કોંગ્રેસના જનપ્રિય નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે દેશના રાજકીય અને સામાજિક માહોલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દેશના સામાન્ય નાગરિકોનો અવાજ સાંભળવા જ નથી માંગતી.
Delhi: At the Rachnatmak Congress National Convention, Congress MP and LoP Rahul Gandhi says, “If you look at what was happening at Jantar Mantar, students want to express themselves. They are in pain and they want to express themselves, and the government says, ‘No, we are going… pic.twitter.com/JzK7UM0qOj
— IANS (@ians_india) August 13, 2026
આદેશ આપવા અને વાત રાખવા વચ્ચેની લડાઈ
રાહુલ ગાંધીએ સરકારની શાસનશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ સમગ્ર લડાઈ એકતરફી આદેશ આપવાની અને પોતાની વાત રજૂ કરવાની વચ્ચેની છે. તેમણે દાવો કર્યો હતો કે લોકશાહીમાં જનતાનો અવાજ અને વિપક્ષનો અભિપ્રાય સાંભળવો અત્યંત જરૂરી છે, પરંતુ કેન્દ્ર સરકાર માત્ર પોતાના આદેશો લાદવાનું કામ કરી રહી છે.
Delhi: At the Rachnatmak Congress National Convention, Congress MP and LoP Rahul Gandhi says, “The day there is a call to eliminate the RSS’s expression from the country, I will defend them, because they too have the right to express themselves. That is not our position. We are… pic.twitter.com/iEBjRbZnUY
— IANS (@ians_india) August 13, 2026
PM મોદીની પ્રેસ કોન્ફરન્સ અંગે કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા? શરૂઆતમાં મને લાગતું હતું કે કદાચ આ તેમની કોઈ રાજકીય વ્યૂહરચના હોઈ શકે છે. પરંતુ એક દિવસ જ્યારે હું તેમની સાથે એક રૂમમાં બેઠો હતો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ 5 મિનિટથી વધુ સમય બોલી જ શકતા નહોતા. ત્યારે જ મને સમજાયું કે વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ યોજવાથી કેમ દૂર રહે છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન મીડિયાના સીધા અને પડકારજનક પ્રશ્નોનો સામનો કરવાથી બચે છે અને એટલા માટે જ તેઓ પત્રકાર પરિષદ યોજવાનું ટાળે છે.




