Home Blog Page 2463

‘KCR NDAમાં જોડાવા માંગતા હતા, પરંતુ…’, PM મોદીનો તેલંગાણામાં મોટો દાવો

તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિઝામાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન, એક રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે દાવો કર્યો કે મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) માં જોડાવા માંગે છે. તેમણે કહ્યું, “તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆરને ભારતીય જનતા પાર્ટીના કટ્ટર ટીકાકારોમાંના એક ગણવામાં આવે છે. તેઓ પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાવા માંગતા હતા, પરંતુ મેં તેમને ગઠબંધનમાં જોડાતાં અટકાવ્યા હતા.  વડા પ્રધાને કહ્યું કે કેસીઆર જાણે છે કે તેમની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) એ એનડીએમાં જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા. આ વ્યક્તિગત રીતે રદિયો આપવામાં આવ્યો હતો.

‘લોકશાહી સરમુખત્યારશાહીમાં પરિવર્તિત થઈ છે’

પીએમ મોદીએ કહ્યું, “આ લોકોએ લોકશાહીને લૂંટની વ્યવસ્થામાં ફેરવી દીધી છે. તેઓએ લોકશાહીને કુટુંબ વ્યવસ્થામાં ફેરવી દીધી છે. હૈદરાબાદની ચૂંટણી પછી તેઓ દિલ્હીને મળવા આવ્યા અને એટલો પ્રેમ બતાવ્યો જે કેસીઆરના પાત્રમાં નથી અને કહ્યું કે તમારી નેતૃત્વ હેઠળ દેશ પ્રગતિ કરી રહ્યો છે.


‘જનતાને છેતરી શકાય નહીં’

PM એ કહ્યું કે તેમણે મને NDAમાં જોડાવાનું કહ્યું અને તેમણે મને હૈદરાબાદ મ્યુનિસિપાલિટી (ચૂંટણી)માં મદદ કરવા કહ્યું, પરંતુ મેં તેમને ના પાડી. મેં તેમને કહ્યું કે અમે તેલંગાણાની જનતાને છેતરી શકીએ નહીં. “આનાથી તેઓ (BRS) નારાજ થયા.”

‘KCR KTRને જવાબદારી આપવા માગતા હતા’

વડા પ્રધાને કહ્યું, તેમણે મને કહ્યું કે તેમણે ઘણું કામ કર્યું છે અને હવે તમામ જવાબદારી કેટીઆર અને તેમના પુત્રને આપવા માંગે છે. હું તેમને હવે મોકલીશ, કૃપા કરીને તેમને આશીર્વાદ આપો.” પીએમએ દાવો કર્યો કે તેમણે તેલંગાણાના નેતાને કહ્યું, “મેં કહ્યું, ‘કેસીઆર, આ લોકશાહી છે. કેટીઆરને બધું આપનાર તમે કોણ છો? શું તમે રાજા છો?’ તે પછી તે ક્યારેય મારી સામે આવ્યો નથી. તે મારી સાથે આંખનો સંપર્ક પણ કરી શકતો નથી.

મહારાષ્ટ્રમાં કાર્ડધારકોને હવે રેશનિંગમાં મેંદો, પૌઆ પણ મળશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રેશનકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. એમને રેશનિંગમાં મળતી ચીજવસ્તુઓમાં બેનો ઉમેરો કરવામાં આવ્યો છે. એમને અનાજ અને તેલ ઉપરાંત હવે મેંદાનો લોટ અને પૌઆ (પોહા) પણ મળશે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર તરફથી ગુડી પાડવા, ગણેશોત્સવ અને દિવાળીના તહેવારોમાં રેશનકાર્ડ ધારકોને આનંદદાયક રેશન આપવામાં આવે છે. આમાં એમને એક કિલો રવો, એક કિલો ચણાદાળ, એક કિલો સાકર અને એક કિલો તેલ મળે છે. જરૂરિયાતમંદ લોકોને આ ચીજવસ્તુઓ માત્ર 100 રૂપિયામાં મળે છે. હવે એમાં બે વધુ ચીજનો ઉમેરો કરાયો છે. મહારાષ્ટ્રમાં ઘેર-ઘેર ખવાતા પૌઆ પણ રેશનિંગમાં મળશે. એની સાથે મેંદો પણ આપવામાં આવશે. દિવાળીના તહેવારમાં ગૃહિણીઓ જુદા જુદા પ્રકારની ફરાળી વાનગીઓ બનાવે છે. એમાં મેંદાના લોટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. એવી જ રીતે, પૌઆનો ઉપયોગ ચિવડો બનાવવા માટે કરાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે રેશનિંગમાં આ બે ચીજનો ઉમેરો કર્યો છે.

