Home Blog Page 2439

વાહ ભાઈ વાહ! – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 11/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 11/10/2023

એનએસઈ દ્વારા ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2023’ની ઊજવણીનો આરંભ

મુંબઈ તા. 10 ઓક્ટોબર, 2023: સેબી અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનએ કરેલી વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2023 (ડબ્લ્યુઆઈડબ્લ્યુ)ની ઉજવણીમાં સહભાગી થવાની જાહેરાત નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ કરી છે. આ વર્ષે 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિશ્વ રોકાણકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વાર્ષિકોત્સવમાં રોકાણકાર શિક્ષણ અને રક્ષણ સંબંધિત વૈશ્વિક ઝુંબેશ ચલાવવામાં આવે છે.

એનએસઈએ 9 ઓક્ટોબરથી ઉજવણીનો પ્રારંભ કર્યો હતો એ સમયે મુખ્ય મહેમાન તરીકે સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંત નારાયણ ગોપાલકૃષ્ણન અને મહેમાન તરીકે સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગ તેમ જ એનએસઈના સિનિયર અધિકારીઓ- ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણન અને ચીફ રેગ્યુલેટરી ઓફિસર પીયૂષ ચૌરસિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું,”વર્લ્ડ ઈન્વેસ્ટર વીક એ રોકાણકાર રક્ષણ અને શિક્ષણ પ્રતિના અમારા સમર્પણને પુષ્ટ કરવા માટેનો મહત્ત્વનો અવસર છે. સક્ષમ કેપિટલ માર્કેટમાં રોકાણકારના રક્ષણનું મહત્ત્વ છે. અમે આનંદ સાથે ઉજવણીના આ સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ.”

સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંક નારાયણે કહ્યું કે, ‘સેબીનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારનું રક્ષણ છે. અમે માનીએ છીએ કે રોકાણકારોને વધુ માહિતી પૂરી પાડીને સારી રીતે રક્ષણ કરી શકાશે. જાણકાર રોકાણકાર ગેરવાજબી રોકાણ ઓફરો, શેર ટિપ્સ અથવા બજારની અફવાઓથી દોરવાશે નહિ. જાણકાર રોકાણકાર સંશોધન, જોખમ અને વળતરનો વિચાર કરી રોકાણ નિર્ણય લેશે.’

વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણી દરમિયાન સેબી રાષ્ટ્રીય સંકલનકાર તરીકે દેશ ભરમાં મૂડીબજારના સહભાગીઓ સાથે મળીને  મૂડીસર્જન, ફાઈનાન્સિયલ ઈક્લુઝન જવાબદારીપૂર્ણ મૂડીરોકાણને વેગ આપવા વિવિધ કાર્યક્રમો યોજશે.

ગુલમર્ગના પહાડો પર છવાઈ બરફની ચાદર

ચોમાસાની વિદાય બાદ શિયાળાની મોસમની હજી શરૂઆત થઈ રહી છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ કશ્મીરના પર્યટનસ્થળ ગુલમર્ગના પહાડી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થતાં 10 ઓક્ટોબર, મંગળવારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર, લાહૌલ અને સ્પિટી, કુલુ, મંડી અને શિમલા જિલ્લાઓમાં પણ પહાડી વિસ્તારોમાં ઉંચાઈવાળા ભાગોમાં હળવી હિમવર્ષા થઈ છે. જ્યારે નીચાણવાળા ભાગોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

ઇઝરાયેલથી ભારત પરત ફર્યા બાદ નુસરત ભરુચાએ શેર કર્યો પહેલો વીડિયો

ઇઝરાયેલથી ભારત પરત ફર્યા બાદ નુસરત ભરુચાએ તેનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ માત્ર ભારત સરકારનો આભાર માન્યો નથી પરંતુ તે જે પરિસ્થિતિમાં ફસાયેલી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીનો આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ રહ્યો છે. નુસરત ભરૂચાએ ભારત પરત ફરતાની સાથે જ તેનો પહેલો વીડિયો શેર કર્યો હતો, જે તરત જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં નુસરત કહી રહી છે- ‘હું તમારા સંદેશા અને પ્રાર્થના માટે તમારા બધાનો આભાર માનું છું. હું ઘરે પાછી આવી છું અને સુરક્ષિત છું.

બોમ્બનો અવાજ આવી રહ્યો હતો

‘ત્યાં પહોંચ્યાના બે દિવસ પછી જ્યારે મેં મારી આંખ ખોલી તો મને બોમ્બનો અવાજ સંભળાયો. સાયરન વાગતી હતી. દરેક વ્યક્તિ આશ્રયસ્થાન વિસ્તારમાં જઈ રહ્યા હતા. હું ક્યારેય આવી પરિસ્થિતિમાં આવી નથી. પણ આજે જ્યારે હું જાગી ત્યારે આવા કોઈ અવાજો નહોતા. ત્યારે મને સમજાયું કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે આ દેશમાં છીએ અને સુરક્ષિત છીએ. હું ભારત સરકારનો આભાર માનું છું. આ સાથે હું આ મુશ્કેલ સમયમાં મને માર્ગદર્શન આપવા માટે ઇઝરાયેલ સરકારનો પણ આભાર માનું છું.

લાંબી પોસ્ટ લખી

આ વીડિયો સિવાય નુસરતે એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેણે આ મુશ્કેલ સમયમાં ભારત સરકારનો સંપર્ક કર્યો અને ઈઝરાયેલ સરકારની મદદથી ભારત પરત આવી. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું કે ભારતીય દૂતાવાસ અમારી હોટલથી માત્ર 2 કિલોમીટર દૂર છે પરંતુ ત્યાં પહોંચવું સરળ નહોતું કારણ કે ત્યાં સતત વિસ્ફોટોના અવાજો આવી રહ્યા હતા. આ પછી અમને ખબર પડી કે હમાસના આતંકવાદીઓ લોકોને ઘરની બહાર ફેંકીને મારી રહ્યા છે. ત્યાંની સ્થિતિ ખૂબ જ ભયાનક અને ખતરનાક હતી. ફોનમાં વધારે બેટરી પણ ન હતી. ત્યારપછી ઈઝરાયેલના સહ-અભિનેતાઓ તરફથી કોલ આવ્યા અને ભારતીય અને ઈઝરાયેલ દૂતાવાસોએ માર્ગદર્શન આપ્યું અને સંપૂર્ણ સમર્થન આપ્યું.

રાજ્યની માહી ડેરીનું દૂધનાં સેમ્પલ લેબમાં ફેલ

અમદાવાદઃ ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસમાં માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સિનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સિનની વધુ માત્રા આરોગ્ય માટે હાનિકારક ગણાય છે.

આ રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી ભાવનગરમાં ઉત્પાદિત દૂધનો સપ્લાય કરવામાં આવતો હોય છે.

વર્ષ 2022માં માહી ડેરીની બલ્બ મિલ્ક ચીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સૌ પ્રથમ રાજ્ય સરકારની લેબમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે પણ રાજ્ય સરકારની લેબના રિપોર્ટમાં પણ દૂધના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી માહી ડેરીએ રાજ્ય સરકારે રિપોર્ટને પડકાર આપ્યો હતો અને કેન્દ્રની સરકારી લેબમાં દૂધના નમૂના મોકલ્યાં હતા. જે પણ ફેલ થયા છે.

દૂધ ઉત્પાદક કંપની (એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની કે જે લગભગ એક દાયકા પહેલાં અસ્તિત્વમાં આવી હતી. ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી એમપીસી જેની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં મોટાં શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધાર્યો હતો. માહી ડેરી ભારતના 18 ઓપરેશનલ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાંથી એક છે કે જેની માર્ચ, 2013માં વેપારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાનાં 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641 સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે.

 

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 108 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ મધ્ય પૂર્વમાં ભૂરાજકીય કટોકટીને પગલે ચિંતા વધતાં મંગળવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.31 ટકા (108 પોઇન્ટ) વધીને 35,104 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,996 ખૂલ્યા બાદ 35,193ની ઉપલી અને 34,458ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કોઇન શિબા ઇનુ, બીએનબી, બિટકોઇન અને કાર્ડાનો હતા. ઘટેલા મુખ્ય કોઇન પોલીગોન, યુનિસ્વોપ, ચેઇનલિંક અને પોલકાડોટ હતા.

દરમિયાન, બેન્ક ઓફ ઇટાલીના ડેપ્યુટી ગવર્નર પીએરો સિપોલોને કહ્યું છે કે તેઓ ડિજિટલ યુરોના પ્લાનનું સમર્થન કરે છે. બીજી બાજુ, ચીનના સરકાર સમર્થિત અખબાર ચાઇના ડેઇલીએ પોતાનું એનએફટી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે 2.81 મિલ્યન ચીની યુઆનની ફાળવણી કરી છે.

અન્ય એક અહેવાલ મુજબ ઇઝરાયલના વેબ3 ક્ષેત્રના લોકોએ માનવતાવાદી કાર્યો માટે ક્રીપ્ટો સહાય ભંડોળની સ્થાપના કરી છે.

IND VS PAK મેચની સુરક્ષા-વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચના સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

 

ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે, ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે.