લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કર્ણાટક પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને INDIA ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં.
कांग्रेस के शहजादे को हमारे राजा-महाराजाओं के योगदान याद नहीं आते।
ये वोटबैंक की राजनीति के लिए राजा-महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं और नवाबों, बादशाहों और सुलतानों के खिलाफ एक शब्द बोलने की ताकत नहीं है।
પીએમ મોદીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, કોંગ્રેસે રામ મંદિર માટેના આમંત્રણને ફગાવી દીધું હતું, પરંતુ અંસારી પરિવારે પેઢી દર પેઢી કોર્ટમાં આ માટે લડત ચલાવી હતી અને કહ્યું હતું કે અહીં બાબરી મસ્જિદ હતી રામ મંદિર નહીં, પરંતુ જે દિવસે કોર્ટનો નિર્ણય આવ્યો. તેમણે કહ્યું કે કોર્ટનો નિર્ણય અમારા માટે સર્વોપરી છે અને અંસારીએ મુસ્લિમ હોવા છતાં રામ મંદિરના અભિષેકમાં ભાગ લીધો, તેનાથી ફરક પડે છે.
આજે જમાનો AI સાથે વધુ તાલમેલ મેળવવા માંડ્યો છે. મોટી મોટી ફર્મ પણ ઉમેદવારની અરજી ચકાસવાના કામ સુદ્ધાં માટે AI પર નિર્ભર થવા લાગી છે. હાલમાં જ યુ.કે.માં નોકરી માટેની અરજી કરનાર ઉમેદવારે પોતાની અરજી સબમિટ કર્યાની માત્ર ત્રણ જ મિનિટમાં, એક ફોલો-અપ ઈમેલમાં તેણે ઈમેઈલ મેળવ્યો. જેમાં જાણ કરવામાં આવી હતી કે, તેમની અરજી અસફળ રહી છે!.
નોકરી માટેની અરજી કરનાર ઉમેદવારે પોતાનો અનુભવ reddit.com પર જણાવતાં લખ્યું કે, ‘અરજી માટે કવર લેટર તૈયાર કરવામાં મને નોંધપાત્ર સમય લાગ્યો હતો. તેના લેટરના સંદર્ભમાં નેશનલ ગ્રીડ તરફથી પ્રારંભિક ઈમેલ કન્ફર્મેશન પ્રાપ્ત થયું હતું અને તેમનો રુચિ બદલ આભાર માનવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અરજીઓની 14 દિવસમાં સમીક્ષા કરવામાં આવશે. પરંતુ તેની ત્રણ મિનિટ બાદ તુરંત જ એક ફોલો-અપ ઈમેલ મળ્યો. જેમાં જાણ કરવામાં આવી હતી કે, તેમની અરજી અસફળ રહી છે.’
ઉમેદવારે કેપ્શન સાથે ટ્રેલ મેઇલનો સ્ક્રીનશૉટ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, ‘રોલ માટે અરજી કર્યાના 3 મિનિટ બાદ રિજેક્ટ થઈ ગયો. ઓહ, આ તો જાણે મેં બોટ દ્વારા આપમેળે રિજેક્ટ થવા માટે જ કલાકો વિતાવી કવર લેટર લખ્યો હોય! જો કે, વર્તમાન જોબ માર્કેટ મને ગમે છે. યુકે.’
આ ઘટનાએ જોબ હાયરિંગમાં ઓટોમેટેડ સ્ક્રીનીંગ ટૂલ્સ પર વધતી જતી નિર્ભરતા તરફ ધ્યાન દોર્યું છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાએ લોકોમાં ઉશ્કેરાટ ફેલાવી દીધો. જેની જોરદાર પ્રતિક્રિયાઓ આવવા લાગી. એક વ્યક્તિએ લખ્યું, ‘એક સ્થાનિક ખાણની વેબસાઇટ પર ફોર્કલિફ્ટ/ઓપરેટરના કામ માટે કે, જેનો મને 15 વર્ષનો અનુભવ છે. તે માટે મેં મારો 35 મિનિટનો સમય લગાડ્યો અને તાત્કાલિક વળતો ઈમેઈલ મને મળ્યો કે, તમે આ કામ માટે યોગ્ય નથી!’
