ટ્રુડો સાથે ત્રણ ચૂંટણીઓ માટે પ્રચાર પણ કર્યો છે. તેણી ઘણી વખત મહિલાઓના અધિકારો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની હિમાયત કરતી જોવા મળી છે. બંનેને ત્રણ બાળકો છે – 15 વર્ષીય જેવિયર, 14 વર્ષીય એલા-ગ્રેસ અને 9 વર્ષીય હેડ્રિયન. અલગ થવાને લઈને જારી કરાયેલા નિવેદનમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તે પોતાના બાળકો માટે એક પરિવારની જેમ જ રહેશે. બંને બાળકોને સલામત અને પ્રેમાળ વાતાવરણમાં ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આવતા સપ્તાહથી તે બાળકો સાથે ફેમિલી હોલિડે પર જશે.

પદ પર રહીને પત્નીથી અલગ થનાર બીજા વડાપ્રધાન

તે જ સમયે, જસ્ટિન ટ્રુડોની ઓફિસે તેમની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી છે. ટ્રુડો બીજા વડાપ્રધાન છે જેમણે પદ પર રહીને અલગ થવાની જાહેરાત કરી છે. અગાઉ તેમના પિતા પિયર ટ્રુડો 1979માં પત્ની માર્ગારેટથી અલગ થઈ ગયા હતા અને 1984માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ભાજપના નેતાઓની ટોપી બાદ હવે કુર્તા અને શર્ટના ખિસ્સા પર જોવા મળશે ‘કમળ’ પ્રતીક

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમના નવતર વિચારો માટે જાણીતા છે. વર્ષ 2022 માં તેમણે કમળના ફૂલ સાથેની કેપ જારી કરી, જે ભાજપનું ચૂંટણી પ્રતીક છે. આ વખતે હવે તે કુર્તા અને શર્ટના ખિસ્સા પર ‘કમલ કે ફૂલ’નું બ્રાન્ડિંગ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. સીઆર પાટીલને સુરતમાંથી પોતાના માટે બનાવેલા 5 શર્ટ મળ્યા છે. તેમના ખિસ્સા પર ‘કમળના ફૂલ’નો ખાસ લોગો છપાયેલો છે. સફેદ શર્ટ પર બ્લેક કલરની ઝીણી પ્રિન્ટીંગ કરીને લોગો તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે જ્યારે પાટીલ આ શર્ટ પહેરીને સંસદ ભવન પહોંચ્યા તો સાંસદોને તે ખૂબ જ ગમી અને તેમની પાસે આ શર્ટની માંગણી કરી.

પદાધિકારીઓમાં પણ માંગ વધી રહી છે

ગુજરાતના પદાધિકારીઓને પણ કમળના ફૂલવાળા લોકોના આ શર્ટ અને કુર્તા પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સંગઠન મહાસચિવ રત્નાકરે પણ પાર્ટી અધ્યક્ષ વતી આ પ્રકારના ‘કમળના ફૂલ’ બ્રાન્ડવાળા શર્ટ અને કુર્તા પહેરવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં પદાધિકારીઓમાં આ શર્ટ અને કુર્તાની માંગ વધવા લાગી છે.

નવો વિચાર લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે

આ કુર્તા અને શર્ટની બ્રાન્ડિંગને આગામી લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોકેટ પર ‘કમલ કે ફૂલ’નું બ્રાન્ડિંગ પ્રારંભિક તબક્કામાં છે. જો પાર્ટી લીડરશીપને પણ આ બ્રાન્ડીંગ પસંદ આવે તો તેને દેશભરમાં અજમાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આવા કુર્તા અથવા શર્ટ પહેરવાથી ભાજપના કાર્યકરો ભીડમાં ઉભા થઈ જશે અને પાર્ટીનો પ્રચાર પણ થશે.

