Home Blog Page 1887

સુવિચાર – ૨૯ એપ્રિલ, ૨૦૨૪

સુવિચાર – ૨૯ એપ્રિલ, ૨૦૨૪

૨૯ એપ્રિલ, ૨૦૨૪

૨૯ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 29/04/2024 થી 05/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 29/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

પંચાંગ 29/04/2024

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મતદાન જાગૃતિ માટે યોજાયો ડ્રોન શો

અમદાવાદ : શહેરના રિવરફ્રન્ટ પર ‘ચૂનાવ કા પર્વ.. દેશ કા પર્વ ‘ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદી પરના રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર પાસે યોજાયેલા‌ ડ્રોન શો ‘નિયત મેં વોટ હૈ’ ને ચૂંટણી પંચ ગુજરાત દ્વારા મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્લાઈંગ પિક્સલ્સે ડ્રોન દ્વારા અમદાવાદના આકાશમાં યોર વોટ ઈસ વોઇસ, ડેમોક્રેસી, એવરી વોટ કાઉન્ટસ અને ભારતનો નકશો તૈયાર કરતાં દ્રશ્યો જોવા ઉમટેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મતદારોને રિઝવવા મતદાન જાગૃતિ માટેની આ ઇવેન્ટને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો.


ડ્રોન દ્વારા ભારતનો નકશો અને દેશ ભક્તિના ગીતોથી સમગ્ર ઇવેન્ટ સેન્ટર પાસે વિસ્તાર દેશભક્તિનો માહોલ જામ્યો હતો. રિવરફ્રન્ટ પર વીકેન્ડ માણવા આવેલા લોકોએ આકાશમાં અનોખો નજારો માણ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ ) 

ગુજરાત : રૂ. 602 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ

આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સંયુક્ત ઓપરેશન દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી 86 કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે. બજારમાં તેની કિંમત અંદાજે 602 કરોડ રૂપિયા છે. એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ ઓપરેશન છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું હતું.

ઓપરેશન દરમિયાન, ધરપકડથી બચવાના પ્રયાસમાં, પાકિસ્તાની નાગરિકોએ તેમની બોટ ATS અધિકારીઓમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો અને પોલીસે ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરવી પડી. આ પછી શંકાસ્પદો ઝડપાયા હતા. સુરક્ષા એજન્સીઓ છેલ્લા બે દિવસથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ભારતીય જળસીમાની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડે મેરીટાઈમ ઈન્ટેલિજન્સનાં આધારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટના 14 કર્મીઓ સાથે 602 કરોડની કિંમતનો 86 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે મળીને સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનને સફળ બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એરક્રાફ્ટને મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. એનસીબી અને એટીએસ અધિકારીઓને લઈ જતા આઈસીજી જહાજ રાજરતનએ શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સ ભરેલી બોટના ચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડ જહાજ રાજરતન દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની સતર્કતાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં આવા 11 સફળ ઓપરેશન થયા છે.

71 વર્ષના વૃદ્ધે 57 દિવસ અયોધ્યા સુધી પદયાત્રા કરી સંકલ્પ પૂર્ણ કર્યો

અયોધ્યા રામ મંદિરની સ્થાપના અને રામલલ્લાને ભવ્ય સ્થાન અપાવવા માટે હજારો લોકોએ પોતાનું યોગદાન આપ્યું. સંઘર્ષ, ઘર્ષણ અને વર્ષોની કાયદાકીય લડત પછી હમણાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. 1990ના દાયકામાં જ્યારે અયોધ્યા માટે જ્યારે કારસેવા માટે કારસેવકોનો જે જુવાળ જાગેલો એમાં હજારો લોકો જોડાયા હતા. ગામે ગામથી રામ મંદિર માટે ઈંટો પણ એકઠી કરવામાં આવી હતી.

આ ધાર્મિક આંદોલનમાં રામ મંદિર બનાવવાના સંકલ્પ સાથે સાધુ સંતો આર.એસ.એસ, વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને સંગઠનોએ ભારે મહેનત જહેમત ઉઠાવી હતી. ઘણાં નેતા, તત્વવેત્તા, સાધુ સંતો અને કારસેવકોએ સંકલ્પ લીધા.. જેવા કે રામ મંદિર બનશે ત્યારે જ મીઠાઈ ખાશું.. મંદિર બનશે પછી જ મૌન તોડીશું..રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે ત્યારે પગપાળા યાત્રા કરીશ… આવા અનેક સંકલ્પ રામભક્તોએ લીધા હતા.

ભક્તો અને ભક્તિનું ઘોડાપૂર જ્યાં વર્ષોથી જોવા મળે છે એ ગુજરાત માંથી હજારો લોકો કાર સેવામાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતના તલોદ પાસે આવેલા હરસોલ ગામના ભીખાભાઈ રાવલે પણ રામ મંદિરના એ આંદોલન વેળાએ સંકલ્પ કર્યો કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે ત્યારે પગપાળા યાત્રા કરી રામલલ્લાના દર્શન કરીશ.

