Home Blog Page 2172

સાઇક્લોથોન ‘મહિલા અભેદ સફર’ 28 જાન્યુએ દિલ્હી પહોંચશે

અમદાવાદઃ  અખંડ ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં 75 વર્ષનો NCCનો સહયોગ રહ્યો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની થીમ નારી શક્તિ છે, જે ગૌરવનો વિષય છે. યુવતીઓ અને સમાજને સશક્ત બનાવવા માટે NCCનું મહત્ત્વનું યોગદાન છે. મહિલા સશક્તીકરણ માટે NCCએ કન્યાકુમારીથી દિલ્હી સુધી એક મેગા સાઇક્લોથોનનું આયોજન કર્યું છે.

આ રેલીને ‘મહિલા શક્તિની અભેદ સફર’ નામ આપવામાં આવ્યું છે. આ સાઇક્લોથોન થકી મહિલાઓમાં સુરક્ષા, આત્મસન્માન અને સ્વાવલંબનની ભાવનાને જાગ્રત કરવાની છે.  આ સાઇક્લોથોનને આઠ ડિસેમ્બર, 2023એ NCCના ડિરેક્ટર જનરલ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. સુરતમાં ફ્લેગ ઇન ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી દ્વારા કરવામાં આવ્યું હતું.,

મેગા સાયક્લોથોનને ‘મહિલાશક્તિ કા અભેદ સફર’ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે.

આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાઇકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાઇકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાઇકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાઇકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગ્રતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.

વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા NCC દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૩ જાન્યુઆરી, ૨૦૨૪

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૩ જાન્યુઆરી, ૨૦૨૪

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેશે UAEના રાષ્ટ્રપતિ

અમદાવાદઃ રાજ્ય સરકાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ હાજર રહેશે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિતના અન્ય કેટલાક દેશોના દિગ્ગજો ગુજરાતના અતિથિ બનશે. આટલું જ નહીં, કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો ગાંધીનગર આવશે. આ આયોજનમાં અંદાજિત એક લાખથી વધુ અતિથિઓ સામેલ થવાની અપેક્ષા છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયાના 200 અધિકારી અને ઉદ્યોગપતિ હાજર રહેશે. તેની આગેવાની ત્યાંના વરિષ્ઠ મંત્રી કરશે. જે અધિકારી સમિટમાં આવી રહ્યા છે તેઓ પૂર્વ રશિયાના વિસ્તારોના ગવર્નર છે. ભારત અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો ગાઢ બન્યા છે.  વ્લાદિવોસ્તોક-ચેન્નઈ શિપિંગ કોરિડોર બંને દેશોના મોટા પ્રમાણમાં વેપારને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનાવી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિકસિત ભારત 2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્ર અને એક MSME કોન્ક્લેવ પણ આયોજિત થશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. તેઓ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે.

 

 

અંકિતા લોખંડે, વિક્કી જૈનના સંબંધોમાં પડી તિરાડ?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો શો બિગ બોસ 17 હાલના દિવસોમાં સતત ચર્ચામાં છે. આ શોમાં ભાગ લેનારા સ્પર્ધક વચ્ચે લડાઈ-ઝઘડા જોવા મળી રહ્યા છે. આ શોમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ પતિ વિક્કી જૈન સાથે ભાગ લઈ રહી છે. આ શોમાં બંનેએ બહુ પ્રેમથી એન્ટ્રી લીધી હતી, પણ બીજા સપ્તાહ પછી અંકિતા અને વિક્કીની વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી.

હવે બંને જણ એકેમેકથી હેરાન-પરેશાન દેખાઈ રહ્યા છે. બંને વચ્ચે છૂટાછેડા સુધીની વાત થઈ ચૂકી છે. અંકિતા શો પછી વિક્કીથી અલગ થવાની હિન્ટ આપી ચૂકી છે. હવે નવા એપિસોડમાં અંકિતા પતિને બહુબધા લાફા મારે છે. અંકિતાની આ હરકત જોઈને સૌકોઈ હેરાન છે.

એક્ટ્રેસે તો ત્યાં સુધી કહી દીધું છે કે તે વિક્કી જૈનને લઈને ઘરની બહાર નિર્ણય કરશે. એ સિવાય તેણે વિક્કી પર અન્ય યુવતીઓ પર નજર રાખવાનો પણ આરોપ મૂક્યો છે.

વાસ્તવમાં બિગ બોસના તાજા એપિસોડમાં ઇશા માલવીય ગાર્ડન એરિયામાં કાર્ટવીલ કરી રહી છે, ત્યારે અંકિતા કહે છે કે હું આ શોમાં આવતા પહેલાં દરરોજ 10 કિલોમીટર ચાલતી હતી. સામાન્ય રીતે હું આઠ કિમી બીચ પર ચાલતી હતી. જેથી એની પાછળ બેઠેલો વિક્કી અંકિતાની મજાક ઉડાડતાં કહે છે, અંકિતા ખોટું બોલી રહી છે. વિક્કીની  આ હરકત પર અંકિતાને બહુ ગુસ્સો આવે છે અને તે પતિને જોર-જોરથી લાફાઓ ઝીંકી દે છે.

