દેશે શહીદ દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને પુણ્યતિથિએ યાદ કર્યા

નવી દિલ્હીઃ ક્રાંતિકારી નેતાઓ ભગત સિંહ, શિવરામ હરિ રાજ્યગુરુ અને સુખદેવ થાપરે આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરવા માટે દર વર્ષની 23 માર્ચે શહીદ દિવસ ઊજવવામાં આવે છે. આ રાષ્ટ્રભક્તોને 1931માં લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. દેશ માતૃભૂમિ માટે જીવનનું બલિદાન આપનારા ભારત માતાના મહાન સપૂત શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને નમન કરી રહ્યો છે. તેમની વીરતાને યાદ કરતાં સ્વતંત્ર્યતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશમાં અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

આ અવસરે કેટલાય નેતાઓએ ગુરુવારે પ્રતિષ્ઠિત વીરોને શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપવા માટે ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય પ્રદાન કેશવ પ્રસાદ મૌર્ય સહિતના નેતાઓ સામેલ હતા, જેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આઝાદીના 75 વર્ષ પૂરાં થવા પર અમૃત મહોત્સવના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ સ્વતંત્રસેનાઓની પ્રેરક વાર્તાઓવાળી શહીદ વિશેષ શૃંખલા પર એક વિડિયો શેર કર્યો હતો. ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સાથે-સતે શહીદ દિવસે હૈશટેગ પણ ટ્વિટર પર સવારથી ટ્રેન્ડ કરી રહ્યા છે, કેમ કે દેશભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જોકે આ ત્રણેમાં ભગત સિંહ એક કરિશ્માઈ સ્વતંત્રતાસેનાની તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ માત્ર 23 વર્ષે સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થયા હતા અને તેમને અંગ્રેજોએ ફાંસી આપવામાં આવી હતી.