લંડનઃ તબીબી ભૂલોને કારણે પુત્રનો જાન ગયા બાદ અહીં રહેતા ભારતીય મૂળના એક નાગરિકે દર્દીઓનાં અધિકારોના રક્ષણ માટે એક ઝુંબેશ શરૂ કરી છે અને એક ચેરિટી સંસ્થા શરૂ કરી છે. જય પટેલ નામના નાગરિકે ‘પેશન્ટ્સ લાઈવ્સ મેટર’ નામે એક ચેરિટી સંસ્થા આ મહિનાના આરંભમાં રજિસ્ટર કરાવી છે. આ સંસ્થા પટેલે એમના 30 વર્ષીય પુત્ર બલરામનું લંડનની એક હોસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ શરૂ કરી છે. કોરોનર કાર્યાલયે પટેલને કહ્યું છે કે તેમણે ગયા મહિને બલરામના થયેલા મૃત્યુના કારણો અને સારવાર આપવામાં થયેલા વિલંબની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
જય પટેલે એક નિવેદનમાં કહ્યું છે કે બલરામનું મૃત્યુ અતિશય પીડા, તકલીફ અને હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને સ્ટાફનાં સભ્યોની દ્વારા થયેલી અસંખ્ય ભૂલો તેમજ સારવારમાં નિષ્ફળતાને કારણે થયું છે. આ કેસમાં સરકાર તપાસ કરાવે જેથી એ જાણી શકાય કે દર્દીની સારવારમાં અને કાળજી લેવામાં શું ખોટું થયું હતું.
પટેલે અપીલ કરી છે કે સંસદ પોતાની વાત સાંભળે અને આવા બનાવ ફરી બનતા અટકાવે. અમે અમારા પુત્રના નિધનથી બહુ જ દુઃખી થયાે છીએ. અમારી ફરિયાદ છે કે બલરામનું મૃત્યુ બિનજરૂરી અતિશય પીડાને કારણે થયું છે. આનું કારણ એ છે કે એની કાળજી અને મેડિકલ સારવાર ઉચિત પ્રકારની નહોતી.
અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવનના પ્રાંગણમાં સંગીત, નૃત્ય, નાટ્ય કલા , ચિત્રકારો સહિતના કલાકારો ભેગા મળી ગણેશોત્સવ ઉજવે છે. તમામ પ્રકારની કલા સાથે જોડાયેલા લોકો વિધ્નહર્તાની આરાધના કરે છે.
રવિશંકર રાવલ કલા ભવન ખાતે ભેગા થતા કલા જગતના લોકોની એક કમિટી પણ છે. જેના કમિટી મેમ્બર અભિલાષ ઘોડા ચિત્રલેખા.કોમ ને કહે છે, અમદાવાદનું લો ગાર્ડન નજીક આવેલું આ કલા ભવન તમામ કલાકારોની સાધના દર્શાવતું ઉત્તમ સ્થળ છે.
વધુમાં કહે છે કે, સૌ કલાકારો માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પણ છે. અમે કલા સાથે જોડાયેલા તમામ લોકો છેલ્લા નવ વર્ષ થી આ કલા ભવનમાં ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ. ગણેશજીના આ ઉત્સવમાં રંગભૂમિ, સંગીતથી માંડી તમામ કલા સાથે સંકળાયેલા લોકો પોતાની સેવા આપે છે.
અભિલાષ ઘોડા કહે છે કે, જુદી જુદી થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિના સ્વરૂપ સાથે મહાન ગાયિકા લતા મંગેશકર , રંગભૂમિના મુખોટા, ગણેશજીના હાથમાં વીણા , તબલાં જોડ્યા છે. કલા રસિક ભક્તોએ આ મૂર્તિની ડિઝાઈન છ મહિના પૂર્વે તૈયાર કરી ગણેશજીને તૈયાર કરાવ્યા.
એટલુ જ નહીં ગણેશોત્સવ દરમિયાન ગજાનનના સાંનિધ્યમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગીતો , ભજનો , ગરબા જેવા કાર્યક્રમો ઓર્કેસ્ટ્રા સાથે રજૂ કરવામાં આવે છે. રંગભૂમિ , ફિલ્મ સહિત તમામ ક્ષેત્ર ના કલાકારો આ પ્રસંગે ઉત્સાહ પૂર્વક સ્વૈચ્છિક સેવાઓ આપે છે.