બીજા એક જણે ટિપ્પણી કરી કે, ‘આ કામ માટે AI, રિઝ્યુમ ચેકિંગ કરે છે. જે આના માટે ચોક્કસ અપેક્ષા અથવા કીવર્ડ્સ શોધે છે. જો તમે તેમાં ફીટ નથી બેસતા, તો સોફ્ટવેર નક્કી કરે છે કે, તમે કામ માટે યોગ્ય નથી અને તે એપ્લિકેશનને આપમેળે જંક કરી દે છે. હવે મોટે ભાગે કંપનીઓમાં આ જ પદ્ધતિ શરૂ થઈ ગઈ છે.’
જ્યારે નેશનલ ગ્રીડે આ વિશિષ્ટ ઘટના પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, તેઓએ પુષ્ટિ કરી હતી કે ઇન્ટરવ્યુ પહેલાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રી-સ્ક્રીનિંગ પ્રશ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ પ્રશ્નોના નકારાત્મક જવાબ આપનારા અરજદારોને સિસ્ટમ આપમેળે નકારી શકે છે.
અમદાવાદ: સરકારી અથવા ખાનગી નોકરીઓમાં કામ કરતા લોકો તેમનો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે, આવી સ્થિતિમાં કાર્યસ્થળ એટલે કે ઓફિસમાં તેમના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. આ હેતુ સાથે દર વર્ષે વર્લ્ડ ડે સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્કની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 28મી એપ્રિલે ઉજવવામાં આવે છે. દર વર્ષે વર્કપ્લેસમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતી વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ થીમ સાથે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ અને તેનું મહત્વ શું છે?
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) એ કામ પર અકસ્માતો અને રોગોને રોકવા માટે 2003 માં પ્રથમ વખત વિશ્વ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસને 1996થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા ઉજવવામાં આવતા મૃત અને ઘાયલ કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસનું મહત્વ
આ દિવસ કામને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સલામતી અને આરોગ્યના સારા ધોરણો જાળવવાનો છે જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાનરૂપે ફેલાવવો જોઈએ.
વર્ક 2024માં સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની થીમ
વર્લ્ડ ડે સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક 2023એ મૂળભૂત સિદ્ધાંત અને કામ પરના અધિકાર તરીકે સલામત અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણની થીમ પર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ ‘વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય પર આબોહવા પરિવર્તનની અસરો’ રાજકીય અગ્રતા, નીતિ સુસંગતતા અને આબોહવા પરિવર્તન, વ્યવસાયિક સલામતી અને આરોગ્યના જોખમો અને કામદારો માટેના જોખમોને સંબોધવા માટે એજન્ડા સેટિંગમાં તીવ્ર પરિવર્તનની માંગ કરે છે.
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે 197 રનનો ટાર્ગેટ હતો. રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સંજુ સેમસને 33 બોલમાં સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે ધ્રુવ જુરેલ 34 બોલમાં 52 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 123 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
Winning streak continues 🩷
A Sanju Samson special & Dhruv Jurel’s attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌
આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 196 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 48 બોલમાં સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક અને માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને પેવેલિયન ગયા હતા. ક્વિન્ટન ડી કોકે 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઈનિસ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા અને આયુષ બદોનીએ છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા.
જામનગર: રિલાયન્સ અને ઓઈલ રીફાઈનરી માટે જાણીતું શહેર એટલે જામનગર. અરબ સાગર પાસે આવેલું આ શહેર કચ્છની ખાડીના દક્ષિણમાં છે. જામનગરનું નિર્માણ જામસાહેબે 1540માં કરાવ્યું હતું. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના તે સમયમાં આવતા દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું. જામનગર લોકસભા બેઠક હાલાર બેઠકથી ઓળખાતી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી જેમાં પ્રથમ સાંસદ મેજર જનરલ એમ.એસ હિંમતસિંહ હતા. તેમણે બિનહરીફ આ બેઠક પરથી જીત મેળવી હતી. વર્ષ 1962માં જામનગર બેઠર અસ્તિત્વમાં આવી ત્યારે પ્રથમ સાંસદ તરીકે મનુભાઇ શાહ હતા. જામનગર લોકસભા બેઠક પર આહીર અને પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર મોટા ભાગે પાટીદાર, ક્ષત્રિય અને આહીર સમાજમાંથી આવતા ઉમેદવારની જીત થઇ છે. સીમેન્ટ, માટી, વાસણો અને બાંધણી અહીંના મુખ્ય ઉત્પાદનો છે.
ઉમેદવાર
ભાજપ- પૂનમ માડમ
પૂનમ માડમનો જન્મ 1974ના રોજ જામનગરમાં એક આહિર પરિવારને ત્યાં થયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. તેમના પિતા સ્વ. હેમંત માડમ જામખંભાળીયા બેઠક પર ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં જામ ખંભાળીયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી.
કોંગ્રેસ- જે. પી. મારવીયા
કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓ જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકયા છે. આશરે 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર, નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે.
PROFILE
જામનગર લોકસભા બેઠકમાં જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે.
2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના પૂનમ માડમ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,36,804 વોટની લીડથી જીત્યા હતા.
મતદારોની સંખ્યા
કુલ મતદારો 18,08,518
પુરુષ મતદાર 9,27,593
સ્ત્રી મતદાર 8,80,892
વિધાનસભાબેઠકોનીસ્થિતિ
બેઠક
પક્ષ
વિજેતા
વોટ
લીડ
જામનગર ઉત્તર
ભાજપ
રિવાબા જાડેજા
88,835
53,570
જામનગર દક્ષિણ
ભાજપ
દિવ્યેશ અકબરી
86,492
62,697
જામનગર ગ્રામ્ય
ભાજપ
રાઘવજી પટેલ
79,439
47,500
કાલાવડ
ભાજપ
મેઘજી ચાવડા
59,292
15,850
જામજોધપુર
આપ
હેમંત ખવા
71,397
10,403
ખંભાળિયા
ભાજપ
મુળુભાઈ બેરા
77,834
18,745
દ્વારકા
ભાજપ
પબુભા માણેક
74,018
5,327
જામનગર બેઠકની વિશેષતા
જામનગરલોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે.
સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે.
1998માં ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી.
2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી.
2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પણ તેઓ ફરી વિજેતા બન્યા.
દિલ્હી: તમને રોડ પર બેઠાં-બેઠાં જ અવકાશી નજારાનો અનુભવ થવા માંડે! અવકાશી તારા દેખાવા માંડે તો? એક અમેરિકન યુ-ટ્યુબરને શેરીમાં બેઠાં-બેઠાં આવા જ અવકાશી નજારાનો અનુભવ થયો. વાત જાણે એમ છે કે, દિલ્હીની શેરીમાં આ યુ-ટ્યુબરને હિન્દી ફિલ્મ ‘પ્યાસા’નું ગીત ‘સર જો તેરા ચકરાયે…’ વાળા જ્હોની વોકર જેવા એક મુહમ્મદભાઈ મળી ગયા, જેઓ વ્યવસાયે તેલ માલિશ કરનારા છે.વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર 1.2 મિલિયન સબસ્ક્રાઈબર્સ ધરાવતા અમેરિકન યુટ્યુબર ડેઇલી મેક્સે માથાં અને ખભાની મસાજ કરાવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ક્લિપમાં, તે દક્ષિણ દિલ્હીના બજારમાં મુહમ્મદ વારિસ નામની વ્યક્તિનો સંપર્ક કરે છે. ક્લિપમાં મેક્સ કહે છે કે, ‘તેણે આ ભાઈને મસાજ કરતા જોયો છે. જે સખત મહેનત કરી રહ્યો છે, કામમાં સારો દેખાવ કરી રહ્યો છે; હું આ વ્યક્તિ પાસેથી માથાંનો મસાજ કરાવવા માટે ઉત્સાહિત છું. આ એક સારો જ મસાજ હશે!’
