તિરુવનંતપુરમઃ કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધી રહી છે. KIIFB અને તેના ઉચ્ચ અધિકારીઓને FEMAના ઉલ્લંઘન અંગે નોટિસ આપવામાં આવી છે અને રૂ. 466 કરોડની રકમ અંગે પ્રશ્નો ઊભા થયા છે. KIIFBના ચેરમેન CM પિનરાઈ વિજયન જ છે.
શું છે આખો મામલો?EDએ 12 નવેમ્બર, 2025એ કેરળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) અને તેના ટોચના અધિકારીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન સંબંધિત શો-કોઝ નોટિસો જારી કરી છે. આ નોટિસો લગભગ રૂ. 466.91 કરોડ રૂપિયાની કથિત ગેરરીતિઓથી સંબંધિત છે.
કોને નોટિસ?
- Kerala Infrastructure Investment Fund Board (KIIFB)
- કે. એમ. અબ્રાહમ (CEO, KIIFB)
- પિનરાઈ વિજયન (ચેરમેન, KIIFB)
- ટી. એમ. થોમસ આઈઝેક (વાઈસ ચેરમેન, KIIFB)
શું છે આરોપ?
પ્રાપ્ત માહિતી મુજબ KIIFBએ લંડન અને સિંગાપુર સ્ટોક એક્સચેન્જમાં મસાલા બોન્ડ જાહેર કરીને 2672.80 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ રકમ ECB એટલે કે બાહ્ય વાણિજ્યિક ઋણ હેઠળ લેવામાં આવી હતી.

EDનો આરોપ છે કે આ ફંડમાંથી 466.91 કરોડ રૂપિયા જમીન ખરીદવામાં વાપરવામાં આવ્યા. જ્યારે RBIના નિયમો મુજબ મસાલા બોન્ડથી મેળવેલી રકમ જમીન ખરીદીમાં ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપયોગને RBIની માસ્ટર ડિરેક્શન 2016, સર્ક્યુલર 2015 અને 1 જૂન 2018નાં સૂચનોનું સીધું ઉલ્લંઘન માનવામાં આવે છે.
ક્યારે નોંધવામાં આવી ફરિયાદ?
EDએ FEMA હેઠળ ફરિયાદ 27 જૂન 2025એ નોંધાવી હતી. આ મામલો ધ્યાનમાં લીધા બાદ એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ 12 નવેમ્બરે નોટિસો જારી કરી હતી.
તાજેતરમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન કેન્દ્ર સરકારના ‘ગુપ્ત એજન્ટ’ છે. તેના પહેલાં રાજ્ય મંત્રી વી. શિવનકુટ્ટીએ કોંગ્રેસ નેતા અને અલપ્પુઝાના સાંસદને ભાજપ દ્વારા કોંગ્રેસને નષ્ટ કરવા માટે તૈનાત કરાયેલા ‘ગુપ્ત એજન્ટ’ તરીકે સંબોધ્યા હતા.








સત્ર અગાઉ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 36 રાજકીય પક્ષોનાં 50થી વધુ નેતાઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડા, સંસદીય બાબતોનાં પ્રધાન કિરેન રિજિજુ અને રાજય કક્ષાનાં સંસદીય બાબતોનાં પ્રધાનો અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગન હાજર રહ્યાં હતાં. બેઠકમાં SIRનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વિરોધ પક્ષનાં નેતાઓએ દિલ્હી વિસ્ફોટ પછી રાષ્ટ્રીય સુરક્ષા અને લેબર કોડ જેવા બીજા કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતાં.

