Home Blog Page 2438

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સંહયોગ સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સૌરાષ્ટ્ર- કચ્છ સેવા સમાજ અને ઓએનજીસીના સહકારથી  બે દિવસીય તા. ૭-૮ ઓકોટબર ૨૦૨૩ના રોજ, રાત્રે ૦૮ : ૩૦ વાગ્યાથી કોમ્યુનિટી હોલ, સેક્ટર -૦૭, ગાંધીનગર ખાતે ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલ હતું.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઉદગમના ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં ઉદગમના કાર્યક્રમોની માહિતી આપી અને ધ્રુવ પર્વના ઉદેશ્યો જણાવ્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન પદે ગાંધીનગર મહાનગર પાલિકાના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ(દાસ)  અને અતિથિવિશેષ પદે હેમાબેન ભટ્ટ, પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી પધાર્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન મહેન્દ્રભાઈ પટેલે ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન કાર્યની સાથે ઉદગમના સામાજિક કાર્યોની પ્રશંસા કરી અને સંસ્થાની કોઈપણ જરૂરીયાત માટે સંસ્થાને મદદની ખાતરી આપી હતી.

મહાનુભાવોના હસ્તે ગાંધીનગરની સંગીતની જાણીતી સંસ્થા કલાગુર્જરીનાં પ્રમુખ એન.પી પટેલ  અને સંગીત મર્મજ્ઞ શિશિરભાઈ ભટ્ટનું તેઓની ભારતીય કલા અને સંસ્કૃતિની દીર્ઘકાલીન સેવા બદલ ઉદગમના સ્વર્ગીય ટ્રસ્ટી ધુવભાઈ જોષીની સ્મૃતિમાં અપાતા શાલ અને ટ્રોફીથી ધ્રુવ કલા સમ્માનથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ગૌરવ પરરસ્કાર મેળવનાર ગાંધીનગરના શ્રી મયંકભાઇ દવે, ભીખુદાન ગઢવી, અને ભાવિન પટેલનું સ્ટોલ  ઓઢાડીને સમ્માન સાથે શુભેછા પાઠવવામાં આવી હતી.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૭ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ  પ્રથમ પ્રસ્તુતિ નવી દિલ્હીથી પધારેલ મહિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના સાધક અને પંડિત રવિશંકરજીના શિષ્ય પંડિત શુભેન્દુ રાવ સિતાર પર બિલાવલ ઠાઠના રાગ હેમંતમાં જોર, ઝાલા, આલાપ અને   મધ્ય લયે  ત્રિ તાલ .વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દ્વિતીય પ્રસ્તુતિ અમદાવાદના વાયોલિન વાદક પરમ પંડ્યાએ કનાટકી સંગીત રાગ મોહનમ, રાગ કલ્યાણી, રાગ  સાવેરી બાદ રાગ હંસધ્વનિની કોમ્પોઝિશન મૂથું સ્વામી દિક્ષિતાર દ્વારા કમ્પોસ્ડ અને રાગ કદનકુતુહલમ રઘુવંશ સુધામ્બુધિભોપાલી સંગાથે શ્રોતાઓને ડોલાવી દીધા હતા તેમની સાથે પ્રજ્ઞેશ દુધરેજીયા એ તબલા સંગત કરી હતી.

તૃતીયા પ્રસ્તુતિ બનારસના પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધવીણા વાદનથી રાગ જોગમાં રૂપક તાલમાં ગત પ્રતુત કરી અને સાજન મોરે ઘર આયો પારંપરીક અને જાણીતી બંદિશ રાગ તીન તાલમાં પ્રસ્તુત કરી અને પ્રેક્ષકોની લાગણીને માન આપીને તેમણે રંગ સારી ગુલાબી ચુનરરિયા રેથી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.સપન અંજારિયાએ બંને પંડિતો સાથે તબલા પર સંગત કરી હતી.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૮  મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ પ્રથમ પ્રસ્તુતિ રાજકોટના ઇન્દોર ઘરાનાના શસ્તીર્ય ગાયિકા અને વિદુષી પિયુ સરકે અને પદ્મશ્રી શુભ મુદ્દગલના શિષ્યા ડો. ધ્વનિ વચ્છરાજાનીએ ગાયનની શરૂઆત રાગ શુદ્ધ કલ્યાણથી કરીને તાલ ઝુમરમા બડા ખ્યાલ બાદ તીન તાલમાંમંદિરમાં ડફ બાજ્યો રે જાણીતી મધ્ય લયની પ્રસ્તુત કરીને તરાના  ગયાં પછી રાગ દરબારીમાં ઇન્દોર ઘરાનાની કિન બૈરન કાન પરે અને જા રે મંદિરયાવા મધ્યલય એકતાલમાં બંદિશ બાદ બાદ તરાનાની પ્રતુતઈ કરી હતી.

