નવી દિલ્હીઃ સનાતન ધર્મને નાબૂદ કરવાની હાકલ કરતી ટિપ્પણી કરવા બદલ તામિલનાડુના પ્રધાન અને શાસક ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિન, પાર્ટીના અન્ય નેતા એ. રાજા અને તામિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટે આજે નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિઓ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બનેલી બેન્ચે તામિલનાડુના સંસદસભ્યો – થોલ થિરુમાવલન અને થિરુ સુ વેંકટેશન, તામિલનાડુ રાજ્યના પોલીસ વડા, ગ્રેટર ચેન્નાઈના પોલીસ કમિશનર, કેન્દ્રિય ગૃહ મંત્રાલય, હિન્દૂ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડાઉમેન્ટ વિભાગ માટેના પ્રધાન પી.કે. શેખર બાબુ, તામિલનાડુ રાજ્ય લઘુમતી પંચના ચેરમેન પીટર અલ્ફોન્સ તથા અન્યોને પણ નોટિસ મોકલી છે.
આ કેસ ચેન્નાઈના વકીલ બી. જગન્નાથે કર્યો છે. એમની વતી હાજર થયેલા એડવોકેટ બાલાજી ગોપાલને ન્યાયાધીશો સમક્ષ એવી દલીલ કરી હતી કે કોઈ સાધારણ વ્યક્તિએ કમેન્ટ કરી હોત તો સમજી શકાત, પરંતુ અહીં તો એક રાજ્યની સરકારે એની યંત્રણાને આવા નિવેદનો કરવાની છૂટ આપી છે. સનાતન ધર્મની વિરુદ્ધ બોલવા વિદ્યાર્થીઓને ભડકાવતા સર્ક્યૂલર ઈસ્યૂ કરવામાં આવ્યા છે. એક બંધારણીય પદાધિકારી આવું બોલે તે ચલાવી ન લેવાય. બીજું, કોઈ પણ ધર્મ વિરુદ્ધ બોલવાની વિદ્યાર્થીઓને ફરજ પાડી ન શકાય. સુપ્રીમ કોર્ટ ઉદયનિધિ સ્ટાલિન તથા અન્યોને આદેશ આપે કે તેમણે ભવિષ્યમાં સનાતન ધર્મ વિરુદ્ધમાં આવી કમેન્ટ ફરીવાર કરવી નહીં.
અરજદારે કોર્ટને અપીલ કરી છે કે તે તામિલનાડુ રાજ્યના પોલીસ વડા પાસેથી એ જાણવા માટે અહેવાલ મગાવે કે ઉદયનિધિએ જ્યાં અપમાનજનક નિવેદન કર્યું હતું તે પરિષદ યોજવાની પોલીસે પરવાનગી કઈ રીતે આપી અને તે કાર્યક્રમ માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થા વિરુદ્ધ પોલીસે કોઈ પગલું કેમ ભર્યું નહીં.
નવી દિલ્હીઃ સુગરની જમાખોરી અને કાળાં બજાર થતા રોકવા માટે સરકારે આદેશ કર્યો છે કે હવે સુગરના બધા ટ્રેડર્સ, જથ્થાબંધ વેપારીઓએ, રિટેલ વેપારીઓએઅ અને સુગરની પ્રોસેસ કરતા બધાએ હાજર સ્ટોકની માહિતી આપવી ફરજિયાત છે. આ માહિતી પ્રતિ સપ્તાહે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ (http://esugar.nic.in) પર અપલોડ કરવાની રહેશે. સરકારને અપેક્ષા છે કે આ પગલાથી એને દેશમાં સુગરની છૂટક કિંમતો સ્થિર જાળવી રાખવામાં મદદ મળશે.
સરકારની આ પહેલ સંપૂર્ણ રીતે ડિજિટલ છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનાથી જમાખોરી કે સટ્ટાખોરીથી સુગર માર્કેટને સુચારુ બનાવવામાં મદદ મળી રહેશે. સરકારનું આ પગલું સુગર સ્ટોક પર વાસ્તવિક સમયમાં ડેટા પણ ઉપલબ્ધ કરાવશે. આ પગલાથી સરકારને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ મદદ મળી રહેશે.આ સિવાય સરકારે એનાથી જોડાયેલા નિયમો અને મન્થલી ક્વોટાના માપદંડોનું પાલન કરવા માટે સુગર મિલો અને વેપારીઓ પાસે પણ સહયોગની અપેક્ષા કરી રહી છે. એનું ઉલંલ્ઘન કરનાર મિલો વિરુદ્ધ સરકાર આકરી કાર્યવાહી કરશે.
ઓગસ્ટ, 2023ના અંતમાં 83 લાખ મેટ્રિક ટન સુગર સ્ટોક્સ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ઘરેલુ સુગર માગને પહોંચી વળવા માટે પર્યાપ્ત સ્ટોક છ અને તહેવારોમાં કોઈ અછત નહીં સર્જાય. આ સિવાય ઓક્ટોબર, 2023માં શેરડીની પિલાણની નવી સીઝન શરૂ થવાની છે. સરકારે 13 લાખ મેટ્રિક ટન ઘરેલુ વેચાણ ક્વોટાનો પહેલો હપતો જારી કરી દીધો છે. જેથી સુગર મિલો તત્કાળ અસરથી એનું વેચાણ પ્રારંભ કરે શકે છે.
મુંબઈઃ એપલ કંપનીએ તેની આઈફોન શ્રેણીનો હાલમાં જ લોન્ચ કરેલો નવો આઈફોન-15 આજથી ભારતમાં વેચાણમાં મૂકવામાં આવ્યો છે. અહીં બાન્દ્રા (ઈસ્ટ)સ્થિત બીકેસી વિસ્તારમાં આવેલા મુકેશ અંબાણીની માલિકીના જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં આવેલા એપલ સ્ટોર (એપલ BKC)માં આઈફોન-15નું વેચાણ આજે સવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ લેટેસ્ટ આવૃત્તિનો સ્માર્ટફોન ખરીદવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. એને કારણે મોલમાં ચિક્કાર ગિરદી જોવા મળી રહી છે.
એપલ ચાહકો-ગ્રાહકોની લાંબી લાઈન જોવા મળી છે. ઘણા લોકો તો નવો ડિવાઈસ ખરીદવા માટે 17 કલાકથી એપલ સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભાં હતાં.
ભારતમાં આઈફો-15 શ્રેણીનાં ફોનની કિંમત રૂ. 79,900થી શરૂ થાય છે અને રૂ. 1,99,900 જેટલી ઉંચી જાય છે. આઈફોન-15ના વેચાણથી માત્ર એપલ કંપનીને જ નહીં, પણ ભારતના સૌથી ધનવાન એવા મુકેશ અંબાણીને પણ કમાણી થશે. એપલ BKC સ્ટોર એપલ કંપનીએ ભારતમાં શરૂ કરેલો તેનો પહેલો સત્તાવાર રીટેલ સ્ટોર છે. અંબાણીની માલિકીના ઉક્ત મોલે એપલ સાથે 11-વર્ષનો કરાર કર્યો છે. એપલ BKC સ્ટોર 20,800 સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરેલો છે. આ સ્ટોરનું ભાડું દર વર્ષે 15 ટકા જેટલું વધે છે. એપલ કંપની અંબાણીના મોલને દર મહિને મિનિમમ રૂ. 42 લાખની રકમ ભાડા પેટે ચૂકવે છે. તદુપરાંત, પહેલા ત્રણ વર્ષમાં એપલને થનાર કમાણીમાંથી બે ટકા અંબાણી મોલને આપવાનું પણ નક્કી થયું છે. આ ટકાવારી ત્રણ વર્ષ પછી અઢી ટકા થશે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, એપલ BKC સ્ટોરે આજે પહેલા જ દિવસે રૂ. 10 કરોડનું વેચાણ કર્યું છે અને મહિનામાં આ આંકડો રૂ. 25 કરોડ પર પહોંચી જશે. કરાર મુજબ, એપલ અંબાણીના મોલને દર મહિને રૂ. 42 લાખનું ભાડું અને રૂ. 50 લાખ રેવેન્યૂ શેરિંગ તરીકે ચૂકવશે.
નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા બિલ અનામત પર વિચારવિમર્શ દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહનું એક નિવેદન ધ્યાન ખેંચનારું છે. તેમણે કહ્યું હતું કે નવા સીમાંકનમાં જો વાયનાડ સીટ અનામત થઈ જાય તો કોંગ્રેસ એનો દોષ પણ મને જ આપશે. હૈદરાબાદની આરક્ષિત સીટ ઓવૈસી પણ રાજકારણ કરવાનો આરોપ લગાવશે.કેરળની વાયનાડ સીટથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તો તેલંગાનાની હૈદરાબાદ સીટથી AIMIMના અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. સીમાંકન લોકસભા અને વિધાનસભાના સીમા નિર્ધારણની પ્રક્રિયાને કહે છે. 2008માં છેલ્લી વાર દેશમાં સીમાંકન કરવામાં આવ્યું હતું. સીમાંકનને કારણે એ સમયે સોમનાથ ચેટરજી, શિવરાજ પાટિલ અને રામકૃપાલ યાદવ જેવા નેતાઓએ પરંપરાગત સીટો ગુમાવવી પડી હતી. જો સીમાંકન થયું તો આ વખતે પણ કેટલાય નેતાઓની સીટ એની ચપેટમાં આવવાની ધારણા છે.
દેશના બંધારણના આર્ટિકલ 82માં સીમાંકન વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એના મુજબ દસકાની વસતિ ગણતરી પછી જરૂર અનુસાર ચૂંટણી પંચ સંસદીય અને વિધાનસભાની સીટોનું સીમાંકન કરે એવી શક્યતા છે. એમાં વસતિ ગણતરીના હિસાબે પ્રતિનિધિત્વ નક્કી કરવાની વાત કરવામાં આવી છે. સ્વતંત્રતા પછી દેશમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન કરવામાં આવી ચૂક્યું છે.
જોકે સીમાંકન પંચ બન્યા પછી સૌથી પહેલાં એ નક્કી થશે કે લોકસભા અને વિધાનસભાની સીટોની સીટો વધશે કે નહીં? જોકે સીમાંકનના કાયદા 2002 મુજબ સીમાંકન પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના હાલના અથવા ભૂતપૂર્વ જજ કરે એવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તેમણે સૂચવેલી વ્યક્તિ પણ ચૂંટણી પંચના સભ્ય હોય છે.
નવી દિલ્હીઃ ભારત-કેનેડામાં છેડાયેલા વિવાદની વચ્ચે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની નેતાની હત્યા પર વધતા રાજકીય વિવાદ પર કેનેડા ભારતને ઉશ્કેરવા કે પરેશાન કરવા નથી ઇચ્છતું. તેમણે ભારતને આ મામલાને બહુ ગંભીરતાથી લેવાની અને સત્ય બહાર લાવવા માટે કેનેડાની સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો.
આ મામલે હવે અમેરિકાએ પણ કહ્યું હતું કે US કેનેડામાં શીખ અલગાવવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણીના આરોપોની તપાસના કેનેડાના પ્રયાસોને ટેકો આપે છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કેનેડા-ભારત મુદ્દે વડા પ્રધાન મોદીથી વાત કરવા પર NSA જેક સુલિવને કહ્યું હતું કે હું એ વ્યક્તિગત રાજકીય વાતચીતમાં સામેલ નહીં થાઉં, જે આ વિષય પર પહેલાં થઈ ચૂકી છે અથવા થવાની છે. અમે આ મુદ્દે ઉચ્ચ સ્તર પર ભારતીયોની સાથે સંપર્કમાં છીએ અને રહીશું. આ અમારા માટે ચિંતાનો વિષય છે. આને અમે અમે ગંભીરતાથી લઈએ છીએ. અમે અમારું કામ કરવાનું જારી રાખીશું.
