અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત થયો છે. એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે એ કાર ફુલ સ્પીડમાં હતી, ત્યારે એ કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડ્રાઇવરે સમયસર બ્રેક ના મારતાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જેમાં ઘટનાસ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની છે. આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગિરિશભાઈ બ્રહ્મભટ્ટને નામ કારનું રજિસ્ટ્રેશન છે.

જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે જવા રવાના થયા છે. બે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમના જણાવ્યા અનુસાર આઠ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.આ પહેલા પણ થોડા સમય પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક ભંયકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ખાનગી બસ પલટી મારતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ 2 વ્યક્તિના મોત પણ થયા હતા. બસ પલટી મારી જતાં જ સામે આવતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


બે દિવસીય કોન્ફરન્સમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને બાળકોના વિકાસ માટે નવીન પ્રણાલીઓ અને અભિગમોની ચર્ચા કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં દર્શાવ્યા મુજબ ECCE ના સાર્વત્રિકરણના ધ્યેય તરફ યોગદાન આપવા વિશે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી. જેમાં 10 માસ્ટર ક્લાસ, 15 ઇન્ટરેક્ટિવ લર્નિંગ સ્ટેશન્સ અને 30 સ્પીકર સત્રો યોજવામાં આવ્યા.
કોન્ફરન્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અને વાઈસ ચેરપર્સન શ્રીમતી ઈશા અંબાણી હાજર રહ્યા હતા અને સત્રમાં ઉત્સુક્તાપૂર્વક ધ્યાન આપતા જોવા મળ્યા. મુખ્ય વક્તાઓમાં જાણીતા પ્રેક્ટિશનર સંપત કુમાર(IAS), મેઘાલય સરકારના અગ્ર સચિવ અને ધી લર્નિંગ સ્ક્વેરમાંથી એની વેન ડેમ, ઉમ્મીદ બાળ વિકાસ કેન્દ્રના ડૉ. વિભા કૃષ્ણમૂર્તિ, યુનિસેફના સુનિષા આહુજા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત નિયામક ડૉ. રીટા પટનાયક હાજર રહ્યા હતા. આ ઉપરાંત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર મહેશ બાલસેકર, , DAISના ડીન અને સીઈઓ અભિમન્યુ બસુ અને રિલાયન્સ ફાઉન્ડેશનના એજ્યુકેશન હેડ ડૉ. નિલય રંજને પણ કોન્ફરન્સમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના વિચારોનું પ્રતિબિંબ રિલાયન્સ ફાઉન્ડેશન શાળામાં જોવા મળે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘હેપ્પી સ્કૂલ, હેપ્પી લર્નર્સ’ની વિચારધારા અનુસાર શિક્ષકો ભારતીય અને આંતરરાષ્ટ્રીય બાળપણની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓમાંથી જ્ઞાન લઈને બાળકોને પ્રોત્સાહન મળે તેવું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. આ અનુભવ સાથે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વિઝન ભારતભરમાં અર્લી ચાઈલ્ડહુડ કેર અને એજ્યુકેશન લેન્ડસ્કેપને બદલવામાં મદદ કરવાનું છે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકો માટે.




અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં આઠમના દિવસે રાત્રે બાર વાગ્યે હવન કરવામાં આવ્યો. વહેલી સવારે શ્રીફળ હોમવામાં આવ્યું. મંગળા આરતી બાદ રામનવમીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.પ્રસાદમાં ભક્તોને લીમડાનો રસ આપવામાં આવ્યો હતો.
400 વર્ષ જૂના શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં નવચંડી હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના માધુપુરા માર્કેટમાં બિરાજમાન અંબાજી મંદિરમાં નોમના દિવસે વહેલી સવારથી જ યજ્ઞની શરૂઆત થઈ.
શહેરના બહુચરાજી મંદિર, મહાકાળી મંદિર, વૈષ્ણોદેવી, અર્બુદાધામ જેવા અનેક મંદિરોમાં નવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

સત્તાવાર રીતે તા. 12 એપ્રિલે જાહેરનામું બહાર પડ્યું ત્યારથી ફોર્મ ભરવાનું અને વિતરણ શરૂ થઈ ગયુ છે. પ્રથમ દિવસે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમટી પડી હતી. પહેલા દિવસે 95 વ્યકિતએ 297 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ 16મી એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 111 વ્યક્તિઓના નામે 318 ફોર્મ લેવામાં આવ્યા છે. જ્યારે ફોર્મ ભરીને માત્ર 3 વ્યક્તિના નામે 9 ફોર્મ ભરીને પરત આવ્યા છે. આજે રામનવમીની રજા હોવાથી કોઈ ફોર્મ ભરવા કે ઉપાડવાની કામગીરી થઇ નથી.
ભગવાન રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’થી પ્રેરિત છે. ડૉ. કૃપેશ ઠક્કર કે જેમણે હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવીને સાત વર્ષ સુધી અમેરિકામાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરી. આજે જ્યારે યુવાનો બધું જ ભૂલીને અમેરિકામાં સ્થાયી થવાના સપનાં જોતા હોય છે. ત્યારે કૃપેશભાઈએ અમેરિકાની ઉજ્જવળ કારકિર્દી છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે મા, માટી અને માતૃભાષાને કારણ બતાવ્યા. તેઓ આ ત્રણેય માટે કંઈ કરવા માંગતા હતા. કૃપેશભાઈ કવિ હ્રદયી અને કલાકાર જીવ, એટલે કલાના માધ્યમથી કંઈક કરવાની ઈચ્છાએ તેઓ વર્ષ 2013ના અંતમાં ભારત પરત ફર્યા. કૃપેશભાઈ ડોક્ટર ઉપરાંત સંગીતકાર, ગીતકાર, ગાયક અને દિગ્દર્શક પણ છે. પરિણામે 2014માં જન્મ થયો ‘વાચા ફાઉન્ડેશન’નો. જેની શરૂઆત વેલેન્ટાઈન પર્વ સાથે થઈ. કૃપેશભાઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું ફ્યૂઝન કરીને યુવા પેઢીમાં માતા, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ જગાડવા માંગતા હતા. આથી તેમણે એક મહિના સુધી વેલેન્ટાઈન પર્વની ઉજવણી કરી. જેમાં તેમણે સમગ્ર ગુજરાતના અલગ-અલગ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની વંદના કરી. આ સિવાય તેઓ ફ્રેન્ડશીપ પર્વ, મા પર્વ, વુમ્નસ પર્વ, ટ્રી પ્લાન્ટેશન પર્વ, હેલ્થ કેમ્પ, ક્લબ ફૂટ અવેરનેસ કેમ્પ તેમજ ગીતા જયંતિ પર્વની ઉજવણી કરે છે. આ દરેક પર્વ તેઓ લગભગ એક મહિના સુધી ઉજવે છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન, કૃપ ફિલ્મસ અને કૃપ પબ્લિસિંગ નામની સંસ્થાઓના ફાઉન્ડર છે.
કૃપેશભાઈના પત્ની પૂજાબેન, દીકરી વાચા અને દીકરા પર્વ સાથે મળીને ફર્સ્ટ ફેમિલી બેન્ડ, ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ બનાવ્યું છે. વાચા ફાઉન્ડેશન રામને સમર્પિત વિવિધ કાર્યક્રમો છેલ્લાં દસ વર્ષોથી ચલાવે છે. જેમાં સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે પર્વ અને વાચાના કંઠે રામ ભગવાનને સમર્પિત વિવિધ ગીતો, મંત્રો અને ધૂન ખુબ જ લોકપ્રિય બન્યા છે. પર્વએ તો માત્ર બે વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરી દીધું હતું. તે આજે પણ સૌથી યંગેસ્ટ સિંગર અને એક્ટર છે. તેણે પિતા અને બહેન સાથે મળીને ગુજરાતી અને હિન્દી ગીતોમાં કંઠ આપ્યો છે, સાથે જ અભિનય પણ કર્યો છે. કૃપેશભાઈની દીકરી વાચા હાલમાં 11 વર્ષની છે. તેણે પણ 3 વર્ષની ઉંમરથી જ પ્લેબેક સિંગિંગ અને અભિનય શરૂ કરી દીધો હતો. વાચા એક સારી લેખક પણ છે. તેનું પ્રથમ પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ 2022માં પ્રસિદ્ધ થયું હતું. જેમાં તેણે ભારતના ઈતિહાસ અને સનાતન સંસ્કૃતિના અનેક શબ્દોના કોયડા બનાવીને બાળકો માટે ખાસ પુસ્તક તૈયાર કર્યું છે. એક વર્ષ બાદ 2023માં વાચાએ ભગવત ગીતા પર આધારિત ‘ગીતા વર્ડ સર્ચ: ઈન્ડિયન કલ્ચર ફોર કિડ્સ’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. કૃપેશભાઈ અને તેમનો પરિવાર વિવિધ તહેવારોને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે પર્વ કી પાઠશાળાના નામે ઉજવે છે. જેમાં બાળકો અને યુવાનોને વિવિધ વિષય પર ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. આખો પરિવાર ગીવ વાચા ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર તરીકે સેવા આપે છે.
કૃપેશભાઈનો દીકરો પર્વ ક્લબ ફૂટ સાથે જન્મયો હતો. પોતે એક ડોક્ટર હોવાથી તેઓ આ બિમારી અને તેના ઈલાજ વિશે સારી રીતે જાણતા હોય તે સ્વાભાવિક છે. તેમણે દવા અને કસરતની સાથે-સાથે પર્વને મ્યુઝિક થેરાપી પણ આપી. કૃપેશભાઈનું માનવું છે કે સંગીતમાં દરેક દર્દને ભૂલાવીને સાજા કરવાની તાકાત છે. આની સાથે જ જન્મ થયો કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરનો. કૃપેશભાઈ ભારતના સૌથી ઉત્તમ મ્યુઝિક થેરાપીસ્ટ છે. તેઓ મ્યુઝિક થેરાપી દ્વારા ગર્ભ સંસ્કાર પણ કરાવે છે અને તેમના ગર્ભ સંસ્કારના સેશનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ વખાણ થયા છે. કૃપેશભાઈ અને તેમના પત્ની પૂજાબેન ક્લબ ફૂટ માટે અવેરનેસ લાવવા માટે અનેક કાર્યક્રમો કરે છે. હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલા અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2024માં કલા અને સાહિત્ય દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે કૃપેશભાઈ, વાચા અને પર્વને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ નોંધ લીધી છે અને કામને બિરદાવ્યું છે.