દાદરા ખમાજમાં અને છેલ્લે જાનકી નાથ સાયા કરે ભજનની રાગ મિશ્ર તિલક કામોદ માં પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા. તેમની સટહતે હાર્મોનિયા પર પંડિત શિશિર ભટ્ટ અને નંદકિશોર દાંતેએ તબલા પર  સંગત કરી હતી
બીજી.પ્રસ્તુતિ ગાંધીનગરના જાણીતા કથક ગુરુ ગાર્ગી ઠક્કરે અને તેમની વિધાર્થીઓએ પ્રથમ ગણેશ વંદના, બીજી  તરાના, ત્રીજુ શુદ્ધ કથક, ચોથી ગત્ ભાવ, પાંચમું પરંપરાગત કથકની પ્રસ્તુત કરીને પ્રક્ષકોના મન અને પગ થરકાવી દીધા હતા. તેઓની સાથે દિવ્યા પારેખ અને મોહિત સુરાણીએ સંગત કરી હતી.

ધ્રુવ પર્વમાં ગાંધીનગરના ભારતીય શાસ્ત્રીય સંગીત રસિક મહાનુભાવો પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્ર ત્રિવેદી, વાગ્મીનભાઈ બુચ, પિનાકીન વ્યાસ, સંજય થોરાટ, કીર્તિભાઈ જોષી રાજેંદ્ર જોષી, ચાણક્ય જોષી,  જયરાજસિંહ અને આશાબેન સરવૈયા, જીલુભા અને હર્ષાબા ધાંધલ, નરેન્દ્રભાઈ મંદિર વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું અને ધ્રુવ પર્વને સફળ બનાવવામાં ઉદગમના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, અંજલિ ચૌહાણ, વાગ્મી અને કિરાત જોષીએ ખુબ જ જેહમત ઉઠાવી હતી.

છેલ્લા એક વર્ષમાં રૂ. 200 કરોડ વધી અમિતાભ બચ્ચનની સંપત્તિ

મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઈ ચૂક્યા છે. આ ઉંમરે પણ અમિતાભની પાસે પાંચ મોટી ફિલ્મો છે, જેમના દ્વારા તેમના પર આશરે રૂ. 1750 કરોડ દાવ પર લાગ્યા છે. આટલો દાવ તો હાલ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને રજનીકાંત પર પણ નથી લાગ્યો. બિગ Bએ પોતાના પાંચ દાયકાથી મોટી કેરિયરમાં બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

તેમણે સંપત્તિ પણ ખૂબ બનાવી છે. તેઓ લક્ઝરી લાઇફ જીવે છે. એક અહેવાલ મુજબ સદીના મહા નાયક પાસે રૂ. 3390 કરોડની નેટવર્થ છે. છેલ્લા એક વર્ષમાં એક્ટરની સંપત્તિમાં રૂ. 200 કરોડનો વધારો થયો છે. અમિતાભ બોલીવૂડના સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાંના એક છે. તેમની ફિલ્મો, શોઝ અને જાહેરાતો થકી તગડી કમાણી થાય છે.1969માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માટે તેમને માત્ર રૂ. 5000ની ફી મળી હતી. સમયાંતરે તેમની ફી વધતી ગઈ હતી. હવે બિગ B એક ફિલ્મ માટે રૂ. છ કરોડ ચાર્જ કરે છે.