તેમણે કહ્યું હતું કે અમે કેનેડાના વડા પ્રધાનના આરોપોને સાંભળ્યા છે અને અમે ગુનેગારોને સજા અપાવવા માટે ટેકો આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે અમે કેનેડાના સમકક્ષોની સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે તેમની સાથે પણ પરામર્શ કરી રહ્યા છીએ. અમે આ તપાસમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસાને પણ ટેકો આપીએ છીએ અને અમે ભારત સરકારના સંપર્કમાં પણ છીએ. તેમણે કેનેડા સાથે મતભેદની અટકળોને ફગાવી દીધી હતી.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,338 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,901 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 65 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 461 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 24,670 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,644 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 173 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ મહાદેવ એપ કેસના સંબંધમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓનાં મુંબઈ તથા દિલ્હીસ્થિત મેનેજરોને ત્યાં દરોડા પાડ્યા છે અને અઢી કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરી છે.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, ગયા ફેબ્રુઆરી મહિનામાં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના દુબઈમાં યોજાઈ ગયેલા લગ્ન સમારંભ વખતે સ્ટેજ પરફોર્મ કરવા માટે સેલિબ્રિટીઓને નિયુક્ત કરવાના કામમાં તેમજ સેલિબ્રિટીઓ વતી હવાલા નાણાં સ્વીકારવામાં આ મેનેજરો સંડોવાયેલા છે. તપાસમાં માલુમ પડ્યું છે કે આ મેનેજરોએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પાસેથી રોકડ પૈસા મેળવ્યા હતા અને એમાંનો 10 ટકા હિસ્સો પોતાનાં કમિશન તરીકે લીધો હતો. બાકીનાં પૈસા એમણે સેલિબ્રિટી વ્યક્તિઓને આપી દીધા હતા. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ સેલિબ્રિટી વ્યક્તિઓનાં રહેવાની, ફ્લાઈટ્સ તેમજ અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી હતી.
કહેવાય છે કે, ચંદ્રાકર અન્ડરવર્લ્ડની કુખ્યાત ડી-ગેંગનો નિકટનો સહયોગી છે. મહાદેવ એપ મની લોન્ડરિંગ કેસમાં તે ભાગેડૂ આરોપી છે. એણે દુબઈમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા અને એમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે સમારંભમાં હાજર રહેલી બોલીવુડ હસ્તીઓને પણ ઈડી અમલદારો પૂછપરછ માટે બોલાવવાના છે.
અમદાવાદઃ ભારતના ‘ગગનયાન’ અવકાશ મિશનમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું અમદાવાદસ્થિત એકમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ મિશન દ્વારા ભારત અવકાશયાત્રીઓને અંતરિક્ષ સંશોધન કામગીરી માટે મોકલવાનું છે.
ઈસરો-અમદાવાદના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું છે કે, ”ગગનયાન’ને અવકાશમાં મોકલવા માટેનું રોકેટ અન્યત્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ અવકાશયાનમાંની તમામ સિસ્ટમ્સને અમદાવાદમાં ઈસરો એકમમાં જ ડેવલપ કરવામાં આવી છે. આમાં કેબિન સિસ્ટમ્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કેબિનમાં અવકાશયાત્રીઓ માટે ત્રણ બેઠક હશે. તેની સાથે લાઈટિંગ સિસ્ટમ અને બે ડિસ્પ્લે સ્ક્રીન હશે, જેની પર અવકાશયાત્રીઓ અનેક પ્રકારના માપદંડો પર દેખરેખ રાખી શકશે. કેબિનમાં કેમેરા સેન્સર્સ પણ મૂકવામાં આવશે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના સ્તરને ટ્રેક કરશે, જેથી મિશન પર રહેનાર અવકાશયાત્રીઓની સલામતી અને સુખાકારી જળવાઈ રહે. તદુપરાંત, ‘ગગનયાન’માં એક અગ્નિશામક યંત્ર પણ હશે જે કોઈ સંભવિત પરિસ્થિતિમાં કામમાં આવી શકે. ‘ગગનયાન’માં ઈન્ટરનેટ સુવિધા પણ હશે. કેમેરા અને બે ટીવી મોનિટર્સની મદદથી અવકાશયાત્રીઓ પરસ્પર સંપર્કમાં રહી શકશે અને એકબીજાને વાકેફ કરી શકશે.’