અગાઉ ‘કમળના ફૂલ’વાળી ટોપી જારી કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે બીજેપીની ‘કમળના ફૂલ’ કેપ પાછળ પણ સીઆર પાટીલનું મગજ હતું, ત્યારબાદ તેમણે ઉત્તરાખંડની કેપથી પ્રભાવિત થઈને બીજેપીની કેપને બ્રાન્ડેડ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, તેમણે અમદાવાદમાં એક રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌપ્રથમ બીજેપી બ્રાન્ડેડ કેપ પહેરાવી હતી. આ પછી, સત્તાવાર રીતે 2022 માં, આ કેપને ભાજપની સત્તાવાર કેપ માનવામાં આવે છે.

હરિયાણા નૂહ હિંસા: CM ખટ્ટરે સેન્ટ્રલ ફોર્સની વધુ ચાર કંપનીઓની માંગ કરી

હરિયાણા પોલીસે મંગળવારે નૂહમાં હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડના પરિવારોને 57 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. હરિયાણામાં હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. નૂહમાં બે હોમગાર્ડ સહિત ચાર લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા, જ્યાં ટોળાએ વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ગુરુગ્રામની એક મસ્જિદમાં નાયબ ઇમામની હત્યા કરવામાં આવી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, હિંસાને પગલે ગુરુગ્રામથી નુહ સુધી તૈનાત હોમગાર્ડ્સ નીરજ અને ગુરસેવનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે બુધવારે રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાને પગલે કેન્દ્રીય દળોની વધુ ચાર કંપનીઓની માંગ કરી હતી અને કહ્યું હતું કે IRB (ભારતીય રિઝર્વ બટાલિયન) ની એક બટાલિયન પણ નૂહમાં તૈનાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હરિયાણામાં કેન્દ્રીય દળોની 20 કંપનીઓ પહેલેથી જ તૈનાત છે, જેમાંથી 14 નૂહમાં, ત્રણ પલવલમાં, બે ગુરુગ્રામમાં અને એક ફરીદાબાદમાં તૈનાત છે.હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે એક મોટી જાહેરાત કરી છે કે સરકાર નૂહ હિંસા પીડિતોની મદદ માટે એક યોજના ચલાવશે. જેથી લોકોને સમયસર લાભ મળી શકે.

 

દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે

હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે બુધવારે આ જાણકારી આપી. હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં સાંપ્રદાયિક હિંસા વિરુદ્ધ બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક સ્થળોએ પ્રદર્શનો કર્યા હતા.


41 FIR નોંધાઈ, 116ની ધરપકડ

હરિયાણાના ડીજીપી પી.કે. અગ્રવાલે કહ્યું કે ગઈકાલથી નુહ શહેરમાં કોઈ અપ્રિય ઘટના બની નથી. અત્યાર સુધીમાં 41 FIR નોંધવામાં આવી છે અને 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવશે. પૂછપરછમાં જેમના નામ આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આગચંપીનાં બનાવ અંગે 3 સામે ગુનો નોંધ્યો હતો

ગુરુગ્રામ એસીપી મનોજ કુમારનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય છે અને અમે બાદશાહપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે આગની ત્રણ અલગ-અલગ ઘટનાઓ અંગેની માહિતીના આધારે ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે.


પકડાયેલાઓને રિમાન્ડ પર લેવામાં આવશે

સીએમ ખટ્ટરે કહ્યું કે અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે તેના રિમાન્ડ લેવામાં આવશે જેથી હિંસામાં સંડોવાયેલા વધુ લોકોને શોધી શકાય.


પકડાયેલાઓને રિમાન્ડ પર લેવામાં આવશે

સીએમ ખટ્ટરે કહ્યું કે અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે તેના રિમાન્ડ લેવામાં આવશે જેથી હિંસામાં સંડોવાયેલા વધુ લોકોને શોધી શકાય.

ગુરુગ્રામ પોલીસ એલર્ટ પર છે

ગુરુગ્રામમાં હિંસા વચ્ચે ગુરુગ્રામ પોલીસે ટ્વિટ કરીને લોકોને આશ્વાસન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું- અમે જનતાને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ચિંતા ન કરો. આજે આગચંપી અને અથડામણની કેટલીક ઘટનાઓ બની છે. પરંતુ કોઈ મોટી ઘટના બની નથી. અમે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવી છે અને શાંતિ જાળવવા માટે એલર્ટ પર છીએ.