અયોધ્યામાં રામ મંદિરે પગપાળા યાત્રા કરી દર્શન કર્યા બાદ તાજેતરમાં જ પરત ફરેલા ભીખાભાઈ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે હું સીમાલીયા ગામમાં મંદિરની પૂજા કરતો. વર્ષોની જુદી જુદી લડત પછી રામ મંદિર બન્યું એટલે સાર્વત્રિક આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો. મને થયું હવે સંકલ્પ પૂર્ણ કરવો પડે. એટલે અહીંથી અયોધ્યા સુધીની પગપાળા યાત્રા શરૂ કરી. સતત 57 દિવસની પગપાળા યાત્રા બાદ અયોધ્યા પહોંચ્યો. રામલલ્લાના દર્શન કર્યા. સરયૂ નદીમાં સ્નાન કર્યુ અને મારો સંકલ્પ પૂરો કર્યો.

આ યાત્રામાં મને ગુજરાતથી અયોધ્યા મંદિર સુધી અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. ભીખાભાઈ રાવલને ગુજરાતથી અયોધ્યા સુધીની પગપાળા યાત્રામાં મદદ કરનાર આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નારાયણ શર્મા કહે છે સંકલ્પ લીધો ત્યારે ભીખાભાઈ યુવાન હતાં. હવે ભીખાભાઈ 71 વર્ષની ઉંમરે પહોંચ્યા છે.

એમને ગુજરાતથી અયોધ્યા રામ મંદિર સુધીની યાત્રા દરમિયાન દર ત્રીસ કીલોમીટર દરમિયાન આરામ ઉતારો સગવડો મળી રહે એવું પુરતું આયોજન કરવાનો પ્રયત્ન કર્યો. ઘણાં ગામ અને શહેરોમાં ભીખાભાઈનું ભવ્ય કાર્યક્રમ યોજી સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. એમને રાજસ્થાન, ઉત્તર પ્રદેશના તીર્થ સ્થાનોની પણ યાત્રા કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

અયોધ્યા પહોંચ્યા બાદ રામ મંદિરના દર્શન અને સરયૂ નદીના સ્નાન કરી તુલસી ઘાટ પર સંકલ્પ પૂર્ણ કર્યો ત્યાં સુધી તમામ વ્યવસ્થા સરળતાથી થાય એવા પ્રયાસો કર્યા હતા.

અયોધ્યા રામ મંદિરને બનાવવા ઘણા આંદોલન, કાયદાકીય લડતો, યાત્રાઓ યોજાઈ. ઘણાં લોકોએ પોતાનું યોગદાન બલિદાન આપ્યું હતું. સંઘર્ષ દરમિયાન ઘણાં નેતાઓ સાધુ સંતોએ પોતાની આગવી છાપ ઉભી કરી નામના મેળવી. જ્યારે ભીખાભાઈ જેવા લોકો મર્યાદા પુરુષોત્તમ રામ મંદિરમાં બિરાજે એ માટે જુદા જુદા સંકલ્પ લઈને બેઠા હતા. જે અત્યારે પૂર્ણ કરી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠક પર 1351 ઉમેદવારો વચ્ચે જંગ

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે. બે તબક્કાના મતદાન બાદ 191 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. ધીરે-ધીરે ચૂંટણી આગળ વધી રહી છે ત્યારે તમામ રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. હવે 7મી મેના રોજ 94 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં થવાની સંભાવના છે. આ તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે 1351 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. આ તબક્કામાં આસામની 04, બિહારમાં 05, છત્તીસગઢમાં 07, મધ્ય પ્રદેશમાં 09, મહારાષ્ટ્રમાં 11, દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં 02-02 સીટ, કર્ણાટકની બાકી રહેલી 14 સીટ, જમ્મુ-કાશ્મીરની 01 સીટ, પશ્ચિમ બંગાળની 04, ગુજરાતની 25 અને ઉત્તર પ્રદેશની 10 સીટ પર મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત સીટ પરથી BJPના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ રીતે જીત્યા છે. તેથી ગુજરાતમાં 26ની બદલે 25 સીટ પર જંગ જામશે.

બીજા તબક્કામાં 2019 કરતા ઓછું મતદાન

હાલ ત્રીજા ચરણની ચૂંટણીને લઈને રાજકીય દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ 13 રાજ્યોની 88 બેઠક પર બીજા તબક્કાનું મતદાન 2019ની ચૂંટણી કરતાં ઓછું થયું છે. આ વખતે આ સીટો પર 68.49% મતદાન થયું છે. જ્યાં ત્રિપુરામાં સૌથી વધુ 79.66% મતદાન જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 54.85% મતદાન નોંધાયું છે. જો કે, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે. તો ચાલો જાણીએ કઈ બેઠક પર કયા પક્ષની પકડ મજબૂત છે?