 

 

 

 

 

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 5.1ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી

જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ દુનિયાભરમાંથી આવા સમાચાર આવી રહ્યા છે. આર્જેન્ટીના બાદ 3 જાન્યુઆરીના રોજ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બદખશાન પ્રાંતમાં બપોરે 13.54 કલાકે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઇશ્કોશિમથી લગભગ 15 કિમી (9 માઇલ) દક્ષિણમાં હતું. ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં લગભગ 125 કિમી (78 માઈલ) ની ઊંડાઈએ હતું, જોકે ઉત્તરપૂર્વીય અફઘાનિસ્તાન, દક્ષિણ તાજિકિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનના ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ હજુ સુધી કોઈ નુકસાનની જાણ કરી નથી. આ પહેલા બુધવારે એટલે કે 3 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડરામણી વાત એ છે કે અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વાર ભૂકંપ આવ્યો.

રાત્રે પણ બે વાર ભૂકંપ આવ્યો

પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, પહેલો ભૂકંપ મોડી રાત્રે 12.28 મિનિટ અને 52 સેકન્ડે આવ્યો હતો. જ્યારે બીજો ભૂકંપ 12:55 મિનિટ 55 સેકન્ડે આવ્યો હતો. પ્રથમ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 80 કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના 126 પૂર્વમાં હતું. બીજા ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી 100 કિલોમીટર દૂર હતું.

લોકોમાં ગભરાટ

અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક દિવસમાં પાંચ વખત ભૂકંપ આવ્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા. તે જાણીતું છે કે જાપાન હાલમાં ભૂકંપના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. 1 જાન્યુઆરીએ જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયા છે.

મહુઆ મોઇત્રાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત ન મળી

આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે લોકસભાના મહાસચિવને આ મામલે બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 11 માર્ચે હાથ ધરશે. જો કે, સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, તે હાલમાં લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં. ગયા મહિને 11 ડિસેમ્બરે TMC નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મહુઆનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

 

શું છે સમગ્ર મામલો

TMC નેતા પર અદાણી જૂથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર ગૃહમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ વકીલ જય અનંત દેહાદરાય દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ મોકલી હતી. મહુઆ મોઈત્રા પર આરોપ હતો કે તેણે હિરાનંદાનીને સંસદીય વેબસાઈટ પર ગુપ્ત એકાઉન્ટમાં લોગઈન કરવા માટે તેનું આઈડી અને પાસવર્ડ આપ્યો હતો જેથી તે સીધા પ્રશ્નો પોસ્ટ કરી શકે. મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું કે તેણીએ હિરાનંદાનીના લોકોને તેણીનું લોકસભા લોગ-ઇન આઈડી આપ્યું હતું, પરંતુ તેણીએ હિરાનંદાની પાસેથી કોઈ ભેટ લીધી ન હતી.

દક્ષિણ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટઃ સિરાજની છ વિકેટ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ટીમ ઇન્ડિયાની બીજી ટેસ્ટ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડમાં આજથી શરૂ થઈ હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પણ ભારતે કાતિલ બોલિંગ કરીને યજમાન ટીમને માત્ર 55 રનમાં સમેટી દીધી હતી. દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ્સ લંચ પહેલાં 23.2 ઓવરમાં માત્ર 55 રનમાં સમેટાઇ હતી, જે ભારતની સામે કોઈ પણ ટીમનો ટેસ્ટમાં સૌથી નીચો સ્કોર છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડનો 62 રન હતો.

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે આ ટેસ્ટમાં છ વિકેટ લીધી હતી. તેણે નવ ઓવરમાં 15 રન આપીને છ વિકેટ લીધી હતી. જસપ્રીત બુસરાહ અને મુકેશકુમારે બે-બે વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે કાઇલ વેરિને સૌથી વધુ 15 રન કર્યા હતા. ડેવિડ બેડિંઘમે 12 રનનું યોગદાન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના આઠ બેટર 10નો આંકડો પાર નહોતા કરી શક્યા.

બીજી ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.

સાઉથ આફ્રિકા: ટોની ડી જોર્જી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટ્રબ્સ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, કાગિસો રબાડા, લુંગી એનગિડી.

 

 

 

 

 

 

 

નવા વર્ષમાં ‘મિયાં મેજિક’, મોહમ્મદ સિરાજના નામે વધુ એક રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમ વેરવિખેર થઈ ગઈ હતી. બીજી ટેસ્ટ મેચમાં ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં છ વિકેટ લઈને યજમાન ટીમને રમતમાં પાછળ ધકેલી દીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સ્કોર 6-15 કર્યો. સિરાજે નવ ઓવરના સ્પેલમાં તેની લાઇન અને લેન્થ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 55 રન પર સમેટાઈ ગયો હતો. સિરાજ સિવાય મુકેશ કુમાર અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.