છેલ્લા એક વર્ષમાં અમિતાભની ‘ઝુંડ’, ‘રાધે શ્યામ’, ‘રનવે 34’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવ’, ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’, ‘ગુડબાય’ અને ‘ઊંચાઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

‘કૌન બનેગા કરોડપતિ’માં પહેલાં દરેક એપિસોડના તેઓ રૂ. 25 લાખ લેતા હતા. હવે આ શોને હોસ્ટ કરવા માટે એપિસોડદીઠ તેઓ રૂ. ચારથી પાંચ કરોડ ચાર્જ કરે છે. ટીવી શો સિવાય તેઓ એક જાહેરાતની ફી રૂ. છ કરોડની ફી લે છે. તેમને લક્ઝરી કારોનો ખૂબ શોખ છે, તેમની પાસે 11 લક્ઝરી કારો સામેલ છે.

 

 

 

 

આમિર ખાન નવી ફિલ્મ બનાવશે ‘સિતારે જમીન પર’

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને જાહેરાત કરી છે કે પોતે નવી ફિલ્મ બનાવશે જેનું શિર્ષક હશે ‘સિતારે જમીન પર’. તેણે કહ્યું છે કે એની નવી ફિલ્મ 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મ કરતાં 10 ડગલા આગળ હશે. ‘તારે જમીન પર’ ફિલ્મે દર્શકોને રડાવ્યા હતા, તો નવી ફિલ્મ એમને હસાવશે.

એક મુલાકાતમાં આમિરે કહ્યું છે કે તેની નવી ફિલ્મનો થીમ તારે જમીન પર ફિલ્મને મળતો હશે. હાલ હું એ વિશે વધારે કંઈ નહીં કહું. માત્ર એનું ટાઈટલ જણાવું છું, એ છે સિતારે જમીન પર. તારે જમીન પર ફિલ્મના જ થીમ પર પણ એના કરતાં 10 ડગલા આગળ વધીને નવી ફિલ્મ બનાવવાના છીએ. તારે જમીન પર લાગણીપ્રધાન ફિલ્મ હતી જ્યારે નવી ફિલ્મ દર્શકોને બહુ જ હસાવશે. તારે જમીન પર ફિલ્મમાં મંદબુદ્ધિવાળા બાળક ઈશાનની વાર્તા હતી જ્યારે નવી ફિલ્મમાં 9 બાળકો હશે, જેમની દરેકની પોતપોતાની સમસ્યા હશે. આ ફિલ્મ હાસ્યપૂર્ણ હશે અને સાથોસાથ એની વાર્તા હૃદયસ્પર્શી હશે.

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની હત્યા

નવી દિલ્હીઃ પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં બોમ્બ મારીને આતંકવાદી લતીફની હત્યા કરી છે.  શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તેની આતંકવાદીઓને મોકલવાની મુખ્ય ભૂમિકા હતી. 2016માં જૈશના આતંકવાદીઓએ પઠાણકોટના એરબેઝ પર હુમલો કર્યો હતો, જેમાં સાત જવાનો શહીદ થયા હતા.

આ એન્કાઉન્ટર 36 કલાક સુધી ચાલ્યું હતું અને ત્રણ દિવસ સુધી કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહ્યું હતું. શાહિદ લતીફ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)નો મુખ્ય કમાન્ડર હતો તે બીજી જાન્યુઆરી, 2016એ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે જ જૈશના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.

શાહિદ લતીફની 12 નવેમ્બરે 1994માં ધરપકડ કરવામાં આવી હતી. શાહીદ લતીફને પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની પહેલ અંતર્ગત છોડવામાં આવ્યો હતો. 1999માં કંધાર પ્લેન હાઇજેકિંગ કેસ સમયે પણ આતંકવાદીઓએ લતીફને છોડવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમને સફળતા નહોતી મળી. તે સમયે જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને છોડવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ લતીફને 2010માં મનમોહન સિંહ સરકાર સમયે છોડવામાં આવ્યો હતો. આ જ લતીફ પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર આંતકવાદીના ચીફ હેન્ડલર હતો.