નવી દિલ્હીઃ દેશમાં iફોન માટે લોકોને ક્રેઝ છે. હાલમાં શહેરના કમલાનગરના એક ક્રોમા સ્ટારમાં iફોન 15ના સપ્લાયમાં વિલંબ થતા એક ગ્રાહક ભડકી ગયો હતો. iફોનની ડિલિવરીમાં વિલંબ થવા પર આ ગ્રાહકે ક્રોમાના સ્ટાફની સાથે બોલાચાલી કરીને તેના પર હાથ ઉપાડ્યો હતો. દુકાનમાં લાગેલા CCTV કેમેરાના આ ફુટેજ લીક થયા હતા અને સોશિયલ મિડિયા પર વાઇરલ થયા હતા.
iફોન લેવા માટે દિલ્હી જ નહીં, મુંબઈ, પુણે, અમદાવાદ અને ચેન્નઈ સુધી એપલ કે અન્ય સ્ટોરની બહાર લોકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. આ વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો.
કમલાનગરના ક્રોમા શોરૂમમાં ગ્રાહકો અને કર્મચારીઓની વચ્ચે iફોન 15ની ડિલિવરી મામલે મારપીટ થઈ હતી. iફોનના વેચાણ શરૂ થવા પર ડિલિવરી લેવા પહોંચેલા ગ્રાહક ના પાડવામાં આવતાં કર્મચારી સાથે મારપીટ કરી હતી. ગ્રાહક એટલો નારાજ થયો હતો કે તેણે તરત જ કર્મચારી સાથે મારપીટ કરવાની શરૂ કરી હતી.
આ મામલે તપાસ અધિકારીઓનું કહેવું છે કે ક્રોમા સ્ટોરના સ્ટાફે લોકોને દેશમાં iફોન 15ના વેચાણ શરૂ થવાના પહેલા દિવસે iફોનની ડિલિવરીનું વચન આપ્યું હતું. જોકે હવે ગ્રાહકો અને સ્ટોરના કર્મચારી વચ્ચે ઝડપ થતાં દિલ્હી પોલીસે ગ્રાહકની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. આ મહિને 12 સપ્ટેમ્બરે એપલે iફોન 15 લોન્ચ કર્યો છે અને એ ફોનનું વેચાણ શરૂ થયું છે. iફોન ખરીદવા માટે લોકોમાં ક્રેઝ છે.
નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના નેતા દાનિશ અલીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં મૌખિક લિન્ચિંગ પછી હવે સંસદની બહાર લિન્ચિંગ માટે નેરેટિવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના સાંસદ રમેશ બિધૂડીની BSPના MP દાનિશ અલી માટે વાંધાજનક ટીકાટિપ્પણને લઈને આરોપ-પ્રત્યારોપણ શરૂ થઈ ગયું છે. તેમણે આ ટિપ્પણી ભાજપના સાસંદ નિશિકાંત દુબેના આરોપના જવાબમાં કરી હતી. દુબેએ આરોપ લગાવ્યો હતો કે અલીએ અપશબ્દ કહ્યા હતા. જેને કારણે પાર્ટીના સાંસદ રમેશ બિધૂડી ભડક્યા હતા.
લોકસભામાં ગયા ગુરુવારે ચંદ્રયાન-3 પર ચર્ચામાં બિધૂડીએ BSP સાંસદની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે પછી હંગામો શરૂ થયો હતો અને વિરોધ પક્ષોના નેતાઓએ ભાજપ સાંસદની વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.
BJP MPs did my verbal lynching in the parliament and now they want to lynch me outside.
Nishikant Dubey should produce the video where I said anything. Loksabha speaker must take strict action against Ramesh Bidhuri.
દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને BSP સાસંદ દાનિશ અલીની સામે અશોભનીય વર્તૂણૂક અને ટિપ્પણીઓની પણ તપાસ કરવાની માગ કરી હતી. લોકસભાના અધ્યક્ષ બિરલાને લખેલા પત્રમાં દુબેએ આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ તેમને (બિધૂડીને) ઉશ્કેરવાનો હતો, કેમ કે તેઓ ધીરજ ગુમાવી ચૂક્યા હતા.
દુબેના આરોપો પર અલીએ કહ્યું હતું કે મેં દુબેનો પત્ર જોયો છે, સંસદની અંદર મારું મૌખિક લિન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સંસદની બહાર મારા લિન્ચિંગ માટે તૈયારી કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,565 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,078 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 53 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 456 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8655 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,976 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 42 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
હૈદરાબાદઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે તેઓ લોકસભાની ચૂંટણી કેરળના વાયનાડને બદલે તેલંગણાના હૈદરાબાદમાંથી લડી બતાવે.
ઓવૈસી હૈદરાબાદમાંથી AIMIM પાર્ટીના સંસદસભ્ય છે. એમણે ગઈ કાલે એમના આ મતવિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલને પડકાર ફેંક્યો હતો. એમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદને કોંગ્રેસના રાજ વખતે તોડી પાડવામાં આવી હતી. હું તમારા નેતા (રાહુલ ગાંધીને) ચેલેન્જ ફેંકું છું કે તેઓ હૈદરાબાદમાંથી ચૂંટણી લડી બતાવે, વાયનાડમાંથી નહીં. તમે મોટા મોટા નિવેદનો કરો છે, મેદાનમાં આવો અને મારી સામે લડી બતાવો. કોંગ્રેસના લોકો ઘણું બોલે છે, પણ હું તૈયાર છું… બાબરી મસ્જિદ અને સચિવાલયની મસ્જિદને કોંગ્રેસના શાસન વખતે તોડી પાડવામાં આવી હતી.
તેલંગણામાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. આ રાજ્યમાં કોંગ્રેસ અને AIMIM એકબીજાની કટ્ટર હરીફ પાર્ટીઓ છે. રાહુલ ગાંધીએ હાલમાં જ એમ કહ્યું હતું કે, તેલંગણામાં, કોંગ્રેસનો મુકાબલો બીઆરએસ, બીજેપી અને AIMIM – એમ ત્રણેય સામે છે. એ લોકો પોતાને અલગ અલગ પાર્ટી તરીકે ઓળખાવે છે, પણ વાસ્તવમાં તેઓ સંગઠિત છે.
હાંગ્ઝો (ચીન): અહીં રમાતી 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ માન અપાવ્યું છે પુરુષ શૂટરોની ટીમે – 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં.
ભારતના સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટરો છે – રુદ્રાંક્ષ પાટીલ, ઐશ્વર્ય તોમર અને દિવ્યાંશ પંવાર.
આ ત્રિપુટીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. એમણે કુલ મળીને 1,893.7 પોઈન્ટ હાંસલ કર્યા હતા. આમાં રૂદ્રાંક્ષના 632.5 પોઈન્ટ, તોમરના 631.6 અને પંવારના 629.6 પોઈન્ટ છે. વર્લ્ડ રેકોર્ડ 1,893.3નો – ચીનના નામે હતો. તેના શૂટરોએ ગયા મહિને એઝરબૈજાનના બાકુમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નોંધાવ્યો હતો.
આજે આ હરીફાઈનો રજત ચંદ્રક દક્ષિણ કોરિયાએ કુલ 1,890.1 પોઈન્ટ સાથે અને કાંસ્ય ચંદ્રક ચીને જીત્યો છે 1,888.2 પોઈન્ટ સાથે.
રોઈંગમાં ભારતને વધુ બે કાંસ્ય ચંદ્રક મળ્યા
રોઈંગ (નૌકાયાન) રમતમાં, પુરુષોની બે હરીફાઈમાં ભારતને આજે બે વધુ કાંસ્ય ચંદ્રક મળ્યા છે. ભારતને આ મેડલ ટીમ હરીફાઈઓમાં મળ્યા છે. પેર-4 હરીફાઈમાં જસવિન્દર સિંહ, ભીમ સિંહ, પુનિત કુમાર અને આશિષની બનેલી ટીમે કાંસ્ય જીત્યો છે જ્યારે ક્વાડ્રપલ સ્કલ્સ હરીફાઈમાં સતનામ સિંહ, પરમિન્દર સિંહ, સુખમીત અને જાકર ખાનની બનેલી ટીમે કાંસ્ય જીત્યો છે. આ સાથે ગેમ્સના આજે બીજા દિવસે અત્યાર સુધીમાં ભારતે જીતેલા મેડલ્સની સંખ્યા વધીને 8 થઈ છે. ભારતે ગઈ કાલે રોઈંગની રમતમાં બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
મેડલ્સ યાદીમાં ભારત કુલ 8 ચંદ્રક સાથે હાલ 6ઠ્ઠા ક્રમે છે. જેમાં એક સુવર્ણ, 3 રજત અને ચાર કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. યજમાન ચીન 25 સુવર્ણ, 11 રજત, પાંચ કાંસ્ય સહિત કુલ 41 મેડલ સાથે પહેલા નંબર પર છે. ચીન પછીના નંબરે દક્ષિણ કોરિયા, જાપાન, ઉઝબેકિસ્તાન અને હોંગકોંગ ચીન આવે છે.
દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ત્યારે આજે એવા ગણપતિ મંદિરની વાત કરવાની છે જે ગુજરાતના નડીયાદમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર 900 વર્ષ પુરાણું છે.
ભગવાન શિવનું મંદિર હોય કે સ્વામીનારાયણ મંદિર હોય,દરેક મંદિરમાં ગણેશજી બિરાજમાન હોય જ છે. એ સાર્વત્રીક બાબત છે. પરંતુ એકલા ગણેશજી હોયએ બાબત નવી છે. મંદિરમાં હનુમાનજીને સિંદુર લગાવવાનો મહિમા જગતભરમાં છે. પરંતુ ગણપતિ દાદાને સિંદુર અર્પણ કરાતું હોય એવા ગુજરાતમાં માત્ર બે જ મંદિર છે. પ્રથમ મંદિર ધોળકા પાસે આવેલું જમણી સૂંઢવાળા ગણપતિ દાદાનું અને બીજું નાનું છતા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.
નડીયાદના ગણપતિ મોહલ્લામાં બીરાજમાન ગણપતિ બાપ્પાનું મંદિર નવસો વર્ષ પુરાણુ હોવાનું મનાય છે. સર્વદેવોમાં સૌ પ્રથમ પૂજાતા આ ગણપતિદાદાના મંદિરની પણ વિશેષતા છે.
આ મંદિરના ઉપરના ભાગે જે ધુમ્મટ છે એનો આકાર મસ્જિદના મિનારા જેવો છે. કહેવાય છે કે મહંમદ ગજની એ સમયમાં મંદિરો પર ચઢાઈ કરીને એને તોડી પાડતો હતો માટે આ મંદિર પર ચઢાઈ ન કરી શકે એ ઉદ્દેશથી રાજા સિધ્ધરાજે આ મંદિરનો આકાર મિનારા જેવો આપ્યો હતો.
દરેક મંદિરમાં દાદાને ઘી-ગોળ અને લાડુનો નૈવૈધ ધરાવાય છે. પરંતુ નડીયાદના આ ગણેશજીને સિંદુર અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં ભાવિકો શ્રદ્ધાથી ભક્તો સિંદુર અર્પણ કરવાની બાધા રાખે છે અને શ્રદ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ પણ થાય છે. માટે જ આ દાદા ‘આશાપુરા ગણપતિદાદા’ના નામથી ઓળખાય છે. ગણપતિ દાદાના આ મંદિરમાં ગમે ત્યારે દર્શન કરવા જઈ શકાય છે. કારણ કે બાપ્પાનું આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે. આશાપુરા ગણપતિદાદાના મંદિરનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે ભક્તોએ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ભક્તોએ નતમસ્તક થઈને જવુ પડે છે.
દાદાને રિઝવવા માટે ભાવિકો પાંચ, અગિયાળ અને એકવીસના નાળિયેરના તોરણ અર્પણ કરે છે.ગણેશ મહોત્સના દસ દિવસમાં ભક્તોની ભારે ભીડ જામે છે. દૂર-દૂરથી ભક્તો દુંદાળા દેવના દર્શન કરવા આવે છે.