આઇસી15 ઇન્ડેક્સ 1088 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકાના 10 વર્ષની મુદતના ટ્રેઝરી બોન્ડની ઊપજ ગત 16 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો થયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.97 ટકા (1088 પોઇન્ટ) ઘટીને 35,550 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,638 ખૂલ્યા બાદ 36,802ની ઉપલી અને 35,180ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી પોલીગોન સિવાયના તમામ કોઇનના ભાવ ઘટ્યા હતા. અવાલાંશ, ઈથેરિયમ, યુનિસ્વોપ અને ચેઇનલિંક 4થી 5 ટકાની રેન્જમાં ઘટેલા ટોચના કોઇન હતા.

દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ક્રીપ્ટો એસેટ્સને લીધે ઊભાં થનારાં મેક્રોફાઇનાન્શિયલ જોખમોને લગતું કાર્યપત્ર બહાર પાડ્યું છે, જેથી નિયમનકારો ક્રીપ્ટોકરન્સી એસેટ્સને લગતાં જોખમોનું આકલન કરી શકે.

બીજી બાજુ, કોઇનબેઝે સિંગાપોરમાં વ્યક્તિગત અને સંસ્થાકીય ડિજિટલ પેમેન્ટ ટોકન સર્વિસીસ ઓફર કરવા માટે મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર પાસેથી ફુલ પેમેન્ટ ઇન્સ્ટિટ્યુશન તરીકેનું લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે.

ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકોને અપાયું

નવી દિલ્હીઃ ફિઝિક્સમાં આ વર્ષે નોબેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી તરફથી ઘોષણા કરવામાં આવ્યાનુસાર ફિઝિક્સમાં પિયરે એગોસ્ટિની, ફેરેન્ક ક્રૂઝ અને એની એલ હુઇલિયરને નોબેલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ એ લોકોને આપવામાં આવે છે, જે સેકન્ડના બહુ નાના હિસ્સા દરમ્યાન પરમાણુઓમાં ઇલેક્ટ્રોનનો અભ્યાસ કર્યો હોય.

આ ત્રણે વૈજ્ઞાનિકોને યંત્ર વિકસિત ક્યાં છે, જેનાથી એટ્ટોસેકન્ડના સમયમાં ઇલેક્ટ્રોન્સના વિશ્વને જોઈ શકાશે. એટ્રોસેક્ન્ડનો અર્થ એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ. એટ્રોસેક્ન્ડમાં એક સેકન્ડ પૂરી થાય છે અને સેકન્ડમાં બ્રહ્માંડની વય પણ માલૂમ પડે છે. આ નોબેલ એવોર્ડમાં 1.1 કરોડ સ્વિડિશ ક્રોનર ( 10 લાખ અમેરિકી ડોલર)ની રોકડ આપવામાં આવે છએ. આ રોકડ પુરસ્કાર સ્વિડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની સંપત્તિમાંથી આપવામાં આવે છે, જેમનું 1896માં નિધન થયું હતું.

ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર સમિતિએ તેમને ઇલેક્ટ્રોન પરના તેમના અભ્યાસ માટે આ સન્માન આપ્યું છે. એની હુલિયર ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ જીતનારી પાંચમી મહિલા બની છે. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 119 લોકોને આ પદવી આપવામાં આવી છે.

આ પહેલાં બીજીઓક્ટોબરે કેટલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિતરણ એક અઠવાડિયા સુધી ચાલશે. આ ફેરફારને સમજવા માટે એટોસેકન્ડ પલ્સ ઓફ લાઇટની મદદ લેવામાં આવે છે. આ ભૌતિકશાસ્ત્રીઓએ એવી પદ્ધતિઓની શોધ કરી કે જેના દ્વારા પ્રકાશના આવા માઇક્રોસ્કોપિક તરંગો ઉત્પન્ન થાય. આનાથી ઈલેક્ટ્રોનની હિલચાલ અને તેમાં થતા ઊર્જા પરિવર્તનનો અભ્યાસ કરવામાં મદદ મળશે.

 

 

 

 

 

 

 

શું ઉર્ફી જાવેદની સગાઈ થઈ ગઈ ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

ઉર્ફીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં તે હવન કુંડ પાસે બેઠી છે, પૂજા થઈ રહી છે અને તેની સાથે એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. જો કે તે માણસ કોણ છે, તેનો ચહેરો દેખાતો નથી. ઉર્ફી સલવાર સૂટમાં જોવા મળે છે અને તેણે માથા પર દુપટ્ટો પણ પહેર્યો છે.જો કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાની દુનિયામાં એક એવું નામ છે, જે દરરોજ હેડલાઇન્સનો ભાગ બને છે. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 46 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સગાઈની અટકળો ચાલી રહી છે

તસવીરો જોઈને લાગે છે કે ઉર્ફી કાં તો વ્યક્તિને તેની આંગળીમાં કંઈક પહેરાવી રહી છે અથવા તેના હાથમાં કંઈક બાંધતી જોવા મળી રહી છે. જો કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. આ જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેમની સગાઈ વિશે અટકળો લગાવવા લાગ્યા. હવે તેના ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. કોમેન્ટ કરતાં ઘણા યુઝરે લખ્યું, અભિનંદન. કેટલાક લોકો એવું પણ કહે છે કે ઉર્ફીની સગાઈ નથી થઈ, બલ્કે આ કોઈ સીરિઝ કે શૂટિંગ સાથે જોડાયેલી તસવીર છે. જો કે તસવીરનું સત્ય શું છે તે તો ઉર્ફી જ કહી શકે છે.

અમે ભારત સાથે વિવાદ નથી વધારવા માંગતા : જસ્ટિન ટ્રુડો

ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, મંગળવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે અમે વિવાદને વધુ આગળ વધારવા માંગતા નથી. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બનતા કેનેડાના વધાપ્રધાને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભારત સાથેના આ વિવાદને વધારવા નથી માંગતા. ભારત સરકારે કેનેડાની સરકારને તેના 40 થી વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં હાલમાં ભારતમાં 62 રાજદ્વારીઓ કામ કરે છે. ભારતે હવે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે.

ભારતના આ પગલાનું કારણ શું છે?

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે અને સમાનતા હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો આ દિવસોમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હકીકતમાં, ગયા જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા અને સંસદમાં ઊભા રહીને કહ્યું હતું કે તેમની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે આ હત્યામાં ભારત સામેલ હોઈ શકે છે.

કેલોરેક્સ સ્કૂલમાં નમાજનો વિવાદ વકરતાં શાળાએ માફી માગી

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢાવ્યાનો વિડિયો વાઇરલ થયા બાદ વિવાદ થયો છે. વિદ્યાર્થીઓનાં માતાપિતા અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો હતો છે. એબીવીપીનાં કાર્યકરોએ શાળાના શિક્ષકને માર પણ માર્યો છે. આ આખા વિવાદ બાદ શાળાના પ્રિન્સિપાલે માફી પણ માગી છે.

કેલોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનોએ સ્કૂલે પહોંચીને પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. ત્યાર બાદ સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી, જેમાં જણાવ્યું હતું કે નમાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્ષ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં. જોકે મામલો બગડ્યો હતો અને ટોળાએ ‘જય શ્રીરામ’ના નારા બોલી મ્યુઝિક શિક્ષકને દોડાવી-દોડાવીને માર માર્યો હતો, જે દ્રશ્યો વિડિયોમાં કેદ થયાં છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસની ટીમે સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ વિવાદ વધતાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં જણાવ્યું છે કે આપની શાળાનો વાઇરલ થયેલા વિડિયોમાં જે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા બાળકોના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ આપ શું કહેવા માગો છો? એ અંગેનો લેખિત ખુલાસો આપશો.

આ બાબતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ધાર્મિક શિક્ષણ પર નહીં, પરંતુ હકીકતમાં જે શિક્ષણ આપવાનું હોય એના પર ધ્યાન આપો. ડીઈઓ સાથે ચર્ચા કરી છે કે જે કાર્યવાહી કરવાની થાય એ કરો.

 

આઈસીસી વર્લ્ડ કપ કાર્યક્રમમાં સામેલ થયા ઝહીર ખાન, વરુણ ધવન

ક્રિકેટ રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા આઈસીસી દ્વારા 3 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં આગામી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાના ઉપલક્ષમાં એક પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને બોલીવુડ અભિનેતા વરુણ ધવને હાજરી આપી હતી.

વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું આવતી પાંચ ઓક્ટોબરથી ભારતમાં આયોજન થવાનું છે.

સ્પર્ધામાં યજમાન ભારત સહિત 10 ટીમ ભાગ લેશે.

કેનેડા સાથેનો વિવાદ વકર્યો, ભારત સરકારે 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ ઘેરો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકારે કેનેડાની સરકારને તેના 40 થી વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં હાલમાં ભારતમાં 62 રાજદ્વારીઓ કામ કરે છે. ભારતે હવે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે.

ભારતના આ પગલાનું કારણ શું છે?

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે અને સમાનતા હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો આ દિવસોમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હકીકતમાં, ગયા જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા અને સંસદમાં ઊભા રહીને કહ્યું હતું કે તેમની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે આ હત્યામાં ભારત સામેલ હોઈ શકે છે.

જયશંકરે અમેરિકામાં કેનેડા સરકાર પર પ્રહારો કર્યા હતા

જસ્ટિન ટ્રુડોના આરોપોને ભારતે વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. જ્યારે કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો, ત્યારે ભારતે પણ જવાબમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. આ પછી ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. ભારત સરકારે કેનેડાને નિજ્જરની હત્યામાં તેની કથિત સંડોવણીના પુરાવા આપવા માંગ કરી હતી, પરંતુ કેનેડા દ્વારા હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના પ્રવાસે હતા. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન જયશંકરે કેનેડા પર આકરા પ્રહારો કર્યા હતા.

કેનેડાની સરકાર પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે કેનેડાની સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ, કટ્ટરવાદ અને હિંસાને પ્રોત્સાહન આપી રહી છે. જયશંકરે કહ્યું કે ભારતે ઘણી વખત કેનેડા સરકારને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું પરંતુ કેનેડા સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું. જયશંકરે એમ પણ કહ્યું કે કેનેડામાં ભારતીય મિશન અને રાજદ્વારીઓને ધમકીઓ અને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ કોઈ સામાન્ય બાબત નથી અને જો વિશ્વના અન્ય કોઈ દેશના રાજદ્વારીઓ સાથે આવું બન્યું હોત તો શું વિશ્વના દેશોએ પણ તેના પર પ્રતિક્રિયા ન આપી હોત?

IAF સ્વદેશી પ્રોજેક્ટોની સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન એર ફોર્સે સંરક્ષણ ક્ષેત્રે સૌથી મોટી સ્વદેશીકરણના પ્રોજેક્ટોને શરૂ કરી રહી છે, કેમ કે એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીના નેતૃત્વમાં એર ફોર્સ રૂ. 3.15 લાખ કરોડથી વધુના મેક ઇન ઇન્ડિયાના કાર્યક્રમો પર કામ કરી રહી છે. હથિયાર અને પ્લેટફોર્મોની યાદીમાં 180 લાઇટ લડાકુ વિમાન માર્ક1A, 156 હલકા લડાકુ હેલિકોપ્ટર, લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને અનેક હથિયાર પ્રણાલીઓ સામેલ છે.

વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે એકલા LCA માર્ક1Aની કિંમત રૂ. 1.2 લાખ કરોડથી વધુ માનવામાં આવે છે અને એ ઘરેલુ ઉદ્યોગમાં લડાકુ વિમાન ઉત્પાદન તંત્ર વિકસિત કરવા પર એ અસરકારક રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય સંરક્ષણ ઉદ્યોગના નિર્માણ માટે સમર્થન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરના અર્થતંત્રને હાસંલ કરવાની દિશામાં મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ દળોન આત્મનિર્ભરતા કાર્યક્રમને પાંખો લગાવી રહ્યા છે.

ભારતમાં નિર્મિત સ્વદેશી પ્રોજેક્ટોની માહિતી આપતાં તેમણે કહ્યુંહ તું કે એર ફોર્સ 180 LCA માર્ક 1A વિમાન મળી રહ્યા છે, જે માટે 83 વિમાનોના પહેલા જથ્થા માટે હસ્તાક્ષર કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે બાકીનાં 97 વિમાનોના પ્રોજેક્ટ માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી ટૂંક સમયમાં મળશે. લડાકુ વિમાન ક્ષેત્રમાં IAF રૂ. 65,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ Su-30MKI લડાકુ જેટને અપગ્રેડ કરવાના એક યોજના પર કામ ચાલી રહ્યુ છે.