તે કેમ્પસની દીવાલ કૂદીને સૈનિકો જ્યાં રહેતા હતા ત્યાં પહોંચ્યો હતો. અહીં ગોળીબારમાં ચાર હુમલાખોરો માર્યા ગયા અને ત્રણ જવાન શહીદ થયા. બીજા દિવસે IED બ્લાસ્ટમાં વધુ ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા.

 

 

 

 

 

શ્રીરામ મંદિરના પૂજારીઓની દિવાળી સુધરીઃ બીજી વાર પગારવધારો

લખનઉઃ શ્રી રામ મંદિરના પૂજારીઓની દિવાળી સુધરી ગઈ છે.  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓના પગારવધારો કર્યો છે. એક વર્ષની અંદર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રૂ. 25,000થી પગાર વધારીને રૂ. 32,900 કર્યો છે. આ જ પ્રકારે પાંચ સહાયક પૂજારીઓના પગાર પણ વધારીને રૂ. 20,000થી વધારીને રૂ. 31,900 કરવામાં આવ્યો છે. આ સિવાય પૂજારીઓને આરોગ્ય વીમા, TA-DA પણ આપવામાં આવશે. આ પગારવધારા પર પૂજારીઓએ આનંદ વ્યક્ત કરતા ટ્રસ્ટનો આભાર માન્યો છે. જોકે રામ લલ્લાના પૂજારીઓને છ મહિનામાં બીજું ઇન્ક્રિમેન્ટ મળ્યું છે.

રામ લલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે હાલની મોંધવારી જોતાં પગારવધારાની માગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. ટ્રસ્ટના અનુસાર મે મહિનાથી અહીં તહેનાત મુખ્ય પૂજારી અને સહાયક પૂજારીઓનો પગાર ઘણો ઓછો હતો. એ સમયે મુખ્ય પૂજારીને માત્ર રૂ. 15,520 જ પગાર મળતો હતો. જ્યારે સહાયક પૂજારીઓને રૂ. 8940 પગાર મળતો હતો. મે મહિનામાં ટ્રસ્ટે સ્વીકાર કર્યો હતો કે આ પગાર ઓછો છે, જેથી મુખ્ય પૂજારીને રૂ. 25,000 અને સહાયક પૂજારીઓને રૂ.20,000 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે એમાં બીજી વખત પગારવધારો કરવામાં આવ્યો છે.  

અયોધ્યામાં આકાર લઈ રહેલું રામ મંદિરનું ઉદઘાટન 2024ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડા પ્રધાન સહિત દુનિયાભરથી 10,000 મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો ભાગ લેવાના છે.  રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈ કાલે જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યું છે.

 

 

 

 

 

“ગુણોનું પોષણ કરો”- શ્રી શ્રી રવિશંકર

આજે દરેક માતા-પિતાની ચિંતા એ છે કે તેમના બાળકો તેમના જીવનમાં ચોક્કસ મૂલ્યો સાથે સુશિક્ષિત માનવી બને અને તેઓ ખુશ રહે. જીવનમાં ક્યાંક સુખની કડી વિચ્છેદ થતી દેખાય છે. આપણે સુખનું લક્ષ્ય ગુમાવી રહ્યા છીએ. આંતરિક ગુણોને પોષતું શિક્ષણ જ સાચી બુદ્ધિ આપી શકે છે.

એક બાળકને જુઓ, એક ભૂલકુ, તેનું કેટલું સુંદર સ્મિત છે. તે કેટલો આનંદ અને મિત્રતા દર્શાવે છે. પણ એ જ બાળકનો ચહેરો જુઓ જ્યારે તે શાળા-કોલેજમાંથી પસાર થાય છે. શું તે હજી પણ તે આનંદ, તે નિર્દોષતા, તે સુંદરતા જાળવી રાખે છે જે તેને એક શિશુ તરીકે સહજ જ પ્રાપ્ત હતી?

