વોશિંગ્ટનઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાયો તેના માટે કથિત રીતે ચીનના વેટ માર્કેટને દોષિત માનવામાં આવે છે. ચીનમાં સ્થિતિ સુધર્યા બાદ હવે ફરીથી વેટ માર્કેટને ખોલી દેવામાં આવ્યું છે. ત્યારે અમેરિકી સાંસદોના એક સમૂહે કહ્યું કે, તેઓ પોતાના તમામ પશુ બજારોને જલ્દી જ બંધ કરી દે. કારણ કે ત્યાંથી જ જાનવરોની બિમારી માણસો સુધી પહોંચવાનું મોટું જોખમ છે. 
વેટ માર્કેટ કહેવાતા બજારોમાં વિભિન્ન પ્રકારના તાજા માંસની સાથે સ્તનપાયી, માછલીઓ સહિત કેટલાક જીવો જીવતા વેચવામાં આવે છે. અમેરિકામાં ચીનના રાજદૂત ક્યુઈ તિનાકાઈને લખેલા પત્રમાં સેનેટરોએ કહ્યું કે, અમે પત્રમાં ચીનથી આ અનુરોધ કરીએ છીએ કે, વેટ બજારોને તાત્કાલીક બંધ કરે, કારણ કે આનાથી પશુઓની બીમારીઓ લોકો સુધી પહોંચવાનું જોખમ છે.
તેમણે કહ્યું કે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર ગાઓ ફૂ એ માન્યું છે કે, નવા કોરોના વાયરસનો સ્ત્રોત ચીનના વુહાનમાં સી ફૂડ બજારમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહેલા જીવ છે. સેનેટરોએ કહ્યું કે, દસ્તાવેજોમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચીનના વેટ બજારમાં દુનિયાભરમાં સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓના સ્ત્રોત રહેલા છે અને તેને તુરંત જ રોકવા જોઈએ કે જેથી લોકોને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓથી બચાવી શકાય.


કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનના પગલે અનગઢ ગામના સરપંચ રાજુભાઇ ગોહિલને વિચાર આવ્યો કે સમૃધ્ધ લોકોને લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવાની કોઇ તકલીફ નહીં પડે, પરંતુ ગામમાં રોજનું રળીને રોટલો ખાતા ગરીબ અને શ્રમજીવી પરિવારો તથા ગંગાસ્વરૂપા માતાઓ કેવી રીતે પોતાના પેટનો ખાડો પૂરશે?
સરપંચએ ગામના આર્થિક રીતે સમૃધ્ધ અને આગેવાન લોકોને આવા પરિવારોને દત્તક લેવા અપીલ કરી. સરપંચની આ અપીલને વ્યાપક આવકાર મળ્યો અને ગ્રામ પંચાયતની આ પહેલને સૌએ વધાવી લઇ સમૃધ્ધ લોકો અને દાતાઓએ આવા કુટુંબ પરિવારને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી દાતાઓ , સરપંચ અને ગ્રામ પંચાયતના સહયોગથી આવા ૧૧૨ જેટલા ગરીબ પરિવારોને ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલા રાશનની કીટ તૈયાર કરી પહોંચાડવામાં આવી છે.ગામમાં હજુ આવા ગરીબ પરિવારોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
અનગઢ ગ્રામ પંચાયતએ ગરીબ જરૂરીયાતમંદ પરિવારને સહાય કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. રાજયની અન્ય ગ્રામ પંચાયતો પણ આ રીતે આગળ આવે તો દરીદ્રનારાયણોની મોટી સેવા થઇ શકે.







કોવિડ-૧૯ મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદ કે અન્ય શહેરોમાં કામ કરતાં કેટલાય શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી. ક્યાંક સંજોગો તેમને અહીં લાવ્યા છે અને ક્યાંક પ્રશાસન અહીં લાવ્યું છે.







