નવી દિલ્હીઃ નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરતી કોક્રોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચા થઈ છે. નવી દિલ્હીના વિઠ્ઠલ હાઉસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે CJPના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં CJP તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ ફરીથી પોતાની ત્રણ મુખ્ય માગ રજૂ કરી, જે તેઓ અગાઉ પણ અનેક વખત રજૂ કરી ચૂક્યા છે.
આ બેઠક દરમિયાન તેમણે ફરી માંગ કરી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય. એ ઉપરાંત, નીટ પેપર લીકથી આઘાત પામી આત્મહત્યા કરનાર 20થી વધુ લોકોના પરિવારજનોને વળતર આપવામાં આવે. ત્રીજી માગણી મુજબ આંદોલન કરનારા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવામાં આવે અને જેમની સામે કેસ નોંધાયા હોય તે પાછા ખેંચી લેવામાં આવે.
सरकार से बातचीत के बाद:–
“केंद्र सरकार ने मृतक छात्रों के परिजनों को मुआवजा देने और प्रदर्शनकारियों के खिलाफ दर्ज FIR वापस लेने की सहमति जताई है,
लेकिन हमें धर्मेंद्र प्रधान के इस्तीफे से कम कुछ मंजूर नहीं है। इस पर विचार करने के लिए हमने सरकार को 24 घंटे का वक्त दिया है”…
— Cockroach Janta Party (@CJP_for_India) July 24, 2026
સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર બીજી અને ત્રીજી માગ સ્વીકારવા તૈયાર છે, પરંતુ પ્રથમ માગ અંગે હજુ સુધી સહમત નથી. CJPના પ્રતિનિધિઓએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની માગ કરી હતી, પરંતુ સરકાર હાલ તેના પક્ષમાં દેખાતી નથી.