આને આપણે ખરેખર સારી રીતે જોવાની અને વિચારવાની જરૂર છે: શું એવી કોઈ રીત છે કે વ્યક્તિની નિર્દોષતા વૃદ્ધ થવા છતાં, પરિપક્વ થવા છતાં જાળવી શકાય? જો આપણે તે હાંસલ કરી શકીએ, તો આપણે ખરેખર અદ્ભુત કંઈક પ્રાપ્ત કર્યું હશે; કારણ કે નિર્દોષતા પોતાની સાથે ચોક્કસ સુંદરતા લાવે છે.

અજ્ઞાની વ્યક્તિ પણ નિર્દોષ હોઈ શકે છે, પરંતુ આવી નિર્દોષતાનું બહુ મૂલ્ય નથી. અને બુદ્ધિશાળી વ્યક્તિ કુટિલ હોઈ શકે છે, પરંતુ આવી બુદ્ધિનું બહુ મૂલ્ય નથી. આ ગ્રહ પર જે મૂલ્ય છે તે એક એવી બુદ્ધિ છે જે નિર્દોષતા સાથે પૂરક છે જે નિર્દોષતાને નષ્ટ કરતી નથી.

શું આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં એવા મૂલ્યો દાખલ ન કરી શકીએ કે દરેક બાળક મૈત્રીપૂર્ણ બનવાનું શીખે? શાળા-કોલેજોમાં, જો તમે બાળકોને પૂછો કે તેમના કેટલા મિત્રો છે, તો તેઓ તેમની આંગળીઓ પર ગણશે – એક, બે, ત્રણ, ચાર, પાંચ… તેનાથી વધુ નહીં. મારો બાળકો માટે એક પ્રશ્ન છે: જો તમે એક વર્ષના સમયગાળા દરમિયાન તમારા વર્ગખંડમાં હાજર 40-50 બાળકો સાથે કેવી રીતે મૈત્રીપૂર્ણ બનવું તે જાણતા નથી, તો તમે પૃથ્વી પરના 6 અબજ લોકો સાથે ક્યારેય મૈત્રીપૂર્ણ કેવી રીતે બનશો?
મિત્રો બનાવવાની મૂળભૂત વૃત્તિ સ્વાર્થી શિક્ષણની પ્રાપ્તિમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. તેમના શિક્ષણના ભાગરૂપે, બાળકોને દિવસમાં એક નવો મિત્ર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

જેમ પ્રોટોન અને ન્યુટ્રોન અણુના કેન્દ્રમાં હોય છે જ્યારે નકારાત્મક ચાર્જવાળા કણો માત્ર પરિઘ પર હોય છે, તેવી જ રીતે માનવ ચેતના, મન અને જીવનમાં પણ તમામ નકારાત્મકતા પરિઘમાં હોય છે. દરેક જીવના મૂળમાં સકારાત્મકતા અને સદ્ગુણ છે. અને જો આપણે આ ગુણને પોષવાના માધ્યમો શોધવામાં સફળ થઈશું, તો આપણે યુવાનોને તેજસ્વી અને માનવીય મૂલ્યોથી સંપન્ન થતા જોઈશું.

મારા માટે, સાચી અને કાયમી સફળતાની નિશાની એ સ્મિત છે (જે તમારી પાસેથી કોઈ છીનવી ન શકે), સાથે મિત્રતા, કરુણા અને એકબીજાની સેવા કરવાની ઇચ્છા. એટલા માટે આજે કોલેજોમાં ગોળીબારની ઘટનાઓ છે તે સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. મને લાગે છે કે શિક્ષણ દ્વારા ઐતિહાસિક રીતે જે આદર, સન્માન અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે તેને પુનઃસ્થાપિત કરવાના માર્ગો અને માધ્યમો ઓળખવા માટે આ યોગ્ય સમય છે.

આજના સમયની જરૂરિયાત એ છે કે ઉષ્માભર્યા હૃદયની સાથે વિશાળ માનસિકતાનું શિક્ષણ. જો તમે સારું શિક્ષણ મેળવો અને પછી બીજા બધાને તમારાથી હીન જુઓ તો તેનો કોઈ ફાયદો નથી. એક સુશિક્ષિત વ્યક્તિ તે છે જે મૈત્રીપૂર્ણ અને દયાળુ છે, જે દરેક સાથે “કોઈ નહીં” હોઈ શકે છે.