‘ગગનયાન મિશન’ દ્વારા ભારત ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઉંચાઈ પર ત્રણ દિવસ માટે ભ્રમણકક્ષામાં મોકલવાનું છે. ત્રણ દિવસના મિશન બાદ અવકાશયાત્રીઓ સાથેના ગગનયાનનું હિંદ મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરાવવામાં આવશે. આ મિશન પાછળ ભારતનો હેતુ માનવીને રહેવા યોગ્ય સ્પેસ કેપ્સ્યૂલ (અંતરિક્ષ કેબિન) ડેવલપ કરવાનો છે.
માનવવિહોણા યાન (ટેસ્ટ વેહિકલ)ને આવતા ઓક્ટોબરના અંતભાગમાં લોન્ચ કરવામાં આવનાર છે. આ બીજી અજમાયશ હશે. ત્યારબાદ આવતા વર્ષે અવકાશયાત્રીઓ સાથે ‘ગગનયાન’ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો માત્ર ચોથો દેશ બનશે. આ સિદ્ધિ અગાઉ સોવિયેત સંઘ, અમેરિકા અને ચીન હાંસલ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અવકાશની સફરે માત્ર એક જ ભારતીય જઈ આવ્યા છે અને એમનું નામ છે – વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા.
ગણેશોત્સવ શરૂ થતા જ ગુજરાત સહિત સમગ્ર દેશ ગણેશમય બન્યો છે. ત્યારે આજે એવા ગણેશ મંદિર વિશે જાણીએ જેનો ઈતિહાસ 1200 વર્ષ જુનો છે.
ગુજરાતમાં ગણપતિ બાપ્પાના અનેક મંદિરો છે જે ક્યારેક દાદાની મૂર્તિના કારણે તો ક્યારેક બાપ્પાના આગવા અસ્તિત્વને લઈને ભાવિકોમાં પૂજનીય છે. જેમાં એક નામ છે ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગામના ગણપતિ દાદા.
મંદિર સાથે જોડાયેલી છે અનેક દંતકથા
આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત ગણપતિ બાપ્પાની મુર્તિ પાંડવ યુગની છે. તો વળી એક લોકવાયકા એવી પણ છે કે આ મંદિરના ઈતિહાસ સાથે સોલંકી કાળ પણ જોડાયેલો છે.
..અને ઇન્દ્રદેવના રથના પૈડા ભાંગી ગયા
મંદિરના પ્રાચીનકાળની વાત કરીએ તો ઇન્દ્ર દેવના લગ્ન સમયે બધાય દેવી-દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ગણપતિ દાદાની વાંકી સૂંઢ અને વિચિત્ર દેખાવના કારણે એમને લગ્નમાં આમંત્રણ આપવામાં ન આવ્યું. જ્યારે દેવ ઇન્દ્ર જાન લઈને ઐઠોર અને ઉંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યારે ગણપતિ દાદાના ક્રોધના કારણે ઇન્દ્રદેવના રથના પૈડા આપોઆપ ભાંગી ગયા. એ સમયે કોઈએ કહ્યું કે આ બધુ ગણેશનો અનાદર કર્યાનું ફળ છે. આટલુ સાંભળતા જ બધાય દાદાને મનાવવા પુષ્પાવતી નદીના કીનારે 33 કરોડ દેવી-દેવતાની પૂજા કરવા લાગ્યા. આ પૂજાથી ખુશ થઈને ભગવાન શીવ પોતાના પરિવાર સાથે જાનમાં જોડાયા. પરંતુ થોડીવારમાં જ ગણપતિ દાદાને થાક લાગતા શીવ ભગવાને બાળ ગણેશને કહ્યું ‘અહિં ઠેર’ જેના પરથી ગામનું નામ ઐઠોર પડ્યુ.
ભાવિકો દાદાને રીઝવવા ખાસ પૂજા-અર્ચના કરે છે
ઐઠોરમાં બિરાજમાન દાદાની મૂર્તિ માટીમાંથી બનાવેલી છે એટલુ જ નહીં બાપ્પાની પ્રતિમા ડાબી સૂંઢની છે. કહેવાય છે કે ભારતના કોઈ પણ મંદિરમાં આવી મુર્તિ ક્યાંય નથી.
આમ તો બારેમાસ ગણપતિ બાપ્પાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. પરંતુ ખાસ કરીને ગણેશ મોહત્સવમાં ભાવિકો દાદાને રીઝવવા ખાસ પૂજા-અર્ચના કરે છે.