1. યુપીમાં ભાજપ, કોંગ્રેસ અને સપા વચ્ચે ત્રિકોણીય જંગ

સપાના આ ગઢમાં પાર્ટીના વર્તમાન સાંસદ ડિમ્પલ યાદવ પોતાના હરીફોને સાઈકલની રફ્તાર પર હરાવવા મેદાનમાં છે. 1996થી આ સીટ સપા પાસે છે. અત્યાર સુધી અજેય સાબિત થયેલી મૈનપુરી સીટ પર ભગવો લહેરાવા માટે ભાજપે સ્થાનિક ધારાસભ્ય અને યોગી સરકારમાં પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ઠાકુર જયવીર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. યાદવ અને શાક્ય સમુદાયની મોટી વસ્તી ધરાવતી આ બેઠક પર બસપાએ પૂર્વ ધારાસભ્ય શિવ પ્રસાદ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. બદાયું સીટ પર યાદવ પરિવારની વિશ્વસનીયતાની ખરી કસોટી થવાની છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવના બદલે આદિત્ય યાદવને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ સંઘમિત્રા મૌર્યની ટિકિટ રદ કરીને બ્રજ પ્રદેશ પ્રમુખ દુર્વિજય સિંહ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે BSPએ મુસ્લિમ ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

2. એમપીની હાઈપ્રોફાઈલ સીટ પર ચૂંટણીનો જંગ

ગુના, વિદિશા અને રાજગઢ જેવી હાઈ-પ્રોફાઈલ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અનુક્રમે ગુના અને વિદિશાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહને રાજગઢ બેઠક પરથી ઉતાર્યા છે. આમ, આ તબક્કામાં ખરાખરીનો જંગ જામશે.

4. ગુજરાતમાં 25 સીટો પર કાંટાની ટક્કર

ગુજરાતમાં તમામ 25 સીટ પર ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામશે. આ વખતે AAPએ ચેતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે. જ્યાં તેઓ ભાજપાના મનસુખ વસાવા સામે ચૂંટણી લડશે.જો કે, INDI બ્લોકના સીટ શેરિંગના કારણે કોંગ્રેસના બદલે આ સીટ AAPના ફાળે ગઈ છે. ગાંધીનગરથી BJPના નેતા અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો જામનગર બેઠક પરથી ભાજપે પૂનમબેન માડમ અને કોંગ્રેસે જે.પી.મારવીયાને ટિકિટ આપી છે. નવસારી પરથી સી.આર.પાટિલ ભાજપ તરફથી ચૂંટણી લડશે જેમનો સામનો કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ સાથે થશે. પોરબંદર બેઠક પરક BJPના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા સામસામે છે. જ્યારે આ વખતે રાજકોટની સીટ ખૂબ ચર્ચિત રહી છે, BJPના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે 26એ 26 સીટ ભાજપના ખાતામાં જશે કે, રેકોર્ડ તૂટશે.

5. મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. બારામતીમાં નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે. અહીંથી, NCP (શરદચંદ્ર પવાર) ના વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે તેમની ભાભી સુનેત્રા પવાર (NCP) સામે ચૂંટણી લડી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ છત્રપતિ કોલ્હાપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપે સતારા લોકસભા બેઠક પરથી ઉદયનરાજે ભોસલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે સાંગલીમાં ભાજપના વર્તમાન સાંસદ સંજયકાકા પાટીલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર કુસ્તીબાજ ચંદ્રહર પાટીલ સામે ટકરાશે.

ત્રીજા ચરણ માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજકીય દળો તાબડતોડ પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી રોજે બેથી ત્રણ રોડ શો અને જાહેરસભા યોજી રહ્યા છે. જે-તે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ઉમેદવારોના સમર્થનમાં મતદારોને મતની અપીલ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિવેદન બાજી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કયો પક્ષ કેટલી તાકાત લગાવશે.

અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

ગુજરાત આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા તેમના સમર્થકો સાથે સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભાજપમાં જોડાયા હતા. સુરત ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપના નેતાઓને આવકારતા જણાવ્યું કે, ‘આ દેશ સુવર્ણ કાળમાથી પસાર થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે. લોકસભાની તમામ સીટો ભાજપના ઉમેદવારો જંગી મતોથી જીતે તે માટેના પ્રયાસો કરવાના છે. મોદી સાહેબ ત્રીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ 26 માંથી 26 સીટો જીતી હેટ્રીક કરવા જઈ રહ્યું છે. પાટીલે કોંગ્રેસ પર પણ નિસાનો સાધતા કહ્યું હતું કે, ‘આ કોંગ્રેસવાળા સનાતન ધર્મમા માનતા નથી, સનાતન ધર્મનો વિરોઘ કરે છે. જે રામનો નથી તે કોઇનો નથી તે યાદ રાખવાનુ છે.’

આપના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ કેસરીયા કર્યાં

અલ્પેશભાઇ કથિરીયાએ ગઈકાલે ભાજપનો ખેસ પહેરતા જણાવ્યું કે, ‘આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમા ભાજપમા જોડાવવાની તક મળી તે બદલ ભાજપના સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. પક્ષ અને સમાજને વિશ્વાસ આપુ છું કે સમાજના હિત અને રાષ્ટ્રહિત માટે કામ કરીશું.’ આ સિવાય આપના અન્ય નેતા ધાર્મિકભાઇ માલવિયાએ પણ આ કાર્યક્રમમાં પોતાની વાત જણાવતા કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આજે તેમના સારથી તરીકે ભાજપમા જોડાયો છું. આજે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ પક્ષમા જોડાયો છું.’