એક બહુસાંસ્કૃતિક અને બહુ-વિશ્વાસ મુક્ત માનસિકતા ફક્ત શિક્ષણથી જ આવી શકે છે.
તેથી આજે સમાજના તમામ મોટા વિચારકો અને સારા માનસવિદોએ એક સર્વગ્રાહી, સ્વસ્થ શિક્ષણ પર વિચાર કરવો જોઈએ જે આપણને એવા ગુણો અને મૂલ્યોને જાળવી રાખવામાં મદદ કરશે જે આપણે બધા કુદરતી રીતે સંપન્ન છીએ. સાથે મળીને, આપણે માનવીય મૂલ્યો, વ્યાપક વિચાર અને ઉષ્માભર્યા હૃદયના મહત્વને ફેલાવવામાં મદદ કરવી જોઈએ; અમારા બાળકોને ઉછેરતી વખતે તે અમારું લક્ષ્ય હોવું જોઈએ.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કોરાનાના 46 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,438 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,035 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,055 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 348 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,020 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,886 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 166 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

નોટ આઉટ @ 84 : ગીતા કોઠારી

જ્યાં વડીલો ગીત-સંગીત, ચિત્ર-કળા, સાહિત્ય, યોગ-રમત-ગમત વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી રચ્યાં-પચ્યાં રહે છે તેવા વડીલોના “મંદિર” સમા “ઉમંગ”ના ટ્રસ્ટી ગીતાબહેન કોઠારીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ નડિયાદમાં થયો. સાત ભાઈ-બહેનોમાં તેઓ સૌથી નાના. પિતા વકીલ, વાંસદાના દિવાન. આઝાદ ભારતમાં સરકારી મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું. બાળપણ સુંદર વાંસદા ગામમાં પસાર થયું. રોજ સાંજે રાજમહેલમાં રાજકુમારીઓ સાથે રમવા જાય, કસરત કરે, હીંચકા ખાય, રમતો રમે, પઝલો કરે, પુસ્તકો વાંચે….રાણીમા બહુ પ્રેમાળ. તેમની પાસે ભજન ગવડાવે, નાટક કરાવે. એક વડીલના નાના લોકો પ્રત્યેના વર્તનનું આદર્શ ઉદાહરણ! વાંસદાથી સુરત થઈ અમદાવાદ આવ્યાં. સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. શાળામાં જાડી ખાદી પહેરી સાદગી  શીખ્યાં. ગુજરાત કોલેજમાંથી BSc કર્યું. NCC માટે મેડલ મેળવ્યો. રાઈફલ-શુટીંગમાં પણ આગળ! પછી MLW અને LLB ભણ્યાં. UPSCની પરીક્ષા પાસ કરી બાવીસ વર્ષે લેડી-વેલ્ફર-ઓફિસર એટલે ગેઝેટેડ-ઓફિસર બન્યાં. મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચેના ઝઘડા પતાવવા આખા ગુજરાતમાં ફરતાં. લગ્નના થોડા સમયમાં સસરાનું અવસાન થતાં નોકરી છોડી. પતિ અને સાસરીયાં બહુ ખાનદાન માણસો. ગીતાબહેનને મનમાં વડીલો માટે કંઈક કરવાની અભિલાષા. ઘરનાં કુટુંબીઓનો સાથ હોવાથી, લાયન્સ-ક્લબ અને હેલ્પેજ ઈન્ડિયાની મદદથી તેમણે વડીલો માટે દિવસના ત્રણ-ચાર કલાક રચનાત્મક કામ કરવા મળે, બહુ આનંદ આવે તેવું ‘લર્નિંગ-સેન્ટર’ શરૂ કર્યું. “ઉમંગ”માં એટલું રસપ્રદ કામ થાય કે થોડા સમય માટે એક ભાઈ દરરોજ રાજકોટથી “ઉમંગ”માં આવતા!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે, કોફી પીએ, થોડું ચાલે. નાહી-ધોઈને પૂજા કરે, સાયકલિંગ અને કસરત કરે. ઘરની સાફસૂફી અને રસોડામાં થોડું  ધ્યાન આપે. થોડો સમય ‘ઉમંગ’નું કામ ચાલે. અઠવાડિયામાં બે વાર “ઉમંગ”માં જાય. વાંચન અને સંગીતમાં સરસ સમય જાય. નિયમિત લેખન કાર્ય કરે. ટીવી ભાગ્યે જ જુએ. આડોશી-પાડોશી સાથે વાતચીત કરે, મિત્રો અને સગા-સંબંધીઓ સાથે ફોનથી ટચમાં રહે.

શોખના વિષયો : 

વાંચન, સંગીત. શાસ્ત્રીય-સંગીત શીખ્યાં છે, આજે પણ એક જ રાગ અસ્ખલિત અડધો કલાક ગાઈ શકે છે! ક્રિએટિવ રાઇટિંગનો શોખ છે. ફરવાનો અને ફોટોગ્રાફીનો ઘણો શોખ હતો. સમગ્ર ભારત અને આખા વિશ્વમાં (આફ્રિકા સિવાય)ફર્યાં છે. દીકરી ન્યૂઝીલેન્ડમાં રહે છે. દીકરો-વહુ, દીકરી-જમાઈ, બધાં પીએચડી ભણેલાં છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. એક ઘૂંટણનું ઓપરેશન કર્યું છે, પણ ચાલી શકે છે, સાયકલ ચલાવી શકે છે. વર્ષમાં એકવાર ચેક-અપ માટે ડોક્ટરને મળવા જાય છે. પતિને હૃદયનો પ્રોબ્લેમ હતો, દસ વર્ષ પહેલા તેમનું અવસાન થયું.

યાદગાર પ્રસંગ:  

કિશોરાવસ્થામાં તેઓ સ્ટેડિયમ રહે અને રોજ આંબાવાડી, સી.એન.વિદ્યાલય ચાલતાં જાય. એકવાર બહેનની સાયકલ પાછળ બેસી ઘરની બહાર જ નીકળ્યાં અને પોલીસે પકડ્યાં! પિતાએ દૂરથી જોયું અને બૂમ પાડી: “તેમનાં નામ લખી લો!” પિતા કાયમ કહેતા કે જે કરવું હોય તે કરજો પણ ખોટું ના કરશો! માતા-પિતા સાદગીનાં આગ્રહી હતાં. વસ્ત્ર-પરિધાનમાં સાદગી રાખવાની પણ અભ્યાસમાં કાયમ આગળ રહેવાનું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

‘ઉમંગ’ માટે વક્તાઓને આમંત્રણ આપવાનું, તેમને થેન્ક્સ-લેટર મોકલવાનું, એવું ઘણું-બધું કામ તેઓ આસાનીથી લેપટોપ ઉપર કરતાં અને મોબાઈલ પર પણ કરે છે. પણ હવે વધુ  જરૂર નથી એટલે વધુ ઊંડાણમાં શીખ્યાં નથી. પોતાને ટેકનો-સેવી માનતાં નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અત્યારનાં મા-બાપ, નાનપણથી બાળકોને વાંચન તરફ અને રચનાત્મક-કાર્યો તરફ વાળતાં નથી, એટલે બાળકોનો સમય દેખાડા, ફન, કપડાં, ક્લબ, ડાન્સ વગેરેમાં જ જાય છે. બાળકો સાથે મા-બાપે બેસવું જોઈએ, દિવસભરની વાતો કરવી જોઈએ. સંયુક્ત-કુટુંબનો મહિમા સ્વીકારવો અને સમજાવવો જોઈએ. પોતાના અનુભવો યાદ કરે છે….. લાંબા સમય સુધી તેઓ ચાર-પેઢી સાથે રહેતાં. પ્રોફેસર પુત્ર-વધૂ(રીટા કોઠારી) કામ કરીને સાંજે ઘેર આવે ત્યારે દાદી-સાસુ સાથે અચૂક વાતો કરતાં!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં યુવાનો તો પરદેશ જતાં રહ્યાં! પણ ‘ઉમંગ’ના કામને લીધે શાળાઓ (એકલવ્ય સ્કૂલ, અભિલાષા સ્કૂલ વગેરે) સાથે સંકળાયેલાં છે. તેઓએ ‘ઉમંગ’નાં વડીલો સાથે રહીને શાળાઓમાં વાર્તા કહેવાનો પ્રોજેક્ટ ચાલુ કરાવ્યો છે. ‘ઉમંગ’ માટે સ્પીકર બોલાવવાના હોય કે અન્ય પ્રોજેક્ટનાં કામને લીધે તેઓ યુવાનો સાથે સંપર્કમાં છે.

સંદેશો :   

વડીલો માટે ખાસ: સમાજને ઉપયોગી થાવ તેવું કામ કરો. કુટુંબમાં અને સમાજમાં યુવાનો સાથે સંબંધ રાખો. તેમની સાથે બેસો, વાતો કરો. તેમને સંયુક્ત-કુટુંબની ભાવના સમજાવો.

 

અમેરિકામાંથી શસ્ત્રોથી ભરેલું પહેલું વિમાન ઈઝરાયલ પહોંચ્યું

તેલ અવીવઃ હમાસ આતંકવાદીઓએ ગાઝા સ્ટ્રીપમાંથી કરેલા ભયાનક રોકેટ અને બોમ્બ હુમલાઓને પગલે ઈઝરાયલમાં ભારે નુકસાન થયું છે. ઈઝરાયલે હમાસ સામે યુદ્ધ આદર્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલની મદદે આવ્યું છે. અમેરિકામાંથી શસ્ત્રો ભરેલું પહેલું વિમાન મંગળવારે સાંજે ઈઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલા નેવાટીમ એરબેઝ ખાતે ઉતર્યું હતું.

જોકે અમેરિકાએ કયા પ્રકારના શસ્ત્રો કે લશ્કરી સરંજામ મોકલ્યા છે તેની વિગત હજી જાણવા મળી નથી. અમેરિકી પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રએ ઈઝરાયલને શસ્ત્રસરંજામ પૂરા પાડવાનું આ અઠવાડિયાથી શરૂ કર્યું છે. ઈઝરાયલ ડીફેન્સ ફોર્સીસ (આઈડીએફ)નું કહેવું છે કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં અમારા બંને દેશના લશ્કર વચ્ચે સહકારભર્યો સંબંધ એક મહત્ત્વનો હિસ્સો છે. ઈઝરાયલના પ્રમુખ બેન્જામીન નેતન્યાહૂએ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ જો બાઈડન સાથે ટેલિફોન પર ગઈ કાલે ત્રીજી વાર વાતચીત કરી હતી. નેતન્યાહૂએ એમને કહ્યું હતું કે હમાસ આતંકવાદીઓ ISIS કરતાં પણ ખરાબ છે અને એમની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ.

હવાઈ દળે પૂરગ્રસ્ત સિક્કીમમાં ફસાયેલા 176 જણને ઉગારી લીધાં

ગેંગટોકઃ ભારતીય હવાઈ દળે સિક્કીમ રાજ્યમાં આવેલા પૂરને કારણે ફસાઈ ગયેલાં 176 નાગરિકોને બચાવી લીધાં છે. આમાં 16 વિદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. હવાઈ દળે આ પૂરગ્રસ્ત રાજ્યમાં 9,400 કિલોગ્રામ રાહત સામગ્રીઓને ઉતારી છે.

(તસવીર સૌજન્યઃ @EAC_IAF)

અંતરિયાળ વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા અને આવશ્યક ચીજવસ્તુઓના પેકેટ્સને ડ્રોપ કરવા જેવી રાહત કામગીરી હાથ ધરવા માટે હવાઈ દળે તેના Mi-17 V5, CH-47 ચિનૂક્સ અને ચીતાહ હેલિકોપ્ટરોને સેવામાં ઉતાર્યા છે. ભયાનક પૂરને કારણે સિક્કીમમાં અનેક રસ્તા, ફૂટઓવરબ્રિજ તથા અન્ય પાયાગત સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેથી હવાઈ દળ મદદે આવ્યું છે.