સિરાજે છ વિકેટ લીધી હતી

સિરાજે તેની ચોથી ઓવરમાં એડન માર્કરામને પ્રથમ વોક કર્યો હતો. આ પછી સિરાજે કેપ્ટન ડીન એલ્ગરને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી સિરાજે ટોની ડીજ્યોર્જ, ડેવિડ બેડિંગહામ, કાયલ વોરેન, માર્કો જેન્સનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

કેપટાઉનમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલરો

  • 2011 એસ શ્રીસંત
  • 2011 હરભજન સિંહ
  • 2022 જસપ્રીત બુમરાહ
  • 2024 મોહમ્મદ સિરાજ*

રોહિતની પલટન શ્રેણીમાં બરાબરી કરવા માટે બહાર છે

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આ મેચ સિરીઝ 1-1થી બરાબર કરવાના ઈરાદા સાથે રમી રહી છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

પર્વતારોહક બલજિત કૌર ટાટાની સસ્ટેઇનિબિલિટી ચેમ્પિયન

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક તાતા પાવરે કંપનીના રિન્યુએબલ બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ચેમ્પિયન તરીકે જાણીતી પર્વતારોહક બલજિત કૌરને ઓનબોર્ડ કરી છે. આ પહેલ બિનપરંપરાગત ક્ષેત્રોમાં દેશની યુવા પ્રતિભાને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

પર્વતારોહણની પડકારજનક દુનિયામાં, 27 વર્ષની બલજિત કૌર તેની અસાધારણ સિદ્ધિઓ સાથે બધાથી અલગ તરી આવે છે. વર્ષ 2023માં તેણે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન તરફથી પર્વતારોહણમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 8000 મીટરને વટાવીને સાત શિખરો સર કરનાર પ્રથમ ભારતીય તરીકે બલજિત અનેક નોંધપાત્ર પ્રથમ સ્થાનના રેકોર્ડ્સ ધરાવે છે. તે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ લોત્સે અને માઉન્ટ મનાસ્લુ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે છે, જે તેણે ઓક્સિજન વિના સર કર્યા હતા, જે તેની હિંમત, અતૂટ નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ એવાં લક્ષણો છે કે જેને તાતા પાવર ન કેવળ બિરદાવે છે, પણ તેના કર્મચારીઓ અને સમુદાયમાં પણ સ્થાપિત કરે છે.

હિમાચલ પ્રદેશની પહાડી વિસ્તારની બલજીત પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને પર્વતોને તેનો “પ્રથમ પ્રેમ” કહે છે. તે ટકાઉ જીવનના મૂલ્યને ખરેખર સમજે છે અને તાતા પાવરની ‘સસ્ટેનેબલ ઇઝ એટેનેબલ’ ફિલસૂફીની હિમાયત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે જે સ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સ અપનાવવા દ્વારા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. બલજિત દેશભરમાં તાતા પાવરના હજારો કર્મચારીઓને પ્રકૃતિ સાથે જોડાણ વધારવા અને કંપનીની પર્યાવરણીય સંભાળ અને સામુદાયિક વિકાસ પહેલને વધુ વિસ્તૃત કરવા પ્રેરણા આપશે.

કંપનીના CEO અને MD ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે મને કંપની પરિવારમાં બલજિતનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તે ખરેખર કંપનીના સિદ્ધાંતોનું પ્રતીક છે. તેનું ઓનબોર્ડિંગ રમતગમતના ક્ષેત્રે મહિલાઓને આગળ લાવવા દેશમાં ઊભરતી પ્રતિભાને ઉછેરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાના સમર્પણનો પુરાવો છે. તેની #Powerofcourage સાથે મને ખાતરી છે કે તે દેશના યુવાનો માટે રોલ મોડેલ બનશે. હું કંપનીની ટીમનો એક ભાગ બનવા અને ટકાઉ જીવનના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત છું. હું આના જેવું પ્લેટફોર્મ મેળવવા માટે રોમાંચિત છું, આ સમર્થન સાથે હું પર્વતારોહણમાં ટકાઉપણા અને મહિલાઓના સશક્તીકરણ બંનેમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે ઉત્સુક છું, એમ બલજિત કૌરે જણાવ્યું હતું.

 

 

 

 

 

 

નવા વર્ષે મોંઘવારીનો માર, ગુજરાતમાં પેટ્રોલનાં ભાવ વધ્યા

દેશમાં નવા વર્ષે પેટ્રોલ અને ડિઝલમાં 10 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો થઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે આજે સવારે ઈંઘણના ભાવમાં ફેરફાર થતાં ગુજરાતમાં પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે.

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો

પ્રાપ્ત વિગતો પ્રમાણે દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો વધારો થતો હોય છે. દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના નવા ભાવ જાહેર કર્યા

બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે 70.50 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 75.89 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર આ રીતે જાણી શકાય છે

તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.