વીડિયોમાં થોડી ક્ષણો પછી, મિસ્ટર મેક્સ મુહમ્મદભાઈની કુશળતાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થતાં દેખાય છે અને મસાજ તકનીકનો આનંદ માણતા જોવા મળી રહ્યાં છે. ‘એલોન મસ્કે આ વ્યક્તિને નોકરી પર રાખવાની જરૂર છે. કારણ કે, હું હમણાં જ અવકાશ ભ્રમણ પર હતો,’ એવી મેક્સે રમૂજી ટિપ્પણી કરી. અને આ જ વાત તેણે પોતાના વીડિયોની કેપ્શનમાં પણ લખી છે. ‘આ કોસ્મિક ઈન્ડિયન હેડ મસાજથી મને તારાઓ દેખાય છે.’
વધુમાં ઉમેર્યું, ‘ભારતમાં સ્ટ્રીટ મસાજ શા માટે આટલું સારું છે? આ મારા માટેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ મસાજ છે,’ 32-વર્ષીય યુટ્યુબરે મજાક કરતાં કહ્યું કે, ‘આ જ વાત મારા વતન અમેરિકામાં એટલી હદ સુધી અલગ છે કે, આ માણસ પર ત્રણ બાબતે ચાર્જ લાગે કે, તેણે માત્ર મારા વાળ જ ના ખેંચ્યા, પરંતુ માથામાં મુક્કા પણ માર્યા.’ક્લિપના અંતમાં તે કહે છે કે, ‘મસાજ એટલો સારો હતો કે, મારા ખિસ્સામાં જેટલા રૂપિયા હોય તે બધા લેવાને તે લાયક છે.’ તેણે તેમને પૈસા ચૂકવ્યા અને જતા પહેલાં હાથ મિલાવ્યા.
જેમ જેમ ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકશાહી પ્રક્રિયાઓ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની સાથે પ્રથમ તબક્કામાં 62% મતદાન થયું છે. ઉત્તેજના સ્પષ્ટ છે કારણ કે વિવિધ રાજ્યોના નાગરિકો મતદાન કેન્દ્ર તરફ જાય છે, જે દેશનું નક્કી કરે છે. જો કે, આ લોકતાંત્રિક ઉત્સાહ વચ્ચે, ભારતીય ફિલ્મ ઉદ્યોગની નોંધપાત્ર હસ્તીઓ છે જેઓ એમનો મત નહીં આપી શકે.
આલિયા ભટ્ટ
પોતાની અભિનય કૌશલ્યથી ચાહકોના દીલ પર રાજ કરતી આલિયા ભટ્ટ કપૂર ભારતમાં મતદાન નથી કરી શકતી. હકીકતમાં આલિયાની માતા સોની રાઝદાન બ્રિટિશની નાગરિક્તા ધરાવે છે. આલિયાનો જન્મ પણ બ્રિટિશમાં જ થયો હતો. માટે એની પાસે પણ ભારતીય નાગરિક્તા નથી. જેના કારણે એ ભારતીય ચૂંટણીમાં મતદાન નથી કરી શકતી. નહીં આપી શકે.
કેટરીના કૈફ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. કેટરિનાનો જન્મ હોંગકોંગમાં કાશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને અંગ્રેજ વકીલને ત્યાં થયો હતો. તેની અભિનય કારકિર્દી બનાવવા એ લંડન અને પછી ભારત આવી. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં, એની બ્રિટિશ નાગરિકતા ભારતીય ચૂંટણીઓમાં મત આપવા માટે એને અયોગ્ય બનાવે છે.
જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડીઝ મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધા જીતવાથી લઈને ભારતમાં લોકપ્રિય અભિનેત્રી બનવા સુધીની એની સફર એના પ્રતિભા અને સખત મહેનતનો પુરાવો છે. બોલીવૂડમાં એને લગભગ દરેક ટોયના કલાકારો સાથે કામ કર્યું છે. જેકલીનનો જન્મ બહેરીનમાં શ્રીલંક પિતા અને મલેશિયન માતાને થયો હોવાના કારણે એની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. માટે એ ભારતીય ચૂંટણીઓમાં મતદાન નથી કરી શકતી.
ઇમરાન ખાન
ઇમરાનખાન જન્મથી અમેરિકન છે. મેડિસન, વિસ્કોન્સિનમાં સોફ્ટવેર એન્જિનિયર પિતા અને વૈજ્ઞાનિક માતાના ઘરે જન્મેલો ઇમરાન ખાને નાની ઉંમરે જ બોલીવૂડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આજે પણ એની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. એ ભલે કામ ભારતમાં કરે પણ એની નાગરિક્તા અમેરિકન છે. મામા આમિરખાનની સાથે અનેક વખત કામ કરી ચૂકેલો આ કલાકાર ભારતમાં મતદાન નથી કરી શકતો.
સની લિયોની
એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોલીવૂડમાં ડગ માંડનાર સની લિયોની કેનેડિન-અમેરિકન નાગરિકતા ધરાવે છે. ભારતીય કાયદા પ્રમાણે ફકત ભારતીય નાગરિકોને જ મત આપવાનો અધિકાર છે. સની ભલે બોલીવૂડમાં કામ કરે પરંતુ એની પાસે યુએસનું નાગરિક્ત હોવાના કારણે વોટ આપી શકશે નહીં.
નોરા ફતેહી
બોલીવૂડમાં ડાન્સિંગ ક્વિન તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર નોરા કેનેડિયન-મોરોક્કનની છે. ત્યાં જ જન્મેલી અને ઉછરેલી નોરા પાસે કેનેડાની નાગરિક્તા છે. જેથી એ ભારતમાં પોતાનો મત આપી શકતી નથી.
નરગીસ ફખરી
અમેરિકન અભિનેત્રી અને મોડલ નરગીસ ફખરી “રોકસ્ટાર” અને “મદ્રાસ કેફે” જેવી ફિલ્માં કરેલી ભૂમિકાઓથી બોલિવૂડમાં ખ્યાતના મેળવી છે. ભારતમાં એની સક્રિય કારકિર્દી હોવા છતાં, ફખરીની યુએસ નાગરિકતાને કારણે એ મતદાન કરી શકશે નહીં.
કલ્કી કોચલીન
ભારતીય સિનેમામાં તેના કામ માટે પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીન ફ્રેન્ચ નાગરિક છે. તેમનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હોવા છતાં, તેની પાસે ફ્રેન્ચ નાગરિકતા છે માટે એ અહીં મત નહીં આપી શકે. જો કે કલ્કીનું નામ ફ્રાંસની મતદાર યાદીમાં પણ નથી. માટે એ કોઈ પણ જગ્યાએ પોતાનો મત આપી શકતી નથી.
ઇલિયાના ડી‘ક્રૂઝ
અભિનેત્રી ઇલિયાના ડી’ક્રૂઝ, તેલુગુ અને હિન્દી સિનેમામાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે, તે પોર્ટુગીઝ મૂળની છે અને તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ છે. તેણે 2014 માં પોર્ટુગીઝ રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી, જે ગોવાના ભૂતપૂર્વ પોર્ટુગીઝ પ્રદેશમાં તેના પરિવારના ઇતિહાસ સાથે મેળ ખાય છે. ભારતમાં તેની સફળ કારકિર્દી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ હોવા છતાં, તેની પોર્ટુગીઝ નાગરિકતાનો અર્થ એ છે કે તેઓ ભારતીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અયોગ્ય છે.
દીપ્તિ નવલ
વીતેલા સમયની પીઢ ભારતીય અભિનેત્રી દીપ્તિ નવલ એમના ઉમદા અભિનય અને દિગ્દર્શન માટે જાણીતા છે. તેઓ ઘણા વર્ષો સુધી ભારતીય ફિલ્મ સિનેમાનો મહત્વનો હિસ્સો છે, તેમ છતાં એમની અમેરિકન નાગરિકતાને કારણે એમણે ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી.